08/09/2026
શ્રી હીરાભાઈ જોટવાના જન્મદિવસ નિમિત્તે શ્રી ભાલકા તીર્થ મંદિર ખાતે તા.11 સપ્ટેમ્બર, શુક્રવારે સવારે 10 કલાકે ધ્વજારોહણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લોકગાયક દેવાયતભાઈ ખવડ, જસ્મીનાબેન આહીર, બાબુભાઈ આહીર સહિતના કલાકારો દ્વારા સંગીતમય કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તેમજ ધ્વજારોહણના દર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રસાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.