09/10/2025
મિત્રો સાથે હમણાં મહારાષ્ટ્ર ટૂર,આજ સયાજીરાજ જિલ્લામાં ( જેનું જૂનું નામ ઓરંગાબાદ ) આવેલ ઈલોરાની ગુફાએ ગયા.જે આપણા દેશના ભવ્ય શિલ્પ સ્થાપત્યનો એક અદભુત નમૂનો છે.પણ એક બાબત જોઈ કે જેને કરતા સતત બસો વર્ષ લાગ્યા હતા અને રાજાની દશ પેઢીના વારસોએ તેમાં સતત ખર્ચ અને ધ્યાન આપ્યું,તેને ઔરંગજેબના એક હજાર સૈનિકો દ્વારા સતત ત્રણ વર્ષ તોડાવી બધી મૂર્તિઓને છેદ અને ખંડિત કરી,તે રાજા ઓરન્જઝેબની વિકૃત મેન્ટાલીટી તો જુઓ.સારુ કરી ન શકનારો સારું જોઈ પણ નથી શકતો.મેં આ વિડીઓમાં એમ જ એક જ ગુફા બતાવી તેવી કુલ 34 ગુફાઓ છે.એક જ પથ્થરમાંથી અદભૂત શિવ મંદિરો ને અનેક મૂર્તિઓ,ઐહિતિહાસિક કથાઓના ચરિત્રની મૂર્તિઓ,ભગવાન બુદ્ધ,ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ,આવતારો,વિષ્ણુ,પાર્વતી ને અનેક દેવી દેવતા,હાથી,રથ,પૈડાં ઈ.અનેક અદભુત અદભુત મૂર્તિઓ...કેવું સુંદરતાને એક ભગ્ન મનના ને વિકૃત વિચારના સંકિરણ શૈતાને તોડીફોડી ભગ્ન કર્યુ.આ તેની વિકૃતિ અને સંકિર્ણતાનો નમૂનો છે.
પ્રથમ તો હું જયારે ઓનલાઇન ફ્લાઇટ ટીકીટ બુક કરાવતો હતો,ત્યારે ખબર પડી કે આ સંભાજી એરપોર્ટ એ જ ઓરંગાબાદ...પણ વિચાર થયો કે આ શહેરનું નામ શા માટે બદલ્યું હશે? ને બદલ્યું હોય તો શું તેવું કરાય? શહેરનું નામ બદલવું તે મનમાં જસ્તુ ન હતું.પણ ઈલોરાની ગુફામાં મને એક શૈતાની તાન્ડવની ચિચો સંભળાઈ ત્યારે થયું કે જે થયું તે થવું જ જોઈએ.ને ન કરીએ તો તે નપુંશકતા ગણાય.અરે કલ્પના તો કરો કે તે શૈતાની સેના હજારો ઘોડા લઇને આ ગુફા પાસે આવી ઉભા રહ્યા હશે અને તરત અંદર જઈ તેના કેટલાય પુજારીને મૌતની ઘાટ ઉતારી,તે રાક્ષશની નજની સામે તેને આ મૂર્તિ કેવી દેખાઈ હશે? જે સુંદરતાને જોઈને જેમાં ઈશ્વરની સુંદરતા અને શિલ્પીઓની સદીઓની મહેનત નજરામાં આવે તેને આ યવને ઘણના હથોડા મારી હાથી,ને દેવતોની મૂર્તિઓ તોડવામાં આવી હશે? જે ભાઈઓને મારીને અને પિતાને જેલમાં પૂરીને સત્તા ઉપર બેઠો હોય તેવા માણસના મનમાં કેવી ઘાતકી વિકૃતિ પડી હશે? તેનું આ ઉદાહરણ!!! બીજું તેની સાથે આજ બે જ્યોતિર્લિંગ,અને કાલાકોટ,બીબી મકબરો,ચાંદ મિનાર, વગેરે પણ જોયું.અને જેટલું શૂટિંગ ઉતાર્યું તે બતાવું છું 👍