04/06/2026
વડીલોના *"સેવામૂર્તિ શ્રવણ"* નું સન્માન સુરતના નવયુવાન અંકિત બુટાણીને શિરે
સુરત શહેરમાં વડીલો માટે વર્ષોથી નિઃસ્વાર્થ અને સમર્પિત ભાવથી સેવા આપી રહેલા ભેંસવડી ગામના નવયુવાન તથા સંસ્કૃતિધામ સંસ્થાના પ્રમુખ શ્રી અંકિત મગનભાઈ બુટાણીને વડીલ વંદના–5 કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો શ્રી કાનજીભાઈ ભાલાળા, શ્રી મનહરભાઈ સાસપરા, શ્રી ઘનશ્યામભાઈ શંકર તથા પૂજ્ય પી.પી. સ્વામીજીના હસ્તે **"સેવામૂર્તિ શ્રવણ"**નું બિરુદ વડીલ વંદના -5 પ્રસંગે અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી અંકિત બુટાણી અને તેમની સંસ્કૃતિધામ ટીમ દ્વારા આજદિન સુધી અંદાજે 7,000 જેટલા વડીલોને નિઃશુલ્ક વડીલ વંદના યાત્રા કરાવવામાં આવી છે, જેના કારણે હજારો વડીલોના જીવનમાં આનંદ, ઉત્સાહ અને આધ્યાત્મિક શાંતિનો સંચાર થયો છે.
વડીલ સેવા ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર કાર્ય તરીકે 100 જેટલા વડીલોને નિઃશુલ્ક હરિદ્વાર અને ઋષિકેશની યાત્રા પણ કરાવવામાં આવી હતી, જે વડીલો માટે જીવનભરની યાદગાર ભેટ બની રહી છે.
કોરોના મહામારી દરમિયાન પણ અંકિત બુટાણી અને તેમની ટીમે અદભૂત માનવસેવાનું કાર્ય કર્યું હતું. ગુજરાતનું સૌપ્રથમ કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરીને 400થી વધુ દર્દીઓને નિઃશુલ્ક રહેવા, જમવા તથા આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત, કોરોનાની પ્રથમ લહેર દરમિયાન 1,000થી વધુ પરિવારો સુધી નિઃશુલ્ક કરિયાણાની કીટ પહોંચાડવાની સેવા પણ કરવામાં આવી હતી.
સામાજિક સેવાઓની સાથે શ્રી અંકિત બુટાણી ટેક્સટાઇલ ક્ષેત્રના અગ્રણી યુવા ઉદ્યોગસાહસિક તરીકે પણ ઓળખ ધરાવે છે. વર્ષ 2007માં સાડીઓના એમ્બ્રોઇડરી જોબવર્કના નાના પાયાના વ્યવસાયથી શરૂઆત કરીને આજે તેઓ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નાની વયે કરોડો રૂપિયાના સફળ વ્યવસાયનું સંચાલન કરી રહ્યા છે.
વડીલ વંદના–5 કાર્યક્રમ દરમિયાન શ્રી મગનભાઈ રાજાભાઈ બુટાણી દ્વારા સંસ્કૃતિધામ સંસ્થાને **રૂ. 7,51,000/-**નું ઉદાર અનુદાન પણ અર્પણ કરવામાં આવ્યું હતું, જે રકમ વડીલ સેવા કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવશે.
વડીલોની સેવા, સમાજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાના કાર્યોને કારણે અંકિત બુટાણીને મળેલું **"સેવામૂર્તિ શ્રવણ"**નું સન્માન યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત બની છે.
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત
🚩સંસ્કૃતિધામ🚩