15/04/2026
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી વચ્ચે રાજકીય હલચલ તેજ બની છે. જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇબ્રાહિમ અને અંકલેશ્વરના જુના દીવા ગામના ઈબ્રાહીમ માંજરાએ પોતાના પદ પરથી રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે. ઇબ્રાહિમ માંજરાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા ને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. રાજીનામા પાછળ તેમણે પારિવારિક કારણો આગળ ધર્યા છે. પરંતુ, સ્થાનિક સ્તરે અલગ-અલગ તર્કવિતર્ક ચાલી રહ્યા છે. ચૂંટણીના આ મહત્વપૂર્ણ સમયમાં આપેલું રાજીનામું પક્ષની અંદર કોઈ અસંતોષ અથવા નીતિ પ્રત્યેની નારાજગીનું પરિણામ હોવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની સંભાવના છે.