સમય ગુજરાત ન્યુઝ

  • Home
  • સમય ગુજરાત ન્યુઝ

સમય ગુજરાત ન્યુઝ SAMAY GUJARAT NEWS

23/06/2025

સાબરકાંઠા
* દિકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી 'નમો લક્ષ્મી યોજના'

* સાબરકાંઠા જિલ્લામાં ધો.૦૯ થી ધો.૧૨ની કુલ ૨૮,૮૪૭ જેટલી વિદ્યાર્થીનીઓ લઇ રહી છે 'નમો લક્ષ્મી યોજના'નો લાભ

* આ યોજનામાં ધોરણ 9 થી ધોરણ 12 માં પ્રવેશ લેતી કન્યાઓને ચાર વર્ષના સમયગાળામાં ૫૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે

* વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે.તેમના આ સંકલ્પને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર અનેક વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ માટે પ્રતિબદ્ધ છે.ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્ય લક્ષી શિક્ષણ મળી રહે,તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪માં 'નમો લક્ષ્મી યોજના'નો આરંભ કરાયો છે. સાબરકાંઠા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ખૂણે-ખૂણે ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવામાં આવી રહ્યું છે.સાબરકાંઠા જિલ્લામાં હાલમાં કુલ ૨૮,૮૪૭ જેટલી વિદ્યાર્થીનીઓ 'નમો લક્ષ્મી યોજના'નો લાભ લઈ રહી છે.

* ગુજરાતમાં મધ્યમ વર્ગની દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 'નમો લક્ષ્મી યોજના' અમલી છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ ૦૯ થી ધોરણ ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ રૂ.૫૦ હજારની સહાય આપવામાં છે. જેમાં ધોરણ ૦૯ અને ધોરણ ૧૦માં અભ્યાસ દરમિયાન ૧૦ માસ માટે રૂ.૫૦૦ મુજબ વાર્ષિક રૂ.૫૦૦૦ પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ.૧૦ હજાર તથા ધોરણ ૧૦માં ઉત્તીર્ણ થયા બાદ રૂ.૧૦ હજાર અપાય છે. તેમજ ધોરણ ૧૧ અને ધોરણ ૧૨માં વિદ્યાર્થીનીઓને ૧૦ મહિના માટે માસિક રૂ.૭૫૦ લેખે વાર્ષિક રૂ.૭૫૦૦ પ્રમાણે બંને વર્ષના મળી રૂ.૧૫ હજારની સહાય તથા ધોરણ ૧૨માં ઉત્તીર્ણ થયા બાદ રૂ.૧૫ હજારની સહાય અપાય છે.ઉલ્લેખનીય છે કે આ યોજનાનો લાભ મેળવવા માટે શાળામાં વિદ્યાર્થીઓની માસિક હાજરી ૮૦% હોવી જરૂરી છે.વિદ્યાર્થીનીઓ શાળા દ્વારા જ ઓનલાઈન અરજી કરી શકે છે.લાભાર્થીને સહાયની ચૂકવણી સીધી જ બેન્ક ખાતામાં ડાયરેક્ટ બેની ફીટ ટ્રાન્સફરના માધ્યમથી જમા કરાય છે.'નમો લક્ષ્મી યોજના'થી કન્યા કેળવણીને પ્રોત્સાહન મળતાં દીકરીઓ નું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે...

રિપોર્ટ...સમય ગુજરાત ન્યુઝ
સાબરકાંઠા

બનાસકાંઠા                  * વિશ્વ યોગ દિવસે અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોગ અને ગરબાનો સંગમ...          * લોકોએ આધ્યાત્મ...
21/06/2025

બનાસકાંઠા
* વિશ્વ યોગ દિવસે અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોગ અને ગરબાનો સંગમ...

* લોકોએ આધ્યાત્મિકતા સાથે યોગ ગરબા રમીને કરી અનોખી ઉજવણી

* ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ અને લોકકલા સાથે જોડાયેલ “યોગ ગરબા”નું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું.“યોગ ફોર વન અર્થ – વન હેલ્થ” ની થીમ સાથે અંબાજી મંદિરના ચાચર ચોકમાં આ અનોખી ઉજવણી કરાઈ હતી.અંબાજી વહી વટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદીએ જણાવ્યું કે,ભક્તિ અને શક્તિ તથા શિવ અને શક્તિના સમન્વય સાથે અંબાજી ખાતે વિશેષ યોગ ગરબાનું આયોજન કરાયું હતું જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો,શ્રદ્ધાળુઓ અને ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા...

* યોગ ગુરુ અનીશ રંગરંજ એ જણાવ્યું કે,યોગ એ શિવનું પ્રતીક છે જ્યારે ગરબા એ શક્તિનું પ્રતીક છે.સ્વસ્થ રહેવા માટે યોગ સાથે ગરબાનું પણ એટલું જ મહત્વ રહેલું છે.યોગ ગરબાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉત્થાનનો પણ વિકાસ થાય છે. આ કાર્યક્રમ દરમિયાન સવારે વિશિષ્ટ યોગાસન સત્ર યોજાયું હતું. જેમાં યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ લોકો એ યોગ અભ્યાસ કર્યો હતો ત્યારબાદ લોકોએ ગુજરાત ની સાંસ્કૃતિક ઓળખ ‘ગરબા’ના તાલ સાથે યોગાસનના સમન્વય અને આધ્યાત્મિકતા સાથે ‘યોગ ગરબા’ કર્યા હતા.યોગ અને ગરબાના સમન્વય દ્વારા અંબાજી મંદિર પરિસરે આધ્યાત્મિક ઊર્જા સાથે યોગના વૈશ્વિક સંદેશને સ્થાનિક સાંસ્કૃતિક સ્વરૂપ મળ્યું હતું.વહીવટી તંત્ર,શ્રદ્ધા ળુઓ તથા વિદ્યાર્થીઓએ ગરબામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.યોગ સાથે ગરબા એ શારીરિક,માનસિક અને સાંસ્કૃતિક વિકાસ માટે એક અનોખું મંચ આપે છે.યોગ માનસિક શાંતિ,એકાગ્રતા અને આંતરિક શક્તિનો આધાર છે, જ્યારે ગરબો ગુજરાતની જીવનશૈલી,આનંદ અને એકતાનું પ્રતિક છે.જ્યારે યોગાસનોને ગરબાના લયબદ્ધ તાલ સાથે જોડવામાં આવે,ત્યારે શરીર અને મન વચ્ચે ઉત્તમ સમતોલન સર્જાય છે.આ પ્રસંગે અંબાજી વહીવટ દાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદી સહિત અધિકા રીશ્રીઓ, મંદિર ટ્રસ્ટ અને બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટ...જ્યોતિ ઠાકોર
સમય ગુજરાત ન્યુઝ
અંબાજી

21/06/2025

બનાસકાંઠા

* વિશ્વ યોગ દિવસ નિમિત્તે અંબાજી મંદિરમાં ગરબા યોગનું વિશેષ આયોજન કર્યું...

* શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં યોગ દિવસે યોજાયા યોગ ગરબા...

* આધ્યાત્મિકતા સાથે ચાચર ચોકમાં યોજાયા યોગ ગરબા...

* અંબાજી મંદિરના ચાચર ચોકમાં લોકોએ ગરબાના તાલ સાથે યોગ કર્યા...

રિપોર્ટ...જ્યોતિ ઠાકોર
સમય ગુજરાત ન્યુઝ
અંબાજી

સમય ગુજરાત ન્યુઝ 20/06/2025
20/06/2025

સમય ગુજરાત ન્યુઝ
20/06/2025

પાટણ                          * ખારીઘારીયાલ પ્રાથમિક શાળામાં દાનવીર દાતાશ્રીઓનો સન્માન સમારંભ તથા ગણવેશ, સ્કૂલબેગ,નોટબુક...
19/06/2025

પાટણ
* ખારીઘારીયાલ પ્રાથમિક શાળામાં દાનવીર દાતાશ્રીઓનો સન્માન સમારંભ તથા ગણવેશ, સ્કૂલબેગ,નોટબુક વિતરણ કાર્યક્રમ ભવ્યતાપૂર્વક યોજાયો...

* શિક્ષણ એ સમાજના સમૃદ્ધ ભવિષ્યની પાયાની ઇંટ છે. ખારીઘારીયાલ પ્રાથમિક શાળાએ શિક્ષણના ઊંડા મર્મને સમજીને સમાજના વિરલ દાતાશ્રીઓનું સન્માન કરવા સાથે વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ, સુંદર સ્કૂલ બેગ, નોટબુક સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવા માટે ૧૯ મી જૂનના રોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
શાળાએ એવું સ્થાન છે જ્યાં ભાષા, ધર્મ,જાતિ કે સમાજ ના કોઈ પણ ભેદભાવ વગર સર્વજન માટે જ્ઞાન પ્રાપ્તિ સુલભ બને છે.આવી જગ્યા માટે જે દાતા પોતાનું કમા યલું પવિત્ર હૃદયથી અર્પણ કરે છે, તે ભવિષ્યના નિર્માણ માં ભાગીદાર બને છે.આવા દાતાશ્રીઓનું હાર્દિક સન્માન કરી શાળાએ સમાજના ઉદાત્ત મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ રજૂ કર્યું...

પટેલ નેમચંદભાઈ કાનજીદાસ પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને નવો ગણવેશ.

સ્વ. બબુબેન અમૃતલાલ ઇશ્વરદાસ પટેલ પરિવાર તરફથી શાળાના તમામ બાળકોને સ્કૂલ બેગનું વિતરણ.

શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, પાટણ તરફથી કુલ ૬૫૦ નોટબુકોનું વિતરણ.

પટેલ દિલીપભાઈ શંકરભાઈ તરફથી ધોરણ ૧-૨ તથા બાલવાટિકાના નાનકડા ભૂલકાઓ માટે ખાનાવાળી નોટબુકો.

શાળામાં રોકડ,નાસ્તા અને ભોજન સ્વરૂપે પણ અનેક દાતાઓએ સહયોગ આપ્યો.કાર્યક્રમના પ્રારંભે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દીવંગત આત્માઓ માટે શ્રદ્ધાં જલિરૂપે બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું.ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા રજુ કરાયેલ પ્રાર્થના અને સ્વાગત ગીતે સમગ્ર વાતાવરણને ભાવ વિભોર બનાવ્યું હતું.શાળાના યુવા,કર્મનિષ્ઠ અને ઉત્સાહી આચાર્યશ્રી પ્રવીણભાઈ એસ.પટેલે મહેમાનોનો પરિચય આપી સાદર સ્વાગત કર્યું અને દાતાશ્રીઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી આભાર માન્યો હતો.મુખ્ય મહેમાન નિવૃત્ત મામલતદાર શ્રી જે.એન.દરબાર સાહેબે સત્સંગ અને આધ્યાત્મિકતા ના મહત્ત્વ પર પ્રકાશ પાડતો ભાવસભર જીવન સંદેશ આપ્યો.ભજનો તથા દુહાઓ દ્વારા વાતચીતને આનંદદાય ક બનાવી.

પરમ પૂજ્ય શ્રી રામગીરીજી મહારાજ (મહંત, અવધેશ આશ્રમ, ખોરસમ) દ્વારા બાળકોને વ્યસનોથી દૂર રહી નીડરતાપૂર્વક જીવન જીવવાનો બોધ અને આશીર્વાદ આપ્યા હતા.શાળાની એસ.એમ.સી.,શિક્ષકમિત્રો અને વાલીઓએ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ઉત્સાહપૂર્વક સહભાગી બની શાળાના પ્રગતિશીલ અભિગમને સાકાર કર્યો.સમગ્ર કાર્યક્રમનું મનમોહક સંચાલન શ્રી ચંદ્રકાંતભાઈ એલ.પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું.અંતિમ તબક્કે, ગામ ના ઉમદા પત્રકારશ્રી અમૃતલાલ ઇશ્વરદાસ તથા તેમના પરિવાર તરફથી તમામ મહેમાનો, વાલીઓ અને બાળકો માટે સ્વરુચિપૂર્વકનું ભોજન આપવામાં આવ્યું હતું.આ ભવ્ય કાર્યક્રમ દાન,સંસ્કાર અને સહયોગના પ્રતીકરૂપ બન્યો,જેના દ્વારા શાળાએ શિક્ષણ ક્ષેત્રે સામાજિક સહ કારનું શ્રેષ્ઠ ઉદાહરણ ઊભું કર્યું.

શ્રી દિનેશભાઈ કે પટેલ સાહેબે આભાર વિધિ કરીને કાર્યક્રમને પૂર્ણતા તરફ લઈ ગયા હતા...

અહેવાલ...અમૃતલાલ પટેલ
સમય ગુજરાત ન્યુઝ
ચાણસ્મા

બનાસકાંઠા                      * પાલનપુર લીગલ એન્ડ ડિફેન્સ કાઉન્સેલ દ્વારા બાળ લગ્ન પ્રતિબંધ કાયદા વિશે જનજાગૃતિ શિબિર ય...
18/06/2025

બનાસકાંઠા
* પાલનપુર લીગલ એન્ડ ડિફેન્સ કાઉન્સેલ દ્વારા બાળ લગ્ન પ્રતિબંધ કાયદા વિશે જનજાગૃતિ શિબિર યોજાઈ...

* પાલનપુર ના તારાનગર બાવરી ડેરા ખાતે મોટી સંખ્યામાં શિબિરાર્થીઓ જોડાઈ બાળ લગ્ન અટકાવવા નેમ લીધી...

* બનાસકાંઠા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના અઘ્યક્ષ શ્રી એસ.કે.બક્ષી સાહેબના માર્ગદર્શન હેઠળ પાલનપુર લીગલ એન્ડ ડીફેન્સ કાઉન્સેલ દ્ધારા બાળ લગ્ન પ્રતિબંધ કાયદા વિશે,નાલસા આશા,ડોન, જાગૃતિ સ્કીમ ૨૦૨૫ હેઠળ જાગૃતિકાર્યક્રમ તા.૧૨/૦૬/ ૨૦૨૫ ના રોજ તારાનગર, બાવરી ડેરા,પાલનપુર મુકામે રાખવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં શીબીરાર્થી ઓની હાજરીમાં ડે.ચીફ શ્રી કે.એ.ડાભી,આસીસટન્ટ એસ.એમ.મારૂ,આસીસટન્ટ જે.જી.સોની,આસીસટન્ટ ડી.સી.ગૌસ્વામી,તથા આસીસટન્ટ એન.વી.સેંગલ ધ્વારા બાળ લગ્ન પ્રતિબંધ કાયદા વિશે વિસ્તૃત માહિતી આપી તમામ ને માહિતગાર કરાયા હતા અને બાળ લગ્નથી બાળકોનુ ભાવિ અંધકારમય બનતુ હોય અને સ્ત્રીઓની નાની ઉમરમાં લગ્ન કરવાથી થતી મુશ્કેલીઓ ન થાય તે માટે કાનુની શિબીર કરી બાળ લગ્ન અટકાવવા શિબીર કરવામાં આવેલી હતી...

અહેવાલ...પ્રદિપ પરમાર
સમય ગુજરાત ન્યુઝ
વડગામ

બનાસકાંઠા                 * દાંતામાં ટ્રાફિકના નિયમોના લીરેલીરા પંકજ ભાઇનાં રાજમાં                       * દાંતામાં ખાનગ...
18/06/2025

બનાસકાંઠા
* દાંતામાં ટ્રાફિકના નિયમોના લીરેલીરા પંકજ ભાઇનાં રાજમાં

* દાંતામાં ખાનગી વાહનોનાં લાયસન્સ કાગળો કે વીમા ક્યારે ચેક નહીં કરવામાં આવ્યા હોય માત્ર દર મહિને હપ્તા લેવાની લાયમાં...

* દાંતામાં જવાબદાર અધિકારીઓ બન્યાં બે જવાબદાર હવે કોણ કરાવશે ટ્રાફિકના નિયમોનું પાલન...??

* દાંતામાં અવારનવાર લોકો દાંતા ટ્રાફિક પોલીસને રજુઆતો કરી ચુક્યા છે પણ જયારે દાંતા ટ્રાફિક પોલીસને તો કોઈ ફર્ક જ નથી પડતો કારણ કે ઉપર સુધી સાહેબના હાથ પંકજ ભાઈ ટ્રાફિક ઇન્ચાર્જ ના ઉપર છે ત્યારે દાંતા વિસ્તારમાં બસો કરતાં વધારે ખાનગી વાહનો પેસેન્જર માં ફરે છે પણ ક્યારે ટ્રાફિક પોલીસ વાહનો ના કાગળો કે લાયસન્સ વીમા ચેક નહિ કર્યો હોય કારણ કે દર મહિને હપ્તાઓ આપવાં વાળા વાહનો છે એમનાં કાગળો શુ કામ ચેક કરવા પડે ભલે તમે કોઈ પણ કરો જવાબદારી કોની છે દાંતા ટ્રાફિક પોલીસ ટ્રાફિક ડ્રાઈવ નુ નાટક ભજવવામાં પણ માહીર છે જો તમારી ગાડી ટ્રાફિક પોલીસે રોકાવી અને જો હપ્તો નહી આપ્યો હોય તો ડ્રાઇવરો સાથે ઉગ્ર વર્તન થી વાત કરવામાં આવે છે માત્ર કાયદાનું પાલન તો એમને કરવાનું હોય છે કે જે હપ્તા નથી આપતા તેમને કારણ કે જે હપ્તા આપે છે તે વાહન ચાલકો બિંદાસ પોલીસના આગળ થી જ ઉપર નીચે પેસેન્જર બેસાડી ને ચલાવે છે વાહનો ત્યારે દાંતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પંકજ ભાઈ ટ્રાફિક જમાદારના રાજમાં દાંતાના સારા પોલીસ કર્મી ઓનું અને આર.ટી.ઓનુ નામ ખરાબ થતું હોય છે તો બનાસકાંઠા એસપી હપ્તા ના ઉગ્રાણા કરતા પોલીસ કર્મીઓની બદલી કરે તેવી માંગ ઉઠી રહી છે...

રિપોર્ટ...જ્યોતિ ઠાકોર
સમય ગુજરાત ન્યુઝ
અંબાજી

સાબરકાંઠા               * બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે i-Khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું...સાબરકાંઠા ...
18/06/2025

સાબરકાંઠા
* બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે i-Khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું...

સાબરકાંઠા જીલ્લામાં બાગાયતી ખેતી કરતા સામાન્ય જાતિના ખેડુતોને વર્ષ : ૨૦૨૫-૨૬માં બાગાયત ખાતાની નવીન યોજના “કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ” અંતર્ગત મીની ટેક્ટર (૨૦ PTO HP સુધીમા), રોટાવેટર (મીની), કલ્ટીવેટર (મીની), પાણીનું ટેન્કર (મીની) તથા ટ્રેલર (મીની)માં સહાય લેવા માટે I-khedut Portal તા.૧૮/૦૬/૨૦૨૫ થી તા.૦૨/૦૭/૨૦૨૫ સુધી ખુલ્લુ મુકવામાં આવનાર છે.

બાગાયત ખાતાની આ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ I-khedut Portal (web site: www.ikhedut.gujarat.gov.in)માં જણાવેલ સમય દરમ્યાન અરજી કરવાની રહેશે.નવીન આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી કરી શકશે. અરજી કન્ફર્મ કર્યા બાદ ખેડુતોએ અરજીની પ્રીન્ટ લઇ પોતાની પાસે જ રાખવાની રહેશે.ઓનલાઇન અરજી કરવા માટે મોબાઇલ/ગ્રામ પંચાયત VCE/ઑનલાઇન ફોર્મ ભરતા સેન્ટર/સાયબર કાફેથી અરજી કરી શકશો. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સાબરકાંઠા નો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવે છે...

રિપોર્ટ...સમય ગુજરાત ન્યુઝ
સાબરકાંઠા

સાબરકાંઠા                     * ખેડબ્રહ્માના ચિત્રોડી ખાતે પ્રાકૃતિક ખેતર શાળા અંતર્ગત તાલીમ યોજાઈ*                     ...
18/06/2025

સાબરકાંઠા
* ખેડબ્રહ્માના ચિત્રોડી ખાતે પ્રાકૃતિક ખેતર શાળા અંતર્ગત તાલીમ યોજાઈ*

* સાબરકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના ચિત્રોડી ગામે પ્રાકૃતિક ખેતર શાળા અંતર્ગત પ્રથમ સત્રની તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં જમીનને વાવણી માટેની તૈયારી,ખેડની દિશા નક્કી કરવી, દસપર્ણ અર્ક બનાવવાની પદ્ધતિ,જીવા મૃત બનાવવાની પદ્ધતિ તેમજ વાપસા માટે માટી ક્યારા બનાવવા વગેરે વિષય પર ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું હતું. તેમજ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો...

રિપોર્ટ...સમય ગુજરાત ન્યુઝ
સાબરકાંઠા

સમય ગુજરાત ન્યુઝ 13/06/2025
12/06/2025

સમય ગુજરાત ન્યુઝ
13/06/2025

બનાસકાંઠા                 * વોર્ડ નંબર 17 ના ઉમેદવારની હેટ્રિક સતત ત્રીજીવાર બિનહરીફ...              * યાત્રાધામ અંબાજીમ...
11/06/2025

બનાસકાંઠા

* વોર્ડ નંબર 17 ના ઉમેદવારની હેટ્રિક સતત ત્રીજીવાર બિનહરીફ...

* યાત્રાધામ અંબાજીમાં પરીણામ પહેલાં રવિ સોલંકીની ૧૭ નંબર વોર્ડમાં બીન હરીફ જીત...

* યાત્રા અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજીની ચૂંટણીઓ ઘણા સમયથી થઈ નતી અને વહીવટદારોના હાથમાં ગ્રામ પંચાયતના કામો થતા હતા ત્યારે ઘણા વર્ષ પછી અંબાજીની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ખરાખરીના જંગમાં અનેક ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા ત્યારે વોર્ડ નંબર 17 ના રવિ સોલંકી બિનહરી ફ થયા હતા ત્યારે રવિ સોલંકી ત્રીજીવાર બિનહરીફ થતા અંબાજીમાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે રવિ સોલંકી જે જે વોર્ડ બિનહરીફ જીત મેળવી હતી ત્યારે તેમના વિસ્તારોમાં કોઈપણ કામ હોય ત્યારે તેઓ હાજર રહીને કામ કરાવતા હતા ત્યારે તેઓને વોર્ડ નંબર 17 ના લોકોએ ખુબ ખુબ અભિવાદન આપ્યો હતો અને તેઓ બિનહરીફ ની જીત મેળવી હતી ત્યારે અંબાજી ગામમાં ખુશીનો માહોલ સર્જાયો હતો...

રિપોર્ટ...જ્યોતિ ઠાકોર
સમય ગુજરાત ન્યુઝ
અંબાજી

અમદાવાદ                   * રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કાર કૉન્વૉય ઉભો રખાવીને બાળકોને પાસે બોલાવી આત્મીય સંવાદ કર્...
08/06/2025

અમદાવાદ
* રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કાર કૉન્વૉય ઉભો રખાવીને બાળકોને પાસે બોલાવી આત્મીય સંવાદ કર્યો...

* પાંચમા ધોરણમાં ભણતો વિહાન કહે છે, 'મારે પણ રાજ્યપાલ બનવું છે....

* રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે.જનતા જનાર્દન સાથે એક સામાન્ય માણસની માફક સંવાદ કરવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી.તેઓ 'જનતાના રાજ્ય પાલ' છે. ગુજરાતના ખેડૂતોના તેઓ એક ખેડૂતની માફક પ્રાકૃતિક ખેતી પદ્ધતિની રીતસર તાલીમ આપે છે,તો જ્યાં વિદ્યાર્થીઓ કે બાળકો મળે ત્યાં તેમને શાળાના 'આચાર્ય' ની માફક શિક્ષણ,સ્વાસ્થ્ય અને સંસ્કારની સમજણ આપવાનું ચૂકતા નથી.

* રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જ્યારે કોઈ કાર્યક્રમ માટે અમદાવાદ જતા હોય ત્યારે તેમનો કૉન્વૉય - મોટર કાફલો સાબરમતી આશ્રમથી જુના વાડજ સ્મશાન માર્ગેથી રિવરફ્રન્ટ પર વળાંક લે ત્યાં તેઓ હંમેશાં બાળકો ને ઉભેલા જોતા હોય છે.આ બાળકો નિર્દોષ ભાવે મોટર ના કાફલા તરફ હાથ હલાવીને મહાનુભાવોનું અભિવાદન કરતા હોય છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિદ્યાપીઠમાં એન.એસ.એસ.ની રાષ્ટ્રીય એકતા શિબિરનો શુભારંભ કરાવીને પરત રાજ- ભવન,ગાંધીનગર જઈ રહ્યા હતા ત્યારે તેમણે આ સ્થળે બાળકોને ઉભેલા જોયા.તેમણે તરત પોતાની કાર ઉભી રખાવી,બાળકોને નજીક બોલાવ્યા અને ગાડીમાંથી કાઢીને તેમને બિસ્કીટ્સ આપ્યા.તેઓ શું ભણે છે તેની પૃચ્છા કરી અને બાળકો ભણી-ગણીને હોશિયાર થાય,જીવનમાં ખૂબ આગળ વધે,પ્રગતિ કરે અને સમૃદ્ધ થાય એ માટે ઉચ્ચ અભ્યાસ કરવાની પ્રેરણા આપીને આશીર્વાદ આપ્યા હતા.

* રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ જે બાળક સાથે સંવાદ કર્યો તે વિહાન મંગલભાઈ રાજપુત રાણીપની શ્રી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ પાંચમાં સી.બી.એસ.સી.અભ્યાસક્રમ સાથે ભણી રહ્યો છે.વિહાનનો પરિવાર જુના વાડજ સ્મશાન પાસે દશામાના મંદિર પાસે,રિવરફ્રન્ટ રોડ પાસે,સામાન્ય વસાહ તમાં રહે છે. આ પરિવાર મૂળ અયોધ્યા,ઉત્તર પ્રદેશનો વતની છે.બે પેઢીથી વ્યવસાય અર્થે અમદાવાદમાં વસે છે.વિહાનના પિતા મંગલભાઈ દશામાના મંદિર પાસે વિહુ કાફે ચલાવે છે.વિહાન ખૂબ સ્વપ્નસેવી,આશાસ્પદ અને હોશિયાર વિદ્યાર્થી છે. તેને રિવરફ્રન્ટ રોડ પરથી નિકળતા મહાનુભાવોના કૉન્વૉય - કાફલાની કાર જોવાનો જબરો ક્રેઝ છે.જ્યારે પણ કૉન્વૉયની સાઇરન વાગે ત્યારે તે કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોય કે જમતો હોય તો તેને છોડીને કાફ લો નિહાળવા દોડીને આવી જાય છે.વિહાન કાફલામાંના મહાનુભાવોને દૂરથી વેવ કરતો,અભિવાદન કરતો ઊભો રહે છે.

* બે વખત એવું બન્યું છે કે,રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નાના વિહાનને જોઈને પોતાનો કાફલો રોક્યો હોય,પાસે બોલાવી બિસ્કીટ-ચોકલેટ આપ્યા હોય અને તેની સાથે વાર્તાલાપ કર્યો હોય...

* આજે રાજ્યપાલે વિહાનને બોલાવીને ખબર અંતર પૂછ્યા ત્યારે વિહાનના માતા કલ્પનાબેન તેની સાથે હતા.રાજ્યપાલશ્રીએ પરિવારના સભ્યો વિશે જાણ્યું અને તેમના નામ પૂછ્યા હતા.નાના વિહાનને રાજ્યપાલશ્રી એ 'ઠાકુર સાબ' કહીને સ્નેહ પ્રગટ કર્યો હતો...

*,રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથેની બે વખતની લાગણીસભર મુલાકાત પછી વિહાન કહે છે કે, "રાજ્યપાલ ખૂબ સારા છે, મારે પણ રાજ્યપાલ બનવું છે."

રિપોર્ટ...સમય ગુજરાત ન્યુઝ
અમદાવાદ

Address


Alerts

Be the first to know and let us send you an email when સમય ગુજરાત ન્યુઝ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to સમય ગુજરાત ન્યુઝ:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share