
12/08/2025
પ્રતિ,
જાહેર માહિતી અધિકારી,
રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ વિભાગ,
જૂનાગઢ જીલ્લો, ગુજરાત.
વિષય: RTI અધિનિયમ-2005 હેઠળ જેતપુર–સોમનાથ હાઈવે (સરગવાડા ગામ પાસેથી) બનેલા રસ્તા પર પડેલા ભૂવા/કૂવા તથા સુરક્ષા પગલાં અંગે માહિતી મેળવવા બાબત.
મહોદય,
હું હિના નગદાનભાઈ વીરડા, , જૂનાગઢ જીલ્લાની રહેવાસી છું. તારીખ 10/08/2025 ના રોજ અખબારમાં પ્રકાશિત સમાચાર મુજબ, જેતપુર–સોમનાથ નેશનલ હાઈવે પર, સરગવાડા ગામની આસપાસ, કુવા બુર્યા વગર રોડ બનાવવામાં આવ્યો હતો, જેના કારણે તાજેતરમાં મોટો ભૂવો પડી ગયો અને માર્ગ પર ટ્રક ખાબક્યો. આ ઘટના વાહનચાલકો અને પદયાત્રીઓ માટે ગંભીર સુરક્ષા ખતરો ઉભો કરે છે.
આ સંદર્ભે RTI અધિનિયમ, 2005 હેઠળ નીચેની માહિતી લેખિતમાં આપવા વિનંતી છે—
1જેતપુર સોમનાથ બનેલા હાઈવેના ભાગમાં /કૂવા ક્યાં ક્યાં છે ..કેટલા પર કામ કર્યું કેવી રીતે કર્યું?
2. જો હતી, તો કયા કોન્ટ્રાક્ટર અને કયા ઇજનેરી વિભાગ દ્વારા આ કામ કરાવવાનું હતું?
3. ક્યારે કામ શરૂ થયું અને પૂર્ણ થવાની તારીખ શું નક્કી કરાઈ હતી?
4. કોન્ટ્રાક્ટર/વિભાગને ચુકવાયેલ રકમ તથા કામના નિરીક્ષણની વિગતો આપશો.
5. કામમાં ભૂવો/કૂવા નાખવામાં ચૂક કેમ રહી?
6. આ ખામી માટે જવાબદાર અધિકારી/કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરવામાં આવી છે?
7. અકસ્માતને લઈને કયા સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે?
RTI અધિનિયમ મુજબ 30 દિવસની અંદર માહિતી આપવા વિનંતી.
અરજદાર:
હિના નગદાનભાઈ વીરડા
સરનામું: જૂનાગઢ ગામ,
તાલુકો ,જૂનાગઢ , જીલ્લો જૂનાગઢ, ગુજરાત
મોબાઇલ:...........
ઈમેઈલ: [email protected]
તારીખ: 12/08/2025
હસ્તાક્ષર: __________