11/06/2026
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ગઈકાલે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2(A) ને મંજૂરી આપી હતી, જેમાં 05 સ્ટેશનો (04 એલિવેટેડ અને 01 ભૂગર્ભ) સાથે 6.032 કિમી લાંબા કોરિડોરનો સમાવેશ થાય છે.
તબક્કા 2(A) ના કાર્યરત થવા પર, અમદાવાદ-ગાંધીનગરમાં 77.63 કિમી સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે. તબક્કા 2(A) કોરિડોરમાં સ્ટેશનોના નામ છે- આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી નદી, સરદાર નગર અને એરપોર્ટ.
(સ્ત્રોત: માહિતી અને પ્રસારણ મંત્રાલય)