Gujarati jalsa

Gujarati jalsa આ પેજ પર ગુજરાતી સુવિચાર, જોક્સ અને રસપ્રદ વાતો તેમજ મનગમતા ફોટા જોવા મળશે
#ગુજરાતી #ગુજરાતીજલસા #ગુજરાતી_જલસા #ગુજરાતીસુવિચાર #ગુજરાતીજોકસ
(1)

12/08/2025
*‘હ્યુમન મિલ્ક બેંક’ થકી અનેક નવજાત શિશુઓને મળ્યાં “અમૃત”ના આશીર્વાદ...**આ માતૃબેંકમાં અનેક માતાઓ પોતાના મહામૂલા ધાવણનું...
05/08/2025

*‘હ્યુમન મિલ્ક બેંક’ થકી અનેક નવજાત શિશુઓને મળ્યાં “અમૃત”ના આશીર્વાદ...*

*આ માતૃબેંકમાં અનેક માતાઓ પોતાના મહામૂલા ધાવણનું દાન કરી નવજાત બાળકો માટે સાચા અર્થમાં યશોદા બની રહી છે...*

*રાજ્યમાં અત્યાર સુધી 19,731 બાળકોને અમૃતરૂપી દૂધનું દાન કરી 21,357 માતાઓ બની યશોદા...*

*હ્યુમન મિલ્ક બેંકમાં આ વર્ષે 5,537 માતાઓએ 5,036 લીટર દૂધ ડોનેટ કર્યું; આ પહેલ થકી 7,829 બાળકોને નવજીવન મળ્યું...*

*ગાંધીનગરની હ્યુમન મિલ્ક બેંકમાં 646 માતાઓએ 694 બાળકોને દૂધ ડોનેટ કર્યું...*

🌿 શ્રાવણ સોમવારનું મહત્વ:1. ભગવાન શિવનો પ્રિય મહિનોશ્રાવણ મહિનોને ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. શિવ પુરા...
28/07/2025

🌿 શ્રાવણ સોમવારનું મહત્વ:

1. ભગવાન શિવનો પ્રિય મહિનો
શ્રાવણ મહિનોને ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. શિવ પુરાણ અનુસાર, આ મહિનો દરમિયાન ભગવાન શિવ ભક્તોના નમ્ર ઉપવાસ અને પૂજાથી ખુબ પ્રસન્ન થાય છે.

2. સોમવાર = ચંદ્રદેવ અને શિવજીનો સંબંધ
સોમવારનો સંબંધ ચંદ્રદેવ સાથે છે, અને ચંદ્ર ભગવાન શિવના જટામાં વસે છે. તેથી સોમવારે ભગવાન શિવની આરાધના વધુ અસરકારક માનવામાં આવે છે.

3. મહાદેવની કૃપા માટે ઉપવાસ
શ્રાવણના દરેક સોમવારે લોકો ઉપવાસ કરે છે, અને તેનાથી માનવામાં આવે છે કે ભગવાન શિવ ભક્તોના તમામ દુઃખો દૂર કરે છે તથા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે છે.

4. કન્યાઓ માટે વિશેષ મહત્વ
કુવારી કન્યાઓ શ્રાવણ સોમવારે ભગવાન શિવની પૂજા કરે છે જેથી તેમને સારા ગુણવત્તાવાળા પતિ મળી રહે — જેમ કે પાર્વતીમાતાજીએ શિવજીને પતિરૂપે મેળવવા તપ કર્યો હતો.

5. રુદ્રાભિષેક અને શિવલિંગ પૂજા
આ દિવસે શિવલિંગ પર જળ, દુધ, બેલપત્ર, ધતૂરા વગેરે ચઢાવીને પૂજા કરવામાં આવે છે. તે શુભ માનવામાં આવે છે અને દુર્ઘટનાઓ, રોગો અને દુઃખોથી બચાવ થાય છે.

18હજાર વિધવાઓ ની આશિષ વર્ષા સાથે નવદંપતિ ની નવીન શરૂઆતગુજરાત ના ઉદ્યોગપતિ જીતેન્દ્ર ભાઈ પટેલે, પોતાના નાના પુત્ર રવિ ના ...
24/06/2025

18હજાર વિધવાઓ ની આશિષ વર્ષા સાથે નવદંપતિ ની નવીન શરૂઆત
ગુજરાત ના ઉદ્યોગપતિ જીતેન્દ્ર ભાઈ પટેલે, પોતાના નાના પુત્ર રવિ ના લગ્ન સત્કાર સમારંભ માં 18હજાર વિધવા ઓ ને આમંત્રિત કરી એક નવી પહેલ કરી છે. જીતેન્દ્ર ભાઈ પટેલે પોતાની લાગણી વ્યક્ત કરતા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ને જણાવેલ કે સામાન્ય રીતે સમાજ માં વિધવાઓ ને સારા પ્રસંગો થી દુર રાખવામાં આવે છે જેની પાછળ કોઈ નક્કર કારણ નથી. આવું કરી તેમનો ઈરાદો એવો સંદેશ વહેંચતો કરવાનો છે કે વિધવાઓ ના આશિષ પણ શુભ હોય છે. ગુજરાતી લગ્ન પ્રથા માં પહેરામણી આપવાનો રીવાજ છે - તે મુજબ ઉપસ્થિત દરેક વિધવા બહેન ને ધાબળો આપવામાં આવ્યો. આ ઉપરાંત નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતી 500 વિધવા મહિલા ઓ સ્વ નિર્ભર બની શકે માટે તેમને એક - એક ગાય નું દાન પણ કરવામાં આવ્યુ

🔷 કૃષ્ણના મુખ્ય ઉપદેશો (ભગવદ ગીતા પરથી):1. કર્મ કર, ફળની આશા રાખે નહિ> "કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન"શ્રીકૃષ્ણ કહ...
24/06/2025

🔷 કૃષ્ણના મુખ્ય ઉપદેશો (ભગવદ ગીતા પરથી):

1. કર્મ કર, ફળની આશા રાખે નહિ

> "કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન"
શ્રીકૃષ્ણ કહે છે કે તું તારો કર્મ કરતો જા, પરિણામની ચિંતા ન કર — કારણ કે તારો અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નહિ.

2. આત્મા અમર છે

> "આત્મા જન્મે છે નહિ અને મરે છે નહિ."
આત્મા neither janme છે ન તો mરે છે. શરીર મરે છે, પણ આત્મા અનાદિ અને અવિનાશી છે.
3. ધર્મપથ પર ટકેલા રહો

> જીવનમાં અનેક સંજોગો આવે, પણ સાચા ધર્મના માર્ગે ચાલવું એ જ જીવનનો સાર છે.
4. સંસારમાં બધું નાશવાન છે

> ભગવાન કૃષ્ણ કહે છે કે જે પણ આ સંસારમાં છે તે બદલાવ પામે છે — શાશ્વત કંઈ નથી સિવાય આત્માના.
5. મને સર્વ કર્મ અર્પણ કર

> "સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ"
તારા બધા ધર્મો મને અર્પણ કરી દે. હું તને બધાં પાપો અને દુઃખોથી મુક્ત કરી દઈશ.
6. યોગ અને ભક્તિ મહત્વપૂર્ણ છે

> યોગ દ્વારા મનને શાંત કરો અને ભક્તિ દ્વારા ભગવાન સાથે જોડાવો

🕉️ લઘુ શ્રીમદ ભગવદ ગીતા શ્લોક (શ્રીકૃષ્ણ ઉપદેશ):

> "યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્॥"
અર્થ: જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય અને અધર્મનું પ્રબળ થવા લાગે, ત્યારે હું અવતાર ધરીને ધરતી પર આવું છું.

અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઑફ સમયે ક્રેશ થતાં સર્જાયેલી દુર્ઘટનામાં એક અત્યંત કરુણ દૃશ્ય સામે આવ્ય...
12/06/2025

અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઑફ સમયે ક્રેશ થતાં સર્જાયેલી દુર્ઘટનામાં એક અત્યંત કરુણ દૃશ્ય સામે આવ્યું છે. આ વિમાન નજીકમાં આવેલી ઇન્ટર્ન ડૉક્ટરની હોસ્ટેલ પર અથડાયું હતું, જેના કારણે બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી અને 8થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

હોસ્ટેલ સાથે વિમાન અથડાતાં ભયાવહ દૃશ્યો સર્જાયા

મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડૉક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.

જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદયા હતા.

આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદયા હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેંક્યો હતો. જ્યારે, એક મહિલા પણ ચોથા માળેથી કૂદી હોવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. નજરે જોનાર કેટલાંક લોકોનું કહેવું છે કે બિલ્ડિંગમાં આગ લાગતાં 8થી વધુ લોકો ચોથા માળેથી કૂદયા હતા. પ્લેન ક્રેશ અને બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે કુલ 9થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે, જોકે સત્તાવાર આંકડાઓની રાહ જોવાઈ રહી છે.

રાહત કામગીરી વચ્ચે લૂંટની ઘટના

એક તરફ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ અમાનવીય ઘટના પણ સામે આવી છે. મદદ કરવા આવેલા કેટલાક લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગમાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી અને રોકડ, દાગીના તેમજ મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાનું કહેવાય છે.

વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું

આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ ઍરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી

Gujarat SamacharGujarat CitiesAhmedabad
અમદાવાદ પ્લેન ક્રેશ | 169 ભારતીય, 53 બ્રિટિશ મુસાફરો હતા, જાણો અત્યાર સુધીની તમામ મોટી અપડેટ્સ
Updated: Jun 12th, 2025
Ahmedabad Plane Crash : અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.

PM મોદીએ ગૃહમંત્રી, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અને મુખ્યમંત્રી સાથે કરી વાત

ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ (Civil Aviation Minister Ram Mohan Naidu) સાથે વાત કરી છે. તેમણે તેમને અમદાવાદ જવા અને શક્ય તમામ સહાય સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. પીએમ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) સાથે વાતચીત કરી છે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ આવવા રવાના થયા છે. આ ઉપરાંત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel) અમદાવાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.

અમદાવાદ ઍરપોર્ટ અનિશ્ચિતકાળ સુધી બંધ, તમામ ફ્લાઇટ્સ સસ્પેન્ડ

મોટી દુર્ઘટનાના કારણે અમદાવાદ ઍરપોર્ટ પર અનિશ્ચિતકાળ સુધી બંધ કરવામાં આવ્યું છે. તમામ ફ્લાઇટ્સ આગામી નિર્દેશ ન આવે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવાયો છે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના CM સાથે ટેલિફોનિક વાતચીત કરી સમીક્ષા કરી છે. ડીજીસીએ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 12 જૂન, 2025ના રોજ એર ઇન્ડિયાનું વિમાન (AI-171) 1.38 વાગ્યે ટૅક ઑફ થયું હતું. જે બે મિનિટમાં જ 1.40 વાગ્યે પહેલાં વૃક્ષ અને પછી સિવિલ સ્ટાફ ક્વાર્ટર્સ અતુલ્યમ બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયુ હતું. આ ટૅક ઑફ થતાં જ પાયલોટ સુમિત સભરવાલે એટીસીને MAYDAY કૉલ આપ્યો હતો. પરંતુ એટીસી તરફથી કોઈ સિગ્નલ મળ્યું ન હતું અને ધડાકાભેર પ્લેન ક્રેશ થયું હતું. બિલ્ડિંગના પાયાના ભાગને મોટું નુકસાન થતાં બિલ્ડિંગ ધરાશાયી થવાની અણી પર છે.

આ પણ વાંચો : અમદાવાદમાં એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન ક્રેશ: 242 લોકો હતા સવાર, જુઓ મુસાફરોની યાદી

હોસ્ટેલ પર વિમાન અથડાતાં ભયાવહ દૃશ્યો સર્જાયા

મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.

15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટર ઈજાગ્રસ્ત

આ વિમાન જ્યાં તૂટી પડ્યું હતું એ રહેણાંક ઇમારત સિવિલ હૉસ્પિટલની હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે 15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરો પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઇમારત આગમાં લપેટાઈ જતાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં ઍર ઇન્ડિયા પ્લેન ક્રેશ કેવી રીતે થયું, પ્રાથમિક કારણ આવ્યું સામે, જુઓ VIDEO

રાહત કામગીરી વચ્ચે લૂંટની ઘટના

એક તરફ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ અમાનવીય ઘટના પણ સામે આવી છે. મદદ કરવા આવેલા કેટલાક લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગમાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી અને રોકડ, દાગીના તેમજ મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાનું કહેવાય છે.

વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું

આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ ઍરપોર્ટ ઑથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.

ઈમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર

રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઇલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ : ‘Mayday Call...’ પ્લેન ક્રેશ થતા પહેલા પાયલોટે આપ્યું હતું સિગ્નલ

Tags :
Next Story

Arrow GIF

Gujarat SamacharGujarat CitiesAhmedabad
અમદાવાદ-લંડન ફ્લાઇટ દુર્ઘટનાની રુંવાડા ઊભા કરી દેતી તસવીરો, જ્યાં જુઓ ત્યાં કાટમાળ અને મૃતદેહો
Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થતાં બે પાયલોટ અને 50થી વધુ મુસાફરોના મોત થયા છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો.

પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયાનક વિમાન દુર્ઘટના બાદ જ્યાં જુઓ ત્યાં કાટમાળ અને મૃતદેહો જોવા મળી રહ્યા છે. આ તસવીરો તમારા રૂંવાડા ઊભા કરી દેશે...

જુઓ તસવીરો..

Boeing 787 Dreamliner Details: અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1:38 વાગ્યે ટેક ઑફ થયું હતું અને 1:40 વાગ્યે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઇ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના બની હતી.

એક વિમાનનું 30-50 વર્ષનું હોય છે આયુષ્ય

ડ્રીમલાઇનરનું ડિઝાઇન કરેલ બોઇંગ 787નું આયુષ્ય 44,000 ફ્લાઇટ સાયકલનું છે, જેનું સંભવિત આયુષ્ય 30થી 50 વર્ષનું હોય છે. જ્યારે મોટાભાગના કોમર્શિયલ જેટ એટલા લાંબા સમય સુધી સેવામાં રહેતા નથી. જો કે અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાન ફક્ત સાડા 11 વર્ષ જૂનું હતું.

બોઇંગ 787-8 ડ્રીમલાઇનર એક વાઇડ-બોડી, મિડ સાઇઝ અને લોન્ગ રેન્જ એરક્રાફ્ટ છે, જે 210-250 સીટ સાથે 8500 નોટીકલ માઇલ્સનું અંતર કાપી શકે છે. તે 20% ઓછા ઇંધણ વપરાશ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે પર્યાવરણ માટે પણ સારું છે.

બોઇંગ 787-8ની વિગતો

- લંબાઈ: 56.70 મીટર

- વિંગ પહોળાઈ: 60 મીટર

- ઊંચાઈ: 16.90 મીટર

- એન્જિન 2 એન્જિન (સામાન્ય રીતે જનરલ ઇલેક્ટ્રિક અથવા રોલ્સ-રોયસ)

- બળતણ ક્ષમતા: 1,26,206 લિટર

- મહત્તમ ગતિ: 954 કિમી/કલાક

- મહત્તમ રેન્જ: 13,620 કિમી

- 254 મુસાફરો સુધીની બેઠક ક્ષમતા

- બોઇંગ ઉત્પાદક: યુએસએ

- અંદાજિત કિંમત ₹2.18 હજાર કરોડ (₹21.8 અબજ)

અમદાવાદથી લંડન ફ્લાઇટ

અમદાવાદથી લંડન ફ્લાઇટનું અંતર લગભગ 7,000 કિમીનું છે. તે 787-8 ડ્રીમલાઇનર માટે એકદમ યોગ્ય છે. વિમાન આરામદાયક અને કાર્યક્ષમ હતું. આજે, એર ઇન્ડિયા, બ્રિટિશ એરવેઝ અને એતિહાદ જેવી ઘણી એરલાઇન્સ આ રૂટ પર 787-8નો ઉપયોગ કરે છે.

સુરક્ષા પગલાં

ઍડ્વાન્સ સિક્યુરિટી સ્ક્રિનિંગ: મુસાફરોનું ઍરપોર્ટ પર સખત રીતે સ્ક્રિનિંગ કરવામાં આવે છે, જેમાં સામાન, બોડી સ્કેન અને ID ચકાસણીનો સમાવેશ થાય છે.

કોકપિટ સિક્યુરિટી: 787-8 માં કોકપિટ એક્સેસ કંટ્રોલ સિસ્ટમ છે જે અનધિકૃત પ્રવેશને રોકવામાં મદદ કરે છે.

સાયબર સિક્યુરિટી: વિમાનની સિસ્ટમને હેકિંગથી બચાવવા માટે અદ્યતન સાયબર સુરક્ષા પગલાં છે.

ઈન્ટેલીજન્સ શેરિંગ: એરલાઇન્સ અને સરકારી એજન્સીઓ કોઈપણ જોખમોની અપેક્ષા રાખવામાં મદદ કરવા માટે રિયલ-ટાઇમ ઈન્ટેલીજન્સ

Gujarat SamacharGujarat CitiesAhmedabad
અમદાવાદ પ્લેન ક્રેશ | ઈજાગ્રસ્તોને બચાવવા ગ્રીન કોરિડોર બનાવાયો, CM ભૂપેન્દ્ર પટેલે જુઓ શું કહ્યું

Air India Plane Crashed In Ahmedabad: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અફરાતફરી સર્જાઈ છે. વિમાનમાં કુલ 242 મુસાફરો હતા. પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે વાતચીત કરી છે. આ દુર્ઘટનામાં 50થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને બચાવ કામગીરી અને દુર્ઘટના અંગે જાણકારી આપી છે.

LIVE: અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 50થી વધુ મૃતદેહો મળ્યાના અહેવાલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રએ શું કહ્યું?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર લખ્યું હતું કે, 'અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન તીટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા અને હૉસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવાની પણ સૂચનાઓ આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મારી સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ–રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.'

આ પણ વાંચો: અમદાવાદ-લંડન ફ્લાઇટ દુર્ઘટના: 50થી વધુના મૃતદેહ મળ્યા, ફ્લાઇટમાં મોટાભાગના ગુજરાતી મુસાફરો

આંખના પલકારામાં સર્જાઈ દુર્ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયાની આ ફ્લાઇટ બપોરે 1:38 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી ટેક ઑફ કરી હતી. ટેક ઑફની માત્ર બે જ મિનિટના ટૂંકા ગાળામાં, આંખના પલકારામાં, વિમાનનો પાછળનો ભાગ એક વૃક્ષ સાથે અથડાયો હતો. આ ટક્કર બાદ વિમાન પરનું નિયંત્રણ ગુમાવતાં તે નજીકની એક બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થયું હતું. આ વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે ઍરપોર્ટ અને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી

આ બનાવ 12 જૂન 2025 (આજે) અમદાવાદ (સાર્દાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય) એરપોર્ટ નજીક Boing 787‑8 Dreamliner (ફ્લાઈટ AI171...
12/06/2025

આ બનાવ 12 જૂન 2025 (આજે) અમદાવાદ (સાર્દાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય) એરપોર્ટ નજીક Boing 787‑8 Dreamliner (ફ્લાઈટ AI171) તરીકે અમદાવાદથી લંડન ગેટવિક માટે ઊઠેલી ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. દરખાસ્ત છે કે ક્રેશ પૈનાદી સેવા ટીણેકે 5 મિનિટમાં take-off પછી થયું .

---

🛩️ અકસ્માતનાં મુખ્ય મુદ્દા

વિમાનની વિગતો: Boeing 787‑8 Dreamliner (VT‑ANB), 242 વ્યક્તિઓ (230 મુસાફરો + 12 ક્રૂ) ધરાવતા .

દેશી અને વિદેશી મુસાફરો: 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન .

ક્રમશઃ ઘટના: Take-off પછી વિમાન Meghani Nagar નજીક ઉનાળીએ residential ઈલાખામાં તૂટી પડ્યું, જેમાં ભીષણ આગ અને કાળા ધૂમ્રાનો દેશી દ્રશ્ય જોવા મળ્યો .

સંકેત: પાયલટે “Mayday” કોલ કર્યો અને 1,39 PM IST (UTC 08:09) બાદ ટાવરમાંથી સંપર્ક ટૂંકો થયો .

જાહેરાત: PM મોદીએ સર્જન ભાગીય જવાબ માં આશ્વાસન આપ્યું, અને પ્રવાસીમિત્ર દેશોમાંથી—UK, Canada, Portugal—જાહેર સમર્થન મળ્યું .

---

🎯 પ્રાથમિક અસર

રુઝકો: ગંભીર; કલ્પના પ્રમાણે 100+ લોકો (including ground fatalities, interns at doctors’ hostel)નો મારો .

જમીન પરનો નુકસાન: વિમાનના અભભાગો interns’ hostel (BJMC) ઉપર પડી ગયા; આશંકા છે ~20 internsનું મૃત્યુ .

આપત્તિ પ્રતિસાદ: NDRF, ઓગવૃતિ ફાયર-બ્રિગેડ, એમ્બ્યુલન્સ ટુકડીઓ, Cyan Airport operations બંધ .

---

🔍 वर्तमान તપાસ અને માહિતી

પહેલી તપાસ: DGCA અને એવિએશન એજન્સીસ સાથે technische તપાસ શરૂ; Boeing, Air India અને AAIB સંલગ્ન છે .

વજનપત્ર: આ Boeing 787 નું પ્રથમ ફેટલ હેલક લોસ છે; બીમસ (Tata Group) emergencies support center સ્થાપિત કર્યું .

આજે પણ રહસ્યમય છે 'સંભોગથી લઈને સમાધિ સુધી' લખનાર 'ઓશો', જાણો તેમની ખાસ વાતો'સંભોગથી લઈને સમાધિ સુધી'તેમના પર ધર્મને બિઝ...
10/06/2025

આજે પણ રહસ્યમય છે 'સંભોગથી લઈને સમાધિ સુધી' લખનાર 'ઓશો', જાણો તેમની ખાસ વાતો
'સંભોગથી લઈને સમાધિ સુધી'
તેમના પર ધર્મને બિઝનેસ બનાવવાનો આરોપ પણ લાગ્યો પરંતુ વિવાદો વચ્ચે પણ ઓશો ઘણા લોકપ્રિય રહ્યા, તેમને પસંદ કરનારા માં દેશી ઓછા પરંતુ વિદેશી વધુ હતા. તેમણે પોતાના જીવનમાં ઘણા પુસ્તકો લખ્યા, જેમાંથી 'સંભોગથી લઈને સમાધિ સુધી' નામના પુસ્તકે તેમને વિવાદોના ચરમ પર પહોંચાડી દીધા. ઓશો ઉત્કૃષ્ટ તર્કશાસ્ત્રી હતી અને પોતાના તર્કો દ્વારા સાચાને ખોટુ અને ખોટાને સાચુ કરી દેતા હતા.

શ્રી રવિન્દ્રનાથ ટાગોરજી કહે છે કે,જેના જીવનમાં જેટલી સમસ્યાઓનો વધારે મોડ એટલી જ વધું સફળતાની શક્યતાઓ પણ રહેલી છે. કારણ ...
10/06/2025

શ્રી રવિન્દ્રનાથ ટાગોરજી કહે છે કે,
જેના જીવનમાં જેટલી સમસ્યાઓનો વધારે મોડ એટલી જ વધું સફળતાની શક્યતાઓ પણ રહેલી છે. કારણ કે દરેક સમસ્યા કઈ ને કઈ મોકો લઈને જ આવે છે. જેમણે સમસ્યાને સ્વીકારીને તેની સામે લડીને પોતાના કામને છોડ્યું નથી, તે હંમેશા સફળ થયા છે અને જે સમસ્યાઓથી ડરીને ભાગી ગયા છે તેને જીવનમાં કશું હાંસલ થયું નથી.

ફેઈસબુકના માલિક માર્ક જકરબર્ગ કહે છે કે,“જીવનની લડાઈમાં શક્તિશાળી વ્યક્તિ કે દિમાગથી ખૂબ તેજ હોય એવી વ્યક્તિની જ જીત થાય...
10/06/2025

ફેઈસબુકના માલિક માર્ક જકરબર્ગ કહે છે કે,
“જીવનની લડાઈમાં શક્તિશાળી વ્યક્તિ કે દિમાગથી ખૂબ તેજ હોય એવી વ્યક્તિની જ જીત થાય એવું નથી. પરંતુ એ વ્યક્તિઓ જીત મેળવે છે જે એવું વિચારે છે કે હું જીતી શકું છે.” એટલે કે પહેલા પોતાનામાં વિશ્વાસને ઉભો કરવો પડે. અંદરની શક્તિને ઢંઢોળવી પડે અને એ વિચારવું પડે કે હું જીતી શકીશ, હું જીતીને બતાવીશ, હું સાચેજ જીત મેળવીશ.. આ વિચારની શરૂઆત તેને જીતની નજીક લઈ જવામાં ખૂબ જ મદદરૂપ પૂરવાર થાય છે

ICC હોલ ઓફ ફેમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો ICC હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવ...
10/06/2025

ICC હોલ ઓફ ફેમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો ICC હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો છે

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા છે. મહેન્દ્ર સિંહ ધોની ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનારા 11મા ભારતીય ક્રિકેટર છે. ધોની પહેલા બિશન સિંહ બેદી, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, અનિલ કુંબલે, સચિન તેંડુલકર, વિનુ માંકડ, વીરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ, નીતુ ડેવિડ અને ડાયના એડુલજીને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ ત્રણ ICC ટ્રોફી જીતી હતી. કેપ્ટન તરીકે, ધોનીએ 2007 T20 વર્લ્ડ કપ, 2011 ODI વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. તે ત્રણ અલગ અલગ ICC ટ્રોફી જીતનાર વિશ્વનો પ્રથમ

સ્કુલ ચલે હમ...📚📚📚📚🏃🏃⛹️      વાલીશ્રી ને જણાવવાનું આપશ્રી તથા વ્હાલા બાળકો મજામાં હશો.ઉનાળુ વેકેશન હવે પુરૂ થશે. સોમવારે...
08/06/2025

સ્કુલ ચલે હમ...📚📚📚📚🏃🏃⛹️
વાલીશ્રી ને જણાવવાનું આપશ્રી તથા વ્હાલા બાળકો મજામાં હશો.ઉનાળુ વેકેશન હવે પુરૂ થશે. સોમવારે 9/6થી સ્કૂલ રાબેતા મુજબ શરૂ થઈ જશે.
તો વ્હાલા બાળકો ને મામા,માસી,ફોઈ ના ઘરે ગયા હોય તો બોલાવી લેશો.ભાણેજ ભણતા હોય તો પણ બોલાવી લેશો જેથી બાળકો સ્કૂલ ટાઇમસર જતા થઈ જાય 🙏🏿🙏🏿🙏🏿

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarati jalsa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share