Live Dayro

Live Dayro લાઈવ કથા,ભજન,ડાયરો, આપણા ગુજરાતની સંસ્કૃતિ

05/09/2025

🔴LIVE🔴ભવ્ય લોક ડાયરો-Ganpati Mahotsav Day 10

01/09/2025

લાઈવ ડાયરો નેજા ઉત્સવ ૨૦૨૫ નકલંકધામ તોરણીયા તા: ધોરાજી જી: રાજકોટ

23/08/2025

Live : સ્વ.શબ્બીર ઉસ્તાદને શ્રદ્ધાંજલિ | Rajkot | Live Santvani Dayro

Nice pic
11/08/2025

Nice pic

વાયક આવ્યાં રે સંતો દો જણાં ત્રીજું કેમ સમાય રે?પંથ ઘણો ને જાવું એકલું, પાળા કેમ ચલાય રે? શબદુંના બાંધ્યા સંતો કેમરે’વે ...
27/05/2025

વાયક આવ્યાં રે સંતો દો જણાં ત્રીજું કેમ સમાય રે?
પંથ ઘણો ને જાવું એકલું, પાળા કેમ ચલાય રે?
શબદુંના બાંધ્યા સંતો કેમરે’વે હાં ! સાધ હોય ઈ સંતો કેમ રે’વે.
સોનલા-કટારી સતીએ કર ધરી, પાળી માંડી છે પેટ.
કૂખ છેદી, કુંવર જલમિયો; એ જી જનમ્યો માઝમ રાત – શબદુંના
હીરની દોરીનો બાંધ્યો હીંચકો, બાંધ્યો આંબા કેરી ડાળ;
પવન-હીંચોળા હરિ મિકલે. આતમ તારો ઓધાર. – શબદુંના
બાઈ પાડોશણ મારી બે’નડી! રોતાં રાખ્યે નાનાં બાળ;
અમારે જાવું ધણીને માંડવે, તારા કે’ શું ઝાઝા રે જુવાર. – શબદુંના
ત્યાંથી તોળી રાણી ચાલિયાં, આવ્યાં વનરા મોજાર,
વનમાં વસે એક વાંદરી, ઠેકે મોટેરા ઠેક રે. – શબદુંના
ત્યારે તોળી રાણી બોલિયાં સાંભળો વનરાના રાય!
ઉરે રે વળગાડી તારાં બચળાં રખે રે ભૂલતી તું ચોટ. – શબદુંના
મારાં રે બચળાં મારી ઉરમાં, તોળી રાણી, તારાં તો સંભાળ;
કોળિયા અન્નને કારણે પૂતર મેલ્યો આંબાની ડાળ. – શબદુંના
પૂતર સંભાર્યો, પાનો ચડ્યો; પ્રાણમાં વાધી છે પીડ,
થાન હતાં તે સતીનાં થરહર્યાં. પડતાં છોડિયા છે પ્રાણ. – શબદુંના
મોટ બાંધીને માથે ધર્યો, ચાલ્યા ધણીને દુવાર,
એકલડા પંથ ન ઊકલે, બેદલ થિયો મારો બેલી. – શબદુંના
ગતમાં ઉતારી ગાંસડી; ગત કાંઈ કરે છે આરાધ;
સામા મોહોલ મહારાજના દીપક રચિયેલ ચાર. – શબદુંના
તમારે જાગ્યે જામો જામશે; બોલિયા જેસલ રાય
સાસટિયા કાઠીની વિનતિ: જાગો તોળલદે નાર. – શબદુંના

કલિયુગ કેવો હોય?એક વખત યુધિષ્ઠિર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કલિયુગમાં માણસ કેવ...
15/04/2025

કલિયુગ કેવો હોય?
એક વખત યુધિષ્ઠિર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કલિયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કલિયુગમાં કેવી સ્થિતિ પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી...
અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયું તો આશ્ચર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલું દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી....
ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયું. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાયું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ?
નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ આમ છતાં પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યું. હવે તો નાના બચ્ચાની કોમળ ચામડીમાંથી લોહી નીકળવા લાગ્યુ તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યું.
સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્ચર્યજનક ઘટના જોઇ. કોઇ મોટા પર્વત પરથી શિલા નીચે પડી રહી હતી. નીચે ગબડતી આ શિલા રસ્તામાં આવતા નાના-મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શિલા અટકી ગઇ. ..
ચારે પાંડવોએ પરત આવીને એમણે જોયેલી ઘટનાની વાત ભગવાન શ્રીકૃષ્ણને કરી અને એનો મતલબ સમજાવવા વિનંતી કરી. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ કે આ ચારે ઘટના કલિયુગમાં કેવી સ્થિતિ હશે તે બતાવે છે. ચારે ઘટનાના અર્થ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે:
(૦૧) અર્જુનને કહે છે કે કલિયુગમાં સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલાં જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દુર કરવાના બહાને એનું શોષણ કરશે.
(૦૨) ભીમને કહે છે કે ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા છતાં બાજુમાં જ રહેલા કોરા કુવાને એક ટીપું પાણી આપતા ન હોતા એમ કલિયુગમાં અમીરોને ત્યાં સંપત્તિની રેલમછેલ હશે પણ એ એક પૈસો પણ આજુબાજુની જરૂરીયાતમંદ વ્યક્તિઓને નહી આપે.
(૦૩) નકુલને કહે છે કે ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી નાંખી તેમ કલિયુગમાં મા-બાપ પોતાના સંતાનોને જરુરથી વધારે લાડ લડાવીને માયકાંગલા કરી નાંખશે અને પોતાના જ સંતાનોને હાનિ પહોંચાડશે.
(૦૪) સહદેવને કહે છે કે પર્વત પરથી પડતી શિલાની જેમ કલિયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહેશે. નીચે પડતા આ ચારિત્ર્યને બીજુ કોઇ નહી અટકાવી શકે પણ જો માત્ર સત્સંગરૂપી નાનો છોડ હશે તો એનાથી ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે.
કૃષ્ણની આ વાત સાંભળીને ચારે પાંડવોને કલિયુગમાં કેવી સ્થિતિ હશે તે બરોબર સમજાઈ ગયું.
આજે આપણે પણ ભગવાન શ્રીકૃષ્ણએ બતાવેલા અર્થ સાથે સંમત થઈશું. બરાબર ને?

લોકપ્રીય ગાયક કલાકાર એવાં પૂનમબેન ગઢવી માટે આજે  લાઇક આપશો...આજનો ફોટો ❤️💙💜💚💛🩵❤️                                        ...
15/04/2025

લોકપ્રીય ગાયક કલાકાર એવાં પૂનમબેન ગઢવી માટે આજે લાઇક આપશો...

આજનો ફોટો ❤️💙💜💚💛🩵❤️

કલાકાર લાઈક અને કોમેન્ટ આપશો
11/04/2025

કલાકાર લાઈક અને કોમેન્ટ આપશો

માયાભાઈ આહીર ની ગાડી રસ્તા મા કોને રોકી !
09/04/2025

માયાભાઈ આહીર ની ગાડી રસ્તા મા કોને રોકી !

જીંદગી ની સફર તો તદન મફત છે ....
16/01/2025

જીંદગી ની સફર તો તદન મફત છે ....

06/01/2025

Hi everyone! 🌟 You can support me by sending Stars - they help me earn money to keep making content you love.

Whenever you see the Stars icon, you can send me Stars!

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Live Dayro posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category