Library media

Library media Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Library media, News & Media Website, AHMEDABAD, Ahmedabad.

        1 હેક્ટરમાંથી થશે 10 થી 15 લાખ રૂપિયા કમાણી, માલામાલ કરી દેશે કિવીની ખેતીકિવીનું ફળ ઘણા લોકોને ભાવતું હોય છે. તે...
30/05/2025



1 હેક્ટરમાંથી થશે 10 થી 15 લાખ રૂપિયા કમાણી, માલામાલ કરી દેશે કિવીની ખેતી

કિવીનું ફળ ઘણા લોકોને ભાવતું હોય છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. આ ફળની ખેતી પણ લાખો રૂપિયાની કમાણી કરાવી શકે તેમ છે. એક હેક્ટર જમીનમાંથી 10 થી 15 ટન ફળો મળે છે. જેનાથી દર વર્ષે 10થી 15 લાખની કમાણી થઈ શકે છે. આવો તેની ખેતી વિશે જાણીએ.

કિવીની ખેતી માટે સારી નિતારવાળી ફળદ્રુપ જમીન હોવી જોઈએ. પીએચ સ્તર 5.5 થી 7.0 વચ્ચે હોવું જોઈએ. ઊંડા પાણી ભરાવા વાળા વિસ્તારોથી બચવું જોઈએ. ઠંડુ અને સમતુલ્ય હવામાન યોગ્ય છે. 700 થી 1200 ઠંડક કલાકો જરૂરી છે. તીવ્ર ગરમી અથવા તીવ્ર ઠંડીથી બચવું જોઈએ. હેવર્ડ, એલિસન, ગૃનોજીવી, તું મયુરી, એવોર્ડ મોન્ટી જેવી લોકપ્રિય જાતો છે. પુરુષ અને સ્ત્રી બંને છોડ જરૂરી છે.

એક પુરુષ છોડ માટે 6 થી 8 સ્ત્રી છોડનું પ્રમાણ રાખવું. કિવીની ખેતીથી લાખોની કમાણી

કિવીની રોપણી માટેનો યોગ્ય સમય જૂનથી ફેબ્રુઆરી સુધી છે. વાવેતર માટે ટેરેલીસ પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. છોડને નિયમિત અને માપમાં પાણી આપવું જોઈએ. ખાસ કરીને ઉનાળામાં ટપક સિંચાઈ પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. વધારે પાણીથી રૂટ રોટ થવાની શક્યતા હોય છે.

એક હેક્ટર જમીનમાંથી 10 થી 15 ટન ફળો મળે છે. કિવીના છોડને ફળ આવવામાં 2 થી 3 વર્ષ લાગે છે. આ છોડ 4 થી 5 વર્ષ પછી ફળ આપે છે અને બજારમાં પહોંચવામાં 8 થી 10 વર્ષનો સમય લાગે છે.

આથી ખેડૂતોને મોટો નફો થાય છે. એક ઝાડ 40 થી 60 કિલોનું ઉત્પાદન આપે છે. કાપ્યા પછી કિવી ફળને 3 થી 4 મહિના માટે ઠંડી જગ્યાએ રાખી શકાય છે. માર્કેટમાં કિવીનું વેચાણ પ્રતિ કિલો ભાવે થાય છે. એક હેક્ટર જમીનમાં કિવીની ખેતીથી દર વર્ષે 10 થી 15 લાખ રૂપિયા કમાઈ શકાય છે.

કિવીના સ્વાસ્થ્ય લાભ

કિવીમાં ઓરેન્જ કરતા વધુ વિટામિન C હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. કિવીમાં વધુ ફાઇબર હોય છે, જે પાચન ક્રિયા સુધારે છે અને કબજિયાત દૂર કરે છે. એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન C ચામડીને નરમ અને ચમકદાર બનાવે છે. કિવી રક્તમાં કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદય રોગનો ખતરો ઓછો કરે છે. કિવીનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે, એટલે ડાયાબિટીસ ધરાવતા લોકોને પણ નાની માત્રામાં લાભદાયક હોઈ શકે છે.

30/05/2025

          સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ ...
30/05/2025


સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જૂનાગઢ (ગિરિનગર)માં પુષ્યગુપ્ત નામનો પોતાનો સુબો મુક્યો હતો. પુષ્યગુપ્તે સુવર્ણસિકતા નદી પર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું હતું. સમ્રાટ અશોકના તુસાચ્ય નામના સૂબાએ તેમાં નહેરો ખોદાવી સિંચાઈનું કાર્ય કર્યું હતું. સ્કંદગુપ્તના પર્ણદત્ત નામના સૂબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવને ફરી બંધાવ્યું. આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજ્જયંત, રૈવત, રૈવતક અને જુનાગઢ શહેરને ગિરિનગર, જીર્ણદુર્ગ નાં નામથી ઓળખાતા હતાં.

આમ સમયનાં વહેણની સાથે જુનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યુ. ઈ.સ.૧૧૫૨ની આસપાસ ત્યાનાં રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતાં. ત્યાર બાદ સમયનાં પરિવર્તનની સાથે અત્યારે ખૂબજ સારા પગથિયાનું નિર્માણ થયેલ છે. ગિરનાર પર્વતની સામે જ દશ-અગિયારમી સદીથી અકબંધ ઉભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે. રાજા રા'ગ્રહરિપુએ બંધાવેલા આ કિલ્લાએ સોરઠનાં સતાપલટા અનેકગણા ખંડન-મંડન નિહાળ્યા છે. એક એવી કથા પણ અહીં પ્રચલિત છે કે જયારે સિદ્ધરાજ જયસિંહએ જૂનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રા'ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇ જતો હતો, ત્યારે સતી રાણકદેવીએ ગિરનારને કહ્યું કે,

ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો ?
મરતા રા'ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો ?

અર્થાત: તારો રાજા હણાયો છતાં તું હજી ઉભો છે? આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યુ કે 'પડમા પડમા મારા આધાર'. ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઇ ગઇ હોય તેવી દેખાય છે. ઉપરકોટ અને નીચલો કોટ આ શીલાઓ જોવા માટેના સ્થળ છે.

• 27 મેએ લેવાયેલી નાયબ ખેતી નિયામક વર્ગ-1ની પરીક્ષા રદ કરવામાં આવી છે.• प्रश्नो मात्र Fundamentals of Agriculture Volume...
29/05/2025

• 27 મેએ લેવાયેલી નાયબ ખેતી નિયામક વર્ગ-1ની પરીક્ષા રદ કરવામાં આવી છે.

• प्रश्नो मात्र Fundamentals of Agriculture Volume 1 अने 2 પરથી જ પૂછાયા હતા.

• તેથી ઉમેદવારોની રજૂઆત કરતાં પરીક્ષા રદ્દ કરવામાં આવી.

• 31 મેએ યોજાનારી મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે.

15/04/2025

26/02/2025

06/02/2025

Address

AHMEDABAD
Ahmedabad
380015

Telephone

+919327150569

Website

Alerts

Be the first to know and let us send you an email when Library media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share