21/07/2026
નીટ પરીક્ષા મુદ્દે દિલ્હીના જંતર-મંતર પર સીજેએપી દ્વારા ચાલુ આંદોલન શાંત થવાનું નામ નથી લેતું. આ વચ્ચે સોમવારે પ્રદર્શનકારીઓ પર થયેલા લાઠીચાર્જ બાદ દેશભરમાં લોકો સોનમ વાંગચુકના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા છે.
આ પરિસ્થિતિ વચ્ચે સુરતમાં પણ યુવાનો દ્વારા સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મંગળવારે ઉધના વિસ્તારમાં પોલીસની નજરથી બચીને પ્રદર્શનકારીઓએ ઉધના દક્ષેશ્વર મંદિર પાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પુતળા દહન કર્યા.
ઉધના પોલીસને આ ઘટનાની જાણ થતા સુધી મોડું થઈ ગયું હતું અને પ્રદર્શનકારીઓ પુતળા સળગાવવામાં સફળ રહ્યા, જેના કારણે પોલીસ દોડધામમાં આવી ગઈ હતી.