Kakubha B Rathod

Kakubha B Rathod I Love Science

*ધોરણ 7 વિજ્ઞાન પર્ણરંધ્ર ની સમજુતી આકૃતિ દ્વારા*
23/07/2025

*ધોરણ 7 વિજ્ઞાન પર્ણરંધ્ર ની સમજુતી આકૃતિ દ્વારા*

According to the present understanding, there are 4 fundamental forces (interactions) that govern how objects or particl...
23/07/2025

According to the present understanding, there are 4 fundamental forces (interactions) that govern how objects or particles interact and how certain particles decay. All the known forces can be traced to these fundamental forces. Many theoretical physicists believe these fundamental forces to be related and to become unified into a single force. Today our "scientist of the day" is an American man whose work helped link two of the four fundamental forces.

It's the death anniversary of , one of the greatest contemporary physicists - -

(Scientist of the Day - 23 July)

As a visiting professor at MIT in 1967, he proposed his model of unification of and forces. One of its fundamental aspects was the prediction of the existence of the . Weinberg's model, now known as the theory, had the same symmetry structure as that proposed by Glashow in 1961. The 1973 experimental discovery of weak neutral currents (mediated by the Z boson) was one verification of the electroweak unification.

The paper by Weinberg, in which he presented this theory is one of the most cited works ever in high-energy physics. His work was foundational to the , the overarching physics theory that describes how subatomic particles behave. For this work, he was awarded the in Physics (1979), together with and .

Weinberg continued his work in many aspects of particle physics, quantum field theory, gravity, supersymmetry, superstrings and cosmology, as well as a theory called Technicolor.

Now, we are on WhatsApp and on X —

On WhatsApp, https://whatsapp.com/channel/0029VamplmN9cDDUX2CiaR3V

On X, https://x.com/CosmoAstrophy

*આજની પ્રવૃત્તિ ધોરણ 6 વિજ્ઞાન "રોબોટીક હેન્ડ" ની બનાવટ*
22/07/2025

*આજની પ્રવૃત્તિ ધોરણ 6 વિજ્ઞાન "રોબોટીક હેન્ડ" ની બનાવટ*

*આજે આમારી શાળામાં IAF અને STEAM અંતર્ગત ગાંધીનગર થી શાળાની મુલાકાતે ઍક ટીમ આવેલી હતી જેમાં ગાયત્રીમેડમ અને સુનિલભાઈ પધા...
22/07/2025

*આજે આમારી શાળામાં IAF અને STEAM અંતર્ગત ગાંધીનગર થી શાળાની મુલાકાતે ઍક ટીમ આવેલી હતી જેમાં ગાયત્રીમેડમ અને સુનિલભાઈ પધારિયા હતા. તેમણે અમારી શાળાની મુલાકાત લઈને બાળકો દ્વારા કરવામાં આવતી ગણિત અને વિજ્ઞાન ની પ્રવૃત્તિ નિહાળી હતી. બાળકોયે બનાવેલા આવનાવા મોડેલ જોયા તેના વિશે માર્ગદર્શન આપ્યું અને બાળકોને અને શાળાને અભિનંદન પાઠવીયા.*

My Students
22/07/2025

My Students

We know very well that the hertz (Hz), the SI unit of frequency is named after  , a German physicist; but today , let me...
22/07/2025

We know very well that the hertz (Hz), the SI unit of frequency is named after , a German physicist; but today , let me introduce you to another Hertz, another German man, whose work changed our understanding of electron interactions. He is our "scientist of the day" today.

It's the birthday of , the man who transformed our understanding of the world - - -

(Scientist of the Day - 22 July)

Gustav Hertz was a nephew of Heinrich Rudolf Hertz. From 1911 to 1914, he was an assistant to Rubens at the University of Berlin. During this time, working with on what would be known as the Franck-Hertz experiment, he demonstrated the energy loss of electrons as they collided with atoms. Arguably his greatest contribution to science, he proved that electrons hold quantized states of energy. The experiment was the first electrical measurement to clearly show the quantum nature of atoms, and thus transformed our understanding of the world. Results from this experiment confirmed Bohr's quantum theory and would eventually lead to quantum mechanics, the mathematical description of subatomic particle interactions and positions.

It was presented on April 24, 1914, to the German Physical Society in a paper by James Franck and Gustav Hertz. The Franck-Hertz tube (see the image) was the apparatus invented to demonstrate the process. Their work would later earn both scientists the 1925 in physics. Hertz won the in 1951.

Hertz was one of the 18 German nuclear scientists who in 1957 signed the so-called Göttingen Declaration for the renunciation of nuclear weapons.

Now, we are on WhatsApp and on X also —

On WhatsApp, https://whatsapp.com/channel/0029VamplmN9cDDUX2CiaR3V

On X, https://x.com/CosmoAstrophy

આજનું વનસ્પતિ વિશેષ વિવિધ વ્યાધિથી બચાવે  કાકડીસામાન્ય રીતે કાકડીની વાત આવે તેની સાથે આપણી પસંદગીની વાનગી પણ અચૂક યાદ આવ...
22/07/2025

આજનું વનસ્પતિ વિશેષ
વિવિધ વ્યાધિથી બચાવે કાકડી

સામાન્ય રીતે કાકડીની વાત આવે તેની સાથે આપણી પસંદગીની વાનગી પણ અચૂક યાદ આવી જાય. જી હાં... સૅન્ડવિચ જ. આપે બરાબર અનુમાન લગાવ્યું. સૅન્ડવિચમાં કાકડીનો સ્વાદ તો જોઈએ જ. કાકડી વગરની સૅન્ડવિચ જ અધૂરી લાગે! ભોજન કોઈ પણ રાજ્યનું માણો પણ ભાણામાં કાકડીનું સેલડ તો અવશ્ય પીરસાય જ. લગ્ન સમારંભમાં પણ સેલડ કાઉન્ટર ઉપર કાકડીની બોલબાલા જોવા મળે જ. કાકડીની ઉપર આકર્ષક કોતરણી કામ કરીને તેમાંથી વિવિધ આકારનાં પંખી, પશુ, ફૂલ કે પાંદડાં કે તારા બનાવવામાં પણ આવે છે. જેને આપણે સેલડ ડેકોરેશનના નામે જાણીએ છીએ.

નાગર ગૃહિણી અનેક વખત ભોજનમાં વિવિધતા લાવવા શાકની સાથે ભાણામાં કાકડીનું રાયતું અચૂક પીરસે છે. તો આજકાલની પેઢીને કાકડી મેયોનીઝમાં ભેળવીને બ્રેડ કે બન્સ ઉપર મૂકીને આપો તો તેઓ ચપોચપ આનંદથી તેની મજા માણે છે. આવી તો અનેક કાકડીની સ્વાદસભર વાતો છે. કાકડી સ્વાદમાં જેટલી ઉત્કૃષ્ટ છે તેટલી જ સ્વસ્થ્ય માટે પણ કારગર પુરવાર થઈ છે. એવું નથી કે કાકડી ખાવાથી કોઈ રોગ મટી જાય, પરંતુ કાકડી ખાવાથી આપ અનેક વ્યાધિથી અચૂક છુટકારો મેળવી શકો.

કાકડી જો ઓર્ગેનિક હોય તો તેને છાલ સાથે ખાવી જોઈએ, કારણ કે છાલમાં શરીરને માટે આવશ્યક તેવાં સિલિકા તથા કુકરબિટિન નામક સત્ત્વ સારા પ્રમાણમાં જોવા મળે છે. કાકડીની નવી પદ્ધતિ દ્વારા ખેતી કરવામાં આવી હોય તો તેની છાલ કાઢીને ખાવી જોઈએ, કારણ કે છાલમાં પેસ્ટિસાઈડ્સ તથા બૅક્ટેરિયા પણ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. બીજવાળી કાકડીમાં પણ ભરપૂર પ્રમાણમાં પોષક તત્ત્વો સમાયેલાં હોય છે. આથી બીજ સાથે કાકડી ખાવી ગુણકારી ગણાય છે. પાતળી કાકડીમાં બીજનું પ્રમાણ ઓછું હોય છે. આથી બી ખાવા પસંદ ન હોય તેમણે પાતળી કાકડી ખરીદવી. જેે લાંબી પાતળી સાપ આકારની આછા લીલા રંગની જોવા મળે છે.

તેનું વૈજ્ઞાનિક નામ કુકુમિસ સેટિવસ (Cucumis sativus) છે અને તે કુકરબીટેસી (‎Cucurbitaceae‎) કુળની વનસ્પતિ છે. વિવિધ ભાષામાં કાકડીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે ગુજરાતીમાં કાકડી, મરાઠીમાં કકડી, હિન્દીમાં ખીરા - કકડી, તમિળમાં વેલ્લારી કૈયા, તેલુગુમાં ખીરા - ડોસાકાયા, બંગાળીમાં ખીરા, સંસ્કૃતમાં કંડાલુ, ઉર્દૂમાં કિયાર અને અંગ્રેજીમાં કુકુમ્બર કહે છે.

કાકડીની ઉત્પત્તિ વિશે પણ અનેક વાતો લખાયેલી જોવા મળે છે. કોઈ કહે છે કે કાકડીની શોધ ભારતમાં 3000 વર્ષ પહેલાં થઈ હતી. હિમાલય તથા બે ઓફ બેંગાલમાં તેની ખેતી થતી હતી. કોઈનું માનવું છે કે કાકડીનું મૂળ સ્થાન કુવૈત તથા ઈરાક છે તો કોઈનું માનવું છે કે ઈજિપ્તમાં કાકડીનું ઉત્પાદન થતું હતું. કાકડીની વિવિધ પ્રજાતિ પર્શિયા, એશિયા, ગ્રીસ તથા ઈટાલીમાં પણ થતી હતી. એવું પણ કહેવાય છે કે રોમન પ્રજા ફળોની દીવાની હતી. કાકડીની ખેતી કરવામાં તેઓએ ઘણી મહેનત કરી હતી. કાકડીની ખેતી તેઓ મોસમ વગર પણ કરી શકે તેવી ટેક્નિક પણ તેમણે વિકસાવી હતી.

વિશ્ર્વના વિવિધ દેશોની વાત કરીએ તો ભારત કાકડીના ઉત્પાદનમાં 30મા ક્રમાંકે આવે છે. તેનું કુલ ઉત્પાદન 1,61,000 મેટ્રિક ટનની આસપાસ જોવા મળે છે જે વિશ્ર્વની માગના 1 ટકા જેટલું થાય છે. હાલમાં તો વર્ષભર કાકડીની મજા માણી શકાય છે. તેમ છતાં આપણા વડીલો તો કહેતા કે કુદરતે બનાવેલ ઋતુ પ્રમાણેનાં ફળ-શાકભાજી ખાવાથી આરોગ્ય સ્વસ્થ રહે છે. આથી જ હવે નિષ્ણાતો પણ ઋતુ પ્રમાણેનાં ફળ-શાકભાજી ખાવાનો જ આગ્રહ રાખતા થયા છે.

કાકડીમાં પણ ઘણી વિવિધતા બજારમાં જોવા મળે છે. જેવી કે લાંબી-પાતળી કાકડી જે આછા લીલા રંગની હોય છે. ઘેરા લીલા રંગની નાની કાકડી, આછા લીલા રંગની નાની કાકડી, બીજ વગરની કાકડી, તો વળી વિદેશી જાતિની કાકડી, જેનો ભાવ સૌથી વધુ હોય છે. સામાન્ય બેઠા ઘાટની પીળી કાકડી, જેનો ભાવ સૌથી ઓછો હોય છે. કાકડી સામાન્ય રીતે પ્રત્યેકને પરવડી શકે તેવું શાક છે.

એગ્રિકલ્ચરલ ઈકોનોમિક્સ રિસર્ચ દ્વારા 2008માં બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે દક્ષિણ ભારતના કર્ણાટકમાં ભારતની કુલ કાકડીની ખેતીના 60 ટકા ખેતી થાય છે. અન્ય રાજ્યોમાં 20 ટકા જેટલી ખેતી થાય છે. ભારતની કાકડીની વિદેશી બજારમાં મોટી માગ જોવા મળે છે તેથી મોટા ભાગના પાકની નિકાસ કરવામાં આવે છે. 2011માં ભારતે યુનાઈટેડ આરબ અમીરાતમાં કુલ 8,94,000 કિલો કાકડી મોકલી હતી.

કાકડીના આરોગ્યવર્ધક ફાયદા

• વજન ઘટાડવામાં મદદરૂપ
જેમનું વજન વધુ હોય અથવા વજન ઘટાડવાની ઈચ્છા હોય તેમને માટે કાકડીનું સેવન અત્યંત ગુણકારી ગણાય છે. તેનું મુખ્ય કારણ કાકડીમાં પાણીની માત્રા વધુ હોય છે. 100 ગ્રામ કાકડીમાં ફક્ત 15 ગ્રામ કૅલરીનું પ્રમાણ જોવા મળે છે. ભૂખ લાગે ત્યારે કાકડીનું સેવન કરવું હિતાવહ છે. રાત્રિના સમયે કાકડીનું સેવન કરવાથી ગેસની કે પિત્તની તકલીફ થવાની શક્યતા રહે છે. આથી દિવસના સમયે કાકડીનું સેવન કરી શકાય છે. વજન ઘટાડવાની ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કાકડી શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય છે, કેમ કે તેમાં પાણીની માત્રા વધુ હોવાથી ગરમીના દિવસોમાં શરીરને પાણીની વધુ આવશ્યકતા રહે છે. ગરમીના દિવસોમાં ખાસ પાણીની માત્રા વધુ ધરાવતાં ફળો-શાકભાજી ખાવાથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે. લૂ લાગતી નથી. વજન પણ નિયંત્રણમાં રાખી શકાય છે.

• શરીરને હાઈડ્રેટ રાખે છે
100 ગ્રામ કાકડીમાં પાણીની માત્રા 95 ટકા જોવા મળે છે. શરીરને હાઈડ્રેટ રાખવા માટે કાકડીનું સેવન ગુણકારી ગણાય છે. શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા સર્જાવાથી માથાનો દુખાવો, પેશાબમાં તકલીફ, સાંધામાં દુખાવો કે પિત્ત જેવી સમસ્યા ઊભી થતી હોય છે. કાકડીનું સેવન પ્રમાણભાન રાખીને કરવાથી ડિહાઈડ્રેશનની સમસ્યાથી બચી શકાય છે.

• ઍન્ટિ-ઑક્સિડન્ટના ગુણોથી ભરપૂર
કાકડીમાં ઍન્ટિ-ઑક્સિડન્ટના ગુણ પણ સમાયેલા છે. શરીરમાં ફ્રી રેડિકલ્સના પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે. તો ઑક્સિડેટિવ સ્ટે્રસને ઘટાડવામાં પણ ગુણકારી ગણાય છે. જેમ કે વય વધવાની સાથે શરીરમાં આવતી વ્યાધિ જેવી કે કિડની કે હૃદયરોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

• આંખો માટે લાભકારક
કાકડીમાં ઍન્ટિ-ઑક્સિડન્ટના ગુણો પણ સમાયેલા છે. જે ઑક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદ કરે છે. ઑક્સિડેટિવ સ્ટ્રેસને કારણે આંખનો મેક્યુલર ડિજનરેશન નામક રોગ થવાનું જોખમ (જે ક્યારેક આંખની દૃષ્ટિને નુકસાન પહોંચાડે છે) ઘટી જાય છે. કાકડીમાં સમાયેલો હાઈડ્રેટિંગ ગુણ આંખ તથા તેની આસપાસની ત્વચાની ભીનાશ જાળવવામાં મદદ કરે છે. બંધ આંખો ઉપર કાકડીના પીતા મૂકવાથી આંખોમાં ઠંડકનો અનુભવ કરી શકાય છે. વિટામિન કેની માત્રા સારા પ્રમાણમાં હોવાથી કાકડીના સેવનથી આંખોનું તેજ વધે છે. વળી કાકડીમાં લિગ્નાંસ નામક કમ્પાઉન્ડ સમાયેલું છે જે આંખોની આસપાસના સોજાને ઘટાડવામાં મદદ કરે છે.

• ચયાપચયની પ્રક્રિયા સુધારવામાં ઉપયોગી
કાકડીનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાથી બચી શકાય છે. તેનું મુખ્ય કારણ કાકડીમાં પાણી અને ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. ફાઈબરનું કામ શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવાનું છે. રોજ કાકડીનું સેવન કરવાથી લાંબા સમયથી પરેશાન કરતી કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે.

• અલ્ઝાઈમરમાં ગુણકારી
અલ્ઝાઈમર એક ન્યુરોલોજિકલ બીમારી ગણાય છે જેમાં ધીમે ધીમે યાદશક્તિ ઘટતી જાય છે. 60 વર્ષની વય બાદ આ રોગ થવાની શક્યતા જોવા મળે છે. અલ્ઝાઈમરના રોગમાં કાકડીનું સેવન ગુણકારી છે. તેનું મુખ્ય કારણ કાકડીમાં ફિસ્ટેટિન નામક ફ્લેવોનોઈડ સત્ત્વ સમાયેલું છે જે ન્યુરોપ્રોટેક્ટિવ પ્રભાવને દર્શાવે છે. કાકડીનું સેવન અલ્ઝાઈમરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. આ વિષયમાં હાલમાં વધુ અભ્યાસ ચાલી રહ્યો છે.

• ત્વચાને ચમકદાર બનાવે છે
કાકડીનો ઉપયોગ સ્વાસ્થ્યની સાથે ત્વચાને ચમકદાર બનાવવા માટે પણ કરવામાં આવે છે. કાકડીના માવાને ચહેરા ઉપર લગાવવાથી ચહેરાની ત્વચા ચમકીલી બને છે તો કાકડીનો તાજો રસ પીવાથી ત્વચા ચમકદાર બને છે. નિસ્તેજ ત્વચા ખીલી ઊઠે છે. તેનું મુખ્ય કારણ કાકડીમાં સમાયેલ પાણીની માત્રા ત્વચાને જરૂરી પોષણ પૂરું પાડે છે. ત્વચાને ઠંડક મળે છે. ગરમીમાં ત્વચા કાળી પડી જવી, વય વધવાની સાથે ત્વચાનું મોઈશ્ર્ચર ઘટતાં કરચલી પડવી, ખીલની તકલીફમાં પણ કાકડીનો રસ ત્વચા માટે ગુણકારી ગણાય છે.

• હાડકાંને મજબૂત બનાવે છે
કાકડીમાં ફાઈબર તથા પાણીની માત્રા ભરપૂર પ્રમાણમાં રહેલી છે. વળી શર્કરાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. કાકડીમાં વિટામિન કેની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે વિટામિન કેની માત્રા કેટલી વધુ પ્રમાણમાં છે તે કહેવું થોડું અઘરું છે.

એક નેચરલ હેલ્થ ડોક્ટરનું કહેવું છે કે ભવિષ્યમાં વિટામિન કેની ઊણપ લોકોમાં મોટા પ્રમાણમાં જોવા મળશે. જે સામાન્ય સંજોગોમાં ઓળખી શકવી મુશ્કેલ બનશે. વિટામિન કે શરીર માટે ઘણું મહત્ત્વનું વિટામિન છે. તેની માત્રા શરીરમાં પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે તો હાડકાં નબળાં પડતાં અટકે છે. કોરોનરી હાર્ટ ડિસીઝની શક્યતા ટાળી શકાય છે. હાડકાંમાં વધુ પડતું કૅલ્શિયમ ભરાયું હોય તો તેને દૂર કરવામાં મદદ કરે છે. વિટામિન કે યાદશક્તિ વધારવામાં ઉપયોગી બને છે જે કાકડીમાં ભરપૂર પ્રમાણમાં છે.

સંકલન :- કકુભા બી રાઠોડ. શ્રી ચગિયા પ્રાથમિક શાળા. તા સુત્રાપાડા. જી ગીર સોમનાથ. જય વિજ્ઞાન.....

આજની પ્રવૃત્તિ ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 1
21/07/2025

આજની પ્રવૃત્તિ ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 1

આજનું વનસ્પતિ વિશેષ જેઠીમધ : મુલેઠી :આયુર્વેદમાં જેઠીમધને ખૂબ ગુણકારી કહેવામાં આવ્યું છું. જેઠીમધના મૂળીયા ઉખાડી નાખ્યા ...
21/07/2025

આજનું વનસ્પતિ વિશેષ
જેઠીમધ : મુલેઠી :

આયુર્વેદમાં જેઠીમધને ખૂબ ગુણકારી કહેવામાં આવ્યું છું. જેઠીમધના મૂળીયા ઉખાડી નાખ્યા બાદ પણ 2 વર્ષ સુધી તેમાં ઔષધીય ગુણો રહે છે. આયુર્વેદમાં જેઠીમધનો ઉપયોગ બહુ પહેલાથી થતો આવ્યો છે. જેઠી મધ પેટના રોગ, શ્વાસ સંબંધી રોગ, સ્તન સંબંધી રોગને દૂર કરે છે.

જેઠીમધ સ્વાદમાં ગળ્યું હોય છે. તે કેલ્શિયમ, ગ્લિસરાઈઝિક, એસિડ, એન્ટિ ઓક્સીડન્ટ, પ્રોટીન અને ચરબી જેવા ગુણોનો ખજાનો છે. એનો ઉપયોગ નેત્ર રોગ, મુખના રોગો, ગળાના રોગો, ઉદરના રોગો, શ્વાસની તકલીફ, હૃદય રોગ માટે અનેક વર્ષોથી થતો આવ્યો છે. તે કફ, વાયુ અને પિત્ત એમ ત્રણેય દોષોને શાંત કરીને બીમારીનો ઇલાજ કરે છે.

જેઠીમધનો પાઉડર દૂધમાં ભેળવીને પીવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. વારંવાર થાક લાગવો કે શરીરમાં નબળાઈની વારંવાર ફરિયાદ રહેતી હોય તેમણે નરણાં કોઠે જેઠીમધના પાઉડરને મધ સાથે કે ગરમ દૂધમાં -પાણીમાં ભેળવીને પીવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે.

જેઠીમધનો ઉપયોગ કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં પણ મદદરૂપ થાય છે. તેનું મુખ્ય કારણ એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણો હોવાને કારણે શરીરની નસોને નુકસાન થતું અટકાવે છે. જેઠીમધ તથા આમળાનું ચૂર્ણ લેવાથી વાળ સફેદ થતાં અટકે છે. વાળ લાંબા, કાળા તથા મજબૂત બને છે. જેઠીમધને ઘસીને કે તેના પાઉડરનો ઉપયોગ ચહેરા ઉપર કરવાથી ત્વચા નિખરે છે. લોહીને શુદ્ધ કરવામાં જેઠીમધ ગુણકારી છે.

આંખોમાં બળતરા અથવા આંખો સાથે જોડાયેલા રોગો થાય ત્યારે જેઠીમધનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. એટલા માટે જેઠીમધના ઉકાળાથી આંખો ધોવાથી બળતરા મટે છે અને આંખોનો રોગ મટે છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધ પાવડર માત્રામાં વરીયાળીનું ચૂર્ણ ભેળવીને તે ચૂર્ણનું સેવન કરવાથી આંખોની બળતરા ઓછી થાય છે અને આંખોની રોશની વધે છે.

જેઠીમધ કમળો, હેપેટાઇટિસ અને ફેટી લિવર જેવા રોગોમાં ખૂબ મદદરૂપ થાય છે. તેનામાં રહેલા કુદરતી એન્ટિ ઓક્સિડેન્ટ ગુણ ઝેરી પદાર્થોથી લિવરનું રક્ષણ કરે છે. તેમજ હિપેટાઇટિસના કારણે લિવરમાં આવેલ સોજાને પણ ઉતારવામાં જેઠીમધ મદદરૂપ થાય છે.

જેઠીમધમાં જીવાણુ વિરોધી અને બેક્ટેરિયા વિરોધી તત્વો હોવાના કારણે તેને ચગળવાથી કેવેટી વધારનારા બેક્ટેરિયાની વૃદ્ધિ અટકી જાય છે. દાંતમાં રહેલા સડાને પણ ઓછો કરે છે. દાંતના આરોગ્ય માટે જોઠીમધના પાઉડરનો પ્રયોગ કરવો જોઈએ.

જેઠીમધ મોઢામાં રાખીને ઘણા સમય સુધી સુચતા રહેવાથી ખાંસીથી આરામ મળે છે. જો તમને સુકી ઉધરસ છે તો 1 ચમચી જેઠીમધને મધ સાથે ભેળવીદિવસમાં 2 થી ૩ વખત ચાટીને ખાવાથી તેમજ જેઠીમધનો ઉકાળો બનાવીને 20 થી 25 મિલી માત્રામાં સવારે અને સાંજે સેવન કરવાથી જેઠીમધનો ફાયદો મળે છે.

3 થી 5 ગ્રામ જેઠીમધ અને તેટલી જ માત્રામાં બાલકાડુ ચૂર્ણ ભેળવીને, આ મિશ્રણને 15 થી 20 ગ્રામની માત્રામાં પાણી સાથે દરરોજ લેવાથી હ્રદય સાથે જોડાયેલી બીમારીઓથી રાહત મળે છે. જેઠીમધનો ઘરેલું ઉપચાર તરીકે ઉપયોગ કરવાથી પેટના અલ્સરને ઠીક કરી શકાય છે. તેના માટે એક ચમચી જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધનો પાવડરને એક કપ દુધમાં દિવસમાં ૩ વખત સેવન કરવાથી પેટના અલ્સરની બીમારી ઠીક થાય છે.

માસિક ધર્મ દરમિયાનના દિવસોમાં વધારે લોહી નીકળી રહ્યું હોય તો એવા સમયે જેઠીમધનું સેવન કરવાથી તેને અટકાવી શકાય છે. તેના માટે 1 થી 2 ગ્રામ જેઠીમધ ચૂર્ણમાં 5 થી 10 ગ્રામ સાકર ભેળવીને ચોખાના ધોવરાવણમાં નાખીને પીવાથી માસિક દરમિયાન વધારે પડતો રક્તસ્ત્રાવ બંધ થાય છે.

માથાના દુખાવાથી પરેશાન વ્યક્તિ માટે જેઠીમધ ખુબ જ ઉપયોગી છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધનો પાવડરના એક ભાગમાં તેના ચોથાભાગનું કલીહારી ચૂર્ણ અને થોડુક સરસવનું તેલ ભેળવીને સુંઘવાથી માથાનો દુખાવો મટે છે. માઈગ્રેનના દુખાવાથી પરેશાન રહેનાર લોકો માટે જેઠીમધ ખુબ જ ફાયદાકારક છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધના પાવડરમાં મધ ભેળવીને નેજલ ડ્રોપની જેમ નાકમાં નાખવાથી માઈગ્રેનના દુખાવાથી રાહત મળે છે.

જો ઉલ્ટી કરતા સમયે લોહી નીકળતું હોય તો જેઠીમધનું સેવન કરવાથી અથવા જેઠીમધ અને રક્ત ચંદન ચૂર્ણ બંનેને 1 થી 2 ગ્રામની માત્રામાં દૂધ સાથે વાટીને તેમાં 50 મિલી દૂધ ભેળવીને થોડી થોડી માત્રામાં પીવાથી ઉલ્ટીમાં લોહી આવવાનું બંધ થઇ જાય છે.

શરીરમાં લોહીની ઉણપ સર્જાતા પર જેઠીમધનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. તેના માટે એક ચમચી જેઠીમધ ચૂર્ણ અથવા જેઠીમધ પાવડરને મધ સાથે ભેળવીને ખાવાથી અથવા 10 થી 20 મિલી જેઠીમધના પાવડરને મધ સાથે ભેળવીને પીવાથી લોહીમાં વધારો થાય છે.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચિકિત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુસર આપવામાં આવે છે.

સંકલન :- કકુભા બી રાઠોડ. શ્રી ચગિયા પ્રાથમિક શાળા. તા સુત્રાપાડા. જી ગીર સોમનાથ.

શું તમે બ્રેડ ફ્રુટ વિશે જાણો છો?હા, તસવીરમાં દેખાતું આ ફળ બ્રેડ ફ્રૂટ તરીકે ઓળખાય છે.જેકફ્રૂટના નાના ભાઈ જેવું લાગતું આ...
21/07/2025

શું તમે બ્રેડ ફ્રુટ વિશે જાણો છો?
હા, તસવીરમાં દેખાતું આ ફળ બ્રેડ ફ્રૂટ તરીકે ઓળખાય છે.
જેકફ્રૂટના નાના ભાઈ જેવું લાગતું આ ફળ પાક્યા પછી તાજી રોટલી જેવી સુગંધ આવે છે અને તેનો સ્વાદ અને રોટલી જેવો જ હોય ​​છે, તેથી તેને બ્રેડફ્રૂટ કહેવામાં આવે છે.
તે એક ઉષ્ણકટિબંધીય વૃક્ષ છે, જે ભારત, દક્ષિણપૂર્વ એશિયા અને પેસિફિક મહાસાગરના કેટલાક ટાપુઓ, કેરેબિયન ટાપુઓ અને આફ્રિકામાં જોવા મળે છે.
આ ઝાડ પર નાના ફળો ઉગે છે, તે લગભગ આખું વર્ષ ફળ આપે છે અને પાક્યા પછી ખાવા યોગ્ય બને છે. તેના ઝાડની ઊંચાઈ 10 થી 20 મીટર સુધીની હોય છે.
તેના ઝાડમાંથી દરેક ઋતુમાં લગભગ 200 ફળો મેળવી શકાય છે. આ વૃક્ષની વિશેષતા એ છે કે તેના લાકડાને ઉધઈ મળતી નથી અને તે વજનમાં પણ હલકા હોય છે. આ વિશેષતાને કારણે તેના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે.

સંકલન :- કકુભા બી રાઠોડ. શ્રી ચગિયા પ્રાથમિક શાળા. તા સુત્રાપાડા. જી ગીર સોમનાથ.

આજનું પ્રાણી વિશેષ                 કાચંડો * કાચંડોની 200 થી વધુ પ્રજાતિઓ છે.* કાચંડોની 9 પ્રજાતિઓ ગંભીર રીતે ભયંકર તરીકે...
21/07/2025

આજનું પ્રાણી વિશેષ
કાચંડો
* કાચંડોની 200 થી વધુ પ્રજાતિઓ છે.
* કાચંડોની 9 પ્રજાતિઓ ગંભીર રીતે ભયંકર તરીકે સૂચિબદ્ધ છે.
* કાચંડોની લગભગ 20 પ્રજાતિઓ લુપ્ત થવાની સંભાવના છે.
*કાચંડોની 37 પ્રજાતિઓ લુપ્તપ્રાય તરીકે સૂચિબદ્ધ છે.
*કાચંડો ફ્લોરિડા, કેલિફોર્નિયા અને હવાઈ, કેલિફોર્નિયામાં ઘરના પાલતુ તરીકે રાખવામાં આવે છે.
*કાચંડો ગરમ રહેઠાણોમાં રહે છે
*મેડાગાસ્કર તેમનો ગઢ છે
કાચંડોની તમામ જાણીતી પ્રજાતિઓમાંથી અડધાથી વધુ મડાગાસગર ટાપુ પર રહે છે. લગભગ 60 પ્રજાતિઓ ફક્ત ટાપુ પર જ જોવા મળે છે અને વિશ્વમાં બીજે ક્યાંય નથી. આ હોવા છતાં, એવા કોઈ પુરાવા નથી કે જે સૂચવે છે કે કાચંડો ખરેખર ટાપુ પર ઉદ્ભવ્યો હતો. તેના બદલે, એવું માનવામાં આવે છે કે તેઓ ચીન અને મધ્ય યુરોપમાં વધુ વ્યાપક હતા.
*મેડાગાસ્કન લોકકથામાં કાચંડો વિશેષતા ધરાવે છે
*કાચંડો શબ્દનો અર્થ થાય છે જમીનનો સિંહ
મોટા ભાગના કાચંડો વૃક્ષોમાં રહે છે અને તેઓ સિંહોની જેમ વર્તન કરતાં નથી તે જોતાં તે સંપૂર્ણ અર્થમાં નથી! પરંતુ કાચંડો શબ્દ પ્રાચીન ગ્રીકમાંથી આવ્યો છે.
*પેલિયોન્ટોલોજિસ્ટ માને છે કે ડાયનાસોર લુપ્ત થયાના થોડા સમય પછી કાચંડો લગભગ 65 મિલિયન વર્ષો પહેલા વિકસિત થયો હતો.
*સૌથી નાનો કાચંડો માચીસની લાકડીના માથા જેટલો હોય છે
*સૌથી મોટો કાચંડો નાની ઘરેલું બિલાડીના કદ જેટલો હોય છે
*સૌથી ટૂંકું જીવતું કાચંડો 5 મહિનાનું આયુષ્ય ધરાવે છે
*સૌથી લાંબો જીવતો કાચંડો 12 વર્ષનો આયુષ્ય ધરાવે છે
*ચામડીના સ્ફટિકો કાચંડોને રંગ બદલવા માટે સક્ષમ કરે છે
વૈજ્ઞાનિકોએ તાજેતરમાં શોધ્યું છે કે તેમની ત્વચામાં રંગદ્રવ્ય બદલીને રંગ બદલવાને બદલે કાચંડો વાસ્તવમાં તેમની ત્વચાના કોષોમાં નેનો સોલ્ટ ક્રિસ્ટલ્સનો ઉપયોગ કરીને પ્રકાશને રિફ્રેક્ટ કરવા માટે રંગ બદલે છે.
તેઓ સ્ફટિકોને એકબીજાની નજીક અથવા એકબીજાથી વધુ દૂર ખસેડીને રંગ બદલે છે. સ્ફટિકો વિવિધ તરંગ લંબાઈ પર પ્રકાશને વક્રીવર્તિત કરે છે જે તેમને લીલા, વાદળી, પીળા અને તેથી વધુમાંથી બદલાવે છે. કાચંડોમાં આવી ક્ષમતા કુદરતી રીતે વિકસિત થઈ છે તે વિચારવું આશ્ચર્યજનક છે.
જ્યારે ગુસ્સો આવે છે અથવા સંવનન કરવાનો પ્રયાસ કરે છે ત્યારે કાચંડો તેજસ્વી રંગો દર્શાવે છે આ મુખ્યત્વે નર ને લાગુ પડે છે. જ્યારે ગુસ્સો આવે છે, ત્યારે કાચંડો અત્યંત વાઇબ્રેન્ટ રંગોમાં બદલાઈ જાય છે જે તેમના ગુસ્સાનો સંકેત આપે છે સૂતી વખતે તેઓ સુંદર તેજસ્વી રંગો પણ દર્શાવે છે.
*પેન્થર કાચંડો સૌથી રંગીન હોય છે
કયા કાચંડો સૌથી વધુ રંગીન છે તે ખૂબ જ વ્યક્તિલક્ષી અભિપ્રાય છે. કાર્પેટ કાચંડો અને અલ્પજીવી લેબોર્ડ્સ અગ્રણી દાવેદાર છે પરંતુ પેન્થર કાચંડો સૌથી વધુ રંગીન છે અને રંગોની વિશાળ શ્રેણી દર્શાવે છે, રસદાર આકાશ વાદળીથી ઊંડા સમૃદ્ધ લાલ સુધી પેન્થર કાચંડો મેઘધનુષ્યના તમામ રંગો ધરાવે છે.
*તેમના પગ સાણસા જેવા છે
*કાચંડો ની જીભની લંબાઈ પ્રજાતિઓ પ્રમાણે અલગ અલગ હોય છે પરંતુ તે સામાન્ય રીતે કાચંડો નાક નાક થી પૂંછડી ના છેડા સુધી 1.5 થી 2 ગણી લાંબી હોય છે. તેઓ તેમની જીભને ગૂંથેલી રાખે છે જે ખોરાકનો શિકાર કરતી વખતે તે જ રીતે બહાર નીકળે છે.
*તેમનું થૂંક ખરેખર, ખરેખર ચીકણું છે
તેઓ સુપર ફાસ્ટ છે! વૈજ્ઞાનિકોએ બતાવ્યું છે કે જો કાચંડોની જીભ સ્પોર્ટ્સ કાર હોય તો તે 0 થી 60 માઈલ પ્રતિ કલાકની ઝડપે સેકન્ડના 1/100મા ભાગમાં જાય છે, જે અન્ય કોઈપણ સરિસૃપ કરતાં વધુ ઝડપી છે.
*કાચંડોનું બીજું જાણીતું લક્ષણ તેની આંખો છે જે એક બીજાથી સ્વતંત્ર રીતે ફરે છે અને તેને એક જ સમયે આગળ અને પાછળ જોવા માટે સક્ષમ બનાવે છે.તેની આંખોના ઉપર નીચે પોપચાં એવી રીતે જોડાયેલાં હોય છે કે જેને કારણે નાનકડા હૉલ જેવુ હોય જેમાં તેની આંખનો ડોળો રહેલો હોય છે. આ પ્રકારની આંખના કારણે તે બે તરફની વસ્તુ જોઈ શકે છે
આનો અર્થ એ છે કે કાચંડો તેમની આસપાસ 360° વિઝનમાં જોઈ શકે છે જે તેમને નજીક આવતા કોઈપણ શિકારી પર એક નજર રાખવાની તક આપે છે અને બીજી આંખથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ શોધવાની તક આપે છે.
તેઓ દસ મીટર દૂર જંતુ જોઈ શકે છે
*કાચંડો અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રમમાં જોઈ શકે છે
*કાચંડો ઇંડા મૂકે છે
*માદા કાચંડો તેઓ ગર્ભવતી છે તે દર્શાવવા માટે અનન્ય રંગો દર્શાવે છે
જ્યારે કાચંડો ઇંડા સાથે ગર્ભવતી (ગ્રેવિડ) હોય છે ત્યારે તેઓ તેમની સાથે સંવનન કરવાનો પ્રયાસ કરતા અન્ય નરોને દૂર કરવા માટે આ દર્શાવવા માટે અનન્ય રંગો બતાવશે.
*કાચંડો જન્મથી સ્વતંત્રતા માટે સક્ષમ છે
*એકવાર માદા કાચંડો એકાંત સ્થળે તેના ઇંડા મૂકે તે પછી તે તેના માર્ગ પર જશે અને કદાચ તેના બાળકોને ક્યારેય જોશે નહીં. બેબી કાચંડો જન્મથી સ્વતંત્ર હોય છે. તેઓ સહજપણે જાણે છે કે કેવી રીતે ચઢવું, ખાવું અને પીવું કેવી રીતે તેમની માતા ની જરૂર નથી.
*કાચંડો સ્થાયી પાણી પી શકતા નથી
*કાચંડો તરી શકતા નથી
કાચંડોને કાન નથી હોતા
આનો અર્થ એ નથી કે તેઓ બહેરા છે. તેમની પાસે કાન ન હોવા છતાં તેઓ 200 અને 600 Hz વચ્ચેની ફ્રીક્વન્સીઝ પર અવાજો શોધી શકે છે.
*તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે અને જ્યારે અન્ય જીવોની નજીક હોય ત્યારે તેઓ ખૂબ જ તણાવમાં હોય છે. તેઓ માત્ર ત્યારે જ અન્ય કાચંડો સાથે સંપર્કમાં આવે છે જ્યારે કોઈ બીજાના પ્રદેશ પર અતિક્રમણ કરે છે અથવા જ્યારે સંવનન કરવાનો પ્રયાસ કરે છે.
*કાચંડો જ્યારે અરીસામાં જુએ છે ત્યારે તેઓ ગુસ્સે થાય છે
*કાચંડો જીવનભર તેમની ચામડી ઉતારે છે
જ્યારે કાચંડો યુવાન હોય છે ત્યારે તેઓ ઝડપથી વૃદ્ધિ પામે છે અને દર થોડા અઠવાડિયે તેમની ચામડી ઉતારે છે. નાની ઉંમરે તેઓ એક જ વારમાં તેમની ચામડી ઉતારી દેશે’ તે જોવા જેવું દૃશ્ય છે! જેમ જેમ તેઓ વૃદ્ધ થાય છે તેમ તેઓ સતત તેમની ચામડી ઉતારે છે ઉતારવાના કારણો સ્વચ્છતા જાળવવા, તેમની ત્વચાને નવીકરણ કરવા
*તેમના દાંત ખૂબ જ નાના પરંતુ તીક્ષ્ણ અને જંતુને કરડવા માટે યોગ્ય છે.સામાન્ય રીતે તે નાના જીવ જંતુ ખાય છે પણ મોટી પ્રજાતિના કાચિંડો પક્ષીઓ પણ ખાઈ જાય છે
*ઘણાં કાચંડોનાં માથાનાં વિશિષ્ટ લક્ષણો હોય છે
*કાચંડોનું બીજું એક આકર્ષક લક્ષણ જે ઘણીવાર અવગણવામાં આવે છે તે છે તેમના માથાની સજાવટની વિવિધતા. જેક્સન કાચંડોનાં શિંગડાં તેમના માથાની બહાર નીકળતા હોય છે, પડદાવાળા કાચંડોનાં માથાની ટોચ પર એક પડદો હોય છે જે તેમને તેમનું નામ આપે છે અને વિચિત્ર નાકવાળા કાચંડોની આંખોની વચ્ચે એક વિચિત્ર નાક હોય છે.
*કાચંડો પરસેવો થતો નથી
*કાચંડો તેમની ત્વચામાં વિટામિન ડી3 બનાવે છે
કાચંડો માટે વિટામિન D3 ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે તેમને તેમના આહારમાંથી કેલ્શિયમ શોષવામાં સક્ષમ બનાવે છે.
*ઓસ્ટ્રેલિયામાં કાચંડો પાળવો ગેરકાયદેસર છે
ઑસ્ટ્રેલિયામાં પાલતુ સરિસૃપ ધરાવવા માટે તમારી પાસે લાયસન્સ હોવું જરૂરી છે અને તે લાઇસન્સ ફક્ત ઑસ્ટ્રેલિયાના મૂળ સરીસૃપના માલિકોને જ આપવામાં આવે છે. વન્યજીવનની વિશાળ વિવિધતા હોવા છતાં, કાચંડો ઑસ્ટ્રેલિયામાં બિન-મૂળ પ્રજાતિ છે અને તેથી તે ગેરકાયદેસર છે.

*દિન વિશેષ*
21/07/2025

*દિન વિશેષ*

Address

Chorwad

Telephone

+917284038874

Website

Alerts

Be the first to know and let us send you an email when Kakubha B Rathod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kakubha B Rathod:

Share