Patidar Saurabh

Patidar Saurabh છેલ્લા ૩૦ વર્ષથી કચ્છી કડવા પાટીદાર સ?

મા નું તેડું 🚩 વાંઢાયમાં “ઉમિયા પ્રાગટ્ય” કથાના પ્રારંભે નીકળી ભવ્ય પોથીયાત્રા🛕 🔥https://youtu.be/0LteOTbxzDQ?si=4bBnASg...
26/05/2026

મા નું તેડું 🚩 વાંઢાયમાં “ઉમિયા પ્રાગટ્ય” કથાના પ્રારંભે નીકળી ભવ્ય પોથીયાત્રા🛕 🔥
https://youtu.be/0LteOTbxzDQ?si=4bBnASgnJ26EUxth

પોથીયાત્રામાં ઉમિયા ભક્તોની ઉમટી પડેલી ભક્તિભાવભીની હાજરી 🔷 વ્યાસાસને છે કથાકાર હરેશભાઈ જોષી 👏

અભિયાન મેગેઝિનમાં સગપણ સમસ્યાના ઉકેલ માટે વિથોણ પાટીદાર સમાજે લીધેલા નિર્ણય બાબતે વિશેષ લેખ 🦚 🔥
26/05/2026

અભિયાન મેગેઝિનમાં સગપણ સમસ્યાના ઉકેલ માટે વિથોણ પાટીદાર સમાજે લીધેલા નિર્ણય બાબતે વિશેષ લેખ 🦚 🔥

😊 1973 ના બેન્ચની મિત્રતા ફરી બની યાદોની મહેફિલ 🕰️ ૫૦ વર્ષ પછી પણ યથાવત્ રહ્યો શાળાકાળનો રંગ ♥️ભુજ ખાતે આવેલ માકપટ જૈન ગ...
23/05/2026

😊 1973 ના બેન્ચની મિત્રતા ફરી બની યાદોની મહેફિલ 🕰️ ૫૦ વર્ષ પછી પણ યથાવત્ રહ્યો શાળાકાળનો રંગ ♥️

ભુજ ખાતે આવેલ માકપટ જૈન ગુર્જર સમાજવાડીમાં નખત્રાણા કે.વી. હાઈસ્કૂલના વર્ષ ૧૯૭૩ની બેચના પૂર્વ વિદ્યાર્થીઓનું સહપરિવાર સ્નેહમિલન ભાવભીનાં અને યાદગાર વાતાવરણ વચ્ચે યોજાયું હતું. વર્ષો બાદ એક જ છત નીચે ભેગા થયેલા સહઅધ્યાયીઓએ શાળા જીવનની મીઠી યાદોને ફરી તાજી કરી દીધી હતી.

કચ્છ ઉપરાંત રાજ્ય બહાર અને દેશના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા પૂર્વ વિદ્યાર્થીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. “વીતેલા વર્ગખંડની વાતો” વિષયને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ મિલન સમારોહમાં ક્યારેક વર્ગખંડમાં ગુંજતા હાસ્યના પડઘા, શિક્ષકોની શિસ્તભરી સમજણ, મિત્રતાના નિર્દોષ પ્રસંગો અને શાળા જીવનની અમૂલ્ય ક્ષણો ફરી જીવંત બની ઊઠી હતી.

ઉપસ્થિત પૂર્વ વિદ્યાર્થીઓએ લાગણીસભર શબ્દોમાં જણાવ્યું હતું કે, શાળા કાળના આવા મેળાવડા માત્ર મુલાકાત પૂરતા નથી રહેતા, પરંતુ પરસ્પર સંબંધોને વધુ ગાઢ બનાવે છે અને સામાજિક નેટવર્કને નવી ઉર્જા આપે છે. “આપણી સ્કૂલ, આપણી ઓળખ” જેવી લાગણી આજે પણ સૌના હૃદયમાં અડગ છે, તેવો ભાવ દરેકના ચહેરા પર સ્પષ્ટ ઝળહળી રહ્યો હતો.

આ પ્રસંગે શાળાના તત્કાલીન આદર્શ શિક્ષક મણિલાલ ઠક્કરનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ભરતભાઈ અંજારિયા સહિત તે સમયના શિક્ષકોએ શુભેચ્છા પાઠવી પૂર્વ વિદ્યાર્થીઓના આ અનોખા મિલનને બિરદાવ્યું હતું. સન્માન વિધિમાં ભરત જોશી, ચંદ્રકાંત મહેતા, મોહનભાઈ પટેલ, હરેશ વ્યાસ અને પ્રેમજીભાઈ ભગત જોડાયા હતા.

કાર્યક્રમના કન્વીનર સી.આઈ. મહેતા તથા તેમના ધર્મપત્ની ધનલક્ષ્મીબેનના આયોજન અને લાગણીસભર આતિથ્યથી સૌ ભાવવિભોર બન્યા હતા. પૂર્વ વિદ્યાર્થીઓ અને પરિવારજનોએ તેમનું વિશેષ સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો.

શાંતિલાલ સોની, હરિલાલ કેસરાણી, રજનીકાંત પંડ્યા, પુરુષોત્તમ પટેલ, ચંદુલાલ જોશી, ઈશ્વરલાલભાઈ પટેલ, ગિરધર પાયેક, વસંતદાન ગઢવી, પ્રવિણભાઈ, કમળાબેન કેસરાણી, ઉર્મિલાબેન અને કમળાબેન પલણ સહિતના ઉપસ્થિતોએ પોતાના શાળા જીવનના રસપ્રદ અને ભાવુક સંસ્મરણો વહેંચતાં સમગ્ર વાતાવરણને લાગણીમય બનાવી દીધું હતું.

વર્ષો પછી મળેલા મિત્રોના ચહેરા પર ખુશીની ચમક અને આંખોમાં ઝળહળતી સંભારણાઓની ભીનાશ એ સાબિત કરી ગઈ કે — સમય ભલે આગળ વધી જાય, પરંતુ શાળા જીવનની યાદો હંમેશા દિલમાં જીવંત રહેતી હોય છે.

જય ગૌ માતા  🚩શ્રી નખત્રાણા ગૌ સેવા કેન્દ્રના 41 મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે હવન અને ગૌ માતાની આરતી યોજાઈ 🔥https://youtu.b...
22/05/2026

જય ગૌ માતા 🚩શ્રી નખત્રાણા ગૌ સેવા કેન્દ્રના 41 મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે હવન અને ગૌ માતાની આરતી યોજાઈ 🔥
https://youtu.be/hiHzHve0CaM?si=d-U8F_OseC0VQZKh

ખુદ બે ગાયો પાળતા અબડાસાના ગૌ પ્રેમી MLA પ્રદ્યુમનસિંહ જાડેજાએ કાર્યક્રમમાં શું કહ્યું? 🤔

જ્યારે અચાનક જ જગનમાં આવેલા વૉલિન્ટીઅર્સે એંઠવાડ ઉપાડવાની ના પાડી દીધી! 🤔કચ્છના કોઈ પાટીદાર ગામમાં મંદિરનો પ્રાણપ્રતિષ્ઠ...
20/05/2026

જ્યારે અચાનક જ જગનમાં આવેલા વૉલિન્ટીઅર્સે એંઠવાડ ઉપાડવાની ના પાડી દીધી! 🤔

કચ્છના કોઈ પાટીદાર ગામમાં મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ (જેને અગાઉ જગન કહેતા) હોય... પાંચાડાના ગામો ધુઆબંધ હોય... હજજારો લોકો ઉમટી પડ્યા હોય અને આ બધા માહોલ વચ્ચે જગનમાં સેવા આપવા આવેલા સ્વયંસેવકો (વૉલિન્ટીઅર્સ) અચાનક જ એંઠવાડ ઉપાડવાની ના પાડી દે, એવું બને ખરું?

હા, એવું બન્યું છે ! હાલમાં જ જે ગામમાં અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ તે પલીવાડ ગામમાં!! 60 વર્ષ પહેલાંની એ ઘટના શું હતી? જાણો...

આ ફોટો 1965 નો પલીવાડ સમાજના ઉત્સવનો છે...પલીવાડ લક્ષ્મીનારાયણ મંદિરનો મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી યોજાયો હતો જેમાં પાંચાડાની પાટીદારની તમામ સમાજોને જાહેર આમંત્રણ આપેલ હતું..

આ ઉત્સવ હતો એના ત્રણ દિવસ પહેલા સારો એવો વરસાદ પડ્યો હતો એના કારણે આજુબાજુ વિસ્તારના ખેડૂતો વાડીમાં વધારે કામગીરી ન હોતા ધારણા કરતા વધારે મોટી સંખ્યામાં સમાજજનો પલીવાડ પ્રોગ્રામમાં ઉત્સાહ સાથે પહોંચ્યા હતા.. ધારણા કરતાં વધુ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોવા છતાં કાર્યકરોએ જમવાના આયોજનમાં તરત જ સંખ્યા મુજબ વ્યવસ્થા પણ કરી દીધી હતી..

આ પ્રોગ્રામ માટે આજુબાજુના 37 ગામોમાંથી સ્વયંસેવકો બોલાવેલા હતા જેના સ્વયંસેવકના કેપ્ટન (કન્વીનર) દાનાભાઈ ડાયાભાઈ ચોપડા (ડી. ડી. ચોપડા , કલકતાવાળા) હતા...સ્વયંસેવકોને અલગ અલગ જવાબદારી બાટવાની જવાબદારી પણ તેમની હતી...

જવાબદારી બાટતા સમયે જમણવાર સમયે એઠ ઉપાડવાની જવાબદારી આપવાની ચર્ચા સમયે કન્વીનરના મોઢેથી એકાદ વિવાદિત શબ્દ નીકળતા મોટો વિવાદ સર્જાયો હતો. જેના પગલે કોઈ પણ ટીમ જમણવારમાં એઠ ઉપાડવા તૈયાર ન હતા..

આ વિવાદ એટલી હદ સુધી વધ્યો કે પાઘડી ઉતારી માફી માંગે તો પણ માફી નહીં મળે તેવું ઉગ્ર વાતાવરણ બની ગયું હતું...મંચ પરથી વારાફરતી કેટલાક જવાબદાર ભાઈઓ માઇકમાં સમજાવવા પ્રયત્ન કર્યો પણ સ્વયંસેવકો ઉપર તેની કોઈ અસર ન થઈ...

આ વિવાદ ચાલુમાં હતો ત્યારે નખત્રાણા પાટીદાર યુવક મંડળની ટીમ સ્થળે થોડી મોડી પહોંચી... નખત્રાણા યુવક મંડળની ટીમે આખો વિવાદ બે-ત્રણ મિનિટમાં જ સમજી લીધો અને નખત્રાણા યુવક મંડળના કેપ્ટન પ્રેમજીભાઈ નાગજીભાઈ રૈયાણીએ ટીમ સાથે સંકલન કરી તરત જ મંચ પર પહોંચ્યા અને માત્ર બે મિનિટનું સંબોધન કરી, થયેલ ભૂલ બાબતે કેપ્ટન વતી માફી માગી...ભૂલ સ્વીકારી અને જમણવારાની એઠ ઉપાડવાની જવાબદારી નખત્રાણા પાટીદાર યુવક મંડળે સ્વીકારી લીધી છે એવું કહેતા જ આખો માહોલ શાંત પડવા લાગ્યો..

પ્રેમજીભાઈ રૈયાણી મંચ પરથી નીચે ઉતરતી વખતે વાલદાસજી મહારાજે પ્રેમજીભાઈને પાછા બોલાવ્યા...વાલદાસજી મહારાજની આંખો ભીની હતી , ભીની આંખે કહ્યું, "અત્યારે જરૂર કોઈ કાળ ચોઘડિયું હશે, નહીં તો પાટીદાર સમાજમાં આવો વિવાદ ક્યારેય ન થાય..."

અંતે ઉત્સવ સારી રીતે પૂર્ણ થયો. બાદ નખત્રાણા પાટીદાર યુવક મંડળની ટીમ નખત્રાણા જવા રવાની થઈ ગઈ ત્યારે એમને ઉભા રખાવી પાછા બોલાવવામાં આવ્યા અને ટીમની યાદગારી માટે આ ઐતિહાસિક ફોટો પાડેલ..

માહિતી અને ફોટો સૌજન્ય:
🎤પ્રેમજીભાઈ નાગજીભાઈ રૈયાણી
✍🏻પિયુષ પ્રેમજી રૈયાણી

જય પાટીદાર 🚩પલીવાડના અમૃત મહોત્સવમાં સર્જાયો સામાજિક ત્રિવેણી સંગમ 🔥 કેન્દ્રીય સમાજની ગૌરવમય ઉપસ્થિતિhttps://youtu.be/-0...
17/05/2026

જય પાટીદાર 🚩પલીવાડના અમૃત મહોત્સવમાં સર્જાયો સામાજિક ત્રિવેણી સંગમ 🔥 કેન્દ્રીય સમાજની ગૌરવમય ઉપસ્થિતિ
https://youtu.be/-0i0hEW4nAc?si=HawLFvLg-HdlnupO

એક જ મંચ પર સમાજનું અદ્દભૂત શક્તિપ્રદર્શન 💪 ફોટો ગેલેરીએ પલીવાડના ઈતિહાસની ઝાંખી કરાવી 🍀

પલીવાડના અમૃત મહોત્સવનો ભવ્ય શોભાયાત્રા સાથે ધમાકેદાર પ્રારંભ 🔥 સર્વત્ર ઉત્સાહ અને ઉમંગનો માહોલ 🌿  🚩https://youtu.be/ahE...
15/05/2026

પલીવાડના અમૃત મહોત્સવનો ભવ્ય શોભાયાત્રા સાથે ધમાકેદાર પ્રારંભ 🔥 સર્વત્ર ઉત્સાહ અને ઉમંગનો માહોલ 🌿 🚩
https://youtu.be/ahEsrWsHXjQ?si=8ySLwBnRXO1cBGxA

શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરને 75 વર્ષ પૂર્ણ થતાં તેનો ચાર દિવસીય અમૃત મહોત્સવ 15 થી 18 મે ના ઉજવાઈ રહ્યો છે. સાથે મહિલા મંડળની રજત જયંતિ પણ ઉજવાઈ રહી છે.

જ્યારે કચ્છમાં ઉખેડાની ધરતી પર વિરાંગના રાણી ચૅન્નમ્માના દર્શન થયા...!  🚩🔥https://www.facebook.com/share/p/1KgYUxzRN8/
13/05/2026

જ્યારે કચ્છમાં ઉખેડાની ધરતી પર વિરાંગના રાણી ચૅન્નમ્માના દર્શન થયા...! 🚩🔥
https://www.facebook.com/share/p/1KgYUxzRN8/

https://www.facebook.com/share/p/17brhBEeYe/સમાજનું ગૌરવ બની ઈશાની લીંબાણી 🌿 સરદારધામ વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીન...
12/05/2026

https://www.facebook.com/share/p/17brhBEeYe/

સમાજનું ગૌરવ બની ઈશાની લીંબાણી 🌿 સરદારધામ વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત વખતે કચ્છની દીકરીનો દમદાર દેખાવ 🔥

કચ્છ કડવા પાટીદાર સમાજ સાથે સંકળાયેલા અને સમાજની યુવા પ્રતિભા તરીકે ઉભરી રહેલા કુ. ઈશાની લીંબાણી હાલમાં સરદારધામ ખાતે Mass Media Relation Manager તેમજ Skill Development Center ના વડા તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે.

તારીખ 11 મે, 2026ના રોજ વડોદરા ખાતે યોજાયેલા સરદારધામ-3 ના લોકાર્પણ પ્રસંગે દેશના માનનીય વડાપ્રધાન Narendra Modi તથા ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patel ઉપસ્થિત રહ્યા હતા. આ VVIP મુલાકાત દરમિયાન ઈશાની લીંબાણીએ સરદારધામના સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન, બિલ્ડીંગ વિઝિટ, બ્રીફિંગ અને સમગ્ર કેમ્પસ મુલાકાતનું સફળ સંકલન કર્યું હતું.

તેમની દક્ષતા, આત્મવિશ્વાસ અને કાર્યપ્રતિની સમર્પિત ભાવનાએ ઉપસ્થિત મહાનુભાવો તેમજ સમાજજનોમાં વિશેષ પ્રભાવ પેદા કર્યો હતો. આ સમગ્ર પ્રસંગ માત્ર ઈશાની લીંબાણી માટે જ નહીં પરંતુ સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ માટે પણ ગૌરવની ક્ષણ બની રહ્યો છે.

Mass Media Communication વિષયમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરનાર ઈશાની પોતાના ક્ષેત્રમાં સતત મહેનત, સંકલ્પ અને ઉત્સાહ સાથે આગળ વધી રહ્યા છે. તેમની કાર્યક્ષમતા અને નેતૃત્વ ક્ષમતાએ યુવા પેઢી માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

કુ. ઈશાની ગીતા નરસિંહભાઈ લીંબાણી અમદાવાદ સ્થિત “બંધુપ્રેમ પરિવાર” સાથે સંકળાયેલા છે અને મૂળ કચ્છના સિયોત ગામના પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. સમાજસેવા અને સંસ્થાકીય કાર્યમાં તેમની સક્રિય ભૂમિકાને કારણે આજે તેઓ સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજનું નામ ગૌરવભેર ઉજાગર કરી રહ્યા છે.

દર્દીઓને હવે રાહત 🩺 નખત્રાણાની દેવાશિષ હોસ્પિટલનો વધુ એક સેવાયજ્ઞ 🩸 બ્લડ સ્ટોરેજ સેન્ટરનું લોકાર્પણhttps://youtu.be/Colz...
11/05/2026

દર્દીઓને હવે રાહત 🩺 નખત્રાણાની દેવાશિષ હોસ્પિટલનો વધુ એક સેવાયજ્ઞ 🩸 બ્લડ સ્ટોરેજ સેન્ટરનું લોકાર્પણ
https://youtu.be/Colzn1Hbwro?si=QSRvIS-6oIDe8ouh

હવે ઈમરજન્સીમાં ભુજ દોડવાની જરૂર નહીં 🚑 પશ્ચિમ કચ્છ માટે આશીર્વાદરૂપ સેવા

ઉખેડા પાટીદાર સમાજની પ્રગતિનું SECRET 🤯 ક્યાંય દાતાનું નામ નથી! તકતી પણ નહીં! સન્માન પણ નહીં! 🔥https://youtu.be/0HUc1Q3A...
10/05/2026

ઉખેડા પાટીદાર સમાજની પ્રગતિનું SECRET 🤯 ક્યાંય દાતાનું નામ નથી! તકતી પણ નહીં! સન્માન પણ નહીં! 🔥
https://youtu.be/0HUc1Q3Abzk?si=iUNz3D4hVSA542Gr

સ્વાધ્યાય પરિવારના પૂ.પાંડુરંગ શાસ્ત્રીના વિચારો ઉખેડા ગામના ભાઈઓએ બરાબર પચાવ્યા છે🛕

Address

Bhuj-Lakhapat Highway
Nakhtrana
370615

Opening Hours

Monday 9:30am - 12:30pm
3:30pm - 7:30pm
Tuesday 9:30am - 12:30pm
3:30pm - 7:30pm
Wednesday 9:30am - 12:30pm
3:30pm - 7:30pm
Thursday 9:30am - 12:30pm
3:30pm - 7:30pm
Friday 9:30am - 12:30pm
3:30pm - 7:30pm
Saturday 9:30am - 12:30pm
3:30pm - 7:30pm

Telephone

+919825639106

Alerts

Be the first to know and let us send you an email when Patidar Saurabh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Patidar Saurabh:

Share