07/06/2026
આણંદ :જિલ્લાના રેશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર
*********
હવે ક્યુઆર કોડ સ્કેન કરીને મળશે રેશનનું અનાજ
*****---
આણંદ જિલ્લાના રેશનકાર્ડ ધારકો માટે અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને સરળ બનાવવા માટે નવી ડિજિટલ સુવિધાઓ અમલમાં મુકવામાં આવી છે. હવે લાભાર્થીઓ પોતાના સ્માર્ટફોન દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરીને વાજબી ભાવની દુકાનેથી અનાજ મેળવી શકશે.
ભારત સરકાર અને ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના માર્ગદર્શન મુજબ રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ કરાવવું ફરજિયાત છે. ઈ-કેવાયસી પૂર્ણ થયા બાદ લાભાર્થીઓને વિવિધ ડિજિટલ સેવાઓનો લાભ સરળતાથી મળી શકશે.
ઘરે બેઠા જનરેટ કરો અનાજની કુપન
રેશનકાર્ડ ધારકોએ પોતાના સ્માર્ટફોનમાં Mera Ration (માય રેશન એપ) ડાઉનલોડ કરવી જરૂરી છે. આ એપ દ્વારા લાભાર્થીઓ:
ઘરે બેઠા ઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે.
રેશનની કુપન ઓનલાઈન જનરેટ કરી શકશે.
પરિવારની વિગતો ચકાસી શકશે.
રેશન સંબંધિત માહિતી મેળવી શકશે.
ક્યુઆર કોડથી અનાજ મેળવવાની નવી વ્યવસ્થા
રાજ્ય સરકારના સીબીડીસી (CBDC) પ્રોજેક્ટ હેઠળ હવે લાભાર્થીઓ PNB Digital Rupee એપ્લિકેશનનો ઉપયોગ કરીને વાજબી ભાવની દુકાને ક્યુઆર કોડ સ્કેન કરી સરળતાથી અનાજ મેળવી શકશે.
જિલ્લા પુરવઠા અધિકારીની અપીલ
જિલ્લા પુરવઠા અધિકારીએ તમામ રેશનકાર્ડ ધારકોને સમયસર ઈ-કેવાયસી પૂર્ણ કરાવવા તથા જરૂરી મોબાઇલ એપ્લિકેશનો ડાઉનલોડ કરીને નવી ડિજિટલ સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
📱 રેશનકાર્ડ સેવાઓમાં ડિજિટલ ક્રાંતિ!
🔍 હવે QR કોડ સ્કેન કરીને મળશે અનાજ
🏠 ઘરે બેઠા જનરેટ કરો રેશન કુપન
✅ તમામ સભ્યોનું e-KYC કરાવવું ફરજિયાત
📲 Mera Ration અને PNB Digital Rupee એપ ડાઉનલોડ કરો