Sanjay Thakor Journalist

Sanjay Thakor Journalist ‼️Sanju baba‼️
‼️reporter.ગુજરાત‼️
‼️DM for paid promotion‼️

ઈકો કારમાં પેસેન્જર બેસાડવાના મુદ્દે થયેલા સામાન્ય બોલાચાલીનો મામલો હત્યા સુધી પહોંચ્યો છે.મહેસાણા શહેરના મોટેરા એસટી બસ...
30/08/2026

ઈકો કારમાં પેસેન્જર બેસાડવાના મુદ્દે થયેલા સામાન્ય બોલાચાલીનો મામલો હત્યા સુધી પહોંચ્યો છે.મહેસાણા શહેરના મોટેરા એસટી બસ પોર્ટ બહારથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ, સવારના સમયે ઈકો કારમાં પેસેન્જર બેસાડવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ડ્રાઇવર ઈનસ ખાન સહિત ત્રણ શખ્સોએ એક યુવક સાથે ઝઘડો કર્યો હતો.
બપોરના સમયે હૈદરી ચોક તરફથી બોલાવવામાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ મોટેરા ચોકડી પાસે ઉભેલા સાબિરહુસેન પર અચાનક છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં સાબિરહુસેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જોકે, ગંભીર રીતે ઘવાયેલા સાબિરહુસેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય એક યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે બંને પક્ષના લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
બીજી તરફ, સમગ્ર મામલાની જાણ થતાં મહેસાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે નાકાબંધી સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ તથા હુમલામાં સામેલ આરોપીઓ અંગે વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.
મહેસાણા બસપોર્ટ બહાર થયેલી સામાન્ય બોલાચાલી કઈ રીતે જીવલેણ હુમલામાં ફેરવાઈ અને એક યુવકે જીવ ગુમાવ્યો—તે મામલે પોલીસની તપાસ હવે આગળ વધી રહી છે.

વડનગરમાં પત્નીના અપહરણ કેસમાં નવો વળાંક વડનગરના ચર્ચાસ્પદ વૈદેહી પટેલ અપહરણ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે.રક્ષાબંધનના દિ...
29/08/2026

વડનગરમાં પત્નીના અપહરણ કેસમાં નવો વળાંક
વડનગરના ચર્ચાસ્પદ વૈદેહી પટેલ અપહરણ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે.

રક્ષાબંધનના દિવસે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરી રાખડી બાંધવાના બહાને વૈદેહી પટેલને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

મળતી માહિતી મુજબ, વૈદેહીના પતિ સચિન કુમારે અપહરણ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

અપહરણમાંથી મુક્ત થયેલી વૈદેહી પટેલે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં ગંભીર આક્ષેપો કર્યા છે.

વૈદેહીના જણાવ્યા મુજબ, તેને સૌપ્રથમ હિંમતનગરની SPG ઓફિસે લઈ જવામાં આવી હતી, જ્યાં પરિવારના કેટલાક સભ્યો દ્વારા તેને પરત આવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

પરંતુ વૈદેહીએ પરત આવવાનો ઇનકાર કરતાં અને પોતાની વાત પર મક્કમ રહેતાં, તેના જણાવ્યા મુજબ, આખરે પિયર પક્ષ દ્વારા ભવિષ્યમાં પિયરની કોઈપણ જમીન કે મિલકતમાં હક્ક-હિસ્સો નહીં માંગવા બાબતના લખાણ પર તેની પાસે બળજબરીપૂર્વક સહીઓ કરાવવામાં આવી હતી.

વૈદેહીના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટના બાદ તેને મોડી રાત્રે આશરે 1 વાગ્યે મુક્ત કરવામાં આવી હતી.

ત્યારબાદ પોલીસે વૈદેહીને હેમખેમ તેના સાસરે પહોંચાડી હતી અને સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હવે આ સમગ્ર કેસમાં અપહરણ પાછળનું ચોક્કસ કારણ શું હતું, વૈદેહીને કોના દ્વારા અને શા માટે લઈ જવામાં આવી હતી તેમજ મિલકતના લખાણ અંગેના આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે, તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

વડનગરના આ ચર્ચાસ્પદ કેસમાં નવા આક્ષેપો સામે આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.

પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

29/08/2026

મુતરડી ધરાશાઈ થતાં વેપારી વિસ્તારમાં મુશ્કેલી, નગરપાલિકા સમક્ષ સમારકામની માંગ

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાંથી એક ચોંકાવનારો અને ગંભીર કિસ્સો સામે આવ્યો છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે જ પ્રેમલગ્ન કર...
29/08/2026

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાંથી એક ચોંકાવનારો અને ગંભીર કિસ્સો સામે આવ્યો છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે જ પ્રેમલગ્ન કરનાર બહેનને રાખડી બંધાવવાના બહાને બોલાવી અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.

વડનગર તાલુકાના છાબલીયા સીમ વિસ્તારના વાઘાપુર ગામે રહેતા સચીનકુમાર ભરતજી ઠાકોરે આશરે સાત મહિના પહેલા વડનગરના મલેકપુર ગામની વેધહી પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ વેધહી પોતાના પતિ સાથે સાસરીમાં રહેતી હતી.

રક્ષાબંધનના દિવસે વેધહીના ભાઈ જેનિલ પટેલે તેને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને રાખડી બંધાવવા માટે વડનગર આવવા જણાવ્યું હતું. જેના પગલે વેધહી પોતાના પતિ સચીનકુમાર અને નાની ભત્રીજી સાથે એક્ટિવા લઈને વડનગર પહોંચી હતી.

આ દરમિયાન તોરણિયા વડ નજીક બહેચર પેટ્રોલ પંપ પાસે વેધહીએ પોતાના ભાઈને રાખડી બાંધી હતી. ત્યારબાદ દંપતી ગામ પરત જઈ રહ્યું હતું ત્યારે ભાઈ જેનિલે વાતચીત કરવાના બહાને તેમને રોક્યા હોવાનો આક્ષેપ છે.

આ જ સમયે નંબર પ્લેટ વગરની સફેદ રંગની અર્ટિગા કાર ત્યાં આવી પહોંચી હતી. કાર ચાલકે એક્ટિવા નજીક કાર રોકી અચાનક દરવાજો ખોલતા એક્ટિવા નીચે પડી ગઈ હતી.

આરોપ છે કે કારમાંથી ઉતરેલા બે અજાણ્યા શખ્સોએ વેધહીના ભાઈ સચીનકુમાર સાથે બોલાચાલી અને વિરોધ કર્યો હતો અને બાદમાં તેને બળજબરીથી અર્ટિગા કારમાં બેસાડી દેવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વેધહી પોતાના ભાઈને બચાવવા માટે વિરોધ કરતી રહી હોવાનો પણ ઉલ્લેખ છે. ત્યારબાદ અપહરણકારો કાર લઈને વિસનગર તરફ ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલે વેધહીના ભાઈ સચીનકુમાર દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

હવે સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે, કોણે અને શા માટે અપહરણ કર્યું અને આ ઘટનામાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

રક્ષાબંધનના દિવસે જ બનેલી આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.

PUBG Mobileની દુનિયામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યાPUBG Mobile પાર્ટનર ફારૂક અહમદનું માત્ર 28 વર્ષની વયે નિધન થયું છે.ઓ...
28/08/2026

PUBG Mobileની દુનિયામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા
PUBG Mobile પાર્ટનર ફારૂક અહમદનું માત્ર 28 વર્ષની વયે નિધન થયું છે.

ઓનલાઈન દુનિયામાં ‘Farooq Ahmad YT’ નામથી જાણીતા ફારૂક અહમદના YouTube પર અંદાજે 10 લાખ સબસ્ક્રાઇબર્સ હતા.

મળતી માહિતી મુજબ, કેનેડાના કેલગરી શહેરમાં મોટરસાઇકલ અકસ્માતમાં ફારૂક અહમદનું દુઃખદ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે.

ફારૂક અહમદના અચાનક નિધનના સમાચાર સામે આવતા જ PUBG Mobileની ઈ-સ્પોર્ટ્સ અને કન્ટેન્ટ ક્રિએશન કમ્યુનિટીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ફારૂક સાથે કામ કરી ચૂકેલા અનેક કન્ટેન્ટ ક્રિએટર્સે સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

સાથી કન્ટેન્ટ ક્રિએટર્સ દ્વારા શેર કરવામાં આવેલી શ્રદ્ધાંજલિઓ બાદ તેમના નિધનના સમાચારની પુષ્ટિ થઈ હોવાનું સામે આવ્યું છે.

માત્ર 28 વર્ષની ઉંમરે જાણીતા કન્ટેન્ટ ક્રિએટર ફારૂક અહમદે દુનિયાને અલવિદા કહેતા તેમના ચાહકોમાં પણ શોકની લાગણી ફેલાઈ છે.

મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. જૂની સેઢાવી ગામે ખેતરમાં ઊંઘી રહેલ...
27/08/2026

મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. જૂની સેઢાવી ગામે ખેતરમાં ઊંઘી રહેલા ખેડૂતને છરી બતાવી દોરડાથી બાંધી રોકડ અને ભેંસની લૂંટ કરનાર ચાર આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, જૂની સેઢાવી ખાતે રહેતા રતુજી ભગાજી વાઘેલા પોતાના ખેતરમાં ઊંઘી રહ્યા હતા. ત્યારે ચાર શખ્સો ખેતરમાં ઘૂસી આવ્યા હતા અને છરી બતાવી ખેડૂતને ધમકાવ્યો હતો.

આરોપીઓએ ખેડૂતના ખિસ્સામાંથી 12 હજાર રૂપિયાની રોકડ કાઢી લીધી હતી. ત્યારબાદ ખેડૂતને દોરડાથી બાંધી ખેતરમાં મૂકી દીધા હતા અને ખેતરમાં બાંધેલી અંદાજે 50 હજાર રૂપિયાની ભેંસને પિકઅપ ડાલામાં ભરી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની ફરિયાદ બાદ લાંઘણજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે લૂંટમાં વપરાયેલ પિકઅપ ડાલા અને લૂંટેલી ભેંસ સાથે ચારેય આરોપીઓ મંડાલી ગામની સીમમાં એક ખેતરમાં બેઠા છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી ભેંસ, પિકઅપ ડાલું અને 2 હજાર રૂપિયાની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલા ચાર આરોપીઓમાં રવીન્દ્રસિંહ ચંદુજી ચાવડા, ચંદુજી નાથાજી ચાવડા, જીતેન્દ્રસિંહ પરથીજી ચાવડા અને સમીરશા અબ્દુલશા દીવાનનો સમાવેશ થાય છે.

આ સમગ્ર કામગીરીથી લાંઘણજ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લાંઘણજ પોલીસની ઝડપી કાર્યવાહીથી ખેડૂતને બાંધી ભેંસ અને રોકડની લૂંટનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે.

નમસ્કાર દર્શક મિત્રો...રાજસ્થાનથી પ્રેમી સાથે સુરત આવેલી 19 વર્ષીય યુવતીના અચાનક મોતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મ...
26/08/2026

નમસ્કાર દર્શક મિત્રો...

રાજસ્થાનથી પ્રેમી સાથે સુરત આવેલી 19 વર્ષીય યુવતીના અચાનક મોતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, 19 વર્ષીય યુવતીને 45 વર્ષીય દિલીપ નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતો. યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે દિલીપ યુવતીને ભગાડીને પહેલા અમદાવાદ અને ત્યારબાદ સુરત લઈ આવ્યો હતો.

સુરતમાં એક મિત્રના ઘરે રોકાણ દરમિયાન યુવતીની તબિયત અચાનક બગડી જતા તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતીની ગંભીર હાલતને જોતા તેના પરિવારજનોને હોસ્પિટલમાંથી ફોટો મોકલવામાં આવ્યો હતો.

પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, આ ફોટો વોટ્સએપ પર મોકલ્યાની ગણતરીની બે મિનિટમાં જ દિલીપ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરીને હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો.

બીજી તરફ, યુવતીના પરિવારજનો હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેની તબિયત વધુ ગંભીર બની હતી અને સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું.

યુવતીના અપહરણની ફરિયાદ રાજસ્થાનમાં નોંધાયેલી હોવાનું સામે આવતા ત્યાંની પોલીસ પણ સુરત દોડી આવી હતી. પ્રાથમિક તારણમાં યુવતીનું મોત શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ અત્યંત ઓછું થઈ જવાથી અને ગંભીર એનિમિયાના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, શરીર પર ઈજાના કોઈ નિશાન મળ્યા ન હોવાનું પણ જણાવાયું છે.

પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે.

હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. યુવતીના પરિવારજનો દ્વારા કરાયેલા આક્ષેપો અને મોત પાછળના સમગ્ર કારણ અંગે તપાસ બાદ જ વધુ હકીકત સામે આવશે.

આ મામલે હવે પોલીસની તપાસ કયા નવા ખુલાસા કરે છે, તેના પર સૌની નજર છે.

25/08/2026

મેકુબપુરાની સીમમાં પાણી પુરવઠા વિભાગની બેદરકારી?
પાઇપલાઇન તૂટતા મોટો ભુવો, ખેતરમાં પાણી ભરાતા માલિક પરેશાન

24/08/2026

ઊંઝાના કેસર ભવાની જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલા બે અજાણ્યા શખ્સોએ રૂ. ૩ લાખના સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.

એક શખ્સ સોનાનું પેન્ડલ જોવાનું નાટક કરી દુકાનદારનું ધ્યાન ભટકાવતો હતો, જ્યારે બીજા શખ્સે ચાંદીની રાખડી ખરીદી હતી. આ દરમિયાન તકનો લાભ લઈ સોનાની કાનની કડીઓનું પેકેટ ચોરી કરી લીધું હતું.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દુકાન માલિકની ફરિયાદના આધારે ઊંઝા પોલીસે ગુનો નોંધી બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

થરાદમાં ઇનોવા ગાડીમાંથી ૨,૩૨૪ બોટલ વિદેશી દારૂ ઝડપાયોબનાસકાંઠા રેન્જ પોલીસ દ્વારા થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની હે...
24/08/2026

થરાદમાં ઇનોવા ગાડીમાંથી ૨,૩૨૪ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

બનાસકાંઠા રેન્જ પોલીસ દ્વારા થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે ઇનોવા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૨,૩૨૪ બોટલ ઝડપી પાડી છે. ઝડપાયેલા દારૂની કિંમત આશરે રૂ. ૯ લાખ ૨૦ હજાર ૪૧૬ હોવાનું સામે આવ્યું છે.

આ કાર્યવાહી દરમિયાન દારૂ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૧૯ લાખ ૨૦ હજાર ૪૧૬નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી બનાસકાંઠા રેન્જ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. જેમાં શ્રી આર.એચ. ઝાલા, પીએસઆઈ, શ્રી જયતીજી પ્રતાપજી, હેડ કોન્સ્ટેબલ, શ્રી માનસુંગભાઈ રત્નાભાઈ, હેડ કોન્સ્ટેબલ તથા શ્રી ધર્મેન્દ્રસિંહ નાનુભા, પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાતા દારૂની હેરાફેરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

આ મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Address

Mehsana
384325

Website

Alerts

Be the first to know and let us send you an email when Sanjay Thakor Journalist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sanjay Thakor Journalist:

Shortcuts

Share