Alpa-viraam

Alpa-viraam અલ્પવિરામ - હિરણ્ય પંડ્યા પાઠકના વિચારવૃક્ષને છાંયડે | StoryTeller | Motivational Speaker | Blogger

ભારતીય વેદાંત શાસ્ત્રમાં એવું કહેવાય છે કે, આત્મા સો પરમાત્મા. એનો અર્થ એવો થાય છે કે, આ પૃથ્વી પર જેટલા પણ માણસો, પશુ પ...
05/09/2026

ભારતીય વેદાંત શાસ્ત્રમાં એવું કહેવાય છે કે, આત્મા સો પરમાત્મા. એનો અર્થ એવો થાય છે કે, આ પૃથ્વી પર જેટલા પણ માણસો, પશુ પક્ષીઓ અને વૃક્ષો છે, એ દરેક જીવનના અંશની અંદર પરમાત્મા સ્વયં આત્મ સ્વરૂપે બિરાજે છે.
તો ઈશ્વરની ભક્તિ કરવાનો સીધો અર્થ છે, સૌથી પહેલા દરેક જીવની અંદર કે દરેક મનુષ્યની અંદર એ, જે ઈશ્વરનું આત્મસ્વરૂપ બિરાજમાન છે, એને સન્માન આપવું અને એને પ્રેમથી આવકારવું.
અને એટલે જ હિન્દુ ધર્મમાં કહેવાયું છે કે, જનસેવા એ જ પ્રભુસેવા.

અમારા ઘરમાં બહુ નાનપણથી અમારા મમ્મીએ, અમને એવું શીખવ્યું છે કે,ભગવાનની ભક્તિ નિયમિત કરવી જરૂરી છે પણ, સૌથી પહેલા આપણી ફરજ કે આપણા કર્તવ્ય, પ્રેમથી નિભાવવા એ પણ એટલા જ જરૂરી છે.
આપણે રોજ સવારે બે કલાક પૂજા કરતા હોઈએ પણ, ઘરમાં કોઈ વ્યક્તિ બિમાર છે, તો આપણી પહેલી ફરજ છે એમને સમયે ગરમ નાસ્તો આપવો, દવાઓ આપવી અને એમની સેવા પહેલા કરવી. અને પછી ભગવાન પાસે બેસવું.
જો તમે ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ છે, એના હૃદયને દુઃખવીને ભગવાન પાસે એક કલાક પૂજા પાઠ કરશો તો, દુનિયાનો કોઈ ઈશ્વર એવી કરેલી પૂજા સ્વીકારતો નથી. આ વાત દરેક વ્યક્તિએ સૌથી પહેલા સમજતા શીખવી પડે.

ભક્તિનો સીધો અર્થ છે, દરેક વ્યક્તિ સાથે પ્રેમભર્યો વ્યવહાર કરવો અને દરેક વ્યક્તિની તકલીફને કે પીડાને સમજતા શીખવી. જો તમારા હૃદયમાં, બીજાની પીડાને સમજી શકવાની સમજણ કે દયા ભાવ નથી તો, તમે ગમે તેટલી જાત્રાઓ કરી લો કે ગમે તેટલી પૂજા કરી લો, તમને ઈશ્વરની પ્રાપ્તિ કે અનુભૂતિ ક્યારેય નહીં થાય.

દરેક વ્યક્તિ જો માનવતાનો આ ગુણ અપનાવીને જીવતા શીખી જાય તો, આપણા જીવનમાં ભક્તિ અને ઈશ્વરની કૃપા સાચા અર્થમાં ઉતરશે અને આ દુનિયા સાચા અર્થમાં સ્વર્ગ જેવી બની જશે.

જે શ્રી કૃષ્ણે, મીરાબાઈ અને નરસિંહ મહેતાની, જ્યારે જ્યારે સંકટ આવ્યા ત્યારે રક્ષા કરી અને એમની કૃષ્ણભક્તિની લાજ રાખી.. એ...
04/09/2026

જે શ્રી કૃષ્ણે, મીરાબાઈ અને નરસિંહ મહેતાની, જ્યારે જ્યારે સંકટ આવ્યા ત્યારે રક્ષા કરી અને એમની કૃષ્ણભક્તિની લાજ રાખી.. એ કૃષ્ણ આપણી પણ રક્ષા કરવા દોડી આવે. બસ શરત એટલી છે કે, આપણી શ્રદ્ધા પણ નરસિંહ મહેતા અને મીરાંબાઈ જેવી અડગ અને અડીખમ હોવી જોઈએ 💯

કૃષ્ણ પોતે ગીતામાં કહે છે કે, મારા ભક્તો માટે હું થોડો પક્ષપાતી છું અને જે મને પોતાનો માનીને, મારા શરણે આવે છે, એની બધી ચિંતાઓ હું ચોક્કસ ઉપાડી લઉં છું.
તો ચાલો..
આવા ભક્તવત્સલ શ્રી કૃષ્ણના પ્રાગટ્ય દિવસે, આપણી બધી ચિંતાઓ એમના ચરણે અને શરણે સોંપી દઈએ... જય શ્રી કૃષ્ણ 🙏🙏

02/09/2026

😅😄😄😄🥰

આજના સમયમાં લગ્ન જીવનમાં પ્રશ્નો ઘરે-ઘરે વધતા જાય છે અને એનું એક બહુ મહત્વનું કારણ છે - બેજવાબદારી. લગ્નની ઉંમરે પહોંચના...
31/08/2026

આજના સમયમાં લગ્ન જીવનમાં પ્રશ્નો ઘરે-ઘરે વધતા જાય છે અને એનું એક બહુ મહત્વનું કારણ છે - બેજવાબદારી.
લગ્નની ઉંમરે પહોંચનાર છોકરો કે છોકરીને, એમના મમ્મી પપ્પા, લગ્ન પછી જે જવાબદારી એમણે પતિ કે પત્ની તરીકે ઉઠાવવાની છે, એના માટે માનસિક રીતે તૈયાર નથી કરતા. અને આના લીધે, લગ્ન થયા પછી પણ, એક પતિ બનનાર છોકરો, લગ્ન પહેલા જેમ પોતાની રીતે રહેતો હતો, એમ જ લગ્ન પછી પણ રહેવાની ઈચ્છા ધરાવે છે. અને એ જ રીતે, પત્ની બનનાર છોકરીમાં પણ, ખાસ કંઈ સમજણ કે જવાબદારી લેવાની વૃત્તિ જોવા નથી મળતી.
અને જ્યાં, પતિ પત્ની બનનાર છોકરો અને છોકરીમાં, સમજણ ન હોય કે જવાબદારી લેવાની વૃત્તિ ન હોય, ત્યાં લગ્ન કર્યા પછી પણ એમના લગ્ન જીવનમાં ક્યારેય શાંતિ નહીં આવે. કેમકે સુખી લગ્ન જીવન બનાવવું પડે છે, પતિ પત્નીએ રોજબરોજના પ્રયત્નો દ્વારા.

એટલે આજના લગ્ન જીવનના પ્રશ્નોના મૂળ, મારી દ્રષ્ટિએ દરેક છોકરો અને છોકરીના માતા-પિતા દ્વારા કરાતા, બેજવાબદાર ઉછેરમાં છે.
આજથી બે પેઢી પહેલા, જ્યારે દીકરો કે દીકરી વીસ કે 22 વર્ષે પહોંચતા અને લગ્નની વાત શરૂ થતી, તો માતા-પિતા દીકરાને અને દીકરીને માનસિક રીતે લગ્ન પછી આવનારી જવાબદારીઓ માટે તૈયાર કરતા. પણ આજકાલના, બાળકોને માથે ચડાવવામાં માનનારા માતા પિતાઓ, પોતાની દીકરીને અને પોતાના દીકરાને, એક રાજકુમાર કે રાજકુમારી માનીને જ ઉછેરે છે. એમના દરેક ખોટા લાડકોડ, ખોટી રીતે પૂરા કરવામાં આવે છે. અને એટલે જ, લગ્ન કર્યા પછી પણ આવા ખોટી રીતે, ખોટા લાડમાં મોટા થયેલાં, છોકરા છોકરીઓ સારા પતિ કે પત્ની નથી બની શકતા. કેમ કે એમને એમના પતિ કે પત્ની માટે, જરા પણ તકલીફ નથી લેવી કે જરા પણ એડજસ્ટ નથી થવું.

તો આજના સમયમાં, દરેક માતા પિતાની પણ જવાબદારી બને છે કે, યુવાનીના ઉંબરે ઊભેલા પોતાના દીકરાને તેમજ દીકરીને, લગ્ન પહેલા સમજદાર બનાવે અને જવાબદાર બનાવે. અને લગ્ન થયા પછી પતિ-પત્ની તરીકે એમને, એમના લગ્ન જીવનની જવાબદારી ઉપાડવા દે. તમારો દીકરો અને તમારી દીકરી, પતિ પત્ની બને પછી તમારે પાછળ ખસતા શીખવું પડે અને, એ પતિ-પત્નીને એમના લગ્ન જીવનના પ્રશ્નો એમની જાતે ઉકેલવા દેવા પડે.

સુખી લગ્ન જીવન ત્યાં જ બને છે, જ્યાં પતિ પત્ની બંને એકબીજા માટે થોડું જતું કરતા હોય અને, એકબીજાની ભૂલોને માફ કરીને પણ એકબીજાનો હાથ પકડીને, આગળ વધવાની માનસિક તૈયારી ધરાવતા હોય.
બાકી જ્યાં કોઈ પણ નાનો ઝઘડો થાય અને, છોકરો કે છોકરી એના મમ્મી પપ્પાને દરેક નાની બાબતમાં વચ્ચે લાવે, ત્યાં લગ્ન જીવનમાં ક્યારેય સુખ કે શાંતિ ટકી ન શકે.

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when Alpa-viraam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Alpa-viraam:

Shortcuts

Share