17/01/2026
ઉત્તરાયણના તહેવાર નિમિતે વર્ષોથી સમાજ અને ધર્મની સરહદો પાર કરીને સૌ કોઈ સાથે મળીને આ તહેવાર ઉજવતા આવ્યા છે.
પરંતુ આ વખતે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચા જગાઈ છે.
વાયરલ વીડિયોમાં મસ્જિદના લાઉડસ્પીકર પરથી એવી જાહેરાત કરવામાં આવી રહી હોવાનું સાંભળાઈ રહ્યું છે કે
“આ આપણો તહેવાર નથી, ઇસ્લામની મજાક ન બનાવો.”
આ જાહેરાત બેરલ માર્કેટ વિસ્તારમાં આવેલી મસ્જિદના સ્પીકર પરથી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
હાલ આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ કે સમગ્ર મામલે કોઈ અધિકૃત સ્પષ્ટતા સામે આવી નથી.
📹 સાંભળો અને જુઓ વાયરલ વીડિયો…
ઉત્તરાયણ જેવા લોકોત્સવને લઈને ઊભી થયેલી આ ચર્ચાએ સમાજ સામે અનેક પ્રશ્નો ઉભા કરી દીધા છે.
એક તરફ પરંપરા, સંસ્કૃતિ અને સહઅસ્તિત્વની ભાવના છે,
તો બીજી તરફ ધાર્મિક માન્યતાઓ અને વ્યક્તિગત વિચારો.
આ મામલે સાચું શું છે તે તપાસનો વિષય છે,
પરંતુ એટલું ચોક્કસ છે કે તહેવારો સમાજને જોડવા માટે હોય છે, તોડવા માટે નહીં.
સમાજની એકતા અને શાંતિ જ કોઈ પણ તહેવારની સાચી ઓળખ છે.