08/09/2026
નેપાળની વહારે આવ્યા..
નીતિનભાઈ જાની (ખજૂરભાઈ)
મારા જીવનમાં મેં ક્યારેય આવું પૂર જોયું નથી.
પૂરમાં પાણી જોયા છે પણ માટીના અને પથ્થરોના પૂર મેં ક્યારેય જોયા નથી. જે વ્યક્તિઓને એવો વહેમ હોય કે, આપણે પ્લાસ્ટર વાળું ઘર કરશું તો જીવનમાં કંઈ થવાનું નથી તો તમે જુઓ પાણીની સામે, પ્રકૃતિની સામે કોઈનું ચાલ્યું નથી.નેપાળમાં બધી જગ્યા પર માટીથી આખી જગ્યા ભરાઈ ગઈ છે. જેટલા પણ ઘર જોશો બે-બે ફ્લોર સુધી દટાઈ ગયા છે. આ શબ્દો છે નેપાળમાં મદદે પહોંચેલા ગુજરાતી નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના...
નીતિન જાનીએ બેત્રાવતીની ભયાનક સ્થિતિ વર્ણવી કુદરતના ભયાનક પ્રકોપનો સામનો કરી રહેલા નેપાળમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે.