Kakubha B Rathod

Kakubha B Rathod I Love Science

દિન વિશેષ
07/11/2025

દિન વિશેષ

Today is November 07. Let me introduce you to an Indian man who made the ground-breaking discovery of the phenomenon of ...
07/11/2025

Today is November 07. Let me introduce you to an Indian man who made the ground-breaking discovery of the phenomenon of change of wavelength of light when a beam is scattered in a medium. He is our first "scientist of the day" today. (Today we have two articles)

It's the birthday of "Bharat Ratna" Sir , the first Asian to receive a in any branches of science - - -

(Scientist of the Day - 07 November)

Born to Tamil Brahmin parents, Raman was a precocious child, completing his secondary and higher secondary education at the age of 11 and 13, respectively. He topped the bachelor's degree examination of the University of Madras with honours in physics at age 16. His first research paper, on diffraction of light, was published in 1906 while he was still a graduate student. The next year he obtained a master's degree. In 1917, he was appointed the first Palit Professor of Physics at the Rajabazar Science College under the University of Calcutta.

Let's understand his most famous work :-

When light meets particles that are smaller than the light's , the light spreads in different directions. This occurs, for example, when light packets - - encounter molecules in a gas. In 1928, Raman (with his student K. S. ) discovered that a small portion of the light acquires other wavelengths than that of the original light. This is because some of the incoming photons' energy can be transferred to a molecule, giving it a higher level of energy. Among other things, the phenomenon is used to analyze different types of material.

He won the 1930 Nobel Prize in Physics for this work on the scattering of light (known as Raman effect or Raman Scattering). Raman was honoured with a large number of honorary doctorates and memberships of scientific societies :
- Knight Bachelor (1929)
- Hughes Medal (1930)
- Bharat Ratna (1954)
- Lenin Peace Prize (1957)
- Fellow of the Royal Society.

He founded the Indian Journal of Physics in 1926. In 1933, he became the first Indian director of the Indian Institute of Science. He founded the Indian Academy of Sciences the same year. He established the Raman Research Institute in 1948 where he worked to his last days.

The Raman effect was discovered on 28 February 1928. The day is celebrated annually by the Government of India as the National Science Day.

For more such articles, keep following Cosmological Astrophysics and share our articles.

Interested students can follow our WhatsApp channel and X page —

https://whatsapp.com/channel/0029VamplmN9cDDUX2CiaR3V

On X, https://x.com/CosmoAstrophy

કારેલાં (અંગ્રેજી: bitter melon or bitter gourd, વૈજ્ઞાનીક નામ: Momordica charantia)એ વ્યાપક જોવા મળતું તથા શાકો મા સૌથી...
06/11/2025

કારેલાં (અંગ્રેજી: bitter melon or bitter gourd, વૈજ્ઞાનીક નામ: Momordica charantia)
એ વ્યાપક જોવા મળતું તથા શાકો મા સૌથી કડવું શાક છે. આ શાક શાસ્ત્રીય રીતે કકુર્બીટેસી વર્ગમાં આવે છે. આના વેલા થાય છે.
તે એકગૃહી (monoecious) આરોહી વનસ્પતિ છે અને સમગ્ર ભારતમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી વાડ પર અથવા અન્ય આધાર પર થાય છે. ઘણી વાર તેને ઉછેરવામાં આવે છે. પ્રકાંડ પાતળું, અશક્ત અને વધતે-ઓછે અંશે રોમિલ; પર્ણો સાદાં હોય છે.પુષ્પો એકલિંગી, પીળાં અને એકાકી હોય છે.ફળ અનષ્ઠિલ અલાબુક (pepo) પ્રકારનું, 5.0 સેમી.થી 25 સેમી. લાંબું, લટકતું, ત્રાકાકાર, ખાંચો અને અસંખ્ય ગાંઠોવાળું હોય છે. કારેલાંનું ઉદભવસ્થાન વિષુવવૃત્તીય આફ્રિકા તથા એશિયા ખંડનાં ચીન, મલાયા અને ભારત મનાય છે. તેને સમગ્ર ભારતમાં શાકભાજીના પાક તરીકે વાવવામાં આવે છે.
સામાન્ય રીતે કારેલાંની જાતોને બે જૂથમાં વહેંચી શકાય છે : (1) નાનાં ફળવાળી જાતો; ફળ 7-10 સેમી. લાંબાં; (2) મોટાં ફળવાળી જાતો; ફળ 15-18 સેમી. લાંબાં, નાનાં ફળવાળી જાતો સામાન્ય રીતે ઉનાળામાં અને મોટાં ફળવાળી જાતો ચોમાસામાં થાય છે.
કારેલાંના પાકને મહદ્ અંશે બધા જ પ્રકારની આબોહવા માફક આવે છે. તેમાંય ખાસ કરીને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. વધારે પડતી ગરમી અને ભેજ પાકને નુકસાનકર્તા છે. સારા નિતારવાળી ફળદ્રૂપ, ગોરાડુ અથવા બેસર જમીન તેને વધારે માફક આવે છે. મધ્યમ કાળી તથા ભાઠાની જમીનમાં પણ થોડાઘણા પ્રમાણમાં થઈ શકે છે કારેલીના ચોમાસુ મોસમના પાકને માંડવા બનાવી ઉપર ચડાવવાથી વધુ ઉત્પાદન મળે છે તેમજ સારી ગુણવત્તાવાળાં ફળ મળે છે.
આયુર્વેદ અનુસાર, નાનાં કારેલાં અતિકડવાં, અગ્નિદીપક, લઘુ, ગરમ, શીત, ભેદક, સ્વાદુ અને પથ્યકર હોય છે. તે અરુચિ, કફ, વાયુ, રક્તદોષ, જ્વર, કૃમિ, પિત્ત, પાંડુ અને કોઢનો નાશ કરે છે. મોટાં કારેલાં તીખાં, કડવાં, અગ્નિદીપક, અવૃષ્ય, ભેદક, રુચિકર, ખારાં, લઘુ, વાતલ અને પિત્તનાશક છે. તે રક્તરોગ, પાંડુ, અરુચિ, કફ, શ્ર્વાસ, વ્રણ, કાસ, કૃમિ, કોઠરોગ, કુષ્ઠ, જ્વર, પ્રમેહ, આધ્માન અને કમળાનો નાશ કરે છે. ડીંટડા સહિતનાં કોમળ પાન કટુ, પૌષ્ટિક, મૂત્રજનન, વામક અને રેચક છે. પિત્તવિકાર ઉપર તેના પાનનો રસ આપવામાં આવે છે. શીતપૂર્વક કફપિત્ત જ્વર ઉપર પાનનો રસ જીરું નાખીને અપાય છે. રતાંધળાપણા ઉપર પાનના રસમાં મરી ઘસી તેને સાંજે આંજવામાં આવે છે. શરીરમાં પારો ફૂટી નીકળ્યો હોય ત્યારે કારેલીનાં મૂળ પાણીમાં ઘસી પિવડાવાય છે. વિષૂચિકા (કૉલેરા) ઉપર તલના તેલ સાથે કારેલીનો રસ આપવામાં આવે છે. મૂત્રાઘાત પર તેના પાલાનો રસ હિંગ સાથે અપાય છે. રક્તાર્શ ઉપર પાનનો અથવા ફળનો રસ સાકરમાં આપવામાં આવે છે. બાળકોનું પેટ ચઢે ત્યારે પાનના રસમાં થોડી હળદર ઉમેરી પિવડાવાય છે. જંતુ ઉપર પાનનો અથવા ફળનો રસ આપવામાં આવે છે.
કારેલામાં, ફાઇબરના ગુણધર્મો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કારેલા રસનો સેવન કરવાથી કબજિયાતની સમસ્યા હલ થાય છે. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે તેમણે નિયમિત રીતે કારેલાનો રસ પીવો જોઈએ. તેનાથી પેટ ગેસ અને કબજિયાતની સમસ્યાથી મુક્તિ મળી શકે છે.
કારેલાના રસનું સેવન ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઇન્સ્યુલિન જેવા પ્રોટીન હોય છે જેને પોલિપેપ્ટાઇડ પી કહેવામાં આવે છે. આ સાથે, તે ડાયાબિટીઝના બ્લડ સુગર સ્તરને પણ ઘટાડી શકે છે.
લીવર માટે કડવો કારેલાનો રસ સારો માનવામાં આવે છે.કારેલાનો રસ પીવાથી વજન સરળતાથી ઘટાડી શકાય છે. કારણ કે કારેલામાં કેલરી ઓછી હોય છે અને ફાઇબરથી ભરપૂર હોય છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટો શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે જે વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે.
કારેલા એન્ટીઓકિસડન્ટ અને વિટામિન એ અને સી થી ભરપુર છે, જે ત્વચા માટે સારું છે. કારેલા રસનો સેવન કરવાથી પિમ્પલ્સ અને ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે.તમે શાકભાજી અને જ્યુસ તરીકે કારેલા નો ઉપયોગ કરી શકો છો.
ઉનાળાની ઋતુમાં કારેલાનો રસ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. કારેલામાં ફાઇબર, એન્ટીઓકિસડન્ટો, વિટામિન એ, સી, ઇ, કે, કેલ્શિયમ અને આયર્ન જેવા ગુણધર્મો છે. કારેલાનો રસ પીવાથી તમારા ચહેરા પર ગ્લો આવે છે અને સાથે જ શરીરને ડીટોક્સ પણ કરે છે.
એટલું જ નહીં, કારેલાના રસના સેવનથી વજન ઓછું કરી શકાય છે. જાડાપણું એ આજના સમયમાંની એક ગંભીર સમસ્યા છે, વધુ પડતી ચરબી શરીર માટે હાનિકારક હોઈ શકે છે.
લીંબુના રસ સાથે કારેલાનો જ્યુસ
આ માટે તમારે 2 કારેલા, ¼ નાની ટીસ્પૂન સિંધવ મીઠું, ટીસ્પૂન હળદર પાવડર અને ટીસ્પૂન લીંબુનો રસ જરૂર પડશે. આ માટે સૌથી પહેલા કારેલાને પાણીથી સારી રીતે ધોઈ લો. કારેલાની છાલના ઘણા સ્વાસ્થ્ય લાભ છે, તેથી તેને છાલને દુર ન કરો. કારેલાના નાના ટુકડા કરી લો. ચમચીની મદદથી દરેક ટુકડામાંથી બીજ કા કાઢીને ફેંકી દો.
હવે એક બાઉલ લો અને તેમાં કારેલા, પાણી, મીઠું અને હળદર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો અને તેને લગભગ 10-15 મિનિટ સુધી રાખો જેથી કડવાશ બહાર નીકળી આવે. ચાળણીની મદદથી કારેલા બહાર કાઢી લો અને બાકીનું પાણી તેમાંથી નીકાળી લો. હવે એક બ્લેન્ડર લો, તેમાં કારેલાના ટુકડા, પાણી, મીઠું અને લીંબુનો રસ ઉમેરો. તેને મુલાયમ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો અને તેને ગ્લાસમાં કાઢી લો. તમારું હેલ્ધી ડ્રિંક પીરસવા માટે તૈયાર છે.
સફરજનના રસ સાથે કારેલાનો જ્યુસ
આ માટે તમારે એક મધ્યમ કદનું કારેલુ, ટીસ્પૂન મીઠું, ટીસ્પૂન લીંબુનો રસ અને કપ સફરજનના રસની જરૂર પડશે. સૌપ્રથમ કારેલું કાપો અને તેના બીજ કાઢો. કાપેલા ટુકડાઓને ઠંડા પાણીમાં લગભગ 30 મિનિટ સુધી પલાળી રાખો. આ ટુકડા, મીઠું અને લીંબુનો રસ મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લો. કડવાશ ઘટાડવા માટે તેને સફરજન જેવા મીઠા ફળો સાથે મિક્સ કરો. આ મિશ્રણને એક ગ્લાસમાં કા કાઢીને આનંદ માણો.
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પેન્સિલ પૂરી થઇ જાય તો ફેંકતા નહીં દાટી દેજો, વૃક્ષ ઉગી આવશેસ્કૂલોમાં બાળકોને લખવા માટેની પેન્સિલ શેમાંથી બને છે તેવો ...
06/11/2025

આ પેન્સિલ પૂરી થઇ જાય તો ફેંકતા નહીં દાટી દેજો, વૃક્ષ ઉગી આવશે

સ્કૂલોમાં બાળકોને લખવા માટેની પેન્સિલ શેમાંથી બને છે તેવો પ્રશ્ન કોઇ કરે તો તેનો સીધો જવાબ વૃક્ષ છે. વૃક્ષમાંથી પેન્સિલ બને છે, પરંતુ તે પેન્સિલથી વૃક્ષ બને છે તે વાત માન્યામાં ન આવે તેવી છે પરંતુ ગુજરાતના વન વિભાગને સલામ છે. આ વિભાગે પેન્સિલમાંથી વૃક્ષો વાવવાનું શરૂ કર્યું છે અને તે પણ નવી પેઢીના બાળકોના હસ્તે વૃક્ષો વાવવામાં આવે છે.

ગુજરાતમાં ગાજરની પીપુડી નામની કહેવત છે અને તે નામ પર ગુજરાતી ફિલ્મ પણ બની હતી. વન વિભાગે ગાજરની પીપુડી બનાવી છે જે એક કાંકરે બે પક્ષી મારે છે. બાળકો સ્કૂલમાં લખવા માટે પેન્સિલનો ઉપયોગ કરી શકે છે અને તે પેન્સિલ ઘસાઇ જાય તે પછી બાકી વધતા ભાગને જમીનમાં દાટી દેવાનો હોય છે, કારણ કે આ ભાગમાં જંગલ વિભાગે બિયારણો મૂક્યા હોય છે.

ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો અને પર્યાવરણ ને નુકશાન નહીં કરવાનાં પ્રયત્નો માટે આખું વિશ્વ ચિંતન કરી રહ્યું છે તેમાં એક વિચાર, ઉપાય, પ્રયોગ હંમેશા સૌથી આગળ હોય છે અને તે છે રિસાકલિંગ અર્થાત્ કોઈપણ ચીજનો ઉપયોગ એક કરતાં વધુ વખત કરવો. ગુજરાત વન વિભાગ દ્વારા “સીડ પેન્સિલ” તૈયાર કરવામાં આવી છે. આ એક અદ્દભૂત પ્રયોગ છે.

આ સીડ પેન્સિલ જ્યાં સુધી લખી શકાય ત્યાં સુધી લખવામાં ઉપયોગ કરવાનો અને લખી શકાય નહીં એટલી નાની થઈ જાય એટલે જમીન માં દાટી દેવાની હોય છે. અત્યંત સાવધાનીપૂર્વક આ સીડ પેન્સિલ બનાવવામાં આવી છે. આ સીડ પેન્સિલમાં એ વિશેષ ધ્યાન રખાયું છે કે કેટલી નાની થયાં બાદ પેન્સિલ થી લખવામાં તકલીફ પડે છે અને ફેંકી દેવામાં આવે છે તેથી જે કટકો ફેંકી દેવાની નોબત આવે છે ત્યાં જ પેન્સિલના બીજા છેડે જુદા જુદા વૃક્ષ, છોડ, ક્ષુપનાં બીજ ચોક્કસ પદ્ધતિથી મુકવામાં આવ્યાં છે. ઉપરાંત પેન્સિલમાં ક્યાં ઝાડ, છોડ, ક્ષુપ નાં બીજ છે એ પણ લખવામાં આવ્યું છે.

રાજ્યના જંગલ વિભાગે આ સીડ પેન્સિલનો પ્રચાર ઓછો કર્યો છે પરંતુ જેઓને ખબર છે તે પરિવારો તેમના બાળકો માટે આવી પેન્સિલ લાવે છે. જંગલ વિભાગનો આ પ્રયોગ ધીમે ધીમે સરકારી સ્કૂલો અને પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાઓમાં શરૂ કરવામાં આવ્યો છે.

પેન્સિલનું બોક્સ અત્યંત કિફાયતી દરે આપવામાં આવે છે અને પ્રત્યેક પેન્સિલ પર લખ્યું હોય છે કે આ પેન્સિલ લખવાના કામમાં ન આવે તેટલી નાની થઇ જાય ત્યારે તેને જમીનમાં ખાડો ખોદીને દાટી દેવી, થોડાં સમય પછી તેમાં રહેલા બીજના અંકુર ફૂટશે. આ પેન્સિલ એવી જગ્યાએ વાવવાની હોય છે કે જ્યાં પાણીની સુવિધા મળી રહે. સ્કૂલોમાં આ પ્રયોગ સમજાવવા માટે વન વિભાગ વોલિયેન્ટર રાખે છે.
_____________________________________________

મેં જોયું બધે પણ કસે નહિ ઓનલાઈન પણ ચેક કર્યું ગુજરાત ની વેબસાઇટ પર પણ ક્યાંય નથી જોવા મળતી આ પેન્સિલ

પણ બીજી કમ્પનીની તમને ટ્રી ઉગે તેવી પેન્સીલ ઓનલાઇન મળી જશે

સર્ચ કરો ગૂગલ અમેજોન ને ફ્લિપકાર્ટ પર મળી જશે

Search : plantable seed pencil

 # ફણસ  #ફણસ એક વનસ્પતિ છે. તેનું ઝાડ અને તેનાં મોટા કદના ફળ બંનેને ગુજરાતી ભાષામાં ફણસ તરીકે ઓળખાય છે. વિશ્વમાં તેમ જ ભ...
06/11/2025

# ફણસ #
ફણસ એક વનસ્પતિ છે. તેનું ઝાડ અને તેનાં મોટા કદના ફળ બંનેને ગુજરાતી ભાષામાં ફણસ તરીકે ઓળખાય છે. વિશ્વમાં તેમ જ ભારતીય ઉપખંડમાં જોવા મળતાં ફળોમાં ફણસ એક જુદા જ પ્રકારના દેખાવવાળું, પણ ખાવાલાયક ફળ છે. તે ફળ કદમાં ઘણું મોટું હોય છે. ફણસનું વૃક્ષ દેખાવમાં લીલુંછમ હોવાથી ઘરની આસપાસ ઉગાડવામાં આવે છે. ચારથી છ ઇંચના લંબગોળ પાનવાળાં ઘેરા લીલા રંગનાં વૃક્ષો ઘટાદાર હોય છે. અપરિપકવ (કાચું) ફણસ અણગમતી વાસ ધરાવતું હોય છે. પરિપકવ (પાકકું) ફણસમાં અસંખ્ય પીળા રંગનાં બીજ મોટા કદનાં હોય છે. અંદર કેરીની ગોટલી જેવું બીજ અને ઉપર પીળા રંગનું ફળ હોય છે, જે દક્ષિણ ગુજરાતમાં 'ચાંપા' તરીકે ઓળખાય છે. તે સ્વાદમાં મીઠું હોય છે. તેનાં બીજનું શાક પણ દક્ષિણ ગુજરાતમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તર ભારત અને કોંકણ જેવા દરિયાકિનારાના પ્રદેશમાં તેમાંથી અનેક વાનગીઓ પણ બનાવવામાં આવે છે, જેમ કે કાચા ફણસનું શાક, પાકાં ફણસનો હલવો, પૂરણપોળી, અથાણાં, સૂકવેલાં ચીરીયાં (ચીપ્સ) વગેરે. ફણસના અનેક પ્રકાર થાય છે. વૃક્ષ પર થતું એ સૌથી મોટું ફળ હોય છે. તેનાં ૩ ફૂટ લાંબા અને ૨૦ ઇંચના મોટા ફળ પણ જોવા મળે છે. મૂળ વિષુવવૃત્તીય જંગલોનું આ ફળ હવે વિશ્વમાં દરેક જગ્યાએ જોવા મળે છે. દરેક દેશમાં એનાં જુદાં જુદાં નામો હોય છે. કેટલાક દેશોમાં તેનાં બીજને શેકીને ખવાય છે. અને ફળોનું શાક બનાવી ખવાય છેફણસ ફણસમાં ખાંડનો ભાગ ઘણો હોવાથી એની પૌષ્ટીક આહારદ્રવ્યોમાં ગણતરી થાય છે.
તે ભ્રમ-ચક્કર, બળતરા મટાડનાર અને ઝેરની અસર ઓછી કરે છે; તથા આહાર પર રુચી ઉત્પન્ન કરે છે. વળી તે બળ, વીર્ય અને વજનને વધારનાર છે. આ કારણથી જ કોંકણના લોકો ફણસની સીઝનમાં સવારે ફણસનો નાસ્તો કરે છે અને બપોર પછી ફણસનું શરબત પીએ છે. ફણસના ઠળીયા પૌષ્ટીક હોવાથી શેકીને તેમ જ શાક કરીને ખાવામાં આવે છે. ફણસની ગોટલી ઝાડાને રોકે છે. પાકેલું ફણસ શીતળ, પૌષ્ટીક, વીર્ય વધારનાર, કફ કરનાર, માંસવર્ધક, બળ અને વજન વધારનાર, પચવામાં ભારે, સ્વાદમાં મધુર, તુરું અને વાતલ છે. તે પીત્ત ક્ષતક્ષય અને વાયુનો નાશ કરે છે. મધુપ્રમેહમાં આ ગોટલી સહાયક ઔષધ તરીકે વાપરી શકાય.

સંકલન :- કકુભા બી રાઠોડ. શ્રી ચગિયા પ્રાથમિક શાળા. તા સુત્રાપાડા. જી ગીર સોમનાથ.

રીંગણ વિશેષ માહિતીનોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ...
06/11/2025

રીંગણ વિશેષ માહિતી
નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

ઘરગત્થુ ઇલાજ[
પેટમાં ભાર: રીંગણના શાકમાં લસણ, આદુ, લીલાં મરચાં, કોથમીર અને અન્‍ય ગરમ મસાલો સારી રીતે નાખી, શાક-દાળ-ભાત કે ખીચડી તે સાથે ખાવું અથવા વંતાક શેકી તેમાં સાજીભાર નાખી પેટ ઉપર બાંધવા.
• અનિદ્રા: સાંજે રીંગણાં (ભુટ્ટા) અંગારામાં શેકી, મધમાં કાલવીને રોજ ખાવાથી શાંત નિદ્રા આવે છે. અથવા રીંગણાંનો ઓળો વધુ ઘી કે તેલમાં બનાવી રાતના ભોજન સાથે ખાવો અથવા રીંગણાં ને ડુંગળીનું શાક ખાવું.
• મંદાગ્નિ: આમદોષ-રીંગણાંની સાથે પાકાં ટામેટાં, આદુ, લીલાં મરચાં, કોથમીર તથા ગરમ મસાલો સારી રીતે નાખી, તેલમાં રાઈ-મેથી-હીંગનો વઘાર કરી બનાવેલું શાક દાળ-ભાત કે ખીચડી સાથે ખાવું.
• પથરી: રીંગણાંનું શાક ખાવાથી પેશાબની છૂટ થાય છે, શરૂઆતની નાની (ફરજ કે વાતજ) પથરી ઓગળી જાય છે.
• હેડકી અને શ્વાસ: તેલ, દહીં તથા ગરમ મસાલો સારી રીતે નાખી બનાવેલ રીંગણાંનું શાક જવ કે ઘઉંની રોટલી કે ભાખરી સાથે ખાવું.
• પક્ષાઘાત-રાંઝણ: દીવેલ તેલમાં રીંગણાંનું શાક ગરમ મસાલો-ગોળ નાખી બનાવીને તેને રાઈ-મેથી-હીંગથી વઘારીને રોજ ખાવાથી આ બંને દર્દમાં લાભ થાય છે.
• મોચ-ચોટની પીડા: રીંગણાને શેકી, તેમાં હળદર તથા ડુંગળી (બાફીને) વાટી, માર-ચોટની જગ્‍યા પર ગરમ લેપ કરવાથી લાભ થાય છે. તે સાથે રીંગણાંનું શાક તથા ગોળ નાખી બનાવીને ખાવું.
• ત્વચા માટે તે અતિ ઉત્તમ છે..ત્વચાને તે મુલાયમ સોફ્ટ ચમકદાર સ્વચ્છ બનાવે છે..તેને છૂંદી ચહેરા પર તેનો રસ લગાવવાથી કરચલીઓ દૂર થાય છે.
• એન્ટિ-એજિંગ; વધતી ઉંમરની દેખીતી અસરને દૂર કરે છે.
પોતાની ઉંમરથી યુવાન દેખાવાનું સ્વપ્ન સાકાર કરી આપવા તમારા રીંગણ સક્ષમ છે.. પરંતુ તે માટે જરૂરી એ છે કે તમે તેની છાલ ન ઉતારો...છાલ સહિતના રીંગણ અને તેમાં થોડું આદુ નાખી રસ કાઢી તે ચહેરા પર અને અન્યત્ર નિસ્તેજ કરચલી વાળી ત્વચા પર નિયમિત લગાવી
• તમારા વાળ મજબૂત બનાવે છે.
ખાવામાં શાક તરીકે અને તેના જ્યુસ નું કાકડી કે દૂધીના જ્યુસ સાથે સેવન કરવાથી વાળના મૂળ મજબૂત બને છે, ખરતા બંધ થાય છે..
રીંગણ માં એન્ઝાઇમ હોય છે જે તમારા વાળના ફોલિકલ્સને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે, જે વાળની વૃદ્ધિમાં વધારો કરે છે.
• રક્તવાહિની આરોગ્ય માટે સારું;
નિયમિત રીતે રીંગણાનું સેવન કરવાથી હૃદયની તંદુરસ્તી વધે છે.તે કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં અને બ્લડ પ્રેશરને સ્થિર કરવામાં મદદ કરે છે. આ રીતે તે હ્રુદય સંબંધીત રોગોનું જોખમ ઘટાડે છે.તેમાં રહેલા પોટેશિયમના કારણે શરીર સારી રીતે હાઇડ્રેટેડ થતું રહે છે. આ રીતે પ્રવાહીનું કોઈ રીટેન્શન થતુંનથી, જે હૃદયના રોગોથી અટકાવે છે.
• શરીરમાંથી વધારાના આયર્નને દૂર કરે છે;
આયર્ન શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન પહોંચાડે છે અને તેથી, તે એક આવશ્યક ખનિજ છે. જો કે, શરીરમાં વધારે પ્રમાણમાં આયર્ન એ કોઈ સારી વાત તો નથી જ.
રીંગણામાં રહેલું નસુનિન શરીરમાંથી વધુ આયર્ન દૂર કરવામાં મદદ કરે છે. તે શરીરમાં ફ્રી રેદિકલ્સ નું નિવારણ કરે છે અને કોષોને નુકસાનથી સુરક્ષિત કરે છે.
• કેન્સર અટકાવે છે:
સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે રીંગણ ફિનોલિક સંયોજનોનો સમૃદ્ધ સ્રોત છે,તે આપણા શરીરની સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવે છે. તે વિટામિન સી બાબતે પણ સમૃદ્ધ છે - વધુ સારી રોગપ્રતિકારક શક્તિ માટે બીજો ફાળો આપનાર, તે ડબ્લ્યુબીસીના ઉત્પાદન અને કાર્યને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે. આ બન્નેની સાથે મેંગેનીઝ અને નાસૂનિન (એક જૈવિક એન્ટી ઓક્સિડન્ટ જે ફક્ત રીંગણમા જ હોય છે.) અને ક્લોરોજેનિક એસિડ સાથે મળી ફ્રી રેડિકલ્સ ને મારી હટાવી કાર્સિનોજેનિક ( કેન્સરકર્તા ) કોષોની વૃધ્ધિ અટકાવે છે.

સંકલન :- કકુભા બી રાઠોડ. શ્રી ચગિયા પ્રાથમિક શાળા. તા સુત્રાપાડા. જી ગીર સોમનાથ.

*આ ન્યૂઝ પેપર માં મારો વનસ્પતિ વિશેષ નો લેખ "બીજોરૂ" પ્રકાશિત થયો*
05/11/2025

*આ ન્યૂઝ પેપર માં મારો વનસ્પતિ વિશેષ નો લેખ "બીજોરૂ" પ્રકાશિત થયો*

Thanx
05/11/2025

Thanx

Address

Chorwad

Telephone

+917284038874

Website

Alerts

Be the first to know and let us send you an email when Kakubha B Rathod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kakubha B Rathod:

Share