Patidar Saurabh

Patidar Saurabh છેલ્લા ૩૦ વર્ષથી કચ્છી કડવા પાટીદાર સ?

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની છેલ્લી કારોબારી અને સામાન્ય સભામાં થયેલ કાર્યવાહી પર આ તંત્રી લેખ લખવામાં આવ્ય...
12/09/2026

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની છેલ્લી કારોબારી અને સામાન્ય સભામાં થયેલ કાર્યવાહી પર આ તંત્રી લેખ લખવામાં આવ્યો છે. જ્ઞાતિના દરેક સભ્યોએ વાંચીને પોતાના અભિપ્રાય પણ આપવા વિનંતી છે 👏

પ્રખર સનાતની અને સ્પષ્ટ વક્તા મુકેશભાઈ હળપાણીની કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી તરીકે વરણી💐💐કચ્છના કંડાયના વતની અને હાલ હોસુર (...
02/09/2026

પ્રખર સનાતની અને સ્પષ્ટ વક્તા મુકેશભાઈ હળપાણીની કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી તરીકે વરણી
💐💐

કચ્છના કંડાયના વતની અને હાલ હોસુર (તામિલનાડુ) નિવાસી 67 વર્ષીય મુકેશભાઈ ધનજીભાઈ હળપાણીની કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવી છે. પ્રખર સનાતની, સ્પષ્ટવક્તા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે જોડાયેલા મુકેશભાઈ હળપાણી સમાજના જાણીતા G-30 ગ્રુપ સાથે પણ સંકળાયેલા છે.

કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી જિતેન્દ્રભાઈ અખઈભાઈ જાદવાણી (કડલુરવાળા)ના દુઃખદ અવસાનથી ટ્રસ્ટી પદની એક જગ્યા ખાલી પડી હતી. આ ખાલી પડેલી જગ્યા પર મુકેશભાઈ હળપાણીની ગત કારોબારી સભામાં વરણી કરવામાં આવી હતી, જેને ત્યારબાદ મળેલી સામાન્ય સભામાં સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.

મુકેશભાઈ હળપાણી અગાઉ દક્ષિણ ભારત ઝોનના સહ પ્રભારી તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમની ટ્રસ્ટી તરીકે વરણી થતાં હવે આ જવાબદારી ઈરોડ (તામિલનાડુ) નિવાસી અને કચ્છના નવાવાસ-રવાપરના વતની કરમશીભાઈ અબજીભાઈ વાસાણીને સોંપવામાં આવી છે.

મુકેશભાઈ હળપાણી છેલ્લા અનેક વર્ષોથી દક્ષિણ ભારતમાં સમાજ અને સનાતન વિચારધારાને લગતી વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. સનાતન સમાજ સામે ઊભા થતા પડકારો વચ્ચે સ્પષ્ટ અને નિર્ભય અવાજ તરીકે તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

દક્ષિણ ભારતમાં વસતા કચ્છી પાટીદારો અને સનાતની સમાજના લોકો સાથે સતત સંપર્કમાં રહી સમાજની એકતા, સંગઠન અને સનાતન મૂલ્યોને મજબૂત બનાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે.

મુકેશભાઈ હળપાણીની કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી તરીકે થયેલી વરણીને સમાજના આગેવાનો અને સનાતની સમુદાય દ્વારા નવી જવાબદારી સાથે નવી આશા અને નવી ઊર્જાના સંચાર તરીકે જોવામાં આવી રહી છે.

તેમની સ્પષ્ટ વાણી, નિર્ભય અભિગમ, સંગઠનક્ષમતા અને સમાજસેવાનો લાંબો અનુભવ કેન્દ્રીય સમાજ માટે ઉપયોગી સાબિત થશે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.

મુકેશભાઈ હળપાણીની ટ્રસ્ટી તરીકેની વરણીના સમાચારથી કચ્છ સહિત સમગ્ર દક્ષિણ ભારતના સમાજજનો અને સનાતની સમુદાયમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી છે. સમાજના વિવિધ આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવી નવી જવાબદારીમાં સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.

સમાજસેવાની તેમની અત્યાર સુધીની સફર હવે કેન્દ્રીય સમાજની નવી જવાબદારી સાથે વધુ વ્યાપક બને અને સમાજની એકતા, સંગઠન તથા સનાતન મૂલ્યોને વધુ મજબૂતી મળે તેવી અપેક્ષા સાથે હાર્દિક શુભકામનાઓ...💐💐

150 વર્ષ જૂની સતપંથ–સનાતન સમાજની મડાગાંઠ ઉકેલાશે? 🤔 અનેક મુદ્દે સહમતી, કેટલીક માગણીઓ પર સમય માગ્યો 🔥https://youtu.be/hIu...
01/09/2026

150 વર્ષ જૂની સતપંથ–સનાતન સમાજની મડાગાંઠ ઉકેલાશે? 🤔 અનેક મુદ્દે સહમતી, કેટલીક માગણીઓ પર સમય માગ્યો 🔥
https://youtu.be/hIucAQs7IAw?si=4whzvNMWVOKRSv0w

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલની આગેવાનીમાં પ્રયાસો તેજ 🎯 KKP સમાજની શિર્ષસ્થ નેતાગીરી પણ આ બેઠકોમાં ભાગ લઈ રહી છે

સૌથી મોટો સવાલ: શું આ "સમાધાન" શક્ય બનશે?❓

કચ્છ કડવા પાટીદાર સમાજની વાર્ષિક સભામાં મોટા મુદ્દાઓ પર મંથન 🎯 સનાતન મુદ્દે હવે યુવા સંઘ મેદાનમાં 🔥https://youtu.be/c3cS...
30/08/2026

કચ્છ કડવા પાટીદાર સમાજની વાર્ષિક સભામાં મોટા મુદ્દાઓ પર મંથન 🎯 સનાતન મુદ્દે હવે યુવા સંઘ મેદાનમાં 🔥
https://youtu.be/c3cS2qu7Kwk?si=BnqXd227UUjMaBNr

માંડવી પ્રકરણ : સર્વોદય ટ્રસ્ટના આગેવાનો સાથે સમાજ પુનઃ વાટાઘાટો કરવા તૈયાર 🤝

માર્ગદર્શક સંત શ્રી વલ્લભકૃષ્ણદાસજી પર સમાજમાં એક વર્ષનો પ્રતિબંધ 🚫

સપનું થયું સાકાર 🛕નખત્રાણામાં રચાયો ઈતિહાસ! 🔥 મા ઉમિયા અને શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો ભવ્ય શિલાન્યાસhttps://youtu.be/qPS...
29/08/2026

સપનું થયું સાકાર 🛕નખત્રાણામાં રચાયો ઈતિહાસ! 🔥 મા ઉમિયા અને શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો ભવ્ય શિલાન્યાસ
https://youtu.be/qPSBD7cRvYM?si=j2PIRK8fHgqVoTjI

ભવ્ય મંદિર... ભવ્ય સંકલ્પ! આંખોમાં ખુશી અને હૃદયમાં ભક્તિ! 🚩પાટીદાર વિદ્યાર્થી ભવનમાં સર્જાયો ઈતિહાસ

સબૂર! | ભેળસેળિયા કાર્યક્રમ કર્યા છે તો હવે ખેર નથી! | હવે દરેક ઝોનમાં સનાતની ગૌરવ ગાથા મહાસંમેલન 🔥https://youtu.be/5Jr2...
29/08/2026

સબૂર! | ભેળસેળિયા કાર્યક્રમ કર્યા છે તો હવે ખેર નથી! | હવે દરેક ઝોનમાં સનાતની ગૌરવ ગાથા મહાસંમેલન 🔥
https://youtu.be/5Jr2_JAmvrM?si=3yky_XHNY_3_37v0

અમદાવાદમાં હોસ્ટેલ નિર્માણ અંગે હવે નક્કર કાર્યવાહી કરવા સભામાં માંગ

નખત્રાણા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે ગુરૂ ગાદી સ્થાપવાની કોઈ વાત જ નથી

લાંબા અરસા પછી ‘રામરામ’થી શરૂઆત! હવે આગળ ‘જય શ્રીકૃષ્ણ’ ક્યારે? 😊સમાજની સાચી તાકાત તેની સંસ્થાઓની સંખ્યા કે સંપત્તિમાં ન...
24/08/2026

લાંબા અરસા પછી ‘રામરામ’થી શરૂઆત! હવે આગળ ‘જય શ્રીકૃષ્ણ’ ક્યારે? 😊

સમાજની સાચી તાકાત તેની સંસ્થાઓની સંખ્યા કે સંપત્તિમાં નહીં, પરંતુ એકતા, પરસ્પર વિશ્વાસ અને સમાજહિત માટે સાથે મળીને કામ કરવાની ભાવનામાં રહેલી હોય છે. કચ્છ કડવા પાટીદાર સમાજમાં છેલ્લા કેટલાક સમયથી ત્રણ અગ્રણી સંસ્થાઓ વચ્ચે ઊભા થયેલા મતભેદોને કારણે સમાજમાં પણ એક પ્રકારની અસ્વસ્થતા જોવા મળી રહી હતી.

આ પરિસ્થિતિ વચ્ચે સમાજના કેટલાક નિષ્ઠાવાન શુભચિંતકો દ્વારા કોઈ વ્યક્તિગત સ્વાર્થ કે પ્રસિદ્ધિની અપેક્ષા વિના ત્રણેય સંસ્થાઓ વચ્ચે સંકલન અને સંવાદ સ્થાપિત થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ પ્રયાસો વચ્ચે સૌની નજર 23 ઓગસ્ટના દિવસ પર હતી.

અને આખરે 23 ઓગસ્ટે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, વાંઢાય ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજની ત્રણેય સંસ્થાઓના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ સંકલન બેઠક મળી. બેઠકમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વિવિધ સમાજલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.

બેઠકમાં ખાસ કરીને પાટીદાર વિદ્યાર્થી ભવન, નખત્રાણા ખાતે કેન્દ્રીય સમાજ દ્વારા મંદિરના નિર્માણના પ્રશ્ને વિગતવાર ચર્ચા થઈ. ચર્ચા બાદ સભામાં એવો નિષ્કર્ષ સામે આવ્યો કે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનું કેન્દ્રસ્થાન સંસ્કારધામ જ રહેશે, જ્યારે નખત્રાણા ખાતે સમાજની જરૂરિયાતને અનુરૂપ માત્ર નાનું મંદિર બનાવવામાં આવશે. અહીં ગુરૂ ગાદી સ્થાપવા અંગે ફેલાઈ રહેલી વાતો માત્ર અફવા જ છે!

આ અંગેની સત્તાવાર જાહેરાત કેન્દ્રીય સમાજની આગામી સામાન્ય સભામાં કરવામાં આવશે તેવી ખાતરી કેન્દ્રીય સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

બેઠક દરમિયાન સંત શ્રી વલ્લભકૃષ્ણજી સાથે જોડાયેલા સંવેદનશીલ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. આ મુદ્દે તાત્કાલિક કોઈ નિર્ણય લેવાને બદલે આગામી એકાદ વર્ષ સુધી પરિસ્થિતિ પર નજર રાખી, એટલે કે “વેઈટ એન્ડ વોચ”ની નીતિ અપનાવવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.

આ બેઠકની એક મહત્વપૂર્ણ ફળશ્રુતિ એ પણ કહી શકાય કે અગાઉ એકબીજાને મળવામાં પણ ખાસ ઉત્સાહ ન દાખવનારા ત્રણેય સંસ્થાના કેટલાક હોદ્દેદારો અને આગેવાનો એક જ સ્થળે સાથે બેઠા, પરસ્પર મળ્યા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંવાદ કર્યો. કદાચ આ વાત નાની લાગે, પરંતુ લાંબા સમયથી ચાલતા મતભેદોની પૃષ્ઠભૂમિમાં સંવાદ માટેનું આ પહેલું પગલું પણ ઘણું મહત્વ ધરાવે છે.

બેઠકમાં અન્ય અનેક પ્રશ્નો અંગે પણ વિગતવાર ચર્ચા અને જરૂરી ખુલાસાઓ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સર્વોદય ટ્રસ્ટના પ્રશ્ને પણ બંને પક્ષો વચ્ચે વાટાઘાટો શરૂ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જે આગળની પ્રક્રિયા માટે આશાસ્પદ બાબત ગણી શકાય.

જોકે 23 ઓગસ્ટની આ બેઠકને સમાજના તમામ મતભેદોનો અંત આવી ગયો છે એવું કહેવું હાલ વહેલું ગણાશે. હજુ કેટલાક પ્રશ્નો ચર્ચા, સંવાદ અને પરસ્પર સમજણ માગે છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે વાતચીતનો દરવાજો ફરી ખુલ્યો છે અને એકબીજાથી દૂર રહેલા લોકો એક ટેબલ પર આવીને ચર્ચા કરવા તૈયાર થયા છે.

સમાજમાં એકતા કોઈ એક બેઠકથી સ્થાપિત થતી નથી; તેના માટે સતત સંવાદ, વિશ્વાસ, પારદર્શિતા અને સમાજહિતને વ્યક્તિગત કે સંસ્થાકીય હિતથી ઉપર રાખવાની જરૂર પડે છે.

23 ઓગસ્ટની સંકલન બેઠક કદાચ અંતિમ મુકામ નથી, પરંતુ એક નવા સંવાદની શરૂઆત જરૂર બની શકે છે.

હવે સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજની નજર એ વાત પર રહેશે કે 23 ઓગસ્ટે શરૂ થયેલો આ સંવાદ આગળ કેટલો મજબૂત બને છે અને શું ત્રણેય સંસ્થાઓ ફરીથી એકબીજાની સાથે ખભેખભો મિલાવીને સમાજના વિકાસ માટે આગળ વધી શકે છે?

આજની ઘડીએ સમાજની એક જ અપેક્ષા છે—

મતભેદો ભલે હોય, પરંતુ મનભેદો દૂર થાય; સંસ્થાઓ અલગ હોય, પરંતુ સમાજ એક રહે; અને અંતે જીત કોઈ વ્યક્તિ કે સંસ્થાની નહીં, પરંતુ સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજની થાય.

નખત્રાણામાં ગુંજ્યો દેશભક્તિનો નાદ 🇮🇳 પાટીદાર વિદ્યાર્થી ભવનમાં આઝાદી પર્વની ભવ્ય ઉજવણી🔥https://youtu.be/JPDUEFYd9q0?si=...
15/08/2026

નખત્રાણામાં ગુંજ્યો દેશભક્તિનો નાદ 🇮🇳 પાટીદાર વિદ્યાર્થી ભવનમાં આઝાદી પર્વની ભવ્ય ઉજવણી🔥
https://youtu.be/JPDUEFYd9q0?si=Op6hKDpZt_o5YG7x

કચ્છ કડવા પાટીદાર સમાજે ઉજવ્યો આઝાદીના 80 મા પર્વનો જશ્ન

કચ્છનો હિમાલય 🔥 ધીણોધર બન્યું વીકએન્ડનું ફેવરિટ ડેસ્ટિનેશન! 🌿 વરસાદ બાદ કુદરત સોળે કળાએ ખીલીhttps://youtu.be/dT-mWioEz3c...
13/08/2026

કચ્છનો હિમાલય 🔥 ધીણોધર બન્યું વીકએન્ડનું ફેવરિટ ડેસ્ટિનેશન! 🌿 વરસાદ બાદ કુદરત સોળે કળાએ ખીલી
https://youtu.be/dT-mWioEz3c?si=5jjehfbMOFQwueSm

ધીણોધરે ઓઢી લીલી ચાદર! 💚 લીલાછમ્મ ડુંગર વચ્ચે કુદરતનો અદ્દભુત નજારો

₹1100 કરોડની રેલવે તૈયાર, છતાં 2 વર્ષથી પેસેન્જર ટ્રેન નહીં! 🚊 ભુજ-નલિયા રૂટની આ છે સચ્ચાઇ 🔥https://youtu.be/idggVaoyr6g...
11/08/2026

₹1100 કરોડની રેલવે તૈયાર, છતાં 2 વર્ષથી પેસેન્જર ટ્રેન નહીં! 🚊 ભુજ-નલિયા રૂટની આ છે સચ્ચાઇ 🔥
https://youtu.be/idggVaoyr6g?si=5b9qWnL4HBI5JbCJ

માલગાડી દોડી રહી છે...પરંતુ પેસેન્જર ટ્રેન કેમ નથી? 🤔 ભુજ–નલિયા રેલવેનો મોટો સવાલ
ભુજ-નલિયા રેલ્વે રૂટ પરના 10 સ્ટેશનો જુએ છે પ્રથમ પેસેન્જરની રાહ!

Address

Bhuj-Lakhapat Highway
Nakhtrana
370615

Opening Hours

Monday 9:30am - 12:30pm
3:30pm - 7:30pm
Tuesday 9:30am - 12:30pm
3:30pm - 7:30pm
Wednesday 9:30am - 12:30pm
3:30pm - 7:30pm
Thursday 9:30am - 12:30pm
3:30pm - 7:30pm
Friday 9:30am - 12:30pm
3:30pm - 7:30pm
Saturday 9:30am - 12:30pm
3:30pm - 7:30pm

Telephone

+919825639106

Alerts

Be the first to know and let us send you an email when Patidar Saurabh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Patidar Saurabh:

Shortcuts

Share