A K MODI VIDEO

A K MODI VIDEO we are providing marriage or any type of event photography as well as videography. u can contact any time. - 09327017166

*ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' અને 'સાયબર સાથી ચેટબોટ'નું લ...
03/09/2025

*ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' અને 'સાયબર સાથી ચેટબોટ'નું લોકાર્પણ*
****
*ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મીઓનું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરાયું*
****
*ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે નાગરિકોનો મુદ્દામાલ પરત કરાયો*
****
*અમદાવાદ પોલીસે છેલ્લા એક માસમાં 26 કરોડથી વધુનો મુદ્દામાલ નાગરિકોને સોંપ્યો: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*
****
*રાજ્યની પોલીસે છેલ્લા સાત મહિનામાં 127 કરોડનો મુદ્દામાલ નાગરિકોને પરત કર્યો: DGP શ્રી વિકાસ સહાય*
****

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજીત 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અને "સાયબર સાથી- ચેટબોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ શહેરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મીઓનું સન્માન કરાયું હતું. વધુમાં વિવિધ ગુન્હાઓના ભોગ બનેલા નાગરિકોનો મુદ્દામાલ મંત્રીશ્રીના હસ્તે સન્માનભેર પરત કરાયો હતો.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેરની પોલીસ પર વિશ્વાસ રાખવા બદલ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, સુરત શહેરમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમની પહેલ કરનાર પોલીસ અધિકારી શ્રી અજયકુમાર તોમરને અભિનંદન પાઠવી જણાવ્યું કે, આજે ગુજરાતભરમાં આવા કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરી નાગરિકોનો મુદ્દામાલ પરત કરવામાં આવે છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ નાગરિકોનો મોબાઇલ ચોરી, ઘર-ફોડ ચોરી, સોના ચાંદીના દાગીના કે સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓમાં અમદાવાદ શહેર પોલીસ ત્વરિત પગલાં લઈ નાગરિકોને ન્યાય અપાવે છે. જે અંતર્ગત છેલ્લા એક માસમાં 26 કરોડથી વધુનો મુદ્દામાલ નાગરિકોને પરત આપવાની સુચારું કામગીરી થઈ છે.

સાયબર ચેટબોટ વિશેની વાત કરતાં મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજે ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા આધુનિક સોફ્ટવેર થકી અનેક ગુન્હાઓ ઉકેલી તેનું ઝડપથી નિરાકરણ લવાયું છે.

આ તકે મંત્રીશ્રીએ નાગરિકોને કોઈપણ ફરિયાદ માટે 112 નંબર પર સંપર્ક કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે DGP શ્રી વિકાસ સહાયે ગુજરાત પોલીસ જવાનોની પ્રજાલક્ષી કામગીરી બિરદાવતા કહ્યું કે,
છેલ્લા સાત મહિનામાં 4600થી વધુ કાર્યક્રમોના માધ્યમથી રૂ.127 કરોડથી વધુનો મુદ્દામાલ પીડિત નાગરિકોને પરત સોંપાયો છે.

કાર્યક્રમના પ્રારંભે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેયર શ્રીમતી પ્રતિભા બહેન જૈન, સાંસદો શ્રી નરહરિ અમીન, શ્રી દિનેશ મકવાણા, શ્રી હસમુખભાઈ પટેલ અને સ્થાનિક ધારાસભ્યશ્રીઓ તથા પોલીસ કર્મીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
****

BODAKDEV-VASTRAPUR GANESH PADAL MA GUJ CM......
01/09/2025

BODAKDEV-VASTRAPUR GANESH PADAL MA GUJ CM......

BODAKDEV-VASTRAPUR GANESH PADAL MA GUJ CM

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના વિધાન સભા મતવિસ્તારમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની મુલાકાત લીધી******બોડકદેવ વોર્ડ...
31/08/2025

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના વિધાન સભા મતવિસ્તારમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની મુલાકાત લીધી*
****
*બોડકદેવ વોર્ડમાં 'બોડકદેવ કા રાજા' અને 'વસ્ત્રાપુર ગણેશ' પંડાલની મુલાકાત લઈને મુખ્યમંત્રીશ્રીએ બાપ્પાના આશીર્વાદ મેળવ્યા*
****
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઘાટલોડીયા મતવિસ્તારના બોડકદેવ વોર્ડમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની મુલાકાત લીધી હતી.
સમગ્ર રાજ્યમાં ઉલ્લાસ ઉમંગ પૂર્વક ગણેશ મહોત્સવ ની ઉજવણી થઇ રહી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી પણ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સાર્વજનિક ગણેશ ઉત્સવમાં લોકોના આનંદ ઉમંગમાં સહભાગી બને છે.

મુખ્યમંત્રીશ્રીએ રવિવારે સાંજે 'બોડકદેવ કા રાજા' અને 'વસ્ત્રાપુર ગણેશ' પંડાલની મુલાકાત લઈને બાપ્પાના આશીર્વાદ મેળવ્યા હતા.

તેમણે ભક્તિભાવપૂર્વક શ્રીજીની પૂજાનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.

વસ્ત્રાપુર લેક અને જજીસ બંગલો ચાર રસ્તા પાસે શહેરીજનોએ મુખ્યમંત્રીશ્રીને અનેરા ઉત્સાહ સાથે આવકાર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ પણ ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહેલા નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું તથા bભૂલકાંઓ તેમજ યુવાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

બંને સ્થળોએ ગણેશ પંડાલની થીમ, શ્રીજીના વાઘા અને તેમના શૃંગાર તથા ગણેશ સ્થાપનના આયોજનને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
******

AHMEDABAD NO 1 CITY :-PM MODI...
26/08/2025

AHMEDABAD NO 1 CITY :-PM MODI...

AHMEDABAD NO 1 CITY :-PM MODI

PM MODIJI ROAD SHOW AHMEDABAD 25082025.....
26/08/2025

PM MODIJI ROAD SHOW AHMEDABAD 25082025.....

PM MODIJI ROAD SHOW AHMEDABAD 25082025

શ્રી અષ્ટાપદજી દેરાસરશ્રી આદિનાથ ભગવાન ..🙏🙏🙏૧૬૩ વર્ષ પ્રાચીન🙏🙏🙏મૂળનાયક શ્રી અપ્તાuદજી ભગવાનદોશીવાડાની પોળ, અમદાવાદ.અમદાવ...
19/08/2025

શ્રી અષ્ટાપદજી દેરાસર
શ્રી આદિનાથ ભગવાન ..🙏🙏🙏

૧૬૩ વર્ષ પ્રાચીન🙏🙏🙏

મૂળનાયક શ્રી અપ્તાuદજી ભગવાન
દોશીવાડાની પોળ, અમદાવાદ.
અમદાવાદનું એકમાત્ર અષ્ટાપદજી તથા નંદીશ્વરદ્વીપની વિશિષ્ટ રચનાવાળું,
ખારા પત્થરની ઝરૂખાબંધ બાંધણીવાળું તથા સમવસરણની વિશેષતા સભર કોતરણીવાળું જિનાલય.

Breaking News 🚨 :  C P Radhakrishnan will the NDA Candidate for the Vice President Election. He is from Tamilnadu.At pre...
17/08/2025

Breaking News 🚨 :

C P Radhakrishnan will the NDA Candidate for the Vice President Election. He is from Tamilnadu.

At present he is the governor of Maharashtra.

16/08/2025
12/08/2025

નાગ પંચમી માટે ખાજા.......અમદાવાદ.....
https://youtu.be/L2JolBZkhp4?si=hHMTXSY2nMrAnO_F.....
નાગપંચમીનો તહેવાર એટલે ધરતી તથાં પાતાળલોકના છોરું એવા આપણા નાગ દાદાને મનાવવાનો, રીઝવવાનો તેહવાર, જે આખા ભારતમાં ઉજવાય છે.

ખાસ કરીને નાગપંચમીના દિવસે ગુજરાતમાં કુલેર, ચોખાના લોટના લાડવા સહિત ખાજાનો પ્રસાદ વિશેષ સ્વરૂપે બનાવી નાગદેવને અર્પણ કરવામાં આવે છે.
નાગદેવને પિતૃ સ્વરૂપ પણ માનવામાં આવે છે. તેથી પાણીયારા પર નાગનું ચિત્ર દોરી દીવો પ્રગટાવી ખાજા સહિત નૈવેદ્ય કરવાની પ્રણાલી વર્ષો જૂની છે.
પહેલાના સમયમાં ગુજરાત માં હિન્દુ કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનાની વદ પાંચમી, એટલે નાગપંચમીના દિવસે માલધારી સમાજના લોકો ખાજાનો પકવાન બનાવતા હતા. જે દૂધ અને માવો અથવા મકાઈના લોટ માંથી બનતો હતો. જે સ્વાદમાં ગળ્યાં રહેતા, પરંતુ બદલાતા સમયમાં માવાની જગ્યા ઘઉંનો લોટ, મકાઈ, તથા મેંદાના લોટ માંથી આ વાનગી બનાવવામાં આવે છે.
વિપુલભાઈ દેસાઈ વર્ષોથી મીઠાઈ સહિત ફરસાણ સાથે ખાજા તેમની દુકાને બનાવે છે.
તેમના કહેવા મુજબ તેઓ બારેમાસ ખાજા બનાવે છે. અને તેમની ફરસાણની દુકાનમાં વહેંચે છે. તેઓ મેંદો, આરાલોટ, મકાઈનો ઉપયોગ ખાજા બનવવાં માટે કરે છે. રબારી સમાજ માં ખાજા તેમના લગ્ન પ્રસંગે, તથા શુભ પ્રસંગે અમદાવાદમાં વિશેષ પકવાન સ્વરૂપમાં શકન નું માની ભોજન સમારંભમાં કરવામાં આવે છે. અને સામાન્ય દિવસોમાં પણ તેનો ઉપયોગ મીઠાઈ સ્વરૂપે ભોજનમાં થાય છે.
ખાજા સ્વાદમાં ત્રણ પ્રકારના ફરસાણની દુકાનમાં જોવા મળે છે. તીખા, ગળ્યાં, અને મોળાં અને હવે તો, બારે માસ મળતાં થઈ ગયા છે.

વિજય હિંડોળા (વિશ્રામ) ભોગ સંધ્યા દર્શન આરતી શ્રી કલ્યાણ પુષ્ટિ હવેલી વસ્ત્રાપુર... https://youtu.be/YZp7AhEZnLE?si=JNfN...
11/08/2025

વિજય હિંડોળા (વિશ્રામ) ભોગ સંધ્યા દર્શન આરતી શ્રી કલ્યાણ પુષ્ટિ હવેલી વસ્ત્રાપુર... https://youtu.be/YZp7AhEZnLE?si=JNfNn-oemkFggnGL

Address

Ahmedabad
380001

Telephone

+919327017166

Website

Alerts

Be the first to know and let us send you an email when A K MODI VIDEO posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to A K MODI VIDEO:

Share