10/06/2026
જેતપર સહિતના ગામના ખેડૂતોએ ટ્રેકટર રેલી યોજી જિલ્લા કલેકટરને આપ્યું આવેદન
- આશરે 600 થી 700 જેટલા ખેડૂતો 50 થી 55 ટ્રેક્ટરો સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા
- વીજ કંપની દ્વારા ખેતરોમાં નાખવામાં આવતી ટ્રાન્સમિશન લાઈનના વળતર મુદ્દે ખેડૂતોએ મોરબી કલેકટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ
- ટેલિગ્રાફ એક્ટ 1885 ની કલમ 10D મુજબ તેમને સંપૂર્ણ નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ
- હાલમાં પોલીસ બંદોબસ્ત સાથે જે કામગીરી થઈ રહી છે તે બંધ કરવામાં આવે
- 2 દિવસમાં કલેકટર દ્વારા સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે અને યોગ્ય વળતર કંપની તરફથી નહીં મળે, તો ખેડૂતો ભૂખ હડતાલ પર ઉતરશે તેવી ચીમકી
- હવે ખેડૂતો પરત જેતપર ગામે જઈ પ્રતીક ઉપવાસ પણ કરશે
- કલેકટરે કહ્યું કે વિકાસના કાર્યો અને સરકારી પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારની રુકાવટ ચલાવી લેવાશે નહીં, પરંતુ ખેડૂતોની રજૂઆતો પર કાયદાકીય રીતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.