SV NEWS

SV NEWS શ્રી વિશ્વકર્મા સમાજની તમામ "Positive" માહિતી નું માધ્યમ

📰 સાચી અને તાજી ખબર આપતું ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ.
👉 સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર એક જ જગ્યાએ.
👉 સમાજની દરેક નાની-મોટી ઘટના, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને રાજકીય સમાચાર સૌથી પહેલા

13/07/2026

સુરેન્દ્રનગર, તા. 12 જુલાઈ: ગુર્જર સુથાર સમાજ, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત 20મા ઇનામ વિતરણ સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત વચ્ચે રજૂ થયેલી 'લવ-કુશ રામાયણ'ની ભાવસભર પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો હતો, જેને ઉપસ્થિત મહેમાનો અને સમાજજનોએ દિલથી વધાવી લીધો હતો.

12/07/2026
12/07/2026

રાજકોટ, તા. 11 જુલાઈ, 2026 :
શ્રી વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ રાજકોટ દ્વારા આયોજિત વૈદિક આદર્શ લગ્ન-5નો ભવ્ય અને સફળ કાર્યક્રમ રાજકોટના શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર, દીવાનપરા મેઈન રોડ, જૂની ખડપીઠ ખાતે યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ વૈદિક પરંપરા, ભારતીય સંસ્કૃતિ અને સામાજિક સમરસતાના માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. સમાજના આગેવાનો, ટ્રસ્ટી મંડળ, દાતાશ્રીઓ, કાર્યકરો, પરિવારજનો તથા મોટી સંખ્યામાં સમાજજનોએ ઉપસ્થિત રહી નવદંપતીને શુભકામનાઓ પાઠવી હતી.

12/07/2026

વઢવાણા: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણા ખાતે આવેલી ઐતિહાસિક માધવ વાવ આજે પણ ગુજરાતના પ્રાચીન સ્થાપત્ય, જળસંચય વ્યવસ્થા અને સાંસ્કૃતિક વારસાની ગૌરવગાથા રજૂ કરે છે. સોલંકી રાજા સારંગદેવ (ઈસ્વીસન 1275–1296)ના મંત્રી માધવે ઈસ્વીસન 1284 દરમિયાન આ ભવ્ય વાવનું નિર્માણ કરાવ્યું હોવાનું ઐતિહાસિક નોંધોમાં ઉલ્લેખ મળે છે. સદીઓ જૂની આ વાવ તેના કલાત્મક શિલ્પ, મજબૂત બાંધકામ અને ઉપયોગી રચનાને કારણે આજે પણ પ્રવાસીઓ, ઇતિહાસપ્રેમીઓ અને સંશોધકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

12/07/2026

સુરેન્દ્રનગર ના ગુર્જર સુતાર પરિવાર દ્વારા આયોજિત વિશિ (ડ્રો) યોજનાનો પ્રથમ ડ્રો ઉત્સાહભેર અને પારદર્શક રીતે સુરેન્દ્રનગર ખાતે સંપન્ન થયો હતો. સમાજમાં બચતની ભાવના વિકસે તેમજ જરૂરિયાતના સમયે સભ્યોને આર્થિક સહાય મળી રહે તે હેતુથી શરૂ કરાયેલી આ યોજનાને સભ્યોનો સારો પ્રતિસાદ મળ્યો છે.

12/07/2026

ગુર્જર સુતાર હિતેચ્છુ પરિવાર દ્વારા 22મા આદર્શ લગ્નનું સફળ આયોજન, નવદંપતીએ લીધા સપ્તપદીના ફેરા...

11/07/2026

ચોટીલા ની પાસે આવેલ સૂરજદેવળ ધામ ખાતે શ્રી વિશ્વકર્મા સમાજના સાહિત્યકારો દ્વારા આયોજિત સાહિત્યિક કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો

રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિની બહેનો માટે મેકઅપ વર્કશોપનું આયોજન
10/07/2026

રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિની બહેનો માટે મેકઅપ વર્કશોપનું આયોજન

Address

Kutchchh

Alerts

Be the first to know and let us send you an email when SV NEWS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share