સાહિત્ય સ્પંદન સામયિક

  • Home
  • સાહિત્ય સ્પંદન સામયિક

સાહિત્ય સ્પંદન સામયિક લવાજમ નીચે આપેલ લિંક ઉપર ભરજો, ભરાવજો. https://rzp.io/l/caM78vkU

આપની વિગતો આપો. https://forms.gle/awV22LtXW9Ghk1R96

સાહિત્ય-સ્વરૃપ સ્વાધ્યાય-શ્રેણી...           સાહિત્યના ઈતિહાસમાં મુખ્ય-ગૌણ એમ વિવિધ પ્રકારનાં અનેક સાહિત્યસ્વરૃપો અવલોકવ...
17/10/2024

સાહિત્ય-સ્વરૃપ સ્વાધ્યાય-શ્રેણી...
સાહિત્યના ઈતિહાસમાં મુખ્ય-ગૌણ એમ વિવિધ પ્રકારનાં અનેક સાહિત્યસ્વરૃપો અવલોકવા મળતાં હોય છે. મોટેભાગે આ સ્વરૃપો આગળ વિષયસામગ્રીની અર્થપૂર્ણ અભિવ્યક્તિ અર્થે અસ્તિત્વમાં આવ્યાં હોય છે. સામાજિક કે સંસ્કૃતિમૂલક સંદર્ભોથી જે-તે સ્વરૃપ પ્રગટે અને પ્રયોજાઈને વિકાસ પામતાં રહેતા. એમાં આંતરિક પરિવર્તન, રૃપાંતર થતું રહેતું હોય છે. કોઈ મુખ્ય સ્વરૃપ ગૌણ બની જાય અને ગૌણસ્વરૃપ મુખ્ય બની જાય એ આખું તંત્ર સાહિત્યના ઈતિહાસનો ભાગ બની રહેતું હોય છે. આ સંરચના-સ્ટ્રક્ચર અને ફોર્મ-સ્વરૃપને સાહિત્યના ઈતિહાસની કળાકીય વિકાસરેખા ગણવાની રહે.
આમાં પૂર્વાપર અને કાર્યકારણ સંદર્ભ પાર્શ્વભૂમાં પરિબળ રૃપે પડઘાતો હોય તો એ પણ સમગ્ર ખંડને - પરંપરાને નૂતન રીતે આવિષ્કાર કરાવનારું ઘટક હોઈ શકે.
સ્વરૃપનું સંવર્ધન-વિવર્ધન થતું રહેતું હોય છે. સાહિત્યના ઈતિહાસનું આવું સ્વરૃપમૂલક ઘટક-પરિમાણ પાછળ સમાજની સ્વીકૃતિ, સમાજની માંગ, સામાજિક અવસ્થિતિ પણ કારણભૂત હોય છે. સર્જકને પ્રાપ્ત પરિસ્થિતિ અને સર્જકને પ્રાપ્ત વિષય સામગ્રી એને અમુક સ્વરૃપમાં ક્રિયાશીલ થવા પ્રેરનાર-પ્રેરક પરિબળ ગણાયા. સ્વરૃપ પ્રાપ્ત કૃતિને આ પરિબળનો પ્રતિઘોષ ગણીને સાહિત્યના ઈતિહાસમાં ચર્ચવાની હોય.
ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં ઈ.સ. ૧૨૫૦થી આ પરંપરા પ્રયોજાતી રહી. મધ્યકાલીન અને અર્વાચીન ગાળામાં સમયાંતરે સંતસાહિત્ય, લોકસાહિત્ય અને ચારણીસાહિત્યની પરંપરા પ્રભાવ પાડતી રહી છે. પરંતુ ઈતિહાસમાં આ ધારાને લગભગ બહુ લક્ષમાં લેવાઈ નથી. અહીં મધ્યકાળથી અનુઆધુનિકકાળ સુધી પ્રવાહમાન સ્વરૃપોનો સ્વાધ્યાય, સાંપ્રત સમયે સ્વાધ્યાયરત અભ્યાસી અધ્યાપકોેએ પોતાની રીતે ભારે ખંતથી, નિસ્બતથી સમયસર કરી આપ્યો તે પ્રકાશિત છે.
પ્રકાશનની દુનિયામાં અમારું ઝેડકેડ પ્રકાશન ગ્રુપ થોડાં સમય પહેલાં સાંવ નવું નામ હતું. પરંતુ, આપ સૌના સ્નેહ-સહકારથી વિવિધ વિષયોના પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. એમાનાં ઘણાં પુસ્તકોની એકથી વધુ આવૃત્તિઓ પણ થઈ છે. આ તમામ શ્રેણ આપ જેવા સુજ્ઞ ભાવકોને જ જાય છે. અમારી આ સાહિત્ય-સ્વરૃપ સ્વાધ્યાય-શ્રેણીમાં લોકસાહિત્ય, સંતસાહિત્ય, મધ્યકાલીન તથા અર્વાચીન સાહિત્યના લગભગ તમામ સ્વરૃપોને ક્રમશઃ પ્રગટ કરવાની નેમ છે. નિશ્ચિત પૃષ્ઠમર્યાદા, જે-તે સાહિત્યસ્વરૃપની સંજ્ઞા-વિભાવના, લાક્ષણિકતાઓ, વિકાસરેખા તથા નમૂનારૃપ આસ્વાદ વગેરે મુદ્દાઓને ધ્યાનમાં લઈને નિશ્ચિત માળખામાં આ શ્રેણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જે-તે સાહિત્ય સ્વરૃપના સ્વતંત્ર પુસ્તકો તથા લેખો આપણને પ્રાપ્ય છે જ પરંતુ આ શ્રેણીની વિશેષતા એ છે કે ટૂંકમાં છતાં જે-તે સાહિત્યસ્વરૃપની તમામ બાબતોનો એક જ પુસ્તકમાં સમાવેશ કરવાનો પ્રયાસ થયો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તથા સ્નાતક, અનુસ્નાતક અને સાહિત્ય સંદર્ભે સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપરાંત સાહિત્યમાં-સાહિત્યસ્વરૃપોમાં ટૂંકમાં છતાં દરેક પાસાઓનો અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવનારને આ પુસ્તક આશીર્વાદરૃપ બનશે.

11/07/2023
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ : અભિનંદન મનિષભાઈ.શ્રમની જેની સંપતિ, સવળે રસ્તે જાયવાવ્યું બમણું થાય, વારાણસીમાં 'વિઠલા'          ...
07/09/2022

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ : અભિનંદન મનિષભાઈ.
શ્રમની જેની સંપતિ, સવળે રસ્તે જાય
વાવ્યું બમણું થાય, વારાણસીમાં 'વિઠલા'
કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એની સૌને ખબર છે પણ, કેટલુંક વાવેલું વારાણસીમાં ઉગે છે. કેટલુંક વાવેલું અહી, આ ઘડીએ ઉગે છે. અહીં જે ઉગે છે એનો ઉજાસ સૌને વરતાય છે. પ્રકાશનમાં બે વર્ષ હજુ હવે પુરા થાય છે હો... મનિષભાઈ વિશે શું લખવું? હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા...એવી કડીઓ ગાવાનું મન થાય. સાથે સાથે એવું કહેવાનું પણ મન થાય કે મનિષભાઈ પટેલ અમારાં ઉત્તર ગુજરાતનું અણમોલ ઘરેણું છે.
ગુજરાતી સાહિત્યમાં ઝેડ કેડ પબ્લિકેશન એક ચમત્કાર છે એવું સૌ કોઈ કહે છે એમાં અતિશયોક્તિ બિલકુલ નથી. બે વર્ષના કાર્યકાળમાં કોઈ પ્રકાશકને ન મળી હોય એવી જવલંત સફળતા મનિષભાઈને મુઠ્ઠી ઉંચેરા માનવી સિદ્ધ કરે છે. આવો ઉંચો શબ્દ હું એમની મહેનત, કર્મનિષ્ઠા અને સતત નવું વિચારવાની દ્રષ્ટિ માટે વાપરી રહ્યો છું. બાકી, મનિષભાઈ માટીથી જોડાયેલા માણસ છે.
આપણા સંવેનશીલ સર્જક શ્રી રવજીભાઈ ગાબાણી સાહેબ લિખિત 'સાવજનું કાળજું' નો પ્રથમ આવૃત્તિમાં ૬૮૦૦૦ કોપીનો એ પડાવ એક એવી ઉંચાઈ હતી કે જ્યાં પહોચ્યા પછી પાછું વળીને જોવું શક્ય નહોતું પણ, મનિષભાઈ પાસે ગજબનો સંયમ અને ધૈર્ય. એ ધરાતલને સમજે, ઓળખે ને એ મુજબ જ જીવે.
મનિષભાઈને મળીએ એટલે એમનો માનવીય અભિગમ આપણને સ્પર્શી જાય. સીધી વાત. કોઈ આછકલાઈ નહિ. કોઈ વધારે ઉંચાઈ કે ચડાવી, શણગારી કરેલી વાત નહિ. એમને રસ કામમાં. જે કામ માટે પોતે છે એ કામને પૂરેપૂરા સમર્પિત બની મચી પડવું.
આજે એમનાં પ્રકાશન હેઠળ બસો આસપાસ ટાઇટલ છે પણ, ઉતાવળમાં નહિ માનતા મનિષભાઈ પુસ્તક સજાવટને લઈને સારો એવો સમય લે છે ને હમેશાં બેસ્ટ આપવાની કોશિશ કરે છે. એકસાથે અસંખ્ય કામો કરતાં કરતાં તેઓ સાહિત્યજગતમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે.
ગુજરાતની કે ભારતની સાહિત્યિક સંસ્થાઓ એવોર્ડ આપે એનાં કરતાં વૈશ્વિક લેવલ પરથી જે વધામણાં થાય એનું મૂલ્ય નોખું જ રહેવાનું. અહી એક વાત શીખવા મળે છે કે સાહિત્યમાં નવાં જૂના જેવું કશું જ નથી હોતું. પેશન અને દુરદર્શિતા વડે જો કામ કરવામાં આવે તો એનું ફળ અચૂક મળે છે. જોકે, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ જેવું ઉત્તમ ફળ માટે કદાચ નસીબ પણ કામ કરતું હશે એની ના નહીં તોય, કેવાનું મન થાય કે કોઈ બાળક એકડી બીજીમાં ભણતાં ભણતાં પી. એચ. ડી માટે મળતો એવોર્ડ લઈ આવે એમ આપણા મનિષભાઈ સાહિત્ય જગતમાં નવા નવા હોવા છતાં 'પહેલો ઘા રાણાનો' એ ન્યાયે છેક લંડનથી આવું અણમોલ સામૈયું પામે એનો એક મિત્ર તરીકે હરખ વ્યક્ત કરું છું.
મને તો બીજો વિચાર એ આવે કે દરેક પુસ્તકમાં, દરેક કાર્યક્રમમાં પોતાની સર્જનાત્મકતા રેડી દેતાં મનિષભાઈ ભવિષ્યમાં જે કામો કરશે એની નોંધ ગુજરાતી સાહિત્યની એક પ્રભાવી ઘટના બની રહેશે.
આ એવોર્ડ્ બદલ હું એમની સૂઝબૂઝ, સંબંધોની ગરિમા અને દૂર સુધીનાં દર્શનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હજૂ એનાથી પણ વધારે સિધ્ધિઓ મને આપની ઝોળીમાં દેખાય છે. આગે બઢો. જોગમાયા વરાણાવાળી આઈ ખોડિયાર આપની યશરૂપી ધજા ઉંચે ને ઉંચે ફરકાવે રાખે એવી પ્રાર્થના..
- શૈલેષ પંચાલ.

25/07/2022

SGVP ’દર્શનમ્’ સંસ્કૃત સંસ્થાનના નવા સોપાનો ‘દર્શનમ્′ રિસર્ચ સેન્ટર, સ્માર્ટ ક્લાસ તથા કમ્પ્યૂટર લેબ, લેંગ્વેજ લેબ અને ખગોળ-ગોળ લેબ ઉદ્ઘાટન સમારોહ તા. 23 જુલાઇ, 2022ના રોજ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે બિરાજમાન મા. ભાગ્યેશભાઈ જ્હા સાહેબનું પ્રથમ વિશેષ સન્માન SGVPના અધ્યક્ષ પ.પૂ. શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી, મા. શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા ઝેડ કેડ ગ્રુપના મનીષ પટેલ.

29/04/2022

તા. 24 એપ્રિલ 2022ના રોજ એસ.જી.વી.પી, છારોડી ખાતે
ઝેડ-કેડ પબ્લિકેશન મનીષ પટેલ દ્વારા પ્રકાશિત ગુજરાતી ફિલ્મ જગતના લોકપ્રિય અભિનેતા અને લોકપ્રિય નિવૃત્ત સરકારી અધિકારી શ્રી જિતેન્દ્ર ઠક્કર દ્વારા લિખિત નવરીબજાર -3 અને 3 દાયકા સરકારમાં... પુસ્તકોના વિમોચન પ્રસંગે પરમ પૂજય સદ્દગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામી ઉપસ્થિતિ રહી આશીર્વાદ પાઠવ્યા હતા, સાથે શ્રી અસિતકુમાર મોદી (તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સર્જક), ભાગ્યેશ જહા (પૂર્વ સચિવ શ્રી ), અનીસ માંકડ (પૂર્વ કમીશનર ), મહેન્દ્રભાઈ ત્રિવેદી (પૂર્વ ગૃહરાજ્ય મંત્રી ), તુષાર શુક્લ (સાહિત્યકાર ), અશોક દવે (હાસ્યકાર), મયુર વાકાણી (સુન્દરમામા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા), અરવિંદ બારોટ, અરવિંદ વેગડા, અભિલાષ ઘોડા, નવરી બજાર ફિલ્મના કલાકારો વગેરેએ હાજરી આપી હતી.

ZCAD PUBLICATION
પુસ્તક વિમોચન
https://youtu.be/femT3OcwVjQ

પુસ્તક સ્ટોર
http://www.zcadgroup.co.in/store/index

તા. 24 એપ્રિલ 2022ના રોજ એસ.જી.વી.પી, છારોડી ખાતેઝેડ-કેડ પબ્લિકેશન મનીષ પટેલ દ્વારા પ્રકાશિત ગુજરાતી ફિલ્મ જગતના લોકપ્રિ...
29/04/2022

તા. 24 એપ્રિલ 2022ના રોજ એસ.જી.વી.પી, છારોડી ખાતે
ઝેડ-કેડ પબ્લિકેશન મનીષ પટેલ દ્વારા પ્રકાશિત ગુજરાતી ફિલ્મ જગતના લોકપ્રિય અભિનેતા અને લોકપ્રિય નિવૃત્ત સરકારી અધિકારી શ્રી જિતેન્દ્ર ઠક્કર દ્વારા લિખિત નવરીબજાર -3 અને 3 દાયકા સરકારમાં... પુસ્તકોના વિમોચન પ્રસંગે પરમ પૂજય સદ્દગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામી ઉપસ્થિતિ રહી આશીર્વાદ પાઠવ્યા હતા, સાથે શ્રી અસિતકુમાર મોદી (તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સર્જક), ભાગ્યેશ જહા (પૂર્વ સચિવ શ્રી ), અનીસ માંકડ (પૂર્વ કમીશનર ), મહેન્દ્રભાઈ ત્રિવેદી (પૂર્વ ગૃહરાજ્ય મંત્રી ), તુષાર શુક્લ (સાહિત્યકાર ), અશોક દવે (હાસ્યકાર), મયુર વાકાણી (સુન્દરમામા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા), અરવિંદ બારોટ, અરવિંદ વેગડા, અભિલાષ ઘોડા, નવરી બજાર ફિલ્મના કલાકારો વગેરેએ હાજરી આપી હતી.

ZCAD PUBLICATION
પુસ્તક વિમોચન
https://youtu.be/femT3OcwVjQ

પુસ્તક સ્ટોર
http://www.zcadgroup.co.in/store/index

Address


Alerts

Be the first to know and let us send you an email when સાહિત્ય સ્પંદન સામયિક posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to સાહિત્ય સ્પંદન સામયિક:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share