Kushal Kutch

Kushal Kutch આપણા કચ્છ, ગુજરાત નો અવાજ 'કુશલ કચ્છ સમાચાર' મા આપનું સ્વાગત છે.

20/08/2026

પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની ૮૨મી જન્મજયંતિ નિમિત્તે ભચાઉ કોંગ્રેસ દ્વારા નવા બસ સ્ટેન્ડ ખાતે વૃક્ષારોપણ કરી અનોખી અંજલિ આપવામાં આવી. આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ ખીમાભાઇ ઢીલા અને શહેર પ્રમુખ મનજીભાઈ રાઠોડ સહિતના આગેવાનો અને યુવાનો જોડાયા હતા. પર્યાવરણ બચાવવા અને વૃક્ષોના જતન માટે કરાયેલી આ સકારાત્મક ઉજવણીથી સમાજમાં ખૂબ જ શુભ સંદેશ ગયો છે.

ભચાઉ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ. રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે નવા બસસ્ટેન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્...
20/08/2026

ભચાઉ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ. રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે નવા બસસ્ટેન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજીવ ગાંધીના આધુનિક અને એકવીસમી સદીના ભારતના સ્વપ્નને યાદ કરી વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો.

15/08/2026

શિવલખા ગામે ૮૦મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી
ભચાઉ તાલુકાના શિવલખા ગામે ૮૦મા સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. પ્રાંત અધિકારી જે.આર. ગોહિલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. શાળાના બાળકોની દેશભક્તિસભર કૃતિઓએ સૌના મન મોહી લીધા હતા. આ પ્રસંગે તા.પં. પ્રમુખ રાજીબેન પટેલ, વિપક્ષી નેતા મનજીભાઈ રાઠોડ, મામલતદાર, TDO સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ બળવંતસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

લુણવા ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે રાષ્ટ્રીય પર્વ 15 ઓગસ્ટની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્...
15/08/2026

લુણવા ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે રાષ્ટ્રીય પર્વ 15 ઓગસ્ટની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાન અને ધ્વજવંદનથી થઈ હતી. ગ્રામ પંચાયતના સરપંચ ભુરાભાઈ છાંગાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે બંને શાળાના આચાર્યો, શિક્ષકગણ, ગ્રામ આગેવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા દેશભક્તિભર્યા સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. #લુણવા #ભચાઉ #સ્વતંત્રતાદિવસ

CJP દ્વારા દેશભરની ગ્રામીણ સરકારી શાળાઓમાં પાયાની સુવિધાઓ સુધારવા માટે ‘સરપંચ ચેલેન્જ’ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. ...
11/08/2026

CJP દ્વારા દેશભરની ગ્રામીણ સરકારી શાળાઓમાં પાયાની સુવિધાઓ સુધારવા માટે ‘સરપંચ ચેલેન્જ’ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. અભિયાનની શરૂઆત 15 ઓગસ્ટ, 2026થી થશે.
અભિયાન હેઠળ સરપંચોને પોતાના ગામની સરકારી શાળાઓમાં જરૂરી સુધારા કરવા માટે પડકાર આપવામાં આવશે. શાળામાં થયેલા સુધારાના પહેલાં અને પછીના ફોટોગ્રાફ્સ CJPના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને કામગીરીને પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે વાલીઓને પણ શાળાની સુવિધાઓનું સોશિયલ ઓડિટ કરવા માટે જોડવામાં આવશે.
વાલીઓ પીવાનું પાણી, વીજળી, છોકરીઓ માટે અલગ શૌચાલય, વર્ગખંડો અને મધ્યાહ્ન ભોજન સહિતની સુવિધાઓ તપાસી ફોટા-વિડિયો દ્વારા ખામીઓ રજૂ કરી શકશે. CJP દ્વારા સોશિયલ ઓડિટ માટે પ્રિન્ટેબલ ફોર્મ ઉપલબ્ધ કરાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

11/08/2026

રામવાવ ગૌચર જમીન પરથી દબાણો હટાવી લેવામાં આવ્યા હોવા છતાં વિવાદ કેમ યથાવત છે? આ મામલે મનજીભાઈ રાઠોડે મોટો ખુલાસો કરતા અંદરખાને ચાલતા રાજકારણની પોલ ખોલી છે.

ગાંધીધામમાં ઘરવિહોણા પરિવારો દ્વારા છેલ્લા 33 દિવસથી ચાલી રહેલું આંદોલન હવે ઉગ્ર બન્યું છે. બહુજન આર્મીના સંસ્થાપક લખન ધ...
10/08/2026

ગાંધીધામમાં ઘરવિહોણા પરિવારો દ્વારા છેલ્લા 33 દિવસથી ચાલી રહેલું આંદોલન હવે ઉગ્ર બન્યું છે. બહુજન આર્મીના સંસ્થાપક લખન ધ્રુવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો ભુજ કલેક્ટર કચેરી પહોંચ્યા અને ગરીબ પરિવારોને વડાપ્રધાન આવાસ યોજના હેઠળ મકાન આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું.
તંત્રને 15 દિવસનું અલ્ટીમેટમ આપીને નિર્ણય નહીં લેવાય તો આશરે 1000 લોકો ગાંધીધામથી ભુજ સુધી સામૂહિક હિજરત કરી કલેક્ટર કચેરી ખાતે ધરણા કરશે તેવી ચીમકી આપવામાં આવી છે. ચોમાસા વચ્ચે પણ ઘરવિહોણા પરિવારોનું આંદોલન યથાવત છે.

10/08/2026

કચ્છ કોંગ્રેસ દ્વારા ભુજમાં DDO ને આવેદન: વિવિધ મુદ્દે ઉગ્ર રજૂઆત
ભચાઉ અને મુંદ્રામાં સામાજિક ન્યાય સમિતિની ખોટી રચના, વિપક્ષને ચેમ્બર ફાળવણી અને શિક્ષકોની ભરતી મુદ્દે કચ્છ જિલ્લા કોંગ્રેસે ભુજમાં DDO ને આવેદનપત્ર પાઠવ્યું છે. સરકારી કામોમાં ભાજપના સિમ્બોલનો ઉપયોગ બંધ કરવા અને કોંગ્રેસ સભ્યોને આમંત્રણ આપવાની માંગ કરાઈ છે. રજૂઆતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ અને વિપક્ષી નેતા રાજેશ આહીર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

09/08/2026

રામવાવ: ગૌચરના નામે દલિતો પર અત્યાચાર? ૬૦ વર્ષ જૂના મકાનો તોડી પાડવાની ધમકીથી લોકો દહેશતમાં!

ગાંધીધામમાં છેલ્લા 30 દિવસથી 500થી વધુ મહિલાઓ, યુવાનો અને વડીલો સહિતના બેઘર પરિવારો વડાપ્રધાન આવાસ યોજના હેઠળ કાયમી રહેઠ...
05/08/2026

ગાંધીધામમાં છેલ્લા 30 દિવસથી 500થી વધુ મહિલાઓ, યુવાનો અને વડીલો સહિતના બેઘર પરિવારો વડાપ્રધાન આવાસ યોજના હેઠળ કાયમી રહેઠાણની માંગ સાથે ધરણા પર બેઠા છે. ચોમાસા દરમિયાન પણ તેઓ ખુલ્લા આકાશ નીચે સરકાર સમક્ષ પોતાના આવાસના અધિકાર માટે અડગ છે. આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે યોગ્ય રહેઠાણની ફાળવણી નહીં થાય ત્યાં સુધી તેમનું આંદોલન યથાવત રહેશે.

Address

Bhachau
370140

Website

Alerts

Be the first to know and let us send you an email when Kushal Kutch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kushal Kutch:

Shortcuts

Share