Live Update Page

Live Update Page લાઈવ અપડેટ ન્યુઝ પોર્ટલ, સચોટ, ત્વરિત ?

અદાણી સંચાલિત મેડિકલ કોલેજ ખાતે ૧૭મો વ્હાઇટ કોટ સેરેમની યોજાયો::::- તબીબ બનવાની દિશામાં ૧૫૦ નવોદિતોએ મેડિકલ કોલેજમાં પગલ...
29/11/2025

અદાણી સંચાલિત મેડિકલ કોલેજ ખાતે ૧૭મો વ્હાઇટ કોટ સેરેમની યોજાયો
::::
- તબીબ બનવાની દિશામાં ૧૫૦ નવોદિતોએ મેડિકલ કોલેજમાં પગલા પાડી ચરક સંહિતાના શપથ લીધા

વ્હાઈટ કોટ યાને ડોક્ટર વિશ્વનો ઉમદા વ્યવસાય છે, એમ ભુજ અદાણી મેડિકલ કોલેજ ખાતે આયોજિત ૧૭માં વ્હાઇટ કોટ સેરેમની પ્રસંગે તબીબ બનવા મેડિકલ જગતમાં ૧૫૦ નવોદિતોએ પગરણ માંડ્યા તે ટાંકણે ઉપસ્થિત કાર્યક્રમમાં મેડિકલ કોલેજ અને GAIMS ના મહાનુભાવોએ જણાવ્યું હતું.

કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા અંડર ગ્રેજ્યુએટ MBBS બેચ ૨૦૨૫ના શ્રીગણેશ ટાંકણે વર્ચ્યુલી જોડાયેલા અદાણી હેલ્થ કેર ગ્રુપના હેડ ડૉ.પંકજ દોશીએ એમ.બી.બી.એસ.કોર્સમાં પ્રવેશ મેળવનાર ભાવિ તબીબોને અને ઉપસ્થિત તેમના પ્રાઉડ પેરેન્ટ્સને આવકારી ખાતરી આપતા જણાવ્યું કે,તેમના બાળકોને ગેઈમ્સમાં ઘર જેવું જ વાતાવરણ મળશે માટે તેઓ નચિંત રહે.તેમણે અદાણી હેલ્થ કેર દ્વારા આગામી પ્રોજેક્ટની માહિતી આપી હતી.ઉપરાંત નવા મેડિકલ વિધાર્થીઓને સુંદર ભવિષ્યની કામના પણ કરી હતી.

ગેઈમ્સના ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈએ મેડિકલ દુનિયામાં પ્રવેશ કરતા સ્ટુડન્ટ્સને આવકારતા કહ્યું કે, તેમનાંમાં રહેલી શક્તિને નિખાર આપવા ગેઈમ્સ સદૈવ તૈયાર રહેશે.વાલીઓને સધિયારો આપતા તેમણે ઉમેર્યું કે,દરેકને અત્રે ઘરાનામેન્ટર રૂપે અનેક વાલીઓ મળશે જેઓ તેમને માર્ગદર્શન આપશે અને માતા પિતાની ખોટ સાલવા નહીં દે.

પ્રારંભમાં મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન.ઘોષે સ્વાગત પ્રવચન કરતા કોલેજની સિદ્ધિઓની યશગાથા પ્રસ્તુત કરી હતી.હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણીએ વ્હાઇટ કોટ ધારણ કરનારને મહર્ષિ ચરકના શપથ ગ્રહણ કરાવ્યા હતા.આ પ્રસંગે ૨૦૨૩ની બેચના ગોદાર સાનિયા અને ૨૦૨૧ બેચના ક્રિષ્ના પ્રવીણ લીંબાણી ને ગોલ્ડ મેડલ અને મહેશ્વરી સુમિત અને લાડુમોર પ્રીતિને સિલ્વર મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આસિ.ડીન ડો.અજીત ખીલનાની,ડો. સચિન પાટીલ અને ડો.હિતેશ આસુદાની તેમજ અધિક મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.વિવેક પટેલ અને ફેકલ્ટીસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોફ.ડો. પારસ પારેખ અને આસિ.મેનેજર ડો.મોનાલી જાનીએ કાર્યક્રમનું સંકલન કર્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા વિધાર્થી વોલીન્ટિયર્સ,એડમિન સ્ટાફે જહેમત લીધી હતી.સંચાલન ચિરાગ વાળાએ અને જીયા નકુમે કર્યું હતું.

અદાણી મેડિ.કોલેજમાં આ વર્ષે કચ્છના ૪૧ વિધાર્થીઓએ વ્હાઇટ કોટ ધારણ કર્યો: ૪૧ પૈકી ભુજના જ ૨૩: દીકરીઓ મેદાન મારી ગઈ:

કચ્છના વિધાર્થીઓને હવે રીતસરની મેડિકલ અભ્યાસની ભૂખ ઊઘડી હોય તેમ વ્હાઇટ કોટ ધારણ કરવાની વાટ પકડી છે.અદાણી મેડિકલ કોલેજમાં ૧૭મા વ્હાઇટ કોટ સેરેમનીમાં ૧૫૦ વિધાર્થીઓ પૈકી ૨૭ ટકા એટલે કે ૪૧ તો કચ્છના છે, તેમાંય ભુજમાં તો જાણે શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે જાગૃતિના ઘોડાપુર ઉમટ્યા હોય તેમ કચ્છના ૪૧ પૈકી ૨૩ ભુજના છે.હવે આ રીતે ભુજ પણ ગુજરાતના અન્ય નગરની જેમ આ દિશામાં હરણફાળ ભરી રહ્યું છે.બીજી તરફ કચ્છની દીકરીઓએ તો દીકરાઓને પણ પાછળ રાખી દીધા છે.કચ્છના ૪૧ ભાવિ તબીબો પૈકી ૨૬ દીકરીઓ છે ! જ્યારે ૧૫ છોકરાઓ છે. કચ્છના દૂર સુદુર એવા વર્માનગરથી પણ વિધાર્થીએ પ્રવેશ મેળવ્યા ઉપરાંત માંડવી, આદિપુર અંજાર ગાંધીધામ,મુન્દ્રા,નખત્રાણા, ભચાઉ અને માધાપરમાં પણ વિધાર્થીઓ તબીબ બનવાની દિશામાં અગ્રેસર છે.

અદાણી પબ્લીક સ્કૂલ- મુંદ્રા ખાતે સુધા મૂર્તિએ વિદ્યાર્થીઓને શીખવ્યા સફળતાના સૂત્રો::::- કચ્છના અદાણી ગ્રુપના બે મેગા પ્ર...
28/11/2025

અદાણી પબ્લીક સ્કૂલ- મુંદ્રા ખાતે સુધા મૂર્તિએ વિદ્યાર્થીઓને શીખવ્યા સફળતાના સૂત્રો
::::
- કચ્છના અદાણી ગ્રુપના બે મેગા પ્રોજેક્ટ મુંદ્રા પોર્ટ અને આર.ઇ.પાર્ક પર કરી હદયપૂર્વક પ્રશંશા
- ‘શિક્ષણ ફક્ત ગુણાંક માટે જ નહીં, પરંતુ જ્ઞાન અને કૌશલ્ય માટે હોવું જોઈએ’
- સુધા મૂર્તિ: શિક્ષણ ફક્ત પરીક્ષામાં ગુણાંક માટે જ નહીં પરંતુ જ્ઞાનવર્ધન અને કુશળતા માટે પ્રાપ્ત કરવા માટે ગ્રહણ કરવાનો તેમણે આગ્રહ કર્યો.
- જિલ્લામાં આવેલા અદાણી ગ્રૂપના બે મહાસંનિષ્ઠ પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી.

અદાણી પબ્લિક સ્કૂલ મુન્દ્રા ખાતે ખ્યાતનામ લેખિકા, અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિએ ખાસ મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓને પ્રેરક સંબોધનમાં તેમણે જીવન ઘડતર માટેની અમૂલ્ય સલાહ આપી હતી. વિદ્યાર્થીઓના બેગપાઇપર બેન્ડ, NCC નેવી અને આર્મી કેડેટ્સ દ્વારા મૂર્તિનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે APSEZ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહ અને અમી શાહ (ડિરેક્ટર, APSM), સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સાહિત્ય, સમાજીક ઉત્થાન અને શિક્ષણક્ષેત્રે આગવી છાપ ધરાવતા સુધા મૂર્તિએ શાળા કેમ્પસમાં પુસ્તકોના ભવ્ય પ્રદર્શનને નિહાળ્યો હતો, જેમાં તેમના પ્રખ્યાત શીર્ષકોને સમર્પિત એક ખાસ સ્ટેન્ડ રાખવામાં આવ્યું હતું. તેમના ૫૦મા પુસ્તક, ધ મેજિક ઓફ ધ લોસ્ટ ઇયરિંગ્સની નકલો પર હસ્તાક્ષર કરી તે શાળાને ભેટ આપ્યા હતા. આ મુલાકાતમાં તેમણે નાના-નાના ભૂલકાઓને મળવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

પ્રાસંગિક ઉદબોધનમાં સુધા મૂર્તિએ વ્યક્તિગત વાર્તાઓ અને વાર્તાઓ દ્વારા જીવનનો સાર શેર કરતા વિદ્યાર્થીઓને અમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને માતાપિતા અને શિક્ષકોને આદર આપવાની સાથે તેમની સલાહનું પાલન કરવાની સલાહ આપી. શિક્ષણ ફક્ત પરીક્ષામાં ગુણાંક માટે જ નહીં પરંતુ જ્ઞાનવર્ધન અને કુશળતા માટે પ્રાપ્ત કરવા માટે ગ્રહણ કરવાનો તેમણે આગ્રહ કર્યો હતો.

મૂર્તિની આ મુલાકાતે APS મુન્દ્રાના વિદ્યાર્થીઓ પર ઊંડી છાપ છોડી, તેમણે બાળકોને શિક્ષણવિદોનું મૂલ્ય સમજવા તેમજ કૃતજ્ઞતા અને દૃઢ નિશ્ચય સાથે તેમના સપનાઓને આગળ વધારવા માટે પ્રેરિત કર્યા હતા. આધુનિક સમયમાં ટીનએજર્સને જ્યારે સ્માર્ટફોનના રવાડે ચઢી જતા હોય છે ત્યારે મૂર્તિએ તેમને ફોનનો ઉપયોગ મર્યાદિત કરવા અને સર્જનાત્મક વિચારો પોષવા શ્રેષ્ઠ પુસ્તક વાંચનને પ્રાથમિકતા આપવાનો ખાસ અનુરોધ કર્યો હતો.

મૂર્તિએ વિદ્યાર્થીઓની જીજ્ઞાસાઓ સંતોષવા પ્રશ્નોત્તરી રાઉનન્ડમાં નિખાલસતાથી જવાબ આપ્યો હતો. બાળકોને નિડરતા, ધીરજથી પડકારોનો સામનો કરવાની તેમણે સલાહ આપી. તેમના પ્રેરક ઉદબોધનથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો. મૂર્તિએ મ્યુઝિક રૂમ અને ATL લેબની મુલાકાત પણ લીધી હતી. APS માટે આ મુલાકાત પ્રેરણાદાયી અને યાદગાર બની ગઈ તો મૂર્તિએ પણ પ્રસન્નતા સાથે સૌનો આભાર માન્યો હતો.

ઉપરાંત કચ્છ જિલ્લામાં આવેલા અદાણી ગ્રૂપના બે મહાસંનિષ્ઠ પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી – એક તો વિશ્વનું સૌથી મોટું ખાનગી બંદર ‘અદાણી પોર્ટસ એન્ડ એસઇઝેડ, મુંદ્રા’ અને બીજું વિશ્વનો સૌથી વિશાળ રિન્યૂએબલ એનર્જી પાર્ક ‘ખાવડા’.

પહેલી મુલાકાત મુંદ્રા પોર્ટની હતી, જે આજે ભારતનું સૌથી મોટું વેપારી બંદર છે અને વૈશ્વિક સ્તરે ટોચના દસ બંદરોમાં સ્થાન ધરાવે છે. અદ્યતન ઓટોમેટેડ કન્ટેનર ટર્મિનલ, ડીપ ડ્રાફ્ટ બર્થ, રેલ્વે કનેક્ટિવિટી અને ડિજિટલાઈઝ્ડ લોજિસ્ટિક્સ સિસ્ટમ જોઈને સુધા મૂર્તિ અભિભૂત થઈ ગયાં. તેમણે જણાવ્યું હતું કે,

“આ બંદર જોઈને ખરેખર ગર્વ થાય છે. ભારત પાસે આજે વિશ્વના સૌથી અદ્યતન અને ક્ષમતાવાન પોર્ટ્સમાંનું એક પોર્ટ છે. અહીં જે વિશાળ સ્તરે કામગીરી થાય છે, જે ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે અને જે ઝડપે કાર્ગો હેન્ડલ થાય છે – એ જોઈને દરેક ભારતીયનું માથું ઊંચું થાય. આ બંદર ભારતની આર્થિક તાકાતનું જીવંત પ્રતીક છે.”

બીજી મુલાકાત ખાવડા રિન્યૂએબલ એનર્જી પાર્કની હતી, જે 538 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે – એટલે કે પેરિસ શહેર કરતાં પણ પાંચ ગણો મોટો વિસ્તાર! આ પાર્કની અંતિમ ક્ષમતા ૩૦ ગીગાવૉટ (૩૦,૦૦૦ મેગાવૉટ) રહેશે, જેનાથી દર વર્ષે ૫૦ મિલિયનથી વધુ ઘરોને સ્વચ્છ વીજળી મળી શકશે અને ૫૮ મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટશે. હાલમાં જ ૨ ગીગાવૉટ ક્ષમતા ગ્રીડ સાથે જોડાઈ ચૂકી છે અને ૨૦30 સુધીમાં આખું પાર્ક પૂર્ણ કાર્યરત થઈ જશે.

આ અદ્ભુત દૃશ્ય જોઈને સુધા મૂર્તિએ અદાણી ગ્રીન એનર્જીની ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપતાં કહ્યું,

“આ પાર્ક જોઈને મને લાગે છે કે ભારતનું ભવિષ્ય અહીંયા ચમકી રહ્યું છે. રણની આ રેતી પર જે સ્વચ્છ ઊર્જાનો મહાસાગર ઊભો થઈ રહ્યો છે, એ ભારતના ટકાઉ વિકાસની સાથે સાથે વિશ્વ માટે પણ એક મહત્વપૂર્ણ યોગદાન છે. આવા વિઝન અને એનું આટલા મોટા સ્કેલ પર અમલીકરણ – એ ખરેખર પ્રેરણાદાયી છે.”

આ બંને મુલાકાતોએ એક વાત સ્પષ્ટ કરી દીધી કે ગુજરાતનું કચ્છ આજે માત્ર ભારતનું નહીં, પરંતુ વિશ્વનું એક મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી હબ બની રહ્યું છે. અને સુધા મૂર્તિ જેવી વ્યક્તિઓ પાસેથી મળેલા આ પ્રશંસા-શબ્દો દરેક ભારતીય માટે ગર્વની વાત છે.

દુનિયાના ટોપ-10 પાવરફુલ દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે::::ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી(Lowy) ઇન્સ્ટિટ્યૂટએ પોતાનો વાર...
28/11/2025

દુનિયાના ટોપ-10 પાવરફુલ દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે
::::
ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી(Lowy) ઇન્સ્ટિટ્યૂટએ પોતાનો વાર્ષિક એશિયા પાવર ઇન્ડેક્સ 2025 રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં એશિયાના 27 દેશોમાં સૈન્ય, આર્થિક, રાજદ્વારી અને સાંસ્કૃતિક પ્રભાવનું વિસ્તૃત મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જે આઠ મુખ્ય ક્ષેત્રો(સૈન્ય ક્ષમતા, સંરક્ષણ નેટવર્ક, આર્થિક તાકાત, રાજદ્વારી પ્રભાવ, સાંસ્કૃતિક પહોંચ, લચીલાપણું અને ભવિષ્યના સંસાધન ક્ષમતા) પર આધારિત છે. આ ઇન્ડેક્સ દર્શાવે છે કે એશિયાની પ્રાદેશિક શક્તિના સમીકરણોમાં મોટા ફેરફારો થયા છે, જેમાં ચીન એક પ્રમુખ શક્તિ તરીકે મજબૂત રીતે ઉભરી રહ્યું છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના પ્રભાવમાં છેલ્લા વર્ષોની તુલનાએ ઘટાડો નોંધાયો છે. તેમજ ભારત સતત આગળ વધી રહ્યું છે.

લોવી ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં એશિયામાં ભારતનો વધતો પ્રભાવ સ્પષ્ટપણે દેખાય છે. વર્ષ 2025માં ભારતે 40.0 સ્કોર મેળવીને 'મેજર પાવર' બનવાની સીમા પાર કરી લીધી છે. ભારતનો આ ઉદય મુખ્યત્વે તેની મજબૂત આર્થિક વૃદ્ધિ અને વધતી સૈન્ય તાકાતને કારણે થયો છે.

જોકે, રિપોર્ટ દર્શાવે છે કે ભારતનો રાજદ્વારી અને આર્થિક પ્રભાવ હજી સુધી તેની વધેલી સૈન્ય અને સંસાધન શક્તિ સાથે સંપૂર્ણપણે મેળ ખાતો નથી, જેનો અર્થ છે કે ભારત પાસે ભવિષ્યમાં પોતાની શક્તિ વધારવાની હજી ઘણી મોટી સંભાવનાઓ છે.

ટોચના દેશોની સ્થિતિ
રેન્ક દેશ સ્કોર વર્ગ
1 અમેરિકા 80.5 સુપર પાવર
2 ચીન 73.7 સુપર પાવર
3 ભારત 40 મેજર પાવર
4 જાપાન 38.8 મિડલ પાવર
5 રશિયા 32.1 મિડલ પાવર
6 ઓસ્ટ્રેલિયા 31.8 મિડલ પાવર
7 દક્ષિણ કોરિયા 31.5 મિડલ પાવર
8 સિંગાપોર 26.8 મિડલ પાવર
9 ઇન્ડોનેશિયા 22.5 મિડલ પાવર
10 મલેશિયા 20.6 મિડલ પાવર

ફક્ત અમેરિકા અને ચીન જ 'સુપર પાવર' શ્રેણીમાં સૂચિબદ્ધ છે. અમેરિકા હજુ પણ ટોચ પર છે, પરંતુ એશિયા પાવર ઇન્ડેક્સ 2018માં શરૂ થયા પછી આ તેનો સૌથી ઓછો સ્કોર છે. વિશ્લેષકો આ ઘટાડાનું શ્રેય ટ્રમ્પ પ્રશાસન દરમિયાન લેવાયેલા નીતિગત નિર્ણયોને આપે છે, જેને એશિયામાં અમેરિકી પ્રભાવ માટે ચોખ્ખો નકારાત્મક ગણાવવામાં આવ્યો છે. જયારે ચીન સતત અમેરિકા સાથેનો તફાવત ઘટાડી રહ્યું છે. તેમજ પાકિસ્તાન ટોચના 10 દેશોમાંથી બહાર છે અને તેને 16મું સ્થાન મળ્યું છે.

રશિયાએ 2019 પછી પહેલીવાર એશિયામાં પોતાનો પ્રભાવ વધાર્યો છે. યુક્રેન યુદ્ધ બાદ જે પ્રતિબંધો લાગ્યા હતા, તેના કારણે ગુમાવેલો પ્રભાવ તેણે હવે પાછો મેળવી લીધો છે. રશિયાની આ પ્રાદેશિક હાજરી વધવાનું મુખ્ય કારણ ચીન અને ઉત્તર કોરિયા સાથેની તેની મજબૂત સંરક્ષણ અને આર્થિક ભાગીદારી છે. આને કારણે, રશિયાએ 2024માં ઓસ્ટ્રેલિયાથી ગુમાવેલું 5મું સ્થાન ફરીથી હાંસલ કર્યું છે.

આ ઉપરાંત, જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પણ મજબૂત આર્થિક, તકનીકી અને રાજદ્વારી પ્રયાસો સાથે મિડલ પાવર તરીકે એશિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા ખાવડા અને બન્નીના વિદ્યાર્થીઓ અને શાળાઓના સર્વાંગી વિકાસની પહેલ::::અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના સ...
28/11/2025

અદાણી ફાઉન્ડેશન દ્વારા ખાવડા અને બન્નીના વિદ્યાર્થીઓ અને શાળાઓના સર્વાંગી વિકાસની પહેલ
::::
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના સી.એસ.આર પહેલ હેઠળ અદાણી ફાઉન્ડેશન કચ્છના દૂરના સીમાડે આવેલા ખાવડા અને બન્ની વિસ્તારમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે “પ્રોજેક્ટ ઉત્થાન” નામનો એક પરિણામલક્ષી કાર્યક્રમ ચલાવી રહી છે. આ વિસ્તારની કુલ ૧૨ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને આ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવી છે, જેથી અહીંના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે જીવનના અન્ય પાસાઓમાં પણ આગળ વધવાની તક મળી રહે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ બાળકોનું બોર્ડ પરિણામ સારું આવે તે છે. એ માટે દરેક શાળામાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મુખ્ય વિષયો માટે ખાસ ઉત્થાન સહાયકની નિમણૂક કરવામાં આવી છે.

ખાસ કરીને દીકરીઓના અભ્યાસ અને સલામતીને ધ્યાનમાં રાખીને મહિલા શિક્ષિકાઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વાલીઓ પણ નિશ્ચિંતપણે પોતાની દીકરીઓને શાળાએ મોકલી શકે. ઉત્થાન સહાયક અને શાળાના નિયમિત શિક્ષકો સાથે મળીને દરરોજ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા સંપૂર્ણ મહેનત કરે છે.

શિક્ષણની સાથે વાલીઓને પણ જાગૃત કરવું જરૂરી છે, એટલે દર અઠવાડિયે ઉત્થાન સહાયક ઘર-ઘરે જઈને વાલીઓને મળે છે, તેમને શિક્ષણનું મહત્ત્વ સમજાવે છે અને બાળકોને નિયમિત શાળાએ મોકલવા પ્રેરિત કરે છે. શાળાનું વાતાવરણ આનંદમય બને તે માટે દરેક શાળામાં સંગીતનાં સાધનો આપવામાં આવ્યાં છે, જેથી પ્રાર્થના સંગીતમય થાય અને બાળકોના મનમાં શાંતિ આવે. દરેક શાળામાં સારી એવી લાઇબ્રેરી ઊભી કરવામાં આવી છે, જેથી બાળકો પાઠ્યપુસ્તકની બહાર પણ જ્ઞાન મેળવી શકે. અભ્યાસમાં મદદ થાય તે માટે નોટબુક્સ, બોર્ડ પરીક્ષા વખતે પરીક્ષા કીટ અને રમત-ગમત માટે સ્પોર્ટ્સ કીટ આપવામાં આવે છે. દર વર્ષે ક્રિકેટ અને બેડમિન્ટનની મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકો ઉત્સાહથી ભાગ લે છે.

શાળાઓને સુંદર અને રમણીય બનાવવા માટે રંગરોગાન, બાલા પેઇન્ટિંગ, પેવર બ્લોક, શેડ, આરઓ પ્લાન્ટ અને સંપૂર્ણ રિનોવેશન કરવામાં આવ્યું છે. સરકારના “ગ્રીન સ્કૂલ” કોન્સેપ્ટને અનુરૂપ તુગા અને ભીરંડિયારી શાળામાં ૩,૧૦૦થી વધુ વૃક્ષો વાવીને “અદાણી વન” બનાવવામાં આવ્યું છે. બાળકોને દેશ અને દુનિયા સાથે જોડવા મુંદરા ખાતે અદાણી પોર્ટ, પાવર પ્લાન્ટ અને સોલર પાર્કની મુલાકાત લેવડાવવામાં આવે છે, જેથી તેમની આંખો ખુલ્લી થાય અને મનમાં મોટાં સપનાં જાગે.

આ બધી પહેલો એક જ ઉદ્દેશ્યથી ચાલે છે – ખાવડા અને બન્ની પશ્ચિમના આ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને, તેમનાં સપનાં પાંખો ફફડાવે અને એક દિવસ તેઓ પોતાના ગામ અને દેશ માટે કંઈક મોટું કરી શકે. અદાણી ફાઉન્ડેશન આ કાર્યમાં સતત સક્રિય અને પ્રતિબદ્ધ છે.

એપ્રિલ 2026 થી 7 દિવસમાં ક્રેડિટ સ્કોર અપડેટ થશે::::રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ દેશના લોન માળખાને મજબૂત કરવા માટે 26 ન...
27/11/2025

એપ્રિલ 2026 થી 7 દિવસમાં ક્રેડિટ સ્કોર અપડેટ થશે
::::
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ દેશના લોન માળખાને મજબૂત કરવા માટે 26 નવેમ્બરે ડ્રાફ્ટ ગાઇડલાઇન્સ જાહેર કરી. આ 1 એપ્રિલ 2026 થી લાગુ પડશે.

હવે ક્રેડિટ સ્કોર અપડેટ થવા માટે લાંબી રાહ જોવી પડશે નહીં. તમામ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ (CICS)ને દર 7 દિવસે ક્રેડિટ સ્કોર અપડેટ કરવો પડશે. હાલમાં સ્કોર 15 દિવસમાં એકવાર અપડેટ થાય છે.

CICSને દર મહિને 7, 14, 21 અને 28 તારીખે અને મહિનાના છેલ્લા દિવસ સુધીનો ડેટા અપડેટ રાખવો પડશે. બેંકો દર મહિનાની 3 તારીખ સુધીમાં ડેટા મોકલશે.

આ 4 તારીખો પર નવો ફેરફાર એટલે કે ઇન્ક્રીમેન્ટલ ડેટા મોકલવામાં આવશે. જેમ કે એકાઉન્ટ ખુલવું, બંધ થવું, ક્રેડિટ સ્કોરને અસર કરતો ફેરફાર અથવા લોન સ્ટેટસમાં ફેરફાર જેવો ડેટા સામેલ છે.

ફેરફારથી 4 સીધા ફાયદા :

1. લોન કે ક્રેડિટ કાર્ડ ક્લોઝરની જાણ બેંકે તે જ દિવસે સિબિલને કરવી પડશે. પહેલા અઠવાડિયા-મહિનાઓ લાગતા હતા. ગ્રાહકને લોન મળવામાં મુશ્કેલી થતી હતી.
2. બેંક અને NBFC ગ્રાહકની પરવાનગી વિના ક્રેડિટ રિપોર્ટ એક્સેસ કરી શકશે નહીં. આનાથી સિબિલ સ્કોર બિનજરૂરી રીતે ઘટશે નહીં. ક્રેડિટ પ્રોફાઇલ સુરક્ષિત રહેશે.
3. ખોટી રિપોર્ટિંગ, સુધારામાં વિલંબ અથવા પરવાનગી વિના ક્રેડિટ તપાસ પર ભારે દંડ નક્કી કરવામાં આવ્યો છે. આનાથી બેંકો ક્રેડિટ ડેટાને વધુ સચોટ અને અપડેટેડ રાખવા મજબૂર થશે અને ગ્રાહકોને ઝડપથી સ્કોર સુધાર મળશે.
4. બેંકોને તાજી ક્રેડિટ રિપોર્ટ મળશે, જેનાથી જોખમનું વધુ સારી રીતે મૂલ્યાંકન થશે. લોનની કિંમત એટલે કે વ્યાજ દર, રકમ અને મુદત યોગ્ય રીતે નક્કી કરી શકશે.

ક્રેડિટ સ્કોરમાં લોન એકાઉન્ટ (ક્રેડિટ કાર્ડ અને લોન)ની માહિતી, નાદારી અને મોડી ચુકવણી (જો હોય તો) સાથે વ્યક્તિનો ક્રેડિટ રેકોર્ડ શામેલ છે.

એટલે કે, આ રિપોર્ટ દર્શાવે છે કે તમે ક્યારે-ક્યારે લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી, તમને કઈ-કઈ બેંક અથવા લોન સંસ્થા પાસેથી લોન અથવા ક્રેડિટ કાર્ડ મળ્યું અને તમે લોન અથવા ક્રેડિટ કાર્ડ EMI અને બિલની ચુકવણી સમયસર કરી કે નહીં.

ક્રેડિટ રિપોર્ટમાં સામેલ અન્ય એક મહત્વપૂર્ણ માહિતી એ બેંકો / NBFCs ની યાદી છે, જેમણે તમારી ક્રેડિટ રિપોર્ટની તપાસ કરી છે. હાલમાં ભારતમાં લાઇસન્સ પ્રાપ્ત ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ (CICs) દ્વારા ક્રેડિટ રિપોર્ટ જારી કરવામાં આવે છે.

કોઈપણ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર તેની લોન પાત્રતાને મોટા પ્રમાણમાં અસર કરે છે. ક્રેડિટ સ્કોર ઘણી ખાસ ક્રેડિટ પ્રોફાઇલિંગ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. તેમાં એ જોવામાં આવે છે કે તમે અગાઉ લોન લીધી છે કે ક્રેડિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કઈ રીતે કર્યો છે.

કોઈપણ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર રીપેમેન્ટ હિસ્ટરી, ક્રેડિટ ઉપયોગનો ગુણોત્તર, વર્તમાન લોન અને બિલના સમયસર ચુકવણી પર આધાર રાખે છે. 30% ક્રેડિટ સ્કોર તમે સમયસર લોન ચૂકવી રહ્યા છો કે નહીં તેના પર આધાર રાખે છે. 25% સિક્યોર્ડ કે અનસિક્યોર્ડ લોન પર, 25% ક્રેડિટ એક્સપોઝર પર અને 20% લોનના ઉપયોગ પર આધાર રાખે છે.

સામાન્ય રીતે ક્રેડિટ સ્કોરની રેન્જ 300 થી 900ની વચ્ચે હોય છે. પરંતુ, 550 થી 700નો સ્કોર સારો માનવામાં આવે છે. 700 થી 900ની વચ્ચેના સ્કોરને ખૂબ સારો ગણવામાં આવે છે.

SIRનો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ::::સુપ્રીમ કોર્ટે SIR પરની સુનાવણી દરમિયાન એક મહત્ત્વનો સવાલ ઉઠાવ્યો કે, શ...
27/11/2025

SIRનો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ
::::
સુપ્રીમ કોર્ટે SIR પરની સુનાવણી દરમિયાન એક મહત્ત્વનો સવાલ ઉઠાવ્યો કે, શું ઘૂસણખોર વ્યક્તિને માત્ર આધાર કાર્ડના આધારે મત આપવાનો અધિકાર આપી શકાય? કોર્ટે સ્પષ્ટ કર્યું કે આધાર કાર્ડ કાયદેસર દસ્તાવેજ છે, જે ખાસ કાયદા હેઠળ સરકારી સુવિધાઓ (જેમ કે સબસિડીવાળું રાશન) માટે અપાય છે પરંતુ શું તેનાથી મતદાર બનાવવાનો હક મળે?

CJI જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બાગચીની બેન્ચે 26 નવેમ્બરના રોજ SIRની બંધારણીય માન્યતા પર સુનાવણી કરી. આ અરજી પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યો તરફથી દાખલ કરાઈ છે. બુધવારે કેસની સુનાવણી દરમિયાન, પશ્ચિમ બંગાળ અને કેરળ રાજ્ય તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા. તેમણે આધાર કાર્ડ હોવા છતાં લોકોને મતદાર યાદીમાંથી બાકાત રાખવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ મામલે CJI સૂર્યકાંતે કહ્યું, 'માની લો કે કેટલાક લોકો પડોશી દેશોમાંથી ભારતમાં ઘૂસી આવ્યા છે. તેઓ ભારતમાં કામ કરી રહ્યા છે, ભારતમાં રહી રહ્યા છે. કોઈ ગરીબ રિક્ષા ચલાવનાર છે, કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂર છે. તમે તેને આધાર કાર્ડ આપો છો, જેથી તે સબસિડીવાળું રાશન કે અન્ય કોઈ યોજનાનો લાભ લઈ શકે. આ આપણા બંધારણીય મૂલ્યોનો ભાગ છે, આપણી બંધારણીય નૈતિકતા છે. પરંતુ શું આનો અર્થ એવો થાય છે કે તેને આ લાભ આપવામાં આવ્યો છે, તો હવે તેને મતદાર પણ બનાવી દેવો જોઈએ?'

આ મામલે કપિલ સિબ્બલે વધુમાં કહ્યું કે, 'હું એક નાગરિક છું, હું અહીં રહું છું. મારી પાસે આધાર કાર્ડ છે, તે મારું ઘર છે. જો તમે તેને છીનવવા માંગતા હો, તો એક નિર્ધારિત પ્રક્રિયા દ્વારા છીનવો અને તે પ્રક્રિયા તમારી સમક્ષ નક્કી થવી જોઈએ.'

આના પર CJIએ બિહાર SIRનું ઉદાહરણ આપતાં કહ્યું કે, 'બિહારમાં ખૂબ ઓછી તકલીફ પડી હતી. જો એવા ઉદાહરણો હોય, જ્યાં કોઈ વ્યક્તિ ખરેખર નિવાસી હોય, ભારતનો નાગરિક હોય અને તેને બહાર રાખવામાં આવ્યો હોય, તો અમે આતુરતાથી તે ઉદાહરણોની શોધમાં છીએ. જેથી અમે પ્રક્રિયાની ભૂલને સુધારી શકીએ.'

સિબ્બલે સવાલ ઉઠાવ્યો કે, 'જો કોઈ મતદાર મતદાનના દિવસે પોલિંગ બૂથ પર જાય અને તેને ખબર પડે કે તેનું નામ ત્યાં નથી, તો તે શું કરશે?' CJI એ કહ્યું કે, 'જ્યાં સુધી બિહારનો સવાલ છે, મીડિયા દરરોજ રિપોર્ટિંગ કરી રહ્યું હતું. તેનાથી દૂર-દૂરના વિસ્તારોમાં બેઠેલા લોકોને પણ ખબર હશે કે શું થઈ રહ્યું છે. ક્યારેક મીડિયાને પણ ક્રેડિટ આપવી જોઈએ. બિહાર માટે SIR પર દરરોજ મીડિયા રિપોર્ટ્સ આવતા હતા. જો દૂર-દૂરના વિસ્તારમાં બેઠેલા કોઈપણ વ્યક્તિને ખબર હોય કે કંઈક થઈ રહ્યું છે, એક લિસ્ટ તૈયાર થઈ રહી છે, એક નવી મતદાર યાદી આવી રહી છે, તો શું કોઈ કહી શકે કે મને ખબર નહોતી કે શું થયું!'

આ મામલે કપિલ સિબ્બલે પોતાની વાત સમજાવતાં કહ્યું કે, 'મારો કહેવાનો અર્થ એવો નથી કે ચૂંટણી પંચ પાસે કોઈ શક્તિ નથી. હું માત્ર પ્રક્રિયાની વાત કરી રહ્યો છું, જે બધાને સાથે લઈને ચાલનારી હોવી જોઈએ. કોઈ વાત સાબિત કરવા માટે મતદાર પર ભાર નાખવાની કોઈપણ કોશિશ આપણી બંધારણીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. હવે ડુપ્લિકેટ મતદારોને શોધવા અને તેમને દૂર કરવા માટે સોફ્ટવેર છે. બૂથ લેવલ ઑફિસર્સને મતદારોને દૂર કરવા માટે આટલો પાવર આપવાની કોઈ જરૂર નથી.'

આના પર જવાબ આપતાં જસ્ટિસ બાગચીએ કહ્યું કે સોફ્ટવેર માત્ર ડુપ્લિકેટ મતદારોને જ દૂર કરી શકે છે, મૃત્યુ પામેલા મતદારોને નહીં. આ બધું રાજકીય પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. જો એક રાજકીય પાર્ટી વધુ મજબૂત હોય, તો તે બધા મૃત્યુ પામેલા મતદારોને પોતાના પક્ષમાં કરી લે છે. અમે હવામાં ચુકાદો આપતા નથી. એટલા માટે મૃત્યુ પામેલા મતદારોને દૂર કરવાની જરૂર છે.'

જસ્ટિસ બાગચીએ BLOsના સર્વેમાં ભૂલોના મુદ્દા પર કહ્યું, 'એવું નથી કે સર્વે હંમેશા 100% સાચો હોય. એટલા માટે જ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવે છે. જ્યારે પણ તે ડ્રાફ્ટ રોલમાં કોઈ ભૂલ હોય, તો અમે કહ્યું કે આ જ કારણ છે કે મૃત અને સ્થળાંતરિત થયેલા લોકોની લિસ્ટ માત્ર વેબસાઇટ્સ પર જ નહીં, પણ પંચાયતો અને બીજી જગ્યાઓ પર પણ અપલોડ કરવામાં આવે છે.'

આ દરમિયાન, કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે જો જરૂર પડે, તો તે ડ્રાફ્ટ મતદાર યાદીની ડેડલાઇન વધારવાનો નિર્દેશ પણ આપી શકે છે. તમને જણાવી દઈએ કે SIRના બીજા તબક્કાના શેડ્યુલ મુજબ, ગણતરીના ફોર્મ 4 ડિસેમ્બર સુધીમાં જમા કરવાના રહેશે, જ્યારે ડ્રાફ્ટ રોલ 9 ડિસેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવશે.

રાજ્ય શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટના સહયોગથી ભાગ લેનાર ૨૦૦...
27/11/2025

રાજ્ય શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટના સહયોગથી ભાગ લેનાર ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા
::::
વિજ્ઞાન એ માત્ર વિષય નથી, પરંતુ બાળકના જીવનને નવી દિશા આપનારા સાધન છે. તે બાળકોને વિશ્વને વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોવાનું શીખવે છે, જેમ કે પ્રશ્નો પૂછવા, તાર્કિક વિચાર કરવા અને સમસ્યાઓના ઉકેલો શોધવા. આવા કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે – તેમની કલ્પનાશક્તિને પાંખો આપે છે, આત્મવિશ્વાસ વધારે છે અને ભવિષ્યમાં નવીનતા તરફ લઈ જાય છે. વિજ્ઞાનના આ અભિગમથી બાળકો માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનની કુશળતા પણ મેળવે છે, જે તેમને સ્વાવલંબી અને સમાજ માટે ઉપયોગી બનાવે છે.

આ જ હેતુથી અંજાર તાલુકામાં તાલુકા કક્ષાનું વિજ્ઞાન મેળા (બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન) બીઆરસી ભવન, અંજાર દ્વારા યોજવામાં આવ્યું હતું, જેમાં બાળકોની અસીમ કલ્પનાશક્તિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિને એક મજબૂત મંચ મળ્યો. ચાલુ વર્ષે અંજાર તાલુકામાં 14 નવેમ્બર, 2025 (શુક્રવાર)ના રોજ આ વિજ્ઞાન મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પ્રદર્શન દરમિયાન રજૂ થયેલી તમામ કૃતિઓમાંથી શ્રેષ્ઠ ત્રણ પ્રસ્તુતિઓને વિશેષ ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવી. સાથે જ દરેક ભાગ લેનાર બાળકને તેમની મહેનત અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવા અદાણી ફાઉન્ડેશન દ્વારા ચાલતા પ્રોજેક્ટ ઉત્થાન દ્વારા સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું.

રાજ્યકક્ષાના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના માનનીય મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજારના ધારાસભ્ય તથા મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાનું ભવ્ય સ્વાગત કર્યા બાદ સચીદાનંદ મંદિર, અંજારના મહંતશ્રી પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજના વરદ હસ્તે આ પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ બાળકોની વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓની સરાહના કરી તેમને પ્રોત્સાહન આપ્યું, જેનાથી બાળકોને ખૂબ ઉત્સાહ અને પ્રેરણા મળી. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ દ્વારા પ્રેરિત બાળકોની શ્રેષ્ઠ કૃતિઓ અહીં પ્રદર્શિત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટે મહત્વની ભૂમિકા ભજવી હતી. માત્ર પ્રથમ ક્રમાંક આવનારાઓને જ નહીં, પરંતુ બધા ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આ ફાઉન્ડેશને ઉત્તમ પગલું લીધું હતું. ઉત્થાન પ્રોજેક્ટ 2019 થી વિવિધ તાલુકા અને જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં સહયોગ આપી રહ્યો છે. આજે તે કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણનું પ્રતીક બની ચૂક્યું છે. 2018 થી મુંદ્રા, અંજાર, ભુજ, નખત્રાણા વગેરે વિસ્તારોની સરકારી શાળાઓમાં હજારો બાળકોને શિક્ષણની તકો આપી રહ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા બાળકોમાં જિજ્ઞાસા, નવું વિચારવાની ક્ષમતા અને સમાજ માટે કંઈક નવું કરવાનો જુસ્સો જાગે છે.

સંપૂર્ણ તાલુકામાંથી આવેલા વિદ્યાર્થીઓએ એકબીજાની કૃતિઓ જોઈને નવું શીખ્યું અને સમજ્યું. બાળકોએ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તૈયાર કરેલા મોડેલ્સ અને પ્રોજેક્ટ્સે તમામનું ધ્યાન ખેંચ્યું. ઉપસ્થિત અધિકારીઓએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમનું સુંદર સંચાલન CRC જસુબેન ભેડા તથા લીલાબેન લોહરે કર્યું હતું, જ્યારે આભાર વિધિ શામજીભાઈ છિપાએ કરી હતી.

અદાણી ફાઉન્ડેશનનો હેતુ માત્ર વિજેતાઓને બિરદાવવાનો નથી, પરંતુ દરેક વિદ્યાર્થીમાં વિજ્ઞાન પ્રત્યે રસ જાગે, વિચારશક્તિ વિકસે અને નવચેતનાનો ભાવ ઉદ્દભવે – તે માટે દરેક બાળકને સમાન પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રદર્શન માત્ર એક દિવસની કાર્યક્રમ નથી – તે અંજારના બાળકોમાં વૈજ્ઞાનિક વિચારધારાનું બીજ વાવી ગયું છે, જે ભવિષ્યમાં મોટા સપનાઓનું વૃક્ષ બનીને વિકાસની નવી દિશાઓ ખોલશે. આ કાર્યક્રમને સફળ બનવવા માટે બીઆરસી કોઓર્ડિનેટર શ્રી મુકેશભાઇ પટેલ , લાયઝન અંજાર શ્રી ગોરસણીયા મધુબેન ખાનાભાઇ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અંજાર શ્રી ગૌતમભાઇ જોષી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર::::ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ના...
26/11/2025

ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર
::::
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્મ અને મરણના દાખલામાં નામ સુધારા અંગે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા આજે (26 નવેમ્બર) એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ નવા નિયમોમાં છૂટાછેડા લીધેલા દંપતીઓ, સિંગલ પેરેન્ટ્સ અને નામમાં અટક કે ક્રમ બદલવા માંગતા અરજદારો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
જો દંપતી વચ્ચે છૂટાછેડા થયા હોય અને કોર્ટના આદેશ મુજબ બાળકની કસ્ટડી માતા પાસે હોય, તો તેવા કિસ્સામાં બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે. દા.ત. (બાળકનું નામ, માતાનું નામ, માતાની અટક).

જોકે, એક મહત્વની સ્પષ્ટતા એ કરવામાં આવી છે કે જન્મના પ્રમાણપત્રમાં 'પિતાના નામ'ની જે કોલમ હોય છે, તેમાંથી જૈવિક (Biological) પિતાનું નામ દૂર કરી શકાશે નહીં. ત્યાં ફરજિયાત પિતાનું નામ જ લખવાનું રહેશે.

જો માતા અને પિતા બંને બાળક સાથે જ રહેતા હોય, તો પણ જો તેઓ ઈચ્છે તો બાળકના નામની પાછળ પિતાના નામને બદલે માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે.

જો અરજદાર ઈચ્છે તો બાળકના નામ પાછળ મિડલ નેમ (પિતાનું નામ) અને લાસ્ટ નેમ (અટક) બંને લખાવવાનું ટાળી શકે છે અને તે વૈકલ્પિક (Optional) રહેશે. એટલે કે દાખલામાં ફક્ત 'બાળકનું નામ' જ રાખી શકાય.

હવેથી બાળકના નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ અને છેલ્લે પિતાનું નામ (દા.ત. અટક, બાળકનું નામ, પિતાનું નામ) રાખવું હોય તો તે પણ માન્ય ગણાશે.

પિતા અને બાળકની અટક અલગ રાખવી હોય તો સરકારી ગેઝેટ અને પુરાવાને આધારે તેમાં સુધારો થઈ શકશે.

મરણના પ્રમાણપત્રમાં પણ મરનારના નામ પાછળ પિતા કે પતિનું નામ અને અટક લખાવવી વૈકલ્પિક કરી શકાશે.

અગાઉ 2007ના નિયમો મુજબ જન્મ-મરણની નોંધમાં રજિસ્ટ્રાર દ્વારા માત્ર એક જ વાર સુધારો કરી શકાતો હતો. પરંતુ હવે નવા પરિપત્ર મુજબ, સંજોગો અને નિયમો બદલાય ત્યારે યોગ્ય આધાર-પુરાવા રજૂ કરીને ફરીવાર પણ જરૂરી સુધારા કરી શકાશે.

મરણના પ્રમાણપત્રમાં પણ મરનારના નામ પાછળ પિતા કે પતિનું નામ લખવું હવેથી વૈકલ્પિક ગણાશે. રાજ્યના તમામ જિલ્લા રજિસ્ટ્રાર, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓને આ એડવાઈઝરીનો તાત્કાલિક અમલ કરવા સૂચના આપી દેવામાં આવી છે.

ભચાઉ પોલીસે નકલી નોટોથી છેતરપિંડી કરતા ત્રણને પકડ્યા::::ભચાઉ પોલીસે નકલી ભારતીય ચલણી નોટોનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતા ત...
26/11/2025

ભચાઉ પોલીસે નકલી નોટોથી છેતરપિંડી કરતા ત્રણને પકડ્યા
::::
ભચાઉ પોલીસે નકલી ભારતીય ચલણી નોટોનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર લોકોને 'એક લાખના ચાર લાખ' આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતા હતા.

જાહેર કરાયેલી વિગતો મુજબ પીઆઇ એ.એ. જાડેજાને ખાનગી બાતમી મળી હતી કે, જમનશા ભચલશા શેખ, નશીરશા અકબરશા શેખ અને યુનુસશા લતિફશા શેખ (રહે. કનૈયાબે, તા. ભુજ) નકલી નોટોના બંડલ સાથે ભુજથી મોગલધામ (કબરાઉ) તરફ આવી રહ્યા છે. તેઓ સફેદ સ્વીફ્ટ ગાડી (GJ 06 FC 0580) માં હતા.

આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને છેતરપિંડીના ગુનાને અંજામ આપે તે પહેલા જ ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ભારતીય ચલણી નોટો જેવી દેખાતી 'ભારતીય મનોરંજન બેંક' અને 'ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા' લખેલી નોટોના બંડલ મળી આવ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી ૧૦૫ નકલી નોટોના બંડલ, 125 અસલી 500 રૂપિયાના દરની ચલણી નોટો (કુલ રૂ. 62,500), એક સ્વીફ્ટ ગાડી (કિંમત રૂ. 50,0000), એક ટ્રોલી બેગ (કિંમત રૂ. 1,000) અને પાંચ એન્ડ્રોઇડ મોબાઇલ (કિંમત રૂ. 80,000) જપ્ત કર્યા છે. કુલ રૂ. 6,43,500 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓમાં જમનશા ભચલશા શેખ (ઉં.વ. 25), નશીરશા અકબરશા શેખ (ઉં.વ. ૨૨) અને યુનુસશા લતિફશા શેખ (ઉં.વ. 19) નો સમાવેશ થાય છે. ત્રણેય કનૈયાબે, તા. ભુજના રહેવાસી છે. આરોપી જમનશા શેખનો ગુનાહિત ઇતિહાસ ભચાઉ અને અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. નશીરશા શેખ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં અને યુનુસશા શેખ વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. આ આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર સાચી ચલણી નોટો બતાવીને લોકોને વિશ્વાસમાં લેતા હતા અને પછી 'એક લાખના ચાર લાખ' આપવાની લાલચ આપીને નકલી નોટોના બંડલ પધરાવીને છેતરપિંડી કરતા હતા.

26/11/2025
અદાણી ફાઉન્ડેશન અને અદાણી સિમેન્ટના સહયોગથી અબડાસા તાલુકા કક્ષાનો “ ખેલ મહાકુંભ -૨૦૨૫ “ કોઠારા ખાતે યોજાયો::::બાળકોમાં ખ...
26/11/2025

અદાણી ફાઉન્ડેશન અને અદાણી સિમેન્ટના સહયોગથી અબડાસા તાલુકા કક્ષાનો “ ખેલ મહાકુંભ -૨૦૨૫ “ કોઠારા ખાતે યોજાયો
::::
બાળકોમાં ખેલ દ્વારા ખેલદિલીનો ગુણ વિકસે તે સાથે તેમનો શારીરિક, માનસિક અને એકાગ્રતા જેવા ગુણો તથા સાહસિકવૃત્તિની વિકાસ માટે દર વર્ષે “ ખેલ મહાકુંભ “ ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવે છે.

અબડાસા તાલુકા કક્ષાનો આ ખેલ મહાકુંભ અદાણી ફાઉન્ડેશન અને અદાણી સિમેન્ટના સહયોગથી નિવાસી આશ્રમશાળા અને ખાદી ગ્રામોધોગ ભંડાર – કોઠારા ખાતે તારીખ : ૮-૧૧-૨૦૨૫ થી ૧૩-૧૧-૨૦૨૫ સુધી છ દિવસ સુધી યોજાયેલ. જેમાં કુલ: ૫૦ થી વધારે શાળાનાં ૧૨૦૦ થી વધારે બાળકોએ ઉમર અને ધોરણ પ્રમાણે ભાગ લીધેલ. જેમાં વિવિધ રમતો જેવી કે ખોખો, કબ્બડી, ચેસ, વિવિધ અંતરવાળી દોડ, વોલીબોલ, ઊંચી કુદ, ચક્ર ફેંક, ગોળા ફેંક, રસ્સા ખેંચ, યોગાસન વગેરે. જેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર ૪૦૦ જેટલાં બાળકોને શિલ્ડથી મહાનુભાવોને હસ્તે સન્માનિત કરવામાં આવેલ.

અબડાસા તાલુકાનાં કન્વીનરશ્રી કિશોરસિંહજી જાડેજાનાં પ્રયાસોથી છેલ્લાં ૨૫ વર્ષથી ચાલતા આ ખેલ મહાકુંભમાં દર વર્ષે બાળકો ભાગ લે છે. જેમાંથી અત્યારે બે બાલિકાઓ રાષ્ટ્રીય લેવલે ચેસની રમત રમી રહી છે. રાજ્ય કક્ષાએ ૨૧૦ થી વધારે બાળકો પહોચ્યા છે. આ ખેલ મહાકુંભ-૨૦૨૫ માં દરેક રમતમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલ ૨૦૦ થી વધારે બાળકો જિલ્લાકક્ષાએ રમવા જશે. જ્યારે ૬૪ બાળકો માધાપર મુકામે આવેલ જિલ્લા સ્તરની રમત-ગમત શાળામાં બેટરી ટેસ્ટ માટે જશે. જેમાં પસંદગી પામનાર બાળકનો રમત ગમતની સંપૂર્ણ તાલીમનો તમામ ખર્ચ આ શાળા દ્વારા કરવામાં આવશે.

આ ખેલ મહાકુંભ – ૨૦૨૫ ના ઈનામ વિતરણ અને સમાપન કાર્યક્રમમાં અદાણી સિમેન્ટ – સાંઘીપુરમના પ્લાન્ટ હેડશ્રી વિવેકકુમાર મિશ્રાસાહેબ તથા અદાણી ફાઉન્ડેશન – સાંઘીપુરમના સી.એસ.આર. હેડ માવજીભાઈ બારૈયા, બી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી લખધીરસિંહજી જાડેજા, શિક્ષક મંડળના પ્રમુખ શ્રી રામસંગજી જાડેજા, પૃથ્વીરાજસિંહજી જાડેજા, ખાદી ગ્રામોધોગ ભંડારના સંચાલક શ્રી ખોડુભા જાડેજા, અદાણી ફાઉન્ડેશનના પ્રકાશભાઈ મકવાણા, નિશાંત જોશી તથા ભાવેશભાઈ એરડા હાજર રહીને વ્યવસ્થા સાંભળી હતી.

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ શ્રી મિશ્રાસાહેબે જણાવ્યું કે “ બાળકોમાં વિવિધ પ્રકારની શક્તિઓ અને પ્રતિભાઓ પડેલી હોય છે. તેને ઓળખવાનું અને વિકસાવવાનું કામ આવા ખેલકુંભના આયોજન અને અમલીકરણ દ્વારા થતું હોય છે. આ ખેલ મહાકુંભમાં દીકરીઓએ વધારે ભાગ લઈને તેનું મહત્વ વધાર્યું છે. જો પ્રાથમિક કક્ષાએથી જ બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા મળશે તો આ ક્ષેત્રમાં તેમનું ભવિષ્ય ઉજળું છે. અમોને આ ખેલ મહાકુંભમાં તક આપી તે બદલ આયોજકોને અભિનંદન અને વિજેતા બાળકોને શુભેચ્છા પાઠવીને ભવિષ્યમાં રાષ્ટ્રીયકક્ષાએ સિદ્ધિ મેળવવા માટેની શુભેચ્છા પાઠવી હતી.

જ્યારે માવજીભાઇ બારૈયા એ કહ્યું કે અબડાસા જેવા છેવાડાના તાલુકામાં જાગૃત શિક્ષકો દ્વારા જે બાળકમાં પ્રતિભા પડેલી છે તેને બહાર લાવવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. આ પ્રોત્સાહન બાળકોના ભાવિને ઉજ્જવળ બનાવશે. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શાળા અધિકારીશ્રી સતાર મારાસાહેબે ખેલાડીઓને જણાવ્યું કે તાલુકામાંથી જે પ્રોત્સાહન મળે છે, માર્ગદર્શક જે પ્રમાણે મહેનત કરે છે એ બાળકોમાં આજે દેખાય રહ્યું છે. આપ સૌ ખૂબ આગળ વધીને તાલુકાનું નામ રોશન કરો તેવી શુભેચ્છા પાઠવી હતી. જ્યારે લખધીરસિંહજી જાડેજાએ કહ્યું કે બાળકોને તક મળવી ખૂબ જરૂરી છે. એ તક માટે શાળાનાં શિક્ષકો દ્વારા જે જાગૃતતા દાખવવામાં આવે છે તે અભિનંદનને પાત્ર છે.

બાળકો હજુ પણ વધારે મહેનત કરે જેથી રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરી શકીએ.
ખેલ મહાકુંભના સંયોજક શ્રી કિશોરસિંહજી જાડેજાએ આ છ દિવસ સુધી ખેલાયેલ વિવિધ રમતો, બાળકો તથા તેમના માર્ગદર્શકની મહેનત અને સ્થળ પર આવીને સહકાર આપનાર સૌની વિગતવાર માહિતી દ્વારા સમગ્ર ખેલ મહાકુંભની ઝાંખી કરાવી હતી. સમગ્ર સંચાલન કિશોરસિંહજી તથા મયુરભાઈ દ્વારા જ્યારે આભારવિધી રામસંગજી જાડેજાએ કરી હતી.

Address

B67, Gulmahor Park
Bhuj
370040

Opening Hours

Monday 8:30am - 11pm
Tuesday 8:30am - 11pm
Wednesday 8:30am - 11pm
Thursday 8:30am - 11pm
Friday 8:30am - 11pm
Saturday 8:30am - 11pm
Sunday 8:30am - 11pm

Telephone

+919904408938

Alerts

Be the first to know and let us send you an email when Live Update Page posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share