Adarsh Prakasan

Adarsh Prakasan 1943થી કાર્યરત, ગુજરાતી સાહિત્યની અગ્રગણ્ય પ્રકાશન સંસ્થા

28/08/2025
શું તમે તમારા જીવનમાં સફળતાની ઊંચાઈઓ સર કરવા તૈયાર છો? જો હા, તો વિશ્વના પાંચ મહાન ઉદ્યોગપતિઓના જીવન અને કાર્ય પર આધારિત...
14/08/2025

શું તમે તમારા જીવનમાં સફળતાની ઊંચાઈઓ સર કરવા તૈયાર છો? જો હા, તો વિશ્વના પાંચ મહાન ઉદ્યોગપતિઓના જીવન અને કાર્ય પર આધારિત આ ખાસ પુસ્તક કોમ્બો તમારા માટે જ છે. આ કોમ્બોમાં, તમને રતન ટાટા, ઇલોન મસ્ક, જેફ બેઝોસ, વોરન બફેટ, અને જેક મા જેવા મહાનુભાવોના જીવનની અજાણી વાતો, તેમના સંઘર્ષો, અને સફળતા પાછળના રહસ્યો જાણવા મળશે. આ પુસ્તકો માત્ર વાર્તાઓ નથી, પરંતુ તેવા પાઠશાળા છે જ્યાં તમે વાસ્તવિક જીવનના પાઠ શીખી શકશો. રતન ટાટાની સાદગી, નેતૃત્વ અને નૈતિક મૂલ્યો વિશે ઊંડાણપૂર્વક સમજણ, ઇલોન મસ્કની વિઝનરી વિચારધારા અને પડકારને તકમાં ફેરવવાની કળા, જેફ બેઝોસની એમેઝોનની શરૂઆતથી લઈને વિશ્વના સૌથી મોટા ઈ-કોમર્સ સામ્રાજ્ય સુધીની રોમાંચક સફર, વોરન બફેટ પાસેથી શેરબજાર અને નાણાકીય મેનેજમેન્ટના પાઠ, અને જેક માની એક સામાન્ય શિક્ષકથી લઈને અલીબાબા જેવી વૈશ્વિક કંપનીના સ્થાપક બનવાની અવિશ્વસનીય ગાથા - આ બધું જ તમને એક જ કોમ્બોમાં મળશે. આ કોમ્બો નવી પેઢી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે, જે તમને પ્રેરણા આપશે, બિઝનેસ મેનેજમેન્ટ અને નાણાકીય આયોજનનું વ્યવહારુ જ્ઞાન આપશે, નેતૃત્વ કૌશલ્ય વિકસાવવામાં મદદ કરશે, અને સફળતાની સાથે સાથે નૈતિક મૂલ્યોનું મહત્વ પણ સમજાવશે. તો રાહ શેની જુઓ છો? આ ખાસ 'પ્રેરણાદાયક પાંચ' પુસ્તક કોમ્બો આજે જ ઓર્ડર કરો અને તમારા જીવનને એક નવી દિશા આપો!

પુસ્તકો મંગાવવા માટે
https://adarshprakashan.com/product/businessman-combo/

Prakasan

આઈ એમ ઓકે, યુ આર ઓકે: તમારી જાતને અને સંબંધોને સમજવાની સરળ ચાવીગુજરાતીમાં વ્યક્તિત્વ વિકાસના પુસ્તકોમાં જેમના નામની ખૂબ ...
14/08/2025

આઈ એમ ઓકે, યુ આર ઓકે: તમારી જાતને અને સંબંધોને સમજવાની સરળ ચાવી
ગુજરાતીમાં વ્યક્તિત્વ વિકાસના પુસ્તકોમાં જેમના નામની ખૂબ માનભેર નોંધ લેવાય છે, તેવા શ્રી વનરાજ માલવીનું પુસ્તક “આઈ એમ ઓકે, યુ આર ઓકે” એ માત્ર એક ચોપડી નથી. તે તો એક એવી ચાવી છે જે તમારા જીવનને અને બીજા સાથેના તમારા સંબંધોને સમજવા અને સુધારવા માટેનો રસ્તો બતાવે છે.
આ પુસ્તક તમને ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ (TA) નામની મનોવિજ્ઞાનની એક રીત સમજાવે છે. આ રીત આપણને આપણા મનના ત્રણ ભાગ – બાળક, માતા-પિતા અને પુખ્ત – ને ઓળખવામાં મદદ કરે છે. આ ભાગો આપણા વિચારો, આપણું વર્તન અને આપણે બીજા સાથે કેવી રીતે વાતચીત કરીએ છીએ તેના પર કેવી અસર કરે છે તે સમજાવે છે.
“આઈ એમ ઓકે, યુ આર ઓકે” વાંચીને તમને નીચેની વાતો સમજવામાં મદદ મળશે:
તમે શા માટે અમુક વખતે ગુસ્સે થઈ જાઓ છો કે દુઃખી થાઓ છો?
તમારા અને તમારા મિત્રો, પરિવાર કે ઓફિસના લોકો વચ્ચે ગેરસમજણ શા માટે થાય છે?
તમારા બાળપણના અનુભવો આજે પણ તમારા વર્તન પર કેવી રીતે અસર કરે છે?
તમે તમારી જાતને કેવી રીતે વધુ સારી રીતે સ્વીકારી શકો અને બીજાને પણ પ્રેમ અને સમજણથી જોઈ શકો.
વનરાજ માલવીએ આ બધી અઘરી લાગતી વાતોને આપણા રોજિંદા જીવનના ઉદાહરણો આપીને એટલી સરળતાથી સમજાવી છે કે કોઈ પણ સામાન્ય માણસ તેને સહેલાઈથી સમજી શકે. આ પુસ્તક વાંચવાથી તમે માત્ર તમારી જાતને જ નહીં, પણ તમારા આસપાસના લોકોને, તમારા સંબંધોને અને તમારી વાતચીત કરવાની રીતને પણ વધુ સારી રીતે સમજી શકશો.
જો તમે તમારી જાતને સુધારવા માંગો છો, તમારો આત્મવિશ્વાસ વધારવા માંગો છો, અને તમારા સંબંધોને વધુ સારા બનાવવા માંગો છો, તો “આઈ એમ ઓકે, યુ આર ઓકે” ચોક્કસ વાંચવા જેવું પુસ્તક છે. આ પુસ્તક તમને જીવનને સકારાત્મક રીતે જોવાની અને ખુશ રહેવાની નવી સમજ આપશે.

પુસ્તક મંગાવવા માટે
https://adarshprakashan.com/product/i-am-ok-you-are-ok/

WhatsApp : 95125 09090

સફળ એન્કરીંગ માટે...ઉત્તમ વક્તા બનવા માટે...આકર્ષક ભાષણકળા માટે...સુંદર સ્ટેજ વ્યવસ્થાપન માટે...કાર્યક્રમના આયોજન માટે.....
09/07/2025

સફળ એન્કરીંગ માટે...
ઉત્તમ વક્તા બનવા માટે...
આકર્ષક ભાષણકળા માટે...
સુંદર સ્ટેજ વ્યવસ્થાપન માટે...
કાર્યક્રમના આયોજન માટે...
પબ્લિક સ્પીકિંગ માટે...
આત્મવિશ્વાસ વધારવા માટે...
અસરકારક વ્યક્તિત્વ ખીલવવા માટે...
આપની વાતની યોગ્ય રીતે રજૂઆત કરવા માટે...
વાતચીતની કુનેહ કેળવવા માટે...

આ પુસ્તકોનું વાચન અને મનન કરવા અને તેને આપના જીવનમાં ઉતારવાથી આપને પોતાને આપની જિંદગીમાં આવેલ અનેક હકારાત્મક પ્રતિભાવો જણાશે.

આ સિવાય ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતાં અન્ય પુસ્તકોની મંગાવવા માટે પણ આપ અમારા વોટ્સએપ નંબર 9512509090 ઉપર કોન્ટેક કરી શકશો.

પુસ્તકો મેળવવા માટે
https://adarshprakashan.com/product/12257/

Prakasan

પબ્લિક સ્પીકિંગ અને એન્કરીંગ માટે ખૂબ જ ઉપયોગી પુસ્તકો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સલે. યોગેન્દ્ર જાનીપ્રકાશકઃ આદર્શ પ્રકાશન અમદાવાદલેખક યોગેન્દ્ર જાનીએ બ્યાંશીમા વર્ષે લખેલું એક અત...
16/07/2024

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
લે. યોગેન્દ્ર જાની
પ્રકાશકઃ આદર્શ પ્રકાશન અમદાવાદ
લેખક યોગેન્દ્ર જાનીએ બ્યાંશીમા વર્ષે લખેલું એક અતિઅદ્યતન વિષય પરનું પુસ્તક તેમની આજીવન વિજ્ઞાનલેખન સાધનાની વધુ એક સાર્થક ફલશ્રુતિ છે. લેખક વિજ્ઞાન વિષયક તેમના આ એકસઠમા પુસ્તકમાં વિષયનો સમગ્રલક્ષી પરિચય સહુને સમજાય તેવી રીતે સરળ અને પ્રવાહી ભાષામાં આપે છે. તેમાંથી કેટલીક બાબતો છેઃ AIનાં અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ, તેની કાર્યપદ્ધતિ, મશીન લર્નિંગ અને અલ્ગોરિધમ્સ, ટ્યુરિંગ ટેસ્ટ્સ, એજન્ટ પર્યાવરણ અને રોબોટિક્સ. AIનાં ભયસ્થાનો, ફાયદા-ગેરફાયદા તેમ જ તેમાં કારકિર્દીની તકો વિશે પણ વાંચવા મળે છે. AI ના ઇતિહાસની રૂપરેખા તેમ જ તેના સ્થાપકો-જનકો-વિકાસકારો વિશેનાં રોચક પ્રકરણો છે. બાવીસ નાનાં લખાણોનું બનેલું ‘AI માં વિવિધા’ સહુથી રસપ્રદ પ્રકરણ કેવી રીતે છે એ તેમાંના કેટલાંક લખાણોના વિષયો પરથી સમજી શકાય: ભારતીય સેના અને AI, સિરોના નામક ચેટબૉટ અને મહિલા માસિક ધર્મ, રોબોટ દ્વારા રોબોટને જન્મ, ખોટી ઉઠક-બેઠક સામે એલર્ટ કરતી ટેકનોલૉજી, AI અને અપરાધીઓ, ઉધરસ અને બીમારી, માબાપની કાળજી, ઇઝરાયલનો યંત્રમાનવ અને દિવ્યદૃષ્ટિ, ગુનાખોરીનું પૂર્વાનુમાન, માનસિક બીમારી શોધવા માટે AI. ચિત્રો, આકૃતિઓ, કોષ્ટકો, તસવીરો જેવી દૃશ્ય સામગ્રી પુસ્તકને વધુ વાચનીય બનાવે છે.
પરિશિષ્ટમાં લેખકે ત્રણ રસપ્રદ બાબતો મૂકી છેઃ એક, સ્ટીફન હૉકિંગની વ્યાધિ અને સિદ્ધિની યાદ અપાવે તેવા ‘માનવ સાયબોર્ગ ડૉ. પીટર મૉર્ગન’નો પરિચય; બે, ભવિષ્યમાં અમેરિકામાં આપઘાત કરવા માટે ગન ખરીદતા લોકોની મશીન લર્નિંગથી ઓળખ કરી શકાશે એવા સમાચાર; અને ત્રણ,એવો બનાવ કે જેમાં રશિયામાં રોબોટે ચેસની સ્પર્ધામાં તેની સામે રમતાં સાત વર્ષના બાળકની આંગળી એટલા માટે તોડી નાખી કે બાળકે રમત સંબંધિત સિક્યુરિટી પ્રોટોકૉલનો ભંગ કર્યો હતો.

https://amzn.in/d/0ikZ1ZOx

Yogendra Jani Gyan Vigyan PageYogendra Jani

સમગ્ર માનવજાતિને અસર કરનાર અનોખી અને અત્યાર સુધી થયેલી બધી ક્રાંતિઓમાં સૌથી અલગ એવી ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એટલે AI....

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સલે. યોગેન્દ્ર જાનીપ્રકાશકઃ આદર્શ પ્રકાશન અમદાવાદલેખક યોગેન્દ્ર જાનીએ બ્યાંશીમા વર્ષે લખેલું એક અત...
16/07/2024

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
લે. યોગેન્દ્ર જાની
પ્રકાશકઃ આદર્શ પ્રકાશન અમદાવાદ
લેખક યોગેન્દ્ર જાનીએ બ્યાંશીમા વર્ષે લખેલું એક અતિઅદ્યતન વિષય પરનું પુસ્તક તેમની આજીવન વિજ્ઞાનલેખન સાધનાની વધુ એક સાર્થક ફલશ્રુતિ છે. લેખક વિજ્ઞાન વિષયક તેમના આ એકસઠમા પુસ્તકમાં વિષયનો સમગ્રલક્ષી પરિચય સહુને સમજાય તેવી રીતે સરળ અને પ્રવાહી ભાષામાં આપે છે. તેમાંથી કેટલીક બાબતો છેઃ AIનાં અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ, તેની કાર્યપદ્ધતિ, મશીન લર્નિંગ અને અલ્ગોરિધમ્સ, ટ્યુરિંગ ટેસ્ટ્સ, એજન્ટ પર્યાવરણ અને રોબોટિક્સ. AIનાં ભયસ્થાનો, ફાયદા-ગેરફાયદા તેમ જ તેમાં કારકિર્દીની તકો વિશે પણ વાંચવા મળે છે. AI ના ઇતિહાસની રૂપરેખા તેમ જ તેના સ્થાપકો-જનકો-વિકાસકારો વિશેનાં રોચક પ્રકરણો છે. બાવીસ નાનાં લખાણોનું બનેલું ‘AI માં વિવિધા’ સહુથી રસપ્રદ પ્રકરણ કેવી રીતે છે એ તેમાંના કેટલાંક લખાણોના વિષયો પરથી સમજી શકાય: ભારતીય સેના અને AI, સિરોના નામક ચેટબૉટ અને મહિલા માસિક ધર્મ, રોબોટ દ્વારા રોબોટને જન્મ, ખોટી ઉઠક-બેઠક સામે એલર્ટ કરતી ટેકનોલૉજી, AI અને અપરાધીઓ, ઉધરસ અને બીમારી, માબાપની કાળજી, ઇઝરાયલનો યંત્રમાનવ અને દિવ્યદૃષ્ટિ, ગુનાખોરીનું પૂર્વાનુમાન, માનસિક બીમારી શોધવા માટે AI. ચિત્રો, આકૃતિઓ, કોષ્ટકો, તસવીરો જેવી દૃશ્ય સામગ્રી પુસ્તકને વધુ વાચનીય બનાવે છે.
પરિશિષ્ટમાં લેખકે ત્રણ રસપ્રદ બાબતો મૂકી છેઃ એક, સ્ટીફન હૉકિંગની વ્યાધિ અને સિદ્ધિની યાદ અપાવે તેવા ‘માનવ સાયબોર્ગ ડૉ. પીટર મૉર્ગન’નો પરિચય; બે, ભવિષ્યમાં અમેરિકામાં આપઘાત કરવા માટે ગન ખરીદતા લોકોની મશીન લર્નિંગથી ઓળખ કરી શકાશે એવા સમાચાર; અને ત્રણ,એવો બનાવ કે જેમાં રશિયામાં રોબોટે ચેસની સ્પર્ધામાં તેની સામે રમતાં સાત વર્ષના બાળકની આંગળી એટલા માટે તોડી નાખી કે બાળકે રમત સંબંધિત સિક્યુરિટી પ્રોટોકૉલનો ભંગ કર્યો હતો.

https://amzn.in/d/0ikZ1ZOx

Yogendra Jani Gyan Vigyan PageYogendra Jani

દાનવીર, પરોપકારી અને સાદાઈની મૂર્તિ એવા ભારતીય ઉદ્યોગજગતના ભિષ્મપિતામહ અને આજે 87 વર્ષની જૈફ વયે પણ યુવાનને શરમાવે તેવી ...
01/07/2024

દાનવીર, પરોપકારી અને સાદાઈની મૂર્તિ એવા ભારતીય ઉદ્યોગજગતના ભિષ્મપિતામહ અને આજે 87 વર્ષની જૈફ વયે પણ યુવાનને શરમાવે તેવી તાજગી સાથે કાર્યરત એવા મહાન ઉદ્યોગપતિ રતન ટાટાના જીવનની અનોખી વાતો

13/09/2023

meet not out 82 yagendrabhai jani

સમાન્ય લોકો સરળતાથી સમજી શકે તેવી ગુજરાતી ભાષામા વિજ્ઞાનના અલગ અલગ વિષય ઉપર 80 કરતા વધારે પુસ્તકો લખનાર શ્રી યોગેન્દ્રભા...
13/09/2023

સમાન્ય લોકો સરળતાથી સમજી શકે તેવી ગુજરાતી ભાષામા વિજ્ઞાનના અલગ અલગ વિષય ઉપર 80 કરતા વધારે પુસ્તકો લખનાર શ્રી યોગેન્દ્રભાઈ જાની વિશે ચિત્રલેખામાં આવેલ આર્ટિકલ

meet not out 82 yagendrabhai jani

Address

Ahmedabad
380001

Telephone

07922135560

Website

Alerts

Be the first to know and let us send you an email when Adarsh Prakasan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Adarsh Prakasan:

Share

Category