Junagadh Mirror News

Junagadh Mirror News જુનાગઢ જીલ્લાના સામાજિક શૈક્ષણિક અને રાજકીય સમાચાર મેળવવા પેજ લાઇક કરો.👍
📒📚📝🖊️
(1)

અમદાવાદના વસ્ત્રાલ-સિંગરવામાં ભારે પવન સાથે બરફના કરા પડ્યા:ગુજરાતમાં ભર ઉનાળે ત્રીજી વખત કમોસમી વરસાદ શરૂ થયો છે. આજે 3...
03/04/2026

અમદાવાદના વસ્ત્રાલ-સિંગરવામાં ભારે પવન સાથે બરફના કરા પડ્યા:ગુજરાતમાં ભર ઉનાળે ત્રીજી વખત કમોસમી વરસાદ શરૂ થયો છે. આજે 3 એપ્રિલે ગીર સોમનાથ, દ્વારકા, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, મહેસાણા સહિતમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને પગલે રોડ પર પાણી વહેતાં થયા હતાં.સૌથી વધુ વેરાવળમાં 15થી 20 મિનિટમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તોફાની પવન સાથે ધોધમાર પડેલા વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. હાલના વરસાદને પગલે કેરી, બાજરી, જીરૂ સહિતના પાકને ભારે નુકસાન થવાના ડરથી ખેડૂતો મુઝવણમાં મુકાયા છે.



Junagadh Mirror News

કેજરીવાલ સરકારે લગાવેલા 2.5 લાખથી વધુ CCTV કેમેરા દિલ્હીની ભાજપ સરકાર હટાવી દેશે, નવા લગાવશે    Junagadh Mirror News
02/04/2026

કેજરીવાલ સરકારે લગાવેલા 2.5 લાખથી વધુ CCTV કેમેરા દિલ્હીની ભાજપ સરકાર હટાવી દેશે, નવા લગાવશે


Junagadh Mirror News

25/03/2026





ધુરંધર 2એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરીનેએક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ફિલ્મે માત્ર ચાર દિવસમાં જ વિશ્વભરમાં 691.32 કર...
23/03/2026

ધુરંધર 2એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરીને
એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ફિલ્મે માત્ર ચાર દિવસમાં જ વિશ્વભરમાં 691.32 કરોડની કમાણી કરીને દર્શકોમાં પોતાની જબરદસ્ત લોકપ્રિયતા સાબિત કરી છે. ભારતમાં ફિલ્મે ₹541.97 કરોડનો આંકડો પાર કર્યો છે, જ્યારે વિદેશમાં પણ ₹149.35 કરોડની મજબૂત કમાણી નોંધાવી છે. શરૂઆતના સપ્તાહાંત દરમિયાન ફિલ્મે સતત મજબૂત પકડ જાળવી રાખી હતી અને અનેક રેકોર્ડ તોડ્યા છે.

રણવીર સિંહ, અને સંજય દત્ત જેવા મોટા કલાકારોના અભિનયે ફિલ્મને વધુ આકર્ષક બનાવી છે. ફિલ્મે પેઇડ પ્રીવ્યૂ સહિત ₹600 કરોડથી વધુની કમાણી કરીને બોલીવુડમાં સૌથી મોટા ઓપનિંગ સપ્તાહાંતનો રેકોર્ડ બનાવ્યો છે. પુષ્પા 2: ધ રૂલ પછી આ બીજી સૌથી મોટી ઓપનિંગ ધરાવતી ભારતીય ફિલ્મ બની છે. ધુરંધર 2એ માત્ર ત્રણ દિવસમાં જ બોર્ડર 2, વોર અને ટાઇગર 3 જેવી ફિલ્મોને પાછળ મૂકી દીધી છે. એટલું જ નહીં, શાહરૂખ ખાનની ડંકી જેવી મોટી ફિલ્મને પણ પાછળ છોડી દીધી છે. ફિલ્મને મળતી મજબૂત પ્રી-સેલ્સ અને દર્શકોની ઉત્સુકતા તેને ટૂંક સમયમાં ₹1000 કરોડના ક્લબ સુધી પહોંચાડી શકે છે. 2026ની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ તરીકે ધુરંધર 2એ પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. આ ફિલ્મનું સફળતા પ્રદર્શન દર્શાવે છે કે તે માત્ર એક ફિલ્મ નહીં પરંતુ એક મોટી સિનેમેટિક ઘટના બની ગઈ છે.

22/03/2026

Badrinath Dham covered with ice white sheet due to heavy snowfall


22/03/2026

પટના જંકશન પર ટ્રેનમાંથી 100થી વધુ જીવંત કાચબાઓને બચાવવામાં આવ્યા છે, જેના કારણે કાચબાઓની ગેરકાયદેસર હેરાફેરીનો મોટો ભાંડો ફૂટ્યો છે. આ કાર્યવાહી દિલ્હી-માલદા ફરક્કા એક્સપ્રેસ ટ્રેનમાં કરવામાં આવી હતી, જ્યાં તસ્કરો દ્વારા કાચબાઓને બોરીઓમાં ભરીને ગેરકાયદેસર રીતે લઈ જવાઈ રહ્યા હતા. GRP દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ તસ્કરી નેટવર્ક ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલું હતું. તસ્કરો કાચબાઓને પકડીને કાળા બજારમાં લાખો રૂપિયામાં વેચવાનું આયોજન કરી રહ્યા હતા. આ કાચબાઓને અત્યંત અમાનવીય પરિસ્થિતિમાં બોરીઓમાં બંધ કરી રાખવામાં આવ્યા હતા, જેના કારણે તેમની સ્થિતિ પણ નાજુક બની ગઈ હતી.

રેસ્ટોરેન્ટ, હોટલ અને ઢાબાઓ ફરી ધમધમતા થશે, 23 માર્ચથી કોમર્શિયલ ગેસની ફાળવણી 30 ટકાથી વધારીને 50 ટકા કરી,
22/03/2026

રેસ્ટોરેન્ટ, હોટલ અને ઢાબાઓ ફરી ધમધમતા થશે, 23 માર્ચથી કોમર્શિયલ ગેસની ફાળવણી 30 ટકાથી વધારીને 50 ટકા કરી,

Big relief to India amidst Iran war, Pyxis Pioneer ship came to Mangalore with thousands of tonnes of LPG
22/03/2026

Big relief to India amidst Iran war, Pyxis Pioneer ship came to Mangalore with thousands of tonnes of LPG


હવામાન વિભાગે રાજ્યમાં ‘નાઉકાસ્ટ એલર્ટ’ જાહેર કર્યું છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર સહિત બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્...
19/03/2026

હવામાન વિભાગે રાજ્યમાં ‘નાઉકાસ્ટ એલર્ટ’ જાહેર કર્યું છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર સહિત બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં પવન સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન પલટાઈ શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. રાજ્યમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

અમેરિકી ગુપ્તચર એજન્સીના વડાએ કહ્યું 'પાકિસ્તાન અમેરિકા માટે સૌથી મોટો પરમાણુ ખતરો'અમેરિકાની ગુપ્તચર એજન્સીની વડા તુલસી ...
19/03/2026

અમેરિકી ગુપ્તચર એજન્સીના વડાએ કહ્યું 'પાકિસ્તાન અમેરિકા માટે સૌથી મોટો પરમાણુ ખતરો'

અમેરિકાની ગુપ્તચર એજન્સીની વડા તુલસી ગબાર્ડે પાકિસ્તાનને લઈને એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન યુનાઈડેટ સ્ટેટ ઓફ અમેરિકા માટે સૌથી મોટા પરમાણુ ખતરાઓમાંનું એક છે. તેમના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા અને સ્થિરતા અંગે નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તુલસી ગબાર્ડના આ નિવેદનથી વૈશ્વિક રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. નિષ્ણાતો માને છે કે પરમાણુ હથિયારો અને તેમની સુરક્ષા સંબંધિત મુદ્દાઓને લઈને પહેલેથી જ વિશ્વ ચિંતિત છે, ત્યારે આવા નિવેદનો વધુ ગંભીરતા ઉમેરે છે. ખાસ કરીને દક્ષિણ એશિયામાં રાજકીય તણાવ અને સુરક્ષા પડકારો વચ્ચે આ મુદ્દો વધુ મહત્વનો બની ગયો છે. અમેરિકાની દૃષ્ટિએ પરમાણુ હથિયારોનું સંચાલન અને તેની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તુલસી ગબાર્ડે ઈશારો કર્યો કે જો યોગ્ય નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા ન હોય તો આવા હથિયારો વૈશ્વિક શાંતિ માટે ખતરો બની શકે છે.


સોર્સ : ન્યૂઝ ચેનલ

18/03/2026

MS ધોનીના ફેન્સ માટે મોટા સમાચાર છે. માહીએ વીડિયો પોસ્ટ કરીને મહત્વપૂર્ણ જાણકારી આપી છે. MS ધોનીએ પોતાનો જર્સી નંબર બદલ્યો, 7ની જગ્યાએ હવે 8 નંબરની જર્સીમાં માહી જોવા મળશે. આ વીડિયો એમએસ ધોનીએ તેના ફેસબુક પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતાં એમએસ ધોનીએ લખ્યું છે કે, Some numbers stay with you. 7 has always been one of them. But today, I’m switching to 8. You’ll know why soon. આનો મતલબ એ છે કે કેટલાક નંબર તમારી સાથે રહે છે, 7 તેમાંથી એક છે, પણ આજે હું 8 નંબરની જર્સી સ્વિચ થવું છું, ટૂંક સમયમાં જાણવા મળશે કે કેમ. એમએસ ધોનીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. માહીના ફેન્સ જર્સી નંબર બદલવાનું કારણ જાણવા માટે એક્સાઈટેડ છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મથુરા અને વૃંદાવનની આગામી મુલાકાતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કપિરાજોના ત્રાસથી બચ...
18/03/2026

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મથુરા અને વૃંદાવનની આગામી મુલાકાતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કપિરાજોના ત્રાસથી બચવા માટે અનોખો કીમિયો અજમાવાયો છે. વૃંદાવનના બાંકે બિહારી મંદિર અને અન્ય ધાર્મિક સ્થળો પર વાનરો ચશ્મા કે અન્ય ચીજવસ્તુ ઝૂંટવીને ભાગી જાય તે સામાન્ય બાબત છે. જો કે, રાષ્ટ્રપતિની મુલાકાત વખતે આવુ કંઈ ના થાય તે માટે સ્થાનિક તંત્રે ઠેર ઠેર લંગૂરના કટઆઉટ્સ (પૂતળા) ગોઠવી દીધા છે.
વહીવટી તંત્રને ડર છે કે રાષ્ટ્રપતિની મુલાકાત વખતે વાનરો તેમના ચશ્મા કે અન્ય સામાનને નુકસાન પહોંચાડી શકે છે, તેથી વાંદરાઓને ડરાવવા આ રસ્તો અજમાવાયો છે. આ સાથે જ વન વિભાગની વિશેષ ટીમો પણ તહેનાત કરાઈ છે.


Junagadh Mirror News

Address

Junagadh
362001

Website

Alerts

Be the first to know and let us send you an email when Junagadh Mirror News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Junagadh Mirror News:

Share