Umang Swami

Umang Swami ꧁༺ ना मुत्यु से भय, ना जीवन से प्रीत,
धर्म हितमे जीवन बीते, यही क्षत्रिय रित। ༻꧂

02/09/2023

*સનાતન ધર્મના બની બેઠેલા ઠેકેદારો.....સાચા અર્થમાં સનાતની થાય તોય ઘણું*

હું સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત નથી, પરંતુ ધર્મપ્રેમી સામાન્ય માણસ છું.

*હનુમાનજીના વિવાદમાં* હમણાં ઘણા *સનાતન ધર્મના ઠેકેદારો* બની વચ્યે *કૂદી પડ્યા છે*.

*સનાતન ધર્મ એટલે શુદ્ધ આચાર, વિચાર, આહાર, વિહાર, ભક્તિ, ઉપાસના*.

તેમને પૂછવાનું મન થાય કે *સનાતન ધર્મ શું છે ?*

1. શું *દારૂ* પીવો, *ગુટકા-પાનમસાલા* ખાવા, તે સનાતન ધર્મ છે?

2. શું *ગણપતિ ઉત્સવમાં* ભક્તિના ઓઠા હેઠળ *DJ પર ફિલ્મોના ગાયનો વગાડી દારૂ ઢીંચી નાચવું* તે સનાતન ધર્મ છે?

3. શું *શિવરાત્રી પર ભાંગ ઢીંચવી* તે સનાતન ધર્મ છે?

4. શું *નવરાત્રીમાં* માતાજીની મૂર્તિને હાંસિયામાં ધકેલી પારકા ભાયડા અને બૈરાઓએ ભેગા થઇ નાચી *પ્રગટ માતાજીઓની ઉપાસના કરવી* તે સનાતન ધર્મ છે? (ગુજરાતમાં *નવરાત્રી* ઉત્સવ *પછી* સૌથી વધુ *ગર્ભપાત* થાય છે)

5. શું *જન્માષ્ટમી* પર્વ પર *જુગાર* રમવો તે સનાતન ધર્મ છે?

6. શું *ભાદરવી પૂનમે અંબાજી માતાના દર્શને દારૂ ઢીંચતા પદયાત્રા* કરીને જવું તે સનાતન ધર્મ છે? (સર્વેક્ષણ મુજબ ભાદરવી પૂનમના આગલા દિવસોમાં જ ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાય છે.)

7. શું *સત્યનારાયણની કથામાં મફત બીડીના ઠૂંઠા પીવા*, શીરાનો પ્રસાદ આરોગવો, બાપના બગીચામાં બેઠા હોય તેમ ફળિયામાં ખાટલા ઢાળી બેસવું તે સનાતન ધર્મ છે? ( 90% લોકોને સત્યનારાયણ ભગવાન વિશે ખબર જ નથી હોતી, જાણવું પણ નથી, લેવાદેવા જ નથી. )

8. શું *રાતભર* ચાલતા ‘સંતવાણી’ના નામે *ભજનના કાર્યક્રમોમાં દારૂ ઢીંચીને* ગાતા કલાકારોના તાલે નાચવું, ગાદલા-ઓશિકા પર સૂતા-સૂતા *બીડીના ઠૂંઠા પીને નિશાચરની જેમ રાત પસાર કરવી* તે સનાતન ધર્મ છે?

9. શું *ઈંડા-આમલેટ ખાવા, માંસાહાર કરવો* તે સનાતન ધર્મ છે?

10. શું *TV, ફિલ્મો કે મોબાઈલ* દ્વારા *અશ્લિલ ચલચિત્રો* જોવા તે સનાતન ધર્મ છે?

11. શું *નોકરી-ધંધા*-વ્યવહારમાં *લાંચ-રીશ્વત* લેવી, *દગા-પ્રપંચ* કરી લોકોને છેતરવા તે સનાતન ધર્મ છે?

12. શું *માતા-પિતાનો અનાદર*-તિરસ્કાર કરવો, ઘડપણમાં તેમને *વૃદ્ધાશ્રમમાં* તરછોડી દેવા તે સનાતન ધર્મ છે?

13. શું ઘરમાં *પતિ-પત્નીના, સાસુ-વહુના, માતાપિતા-સંતાનોના ઝગડા* કરવા તે સનાતન ધર્મ છે?

14. શું આપણા *ગીતા-રામાયણ-મહાભારત-ભાગવત* જેવા ગ્રંથને જૂનવાણી, નિરસ સમજી જિંદગીભર *ન વાંચી* ; *છાપા વાંચવામાં, મોબાઈલ મચેડવામાં, PUBGમાં* જીવન બરબાદ કરવું તે સનાતન ધર્મ છે?

15. શું આપણા સનાતન *રીતિ-રીવાજો, પ્રણાલિકાઓ, દેવી-દેવતાઓ, સંતો-ભક્તો, ગ્રંથો, તીર્થસ્થાનોની ઠેકડી ઉડાડવી* ; તેવું કરતા કલાકારો, લેખકો, ફિલ્મોને પ્રોત્સાહન અપાવું તે સનાતન ધર્મ છે ?

*સનાતન ધર્મ*ના કક્કો-બારખડી *જાણ્યા-સમજ્યા વિના* તેનું પરિશુદ્ધ સ્વરૂપ એવા અજોડ સ્વામિનારાયણ સંપ્રદાયની *નિંદા-ટીકા કરવા કરતા*, તેને *સમજવા પ્રયત્ન કરો*. કવિવર નાન્હાલાલ કહેતા ‘આ ધર્મ આચાર-સ્વચ્છતા, વિચાર-સ્વચ્છતા, આંતર-બાહ્ય સર્વદેશીય સ્વચ્છતાનો
માર્ગ છે.

મેં જોયું છે કે,
*સ્વામિનારાયણ સંપ્રદાય લોકોને સાચા સનાતન ધર્મના માર્ગે વાળે છે* :

1. *બાળકો માતા-પિતાને* પગે લાગે, ક્યાંકથી મળેલા પાકીટ, મોબાઈલ વગેરે *વસ્તુઓ પરત કરે*, પરીક્ષામાં ચોરી ન કરે, *વેકેશનમાં* સમય, શક્તિ વેડફવાને બદલે *વ્યસનમુક્તિ અભિયાન* કરે છે.

2. *બાળકો-યુવાનો TV, ફિલ્મ, મોબાઈલમાં અશ્લિલ ન જુવે*, તેના ઉપયોગમાં વિવેક રાખે છે.

3. વિદ્યાર્થીકાળમાં *બાળકો-યુવાનો સંયમપૂર્વક વિજાતીય આકર્ષણથી દૂર* રહી, *અભ્યાસમાં* શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરે છે.

4. આબાલવૃદ્ધ સર્વે *વ્યસનમુક્ત, શાકાહારી* જીવન જીવે છે.

5. ઘરમાં *ઘરસભા* દ્વારા ઘરના *પારિવારિક સંબંધો* મજબુત બનાવે છે.

6. ઘરમાં *ઘરમંદિરમાં આરતી-થાળ-ભજન-ભક્તિ* દ્વારા સમગ્ર *ઘરને* જ એક *મંદિર* બનાવે છે.

7. સવારે *નિત્યપૂજા*, રોજ અથવા અઠવાડિયે એકવાર ગામના *મંદિરમાં દર્શને* જઈ ભગવાનમાં જોડાય છે.

8. આબાલવૃદ્ધ સર્વે *અઠવાડિક સભામાં* જઈ *સનાતન ધર્મના* મૂલ્યો, રીતિ-રીવાજો, અવતારો, ઋષિઓ, ગ્રંથોના ઉપદેશો *જીવનમાં સુદ્રઢ* કરે છે.

9. જરૂર પડે ત્યારે *ભૂકંપ-રેલ-દુષ્કાળ રાહતકાર્યમાં સ્વયંસેવક* બની સમયનું યોગદાન આપે છે.

10. *સનાતન ધર્મના ઉત્સવો ઉજવે* પણ દૂષણો-વિકૃતીઓથી દૂર રહે છે.

11. *સરકારી અધિકારીઓ લાંચ ન લે*, ન લેવા દે.

12. પોતાના *સંપર્કમાં આવનારા* અનેકને *સનાતન ધર્મ તરફ પ્રેરે* છે.

*સનાતન ધર્મની પુષ્ટિ* ફક્ત વાદવિવાદ, કથા-પ્રવચનો, ઉપરછલ્લા રીતિ-રિવાજોથી નહિ, પરંતુ તે મુજબ *જીવન જીવવાથી થાય* છે. મારા મત મુજબ *સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મના પોષણ-રક્ષણનું* સાચા અર્થમાં *કામ કરી રહ્યો છે*.

મેં જોયું કે *સ્વામિનારાયણીયા કોઈને પરાણે* પોતાન *સંપ્રદાયમાં નથી ભેળવતા*, પરંતુ શૈવ-વૈષ્ણવ-શાકતપંથીઓને, *સનાતન ધર્મીઓને પોતાના ધર્મનું સાચા અર્થમાં અનુસરણ કરવાનું શીખવે છે*.

આજે ઇસ્લામ માટે તે લોકો મરવા તૈયાર છે, અને બની બેઠેલા સનાતન ધર્મના રક્ષકો પોતાના ધર્મ મુજબ જીવવા તૈયાર નથી. જો ખરેખર *સાચા સનાતન ધર્મી થવું હોય તો* વાદવિવાદને બદલે *એવું જીવન બનાવો*.

1) *બાળકોને* માતાપિતાને પગે લગાડો, ધર્મગ્રંથો વંચાવો, મંદિરે લઇ જાઓ.

2) *બાળકો-યુવાનોને* TV-ફિલ્મ-મોબાઈલમાં સંયમના પાઠ શીખવો.

3) *પુત્રીઓને* ધર્મજ્ઞાન આપી અસ્મિતાવાદી બનાવો, નહિતર તમારી નહિ રહે.

4) *વ્યસનોનો ત્યાગ* કરી *શાકાહારી* બનો.

5) *ધર્મમાં, ઉત્સવોમાં* પેઠેલી *વિકૃતિઓથી દૂર* રહી પવિત્ર જીવન જીવો.

6) *સનાતન ધર્મના* શાસ્ત્રો, મંદિરો, દેવ-દેવીઓ, સંતો, *મૂલ્યોને* જાણી, સમજી *આત્મસાત કરો*.

આ રીતે કરશો તો *સનાતન ધર્મ ટકશે* ને ‘ધર્મો રક્ષતિ રક્ષિત:’મુજબ *તમારું* પણ તો જ *અસ્તિત્વ ટકશે*. બાકી *સ્વામિનારાયણ સંપ્રદાયની નિંદા-ટીકા કરવાથી* તેનો એક પણ *અનુયાયી ઓછો* નથી થયો ને *થશે* પણ *નહિ*; કારણ કે તેઓ પહેલા વિરોધીઓ જ હતા પરંતુ સનાતન ધર્મના રક્ષણ-પોષણ માટે સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી તેવું બહારનું વાતાવરણ જોઇને જોડાયા છે.

મેં પરદેશનું વાતાવરણ પણ જોયું છે. અહીં *ભારતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઘોર વિરોધીઓ* પણ *US, Canada, UK, Australia, Africa, UAE, જાય છે ત્યારે* તેમને પોતાનો અને પોતાના સંતાનોનો ધર્મ સાચવવા *ન છૂટકે સ્વામિનારાયણીય મંદિરોમાં*, સભામાં *જવું જ પડે છે*. પરદેશમાં તો ‘સનાતન ધર્મ એટલે સ્વામિનારાયણ’ તેના સિવાય ત્યાનાં લોકોને બીજું કઈ ખબર જ નથી.

સનાતન ધર્મની જય.....

હવે તો હદ થઇ ગઈ... સ્વામિનારાયણ ના પ્રચારની ..દરેક સંપ્રદાય, ધર્મ પોતપોતાની રીતે પોતાના ઈશ્વરનું અર્થઘટન કરે છે. હિન્દુ ...
01/09/2023

હવે તો હદ થઇ ગઈ... સ્વામિનારાયણ ના પ્રચારની ..
દરેક સંપ્રદાય, ધર્મ પોતપોતાની રીતે પોતાના ઈશ્વરનું અર્થઘટન કરે છે. હિન્દુ માં જ જુઓને સાકાર વાદી અને નિરાકાર વાદી બંને છે. કબીરના રામ જુદા છે. જૈનોના મત અનુસાર કૃષ્ણ ની વિભાવના જુદી જ છે. અખો પણ ભક્તિમાર્ગ ના આડંબરને વખોડે છે અને નિરાકાર ઈશ્વર તરફ ઢળે છે છતાં આપણે બધાને સ્વીકાર્ય કર્યા છે અરે આપણે તો દેવું કરીને ઘી પીવો કહેનાર ચાર્વાકને પણ ઋષિ કહ્યો. અને આપણી વિચાર પરંપરામાં એની નોંધ કરી જ છે. સત્ કૈવલ સારસા ગાદીની વિચારધારા જુદી છે પંચમ વેદની અને પીરાણાની પરંપરાને આપણે હિન્દુ માન્ય ગણ્યા છે. સાંઈબાબાને પણ પૂજ્ય માન્યા. જલારાબાપાના મંદિરમાં તો રામ પરિવાર એક તરફ અને વચ્ચે જલાબાપા હોય છે. જલાબાપા તો ૧૯ મી સદીના અર્વાચીન સંત છે તો એ પણ આપણને માન્ય છે . અને મધ્ય મંદિર માં પૂજ્ય ગણ્યા છે. ટૂંકમાં આપણી વિચાર પરંપરામાં બધાના બધા વિચારોને માન્યતા મળી છે. મત કે પંથ તરીકે પણ અને સંપ્રદાય તરીકે પણ. અને એ માન્યતા મેળવવાની પ્રક્રિયા સ્વામીનારાયણ સંપ્રદાયે સંપૂર્ણ અને વૈદિક રીતે કરીને માન્યતા મેળવી છે. આ સંપ્રદાય એ કોઈ સ્વપ્ન આવ્યું ને ચાલ્યો એમ નથી. એ બધી વાતો કદાચ બધાને ન સમજાય પણ નીચે ની વાતો તો સમજાઈ એમ છે જ...

- સ્વામિનારાયણ સંપ્રદાય શુદ્ધ વૈષ્ણવ પરંપરાનો સંપ્રદાય છે
- રામાનુજાચાર્ય એ સંપ્રદાયના આચાર્ય છે અને વિશિષ્ટાદ્વૈત એ એમનો મત છે અને વેદ એમનો સામવેદ છે અને શાખા કૌથમી છે।
- ગુજરાતમાં લક્ષ્મીજીનું સૌથી મોટું મંદિર એ વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર છે. જ્યાં 200 વર્ષથી લક્ષ્મીજીની સેવા પૂજા થઈ રહી છે.
- સ્વામિનારાયણ સંપ્રદાય સિદ્ધેશ્વર મહાદેવ જુનાગઢ, નરનારાયણ દેવ અમદાવાદ - ભુજ, મદનમોહનજી મહારાજ ધોલેરામ, ગોપીનાથજી મહારાજ ગઢપુર, સૂર્યનારાયણ દેવ, વરાહ દેવ વરતાલ ધામ અને હનુમાનજી મહારાજના અનંત મંદિરો સાથે વૈદિક દેવોની 200 વર્ષથી સેવાઓ થઈ રહી છે.
- અખિલ સ્વામીનારાયણ સંપ્રદાયમાં આવા 3,000 મંદિરોમાં દેવોને થાળ, શણગાર અને વાઘા ધરાવવા માટે વર્ષે 150 કરોડથી પણ વધારે ખર્ચ કરવામાં આવે છે.
- જે સંપ્રદાયના ખાલી અમેરિકામાં 200 થી વધારે મંદિરો છે.
- જે સંપ્રદાયની સંસ્થાઓ યુનોમાં હિન્દુ સહકારી સંસ્થા તરીકે સેવાનું કામ વર્ષોથી કરે છે

આ કંઈ ચર્ચ, મસ્જિદ તો નથી ને...???
હિન્દુ સનાતનના જ મંદિરો છે.

- જે સંપ્રદાયના સાધુઓ અયોધ્યા રામ મંદિર બનાવવા માટે આંદોલન કરે અને એક એક મહિનો જેલમાં પણ જાય
- સ્વામિનારાયણ સંપ્રદાય જન્માષ્ટમી, શિવરાત્રી, હોળી, ઉત્તરાયણ, દિવાળી, રામ નવમી, હનુમાન જયંતી, વિષ્ણુ યાગ, મારુતિ યાગ, લક્ષ્મી પૂજન, સરસ્વતી પૂજન, ધનુરમાસ - શ્રાવણ માસ શિવપૂજન આવા વગેરે પૂજનો પાછળ દર વર્ષે 125 સવા સો કરોડનો ખર્ચ કરે છે.
- જે દુનિયાભરમાં 3,000 થી વધારે મંદિરોનું સંચાલન કરે છે
- 400 થી વધારે જેની પાસે એજ્યુકેશન સ્કૂલ અને ગુરુકુલો છે, જેની અંદર સાડા સાત લાખ વિદ્યાર્થીઓ ભણે છે.
- 250 થી વધારે ગૌશાળાઓનું સંચાલન કરે છે ને ગાયોની સેવા કરે છે.
- 75 થી વધારે જે હોસ્પિટલ ચલાવે છે
- રોજ 4 - 4.5 લાખ લોકોને એવરેજ નિશુલ્ક અન્ન ક્ષેત્રમાં ભોજન કરાવે છે।
- જે સંપ્રદાયના દુનિયાભરમાં વસતા લાખો પરિવાર દરરોજ પ્રાતઃકાળમાં તિલક ચાંદલા સહિત ભગવાનની પૂજા કરે છે
- લાખો પરિવારના લોકો એકાદશી, જન્માષ્ટમી, શિવરાત્રી, રામ નવમીનાં અને શ્રાવણ માસના વ્રત ઉપવાસ કરે છે.
- અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયના લાખો ભક્તો સવાર સાંજ રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદની ધૂન બોલે છે.
- જે સંપ્રદાયના લાખો લોકો પોતાના માથામાં શિખા રાખે છે એટલે કે ચોટલી રાખે છે.
- જે સંપ્રદાય પાસે 3000 મંદિરો જે છે તો એ શું ચર્ચ છે ? ? ? મસ્જિદો છે ? ? ? એ મંદિરો ઉપર હિન્દુ સનાતન ધર્મની જ ધજા ફરકે છે

આટલી મોટી જે સંપ્રદાય ધાર્મિક પ્રવૃત્તિ કરે છે એને લોકો કહે છે કે તમે સનાતન નથી... ???

હવે આને કોણ સમજાવે ભાઈ ...જેને આ બધું પણ દેખાતું ના હોય... ???

એટલા માટે કોને નીચા દેખાડ્યા ? ? કોને ઉંચા દેખાડ્યા એ બધું બંધ કરી બધાએ પોતપોતાના ધર્મ કે સંપ્રદાય માં જે સાધના પદ્ધતિ કહી હોય એ રીતે પોતાના ભગવાન પામવા મંડી પડવું જોઈએ

🚩 સ્વામિનારાયણ ભગવાનની જય હો 🚩
🚩 સનાતન ધર્મની જય હો 🚩

07/03/2023

We're Looking for international sales Marketing Executive.

Experience: 1 to 5 years

location: Ahmadabad/Gandhinagar

Job responsibility:
Generating new sales leads & converting them.
Handling key customer accounts & generating business from those accounts.
Developing and implementing detailed marketing plans across food product
Closing new sales for all food products across all markets – especially US & Canada.
Achieving sales targets as per the business plan.
Working with the team to ensure they all achieve targets as well.
Working closely with the procurement team to ensure products are sourced timely and accurately for leads or confirm order.
Providing suggestions for new product launch based on customer demand
One point of contact for customer from Purchase Order to receivable managements
Responsible for Customer complaint management in coordination with the Quality department.

Address

Bapu Nagar
Ahmedabad

Telephone

+916351502792

Website

Alerts

Be the first to know and let us send you an email when Umang Swami posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share