Round news

Round news Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Round news, News & Media Website, main road, Surendranagar district.

ઝાલાવાડ તથા આસપાસના વિસ્તારોના તાજા, સાચા અને વિશ્વસનીય સમાચાર માટે આપનું સ્વાગત છે.
અમે આપ સુધી પહોંચાડીએ છીએ –
✔️ સ્થાનિક સમાચાર
✔️ તાજી ઘટનાઓ
✔️ સામાજિક અને રાજકીય અપડેટ
✔️ શિક્ષણ, રોજગાર અને સરકારી યોજનાઓની માહિતી

અમારું ધ્યેય છે સાચી અને નિષ્પક્ષ મા

વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી**મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. કે. જાદવના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓ અને પદ...
04/06/2026

વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી*

*મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. કે. જાદવના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઈ*
*****************
*તા. ૦૫ થી ૨૧ જુન, ૨૦૨૬ દરમિયાન મહાનગરપાલિકા કક્ષાએ યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન અને સંકલન માટે જરૂરી માર્ગદર્શન અપાયું*
****************
*વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રગતિપથ યાત્રા, જનકલ્યાણ શિબિર અને વિશ્વ યોગ દિવસ સહિતના કાર્યક્રમોનું આયોજન

માનનીય વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરની સાથે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાએ પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમોની પૂર્વતૈયારી અને સુચારુ આયોજન માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. કે. જાદવના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે વિવિધ શાખા અધિકારીઓ, મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર શ્રી રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર શ્રી સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નીખિલભાઈ ચાંપાનેરી તેમજ શાસક પક્ષના નેતા તથા નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા તથા શહેર પ્રમુખ શ્રી દેવાંગભાઈ રાવલ, શ્રી વિપુલભાઈ ચૌહાણ અને જયભાઈ શાહ સહિતના પદાધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સોંપાયેલી જવાબદારીઓ અને કાર્યક્રમોના સફળ અમલીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આગામી તા. ૦૫/૦૬/૨૦૨૬ થી તા. ૨૧/૦૬/૨૦૨૬ દરમિયાન મહાનગરપાલિકા કક્ષાએ આ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોનું આયોજન અને સંકલન યોગ્ય રીતે થાય તેમજ રાજ્ય સરકારમાં તેનું સમયસર રિપોર્ટિંગ થઈ શકે તે હેતુથી તમામ અધિકારીઓને સોંપાયેલી કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા તાકીદ કરવામાં આવી હતી.

નાયબ મુખ્ય દંડકશ્રીએ આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે 'માઇક્રો મેનેજમેન્ટ' પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને દરેક કાર્યક્રમના ઝીણવટભર્યા આયોજન અને દરેક સ્તરે 'મહત્તમ લોકભાગીદારી' સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. સરકારની સિદ્ધિઓ શહેરીજનો સુધી પહોંચે તે માટે સઘન પ્રયાસો કરવા અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી આર. બી.પટેલ, સિટી ઈજનેર શ્રી કે. આર. ચૌહાણ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધ્રાંગધ્રા નગરપાલિકાના દંડક રાજેશભાઈ પટેલનું જિલ્લા ભાજપ મહામંત્રી,ઝોન પ્રભારી નરેશભાઈ પટેલ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને...
04/06/2026

ધ્રાંગધ્રા નગરપાલિકાના દંડક રાજેશભાઈ પટેલનું જિલ્લા ભાજપ મહામંત્રી,ઝોન પ્રભારી નરેશભાઈ પટેલ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને ધ્રાંગધ્રાના પ્રભારી જીગ્નાસાબેન નાયકે સન્માન કર્યું હતું.

04/06/2026

જય સ્વામિનારાયણ

04/06/2026

જીવનમાં ઉતારવા જેવી વઢવાણ સ્વામિનારાયણ મંદિરના સંતની વાત અવશ્ય સાંભળો

મોરબી અને ચોટીલાના બે શખ્સો બાઇકચોરીમાં ઝડપાયા
04/06/2026

મોરબી અને ચોટીલાના બે શખ્સો બાઇકચોરીમાં ઝડપાયા

પાટડીના ગેડીયાની શખ્સ બાઇકચોરીમાં ઝડપાયો
04/06/2026

પાટડીના ગેડીયાની શખ્સ બાઇકચોરીમાં ઝડપાયો

04/06/2026

વઢવાણ સ્વામિનારાયણ મંદિરના સંતને સાંભળો

ચોટીલા ડેપ્યુટી ક્લેક્ટરનો સપાટો ખનીજચોરી ઝડપીપવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે મોજે.દુધેલી, તાલુકો-ચોટીલા ખાત...
04/06/2026

ચોટીલા ડેપ્યુટી ક્લેક્ટરનો સપાટો ખનીજચોરી ઝડપી
પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે મોજે.દુધેલી, તાલુકો-ચોટીલા ખાતેથી ગેરકાયદેસર તાસ(મુરમ)નું ખનન, વહન કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા*

તારીખ : 04/06/2026ના રોજ બપોરના 11.30 વાગ્યાની આસપાસ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા અને તેમની ટીમ તથા મામલદારશ્રી ચોટીલા ની સંયુક્ત ટીમ દ્વારા
પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર ની પાછળ ભાગે દુધેલી ગામમાં આવેલ સરકારી સર્વે નંબર 242 વાળી જગ્યામાંથી ગેરકાયદેસર તાસ (મુરમ)નું ખનન, વહન કરતા નીચે મુજબના વાહન જપ્ત કરી કુલ રૂ.90,10,000/– ( અંકે રૂપિયા નેવુ લાખ દસ હજાર પુરા) નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે.

(1) એક હિટાચી મશીન
(2) ડમ્પર + 20 મે.ટન તાસ

ઉકત જપ્ત કરેલ મુદામાલ મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે.

આ ગેરકાદેસરની પ્રવૃત્તિ
*(1) અલ્પેશભાઈ ભગવાનભાઈ સાંમડ, (2) ગોવિંદભાઈ બી.સાંમડ રહે. બને ચોટીલા, તા. ચોટીલા* વાળા દ્વારા કરવામાં આવતી હતી.
વાહન માલિક અને ખોદાવનાર સામે ગુજરાત ખનીજ (ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવા) નિયમો, 2017 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર ની કાર્યવાહી તથા સાથે-સાથે ગેરકાયદેસર ખોદવામાં આવેલા ખાડાની માપણી કરી, આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

04/06/2026

ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે 90 લાખના મુદામાલ સાથે ખનીજચોરી ઝડપી

04/06/2026

સ્વછતા જાળવણી કરવાં સંદેશ

Address

Main Road
Surendranagar District

Website

Alerts

Be the first to know and let us send you an email when Round news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share