Jamnagar News File

Jamnagar News File Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jamnagar News File, Media/News Company, 119 Indraprastha Complex PANCHESHWAR TOWER Road, Jamnagar.

Bill gates સાથેના મારાં સંબંધો સાતત્યપૂર્ણ અને અપડેટેડ રહે એ માટે, FB બહુ care લ્યે છે. Thanks Mark BHAI....
15/09/2025

Bill gates સાથેના મારાં સંબંધો સાતત્યપૂર્ણ અને અપડેટેડ રહે એ માટે, FB બહુ care લ્યે છે.
Thanks Mark BHAI....

07/09/2025
જામનગર જિલ્લા પંચાયતની આજની જનરલ બોર્ડ બેઠકે પૂરવાર કર્યું કે, શાસકો અ-લાયક છે...જામનગર જિલ્લા પંચાયતમાં ક્યારેય સારૂં શ...
02/09/2025

જામનગર જિલ્લા પંચાયતની આજની જનરલ બોર્ડ બેઠકે પૂરવાર કર્યું કે, શાસકો અ-લાયક છે...

જામનગર જિલ્લા પંચાયતમાં ક્યારેય સારૂં શાસન આવ્યું નથી. બેમાંથી એકેય મુખ્ય પક્ષો આ સંસ્થામાં ક્યારેય સફળ વહીવટ આપી શક્યા નથી. પરંતુ આજની મંગળવારની જનરલ બોર્ડની બેઠકે પૂરવાર કરી દીધું કે, શાસકો શાસન ચલાવવા મુદ્દે અ-લાયક છે.

આજની જનરલ બોર્ડની બેઠકમાં જે કાંઈ મીડિયા સમક્ષ ભજવાયું તેનો ટૂંકસાર એ રહ્યો કે, જિલ્લા વિકાસ અધિકારી સક્ષમ અધિકારી નથી. પ્રમુખ રબ્બર સ્ટેમ્પ છે. પદાધિકારીઓ માટીપગા છે. સભ્યો પૈકી મોટાભાગના અભ્યાસુ નથી અને શાસકપક્ષની જિલ્લાની બોડી તથા શાસકપક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પૈકી એક પણ વ્યક્તિ જિલ્લા પંચાયતમાં સક્ષમ શાસન આપવા માટેની નિષ્ઠા અથવા આવડત ધરાવતી નથી.

શાસકપક્ષના સભ્યો અને પદાધિકારીઓ જાહેરમાં એવી ફરિયાદ કરી રહ્યા છે કે, અધિકારીઓ અમારાં ફોન રિસીવ કરતાં નથી ! સિંચાઈ વિભાગ સક્ષમ નથી, કામચોર છે. રાજ્ય સરકારના અભિયાન 'સુજલામ સુફલામ'ની રૂ. 5 કરોડની રકમનો ઉપયોગ ન થતાં આ નાણાં સરકારમાં પરત ગયા. હજારો ખેડૂતો આ યોજનાના લાભોથી વંચિત રહ્યા.

ખુદ ધારાસભ્ય જનરલ બોર્ડમાં મીડિયા સમક્ષ કહી રહ્યા છે કે, જિલ્લામાં અસંખ્ય એવા ગ્રામ્ય રસ્તાઓ છે જેના કામો 3-3 વર્ષથી થતાં નથી, 8-8 થી માંડીને 13-13 વખત આ કામોની રિ-ટેન્ડરીંગ પ્રોસેસ કરવી પડી રહી છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં વર્ષોથી ઘાલમેલ ચાલી રહી છે, તાજેતરમાં આ ઘાલમેલ પરાકાષ્ટા તરફ આગળ વધી ચૂકી હોવાનું બહાર આવી ગયું.

સંજય રાવલ (એડિટર-ઇન-ચીફ) JAMNAGAR NEWS FILE

સ્વચ્છ જામનગર, સ્વસ્થ જામનગર:આ ગંદકી સાધારણ નથી, ધ્યાન ખેંચનારી છે..આ ગંદકી સાધારણ નથી, સામાન્ય ગંદકી જામનગર શહેરમાં ઘણી...
02/09/2025

સ્વચ્છ જામનગર, સ્વસ્થ જામનગર:
આ ગંદકી સાધારણ નથી, ધ્યાન ખેંચનારી છે..

આ ગંદકી સાધારણ નથી, સામાન્ય ગંદકી જામનગર શહેરમાં ઘણી જગ્યાઓ પર જોવા મળે છે. આ ગંદકી ધ્યાન ખેંચનારી છે. કારણ કે, આ ભયાનક ગંદકી શહેરના એવા મુખ્ય માર્ગો પૈકીના એક મુખ્ય માર્ગ પર છે, જયાંથી દિવસ દરમ્યાન હજારો નગરજનો પસાર થઈ રહ્યા છે, આ નગરજનોમાં કોર્પોરેશનના અધિકારીઓ- નેતાઓ- રાજકીય પક્ષના કાર્યકરો- આગેવાનો વગેરેનો સમાવેશ થાય છે. આ ગંદકી કોઈને પણ અકળાવતી નથી.

આ ગંદકી એ અર્થમાં પણ સાધારણ નથી, કેમ કે આ ગંદકીની સામે જ 100 મીટર દૂર એવા રિઅલ એસ્ટેટ ડેવલપરની ઓફિસ છે, જેઓ શહેરમાં અફલાતૂન કોમર્શિયલ કોમ્પ્લેક્સીઝ આપવા માટે પંકાયેલા છે, આ ગંદકીથી 200 મીટર દૂર એવો high end apartment છે જેમાં કોઈએ ફ્લેટ ખરીદવો હોય તો, અઢી કરોડ સુધીની રકમ આપવી પડે, આ ગંદકીથી 50 જ ફૂટ દૂર શહેરનો અન્ય એક રાજમાર્ગ પસાર થાય છે, આ ગંદકીથી 300 મીટર દૂર શહેરના સૌથી ભવ્ય એવા પાંચ જ્વેલર્સ શો-રૂમ પૈકીનો એક શો-રૂમ આવેલો છે, આ ગંદકીથી 400 મીટર દૂર શહેરની એવી ખ્યાતનામ હોટેલ આવેલી છે જ્યાં રૂ. 1,000-1,200 સુધીની dish serve કરવામાં આવે છે, આ ગંદકીથી માત્ર 300 મીટર દૂર 2 જાણીતી કોલેજ અને 500 મીટર દૂર કોલેજ સહિતનું વિશાળ શિક્ષણધામ આવેલું છે, આ ગંદકીથી 300 મીટર દૂર પ્રગતિશીલ અને ધનવાન સમાજની વાડી આવેલી છે અને આ ગંદકીની આસપાસ, આ ધમધમતો રોડ હોવાથી ખાણીપીણીના અનેક ધંધાર્થીઓ પણ બિઝનેસ કરે છે, નાની એવી ફળબજાર પણ આ ગંદકીની બાજુમાં જ છે.

આ ગંદકી સાધારણ નથી, આ પ્રકારના ગંદા સ્થળો સ્વચ્છ અને સ્વસ્થ જામનગરની વિશેષ ઓળખ છે. આ તસવીરો ગુજરાતમોડેલની જામનગર મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓને, જામનગર ન્યૂઝ ફાઈલ તરફથી અર્પણ.

સંજય રાવલ (એડિટર-ઇન-ચીફ) JAMNAGAR NEWS FILE

શિક્ષણના સંબંધમાં આજે સુપ્રિમ કોર્ટમાં શું શું બન્યું ??આજે સોમવારે, પહેલી સપ્ટેમ્બરે સુપ્રિમ કોર્ટમાં શિક્ષણ સંબંધે 3 મ...
01/09/2025

શિક્ષણના સંબંધમાં આજે સુપ્રિમ કોર્ટમાં શું શું બન્યું ??

આજે સોમવારે, પહેલી સપ્ટેમ્બરે સુપ્રિમ કોર્ટમાં શિક્ષણ સંબંધે 3 મહત્વપૂર્ણ કાર્યવાહીઓ ચાલી. 1, શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત, 2, લઘુમતી શાળાઓ RTE હેઠળ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ નથી આપતી અને, 3, જે ખાનગી શાળાઓ RTE અંતર્ગત વિદ્યાર્થીઓને મફત અભ્યાસ કરાવે છે તે શાળાઓને સરકાર દ્વારા જે નાણાં આપવામાં આવે છે તે ખર્ચ કેન્દ્ર અને રાજ્યની સરકારો સાથે મળીને વહન કરે.

1, સુપ્રિમ કોર્ટે આજે સ્પષ્ટ કહ્યું કે, શિક્ષકોએ TET પરીક્ષા અનિવાર્ય રીતે પાસ કરવી જ પડશે. જે શિક્ષકો 2011 પહેલાં જોડાયા હોય તેમણે પણ આ પરીક્ષાઓ પાસ કરવાની રહેશે. જો કે જેમની નિવૃતિ આડે હવે 5 જ વર્ષ બાકી છે તેમને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી. જો કે એમને પણ જો બઢતી જોઈતી હશે તો TET પાસ કરવાની રહેશે. જેમની નિવૃતિ આડે પાંચ વર્ષ કરતાં વધુ સમય બાકી હશે તેણે બે વર્ષમાં આ પરીક્ષા પાસ કરવાની રહેશે. જો તેઓ નાપાસ થશે તો તેમને નોકરી પરથી રજા આપી દેવામાં આવશે. અદાલતે કહ્યું કે, આ વ્યવસ્થા અનુચ્છેદ 142 અંતર્ગત છે જેથી ન્યાય અને સંતુલન ખોરવાઈ નહીં.

2, આ ઉપરાંત આજે સુપ્રિમ કોર્ટમાં લઘુમતી શાળાઓ અને RTE મામલો પણ રજૂ થયો. ઉલ્લેખનિય છે કે, 2014ના એક ચુકાદાને કારણે હાલ લઘુમતી શાળાઓ RTE એક્ટના પાલનમાં મુક્તિ ભોગવે છે. 2014નો આ ચુકાદો હવે CJI સમક્ષ મોકલી આપવામાં આવ્યો અને આ ચુકાદા અંગે હવે નવેસરથી વિચાર થશે.

3, શિક્ષણનો ત્રીજો મામલો RTE સંબંધિત ફંડીંગ અંગે હતો. ઉલ્લેખનિય છે કે, તામિલનાડુ વડી અદાલતે એવો ચુકાદો આપેલો કે, આ ફંડીંગ રાજ્ય સરકારનો વિષય છે. રાજ્ય સરકારે આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર આપ્યો છે. આ સુનાવણી એક મહિના બાદ થશે. કેન્દ્ર સરકારે જેતે સમયે વડી અદાલતમાં એમ કહેલું કે, આ નાણાંકીય જવાબદારીઓ રાજ્ય સરકારની છે.

સંજય રાવલ (એડિટર-ઇન-ચીફ) JAMNAGAR NEWS FILE

'બાહરી' લોકો પ્રત્યે 'અસહિષ્ણુતા' વધી રહી છે...ઘાટો થતો જતો ટ્રેન્ડ..આપણે ત્યાં થોડાં થોડાં સમયે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમ...
01/09/2025

'બાહરી' લોકો પ્રત્યે 'અસહિષ્ણુતા' વધી રહી છે...ઘાટો થતો જતો ટ્રેન્ડ..

આપણે ત્યાં થોડાં થોડાં સમયે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ગુજરાતીઓ, બિહારીઓ, ઉત્તરપ્રદેશના લોકો પ્રત્યે અને ક્યારેક દક્ષિણ ભારતીય લોકો પ્રત્યે પણ, ખાસ કરીને મુંબઈ જેવા શહેરોમાં 'કડવાશ' સપાટી પર આવી જતી હોય છે અને આવી કડવાશ પાછળ સ્થાનિક રાજકારણ પણ ભાગ ભજવતું હોય છે. આવા સમયે કડવાશને આગળ વધવાની સુવિધાઓ કરી આપતાં સ્થાનિક આગેવાનો એ વાત ધરાર ભૂલી જતાં હોય છે કે, તેમના રાજ્યના હજારો નહીં લાખો લોકો દેશભરમાં વિવિધ રાજ્યોમાં દાયકાઓ કે સદીઓથી વસવાટ કરી રહ્યા છે. જો કે બાહરી પ્રત્યેની આ માનસિકતા ભારતમાં અત્યાર સુધી તો, મજબૂત બની નથી- એ સારી વાત છે.

પરંતુ વિદેશોમાં, ખાસ કરીને અમેરિકા-કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ભારતીયો સ્થાનિક લોકોના નિશાન પર છે. ઘટનાઓ છૂટક છૂટક બને છે પરંતુ આ રેસિઝમ હવે આ દેશોમાં, ખાસ કરીને ભારતીયો પ્રત્યે નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળે છે. અને, ઓસ્ટ્રેલિયામાં તો તમામ મોટાં શહેરોમાં ગત્ રોજ રવિવારે ભારતીયો વિરુદ્ધ વિશાળ રેલીઓ યોજાઈ ગઈ ! જો કે ત્યાંની સરકારે આ પ્રકારની સ્થિતિઓ સામે કડક હાથે કામ લીધું છે. પરંતુ જમીન પરની કડવી હકીકત એ છે કે, સ્થાનિક ઓસ્ટ્રેલિયન લોકો ભારતીયોને હવે 'બાહરી' લેખે છે અને કહે છે કે, આ લોકોના કારણે અહીં ઓસ્ટ્રેલિયામાં ઘણી સમસ્યાઓ આકાર લઈ રહી છે.

ઓસ્ટ્રેલિયનો કહે છે: ભારતીયોની સંખ્યા છેલ્લા પાંચ-સાત-દસ વર્ષ દરમ્યાન ખૂબ વધી જતાં કલ્ચર, ટ્રાફિક, હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રકચર, વોટર સપ્લાય તથા હોસ્પિટલ્સ જેવા ક્ષેત્રોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા નામના સંગઠને રવિવારે ભારતીયો વિરુદ્ધ તમામ મોટાં શહેરો- મેલબોર્ન, એડીલેડ, કેનબેરા, બ્રિસ્બેન, પર્થ અને હોબાર્ટ સહિતના શહેરોમાં વિશાળ રેલીઓ નીકળી હતી અને બાહરીઓ વિરુદ્ધ પ્લેકાર્ડ દેખાડયા હતાં. ત્યાંની સરકાર પર દબાણ આવ્યું.

સંજય રાવલ (એડિટર-ઇન-ચીફ) JAMNAGAR NEWS FILE

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનો મામલો હવે 'સળગી' ઉઠશે....સુપ્રીમ કોર્ટમાં પેટ્રોલને લઈને એક જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છ...
23/08/2025

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનો મામલો
હવે 'સળગી' ઉઠશે....

સુપ્રીમ કોર્ટમાં પેટ્રોલને લઈને એક જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી ગ્રાહકોને ઇથેનોલ-મુક્ત ઇંધણ પસંદ કરવાનો વિકલ્પ ન આપવામાં આવે, ત્યાં સુધી તેને લાગુ કરવામાં ન આવે. આ PIL 20% ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ (E20) લાગુ કરવાના વિરોધમાં દાખલ કરવામાં આવી છે. એડવોકેટ અક્ષય મલ્હોત્રા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીએ દેશમાં ઇંધણની ગુણવત્તા અને ગ્રાહકોના અધિકારો પર એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ 2023 પહેલા ભારતમાં બનેલા વાહનો ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ માટે યોગ્ય નથી. ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા બે વર્ષમાં બનેલા BS-VI-માપદંડ વાળા વાહનો પણ 20% ઇથેનોલ મિશ્રણવાળા પેટ્રોલ માટે યોગ્ય નથી. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે વાહન ઉત્પાદકો અને સંશોધન સંસ્થાઓના અહેવાલો મુજબ, ઇથેનોલના મિશ્રણથી એન્જિનના પાર્ટ્સમાં કાટ લાગી શકે છે, ઇંધણની કાર્યક્ષમતા ઘટી શકે છે અને વાહન સમય પહેલા ખરાબ થઈ શકે છે.

અરજીમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે ઇથેનોલ-મિશ્રિત ઇંધણને કારણે થતા કોઈપણ નુકસાનને વીમા કંપનીઓ કવર નહીં કરે, જેનાથી ગ્રાહકોને કોઈ વળતર મળશે નહીં. અરજીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, 'વાહનો ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ માટે યોગ્ય નથી. તેનાથી વાહનોને નુકસાન થશે. તેથી આ સંબંધમાં ઉઠાવવામાં આવેલો દાવો ઉત્પાદકો અથવા વીમા કંપનીઓ દ્વારા કવર કરવામાં આવશે નહીં, કારણ કે ગ્રાહકોએ નિર્ધારિત શરતોનું ઉલ્લંઘન કર્યું છે.' આનો સીધો અર્થ એ છે કે જો તમારી ગાડી E20 પેટ્રોલથી ખરાબ થાય છે, તો તમારે તેના રિપેરિંગનો ખર્ચ જાતે ઉઠાવવો પડશે.

અરજીમાં આ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે પશ્ચિમી દેશોમાં સ્થિતિ અલગ છે. ઉદાહરણ તરીકે, અમેરિકામાં 10% ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ સામાન્ય છે, પરંતુ ત્યાં ઇથેનોલ-મુક્ત પેટ્રોલ પણ ઉપલબ્ધ છે. તે જ રીતે, યુરોપિયન યુનિયનમાં 5% અને 10% મિશ્રણવાળા ઇંધણ સ્પષ્ટ લેબલિંગ સાથે અસ્તિત્વમાં છે.

અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભારતમાં ગ્રાહકોને જાણ કર્યા વગર અને કોઈ લેબલિંગ અથવા ઇંધણની રચના દર્શાવ્યા વગર માત્ર ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ જ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. જેનાથી ગ્રાહકો મૂંઝવણમાં છે અને તેમની પાસે કોઈ વિકલ્પ નથી.

અરજદારે સુપ્રીમ કોર્ટ પાસેથી કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપવાની માંગ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે...

- તમામ પેટ્રોલ પંપ પર ઇથેનોલ-મુક્ત પેટ્રોલની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે.

- ઇથેનોલની માત્રાને ફરજિયાતપણે લેબલ કરવામાં આવે.

- ગ્રાહક સુરક્ષા અધિનિયમને કડકાઈથી લાગુ કરવામાં આવે.

- E20ના ઉપયોગથી વાહનો પર થતા પ્રભાવનો દેશવ્યાપી અભ્યાસ કરાવવામાં આવે.

સંજય રાવલ (એડિટર-ઇન-ચીફ) JAMNAGAR NEWS FILE

JAMNAGAR NEWS FILEસંજય રાવલ (એડિટર-ઇન-ચીફ)
22/08/2025

JAMNAGAR NEWS FILE
સંજય રાવલ (એડિટર-ઇન-ચીફ)

21/08/2025
કોર્પોરેશન ચૂંટણીઓ આવી રહી હોય, મતદાતાઓને 'ભોળવવા' JMCનું વધુ એક નાટક....JMCને આવી સલાહો આપે છે કોણ ?!...ગુજરાતમોડેલની જ...
21/08/2025

કોર્પોરેશન ચૂંટણીઓ આવી રહી હોય, મતદાતાઓને 'ભોળવવા' JMCનું વધુ એક નાટક....JMCને આવી સલાહો આપે છે કોણ ?!...

ગુજરાતમોડેલની જામનગર મહાનગરપાલિકા એક અળવીતરી સંસ્થા છે. જેના એકેય કામમાં ઠેકાણાં હોતાં નથી. અને થોડા થોડા સમયે તેને નાટકો કરવાની ચાનક ચઢે છે. અને આ રીતે મતદાતાઓને ભોળવી શાસકો દાયકાઓથી અહીં શાસન કરી રહ્યા છે.

આજથી બે વર્ષ અગાઉ કોર્પોરેશનમાં નવા પદાધિકારીઓની નિયુક્તિ થઈ ત્યારે, આ મહાનગરપાલિકાએ રાત્રિ સફાઈનું નાટક કરેલું. ફોટોસેશન અને વીડિયો શૂટિંગ માટે ત્યારે, 'કહ્યાગરા' પ્રેસ ફોટોગ્રાફરો અને વીડિયોશૂટરોને રાત્રે બાર વાગ્યે પણ બોલાવવામાં આવતાં અને રાત્રે પોણાં ત્રણ વાગ્યે પણ બોલાવવામાં આવતાં. અને આખી 'જાન' ના ફોટોસેશન થતાં, સૌ કહેવાતા આગેવાનો આ ફોટોસેશનમાં છાતી ફુલાવી ફોટા ખેંચાવતા. થોડાક જ દિવસમાં આ નાટક પર કાયમ માટે પડદો પડી ગયો.

આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી હોય, મહાનગરપાલિકાએ ફરી નવું નાટક શરૂ કર્યું. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર પેજ સ્ટાર્ટ કર્યું. તેમાં ફોટાઓ અને વીડિયોઝ અપલોડ કરે છે.

આ પેજ પર મહાનગરપાલિકા છાતી ફુલાવી કહે છે કે અમે સફાઈ કરી રહ્યા છીએ. આ કામગીરીઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, નાગરિકો અને વેપારી એસોસિએશન જોડાઈ રહ્યા છે ! આજે અમે ફલાણાં વિસ્તારમાં સફાઈ કરી.

એક મિનિટ. થોભો. મહાનગરપાલિકાએ સફાઈ કરવાની જ હોય. કરદાતાઓના નાણાંનો ખર્ચ કરી તેની જાહેરાત કરવાની જરૂર નથી. તમે ઉપકાર કરતાં નથી. બીજું- મહાનગરપાલિકા સફાઈ પાછળ રોજ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, આ કામમાં સંસ્થાઓ-નાગરિકો કે એસોસિએશનોએ શા માટે જોડાવું જોઈએ ?! અને, છેલ્લો મુદ્દો એ પણ નોંધપાત્ર છે કે, કચરાના મામલામાં આ શાસકો અને મુકેશ વરણવા સહિતના અધિકારીઓ બેફામ ભ્રષ્ટાચાર આચરે છે અને વિવાદો ઉભા કરે છે, એવી ચર્ચાઓ થોડા થોડા સમયે નગરમાં ગાજે જ છે, ત્યારે આ સ્થિતિઓ વચ્ચે, મહાનગરપાલિકાના આ નવા નાટકનો મતલબ શું ?! એવો સવાલ નગરજનો આપસી ચર્ચાઓમાં એકમેકને પૂછી રહ્યા છે.

સંજય રાવલ (એડિટર-ઇન-ચીફ) JAMNAGAR NEWS FILE

હરામખોર પાકિસ્તાન ભલે નિર્દોષ ભારતીયોનું લોહી વહાવે...ક્રિકેટ તો રમાશે જ...આ ધંધો છે ભાઈ...!!એશિયા કપ માટેની ભારતીય ટીમ ...
21/08/2025

હરામખોર પાકિસ્તાન ભલે નિર્દોષ ભારતીયોનું લોહી વહાવે...ક્રિકેટ તો રમાશે જ...આ ધંધો છે ભાઈ...!!

એશિયા કપ માટેની ભારતીય ટીમ જાહેર થઈ ગઈ છે, આ મલ્ટી-નેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પાકિસ્તાની ટીમ સાથે રમશે- અમિત શાહના પુત્ર જય શાહની સંસ્થા BCCIએ આ સંકેત આપી દીધો. આ સંસ્થાના અધિકારીઓ કહે છે: ભારત સરકારે અમને પાકિસ્તાન સાથે રમવાની 'ના' પાડી નથી.

ક્રિકેટ બોર્ડ કહે છે: આપણે એશિયા કપ ન રમીએ તો પાકિસ્તાનને ફ્રી પોઈન્ટ મળી જાય, એશિયન ક્રિકેટમાં ભારતનું વર્ચસ્વ નબળું પડી જાય, ICCના રાજકારણમાં BCCIની તાકાત ઘટી જાય અને ભારત પાકિસ્તાન મેચને કારણે ટીવી ક્રિકેટમાં આવતી જાહેરાતોમાં બ્રોડ કાસ્ટર્સને દર સેકન્ડના રૂ. 10 લાખથી માંડી રૂ. 35 લાખની કમાણી થઈ રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, 1986 અને 1991-92 દરમ્યાન તત્કાલીન સરકારોએ, પાકિસ્તાન સાથે કઠોર વલણ અખત્યાર કરી એશિયા કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

લોકોમાં એવી નારાજગીઓ વ્યક્ત થઈ રહી છે કે, હરામખોર પાકિસ્તાન ભલે નિર્દોષ ભારતીયોના માથાં વાઢી નાંખે કે છાતીમાં ગોળી ઉતારી દે કે પછી ભારતીય મહિલાઓના સિંદૂર ઉજાડી નાંખે- BCCI પાકિસ્તાન સાથે ક્રિકેટ રમશે જ, ધંધો છે ભાઈ !

સંજય રાવલ (એડિટર-ઇન-ચીફ) JAMNAGAR NEWS FILE

સમાજને લાલબત્તી : શિક્ષણધામ, નોનવેજ, દારૂ અને છાત્રનું મર્ડર..! અમદાવાદમાં બનેલી આ ઘટના માત્ર એક ઘટના જ નહીં, ગંભીર ચિંત...
20/08/2025

સમાજને લાલબત્તી : શિક્ષણધામ, નોનવેજ, દારૂ અને છાત્રનું મર્ડર..!

અમદાવાદમાં બનેલી આ ઘટના માત્ર એક ઘટના જ નહીં, ગંભીર ચિંતાઓ અને ચિંતનનો સબ્જેક્ટ...

કલ્પના કરો : 13/14 વર્ષનો એક છોકરો, અન્ય એક 15/16 વર્ષના છોકરાને કોઈ ધારદાર અને ઘાતક હથિયાર વડે એટલી ગંભીર ઈજાઓ પહોંચાડે કે, આ ઈજાઓ છોકરાના મોતનું કારણ બને ! આ કોઈ નાનીસૂની ઘટના નથી, સમગ્ર સમાજ અને સરકાર માટે આ એક લાલબતી સમાન કિસ્સો છે. આપણે આપણી દોડને થોડીવાર અટકાવવી પડશે. ઉભા રહી જવું પડશે અને આ ઘટનાના સંદર્ભમાં ગંભીર ચિંતાઓ અને ચિંતન કરવું પડશે. આ સામૂહિક ચિંતાનો વિષય છે. આ ઘટનાને એકલદોકલ ઘટના તરીકે જોઈ ન શકાય.

આ ઘટના શાળાની બહાર બની છે. પરંતુ આ ઘટનાથી ઉશ્કેરાયેલા લોકોનો આક્ષેપ એવો છે કે, શાળામાં અમુક છાત્રો નોનવેજ ખાદ્ય પદાર્થો લાવતાં અને જે છાત્રો નોનવેજ ખાતાં ન હોય એમને પણ યેનકેન પ્રકારે નોનવેજ ખવડાવતા. એમ પણ કહેવાય છે કે, શાળામાં અમુક છાત્ર દારૂની બોટલ પણ લાવતાં ! જો આ બધાં આક્ષેપ ખરાં હોય તો તેની ઝીણવટથી તપાસ થવી જોઈએ અને હકીકત બહાર આવવી જોઈએ.

એમ કહેવામાં આવે છે કે, અમદાવાદના ખોખરા વિસ્તારની એક શાળાના બે છાત્રો વચ્ચે, મણિયાશા સોસાયટીના દરવાજા પાસે હુમલાનો આ બનાવ બન્યો હતો. પોલીસે જરૂરી CCTV ફૂટેજ કબજે લીધાં છે. પોલીસે બે કિશોરોની અટકાયત કરી છે. જે હથિયારનો આ ઘટનામાં ઉપયોગ થયો તે ચાકુ હતું એમ હુમલાખોર કિશોરના હવાલાથી કહેવાય છે પરંતુ આ હથિયાર પોલીસે કબજે લીધું છે કે કેમ, તે વિગતો બહાર આવી નથી.

શિક્ષણ વિભાગ હવે એવી ડાહી વાત કરે છે કે, શાળામાં માત્ર શિક્ષણ આપવાની જ શાળાની ફરજ નથી. દરેક વિદ્યાર્થીની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ. આ ફિલોસોફીનો કેટલી શાળાઓમાં અમલ થાય છે, તે પણ સવાલ છે. દરેક શાળામાં કેટલાંક બાળકો તોફાની અને ગુનાહિત માનસ ધરાવતા હોય છે, આવા બાળકો પર નજર રાખવી કે કોઈ રીતે એમને સુધારવા- એ બાબત અંગે કેટલાં શિક્ષકો અને કેટલાં શાળા સંચાલકો ગંભીર હોય છે ? કેટલાંક બાળકોના વાલીઓ પણ માથાભારે અને ગુનાહિત માનસ ધરાવતાં હોય છે. આ આખો વિષય સમગ્ર સમાજનો છે.

જાહેર જિવનની બદીઓ અને અનિષ્ટો શિક્ષણધામની અંદર સુધી પહોંચી જાય- એ સમગ્ર સમાજ માટે ચિંતાઓનો વિષય છે. મોટાભાગની કોલેજોમાં પણ વાતાવરણ પ્રદૂષિત હોવાનું સૌ જાણે છે. એક ઉદાહરણ: જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજના છાત્રોને આ વિસ્તારના કેટલાંક અસામાજિક તત્વો વર્ષોથી હેરાન પરેશાન કરી રહ્યા છે, આ બાબતે કોલેજ સંચાલકો અને સ્થાનિક પોલીસ ઉદાસીન અને નિષ્ક્રિય છે ! સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સની હીરોગીરી કે વિલનગીરી સહિતની નકારાત્મક અસરો હવે, વિદેશોની માફક આપણે ત્યાં પણ શિક્ષણધામોની અંદર પ્રવેશી ચૂકી છે. આ અનિષ્ટો ઉગતાં નહીં ડામીએ તો આવનારો સમય વધુ અંધકારભર્યો સાબિત થવાનો જ છે. આ સ્થિતિઓ ક્ષણિક આવેશ કે પ્રતિક્રિયાઓની નથી-સમગ્ર વિષય અતિ ગંભીર છે, યોગ્ય ઉપાયો આપણે જ, આજે નહીં તો આવતીકાલે શોધવા પડશે.

સંજય રાવલ (એડિટર-ઇન-ચીફ) JAMNAGAR NEWS FILE

Address

119 Indraprastha Complex PANCHESHWAR TOWER Road
Jamnagar
361001

Website

Alerts

Be the first to know and let us send you an email when Jamnagar News File posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share