Kalp Kathayein

Kalp Kathayein This page is dedicated to sharing wisdom through mythological, historical, and epic stories.

It delves into lesser-known tales that have shaped our culture and religion, emphasizing the profound concept of “All in One and One in All".

આપણે માનીએ છીએ કે ઈશ્વર અકળ છે, જલ્દી જાણી ન શકાય તેવો છે, સરળતાથી મળે નહીં તેવો છે, અપ્રાપ્ય છે. મોટા મોટા જ્ઞાની જનોને...
08/05/2026

આપણે માનીએ છીએ કે ઈશ્વર અકળ છે, જલ્દી જાણી ન શકાય તેવો છે, સરળતાથી મળે નહીં તેવો છે, અપ્રાપ્ય છે. મોટા મોટા જ્ઞાની જનોને પણ જલ્દીથી સમજમાં ન આવે તેવો છે. પરંતુ સાચી વાત તો એ છે કે મોટાભાગે આપણા પ્રયત્નો ઉલટી દિશામાં હોય છે જેથી આપણે ઈશ્વરને અનુભવી શકતા નથી.
આપણે રાજા ભોજ નું નામ સાંભળ્યું જ છે. એમને પણ ઈશ્વર વિશે આવા જ કંઈક પ્રશ્નો હતા જેના જવાબ તેઓ શોધતા હતા. તેને જવાબ દેવા માટે એક નાની છોકરી આગળ આવે છે.
રાજા એને ત્રણ પ્રશ્ન પૂછે છે.
૧. ઈશ્વર અગર છે તો એ દેખાતા કેમ નથી?
૨. ઈશ્વર અગર છે તો એમનું મુખ કઈ દિશામાં છે?
૩. ઈશ્વર અગર છે તો તેઓ કાર્ય શું કરે છે?

એ છોકરીના તર્કસંગત જવાબથી રાજા ખૂબ પ્રસન્ન થાય છે અને તેના પિતાને રાજ દરબારમાં સ્થાન આપે છે. વાર્તા તો નાની એવી છે પણ સમજવાની વાત ઘણી મોટી છે. એ કથા નો વિડીયો મારી youtube ચેનલ પર મુકેલ છે જેની લિંક અહીં શેર કરું છું.

यह एक प्रेरणादायक कहानी है एक 12 साल की समझदार लड़की की, जिसने अपनी बुद्धि और समझ से राजा भोज को चौंका दिया। जब राजा भ.....

07/03/2026

ઘણીવાર પ્રાણી માટે ના પ્રેમનું પરિણામ ધાર્યું ન હોય તેવું આવે છે. આપણે શિવાજી મહારાજ ની ઘોડી વિશે, રાણા પ્રતાપ ના ઘોડા વિશે, વશિષ્ઠ મુનિ ની ગાય વિશે સાંભળ્યું છે. કૂતરાની વફાદારી ની કથાઓ, ગીર ગાય ની બહાદુરીની કથાઓ લોક સાહિત્ય માં સ્થાન પામેલ છે. આવી જ એક કથા ભગવાન શ્રી રામ ના કૂળ સાથે જોડાયેલી છે. બોલી ન શકનાર પ્રાણી પણ પ્રેમ ની ભાષા તો સમજે જ છે.
અહીં તે કથા ની લિંક મૂકેલ છે. ગમે તો બીજા ને મોકલશો.
https://youtu.be/TgedT9YdrGw?si=extMcSNFemdm-MEm

આવતીકાલથી ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે. આપણે ગણપતિજીને આદર્શ પુત્ર, આદર્શ પિતા, આદર્શ પતિ, શ્રેષ્ઠ ગણનાયક અને વિઘ્નહર્તા ...
26/08/2025

આવતીકાલથી ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે. આપણે ગણપતિજીને આદર્શ પુત્ર, આદર્શ પિતા, આદર્શ પતિ, શ્રેષ્ઠ ગણનાયક અને વિઘ્નહર્તા દેવ તરીકે ઓળખીએ છીએ. એ ઉપરાંત ગણપતિજીનું એક મહત્વપૂર્ણ યોગદાન દક્ષિણ ભારતમાં કાવેરી નદીને વહેતી કરવામાં પણ છે. અગત્સ્ય મુનિએ જ્યારે પોતાની પત્ની લોપામુદ્રા ને પોતાનાથી દૂર જવા દેવાની ઈચ્છા ન હોવાથી કમંડળમાં કેદ કરીને રાખ્યા, એ સમયે ગણપતિજીએ જ એમને કમંડળમાંથી મુક્ત કરી કાવેરી નદી રૂપે વહેતા કર્યા જે દક્ષિણ ભારતની અત્યંત મહત્વપૂર્ણ નદી ગણાય છે. આમ તો ગણેશજીની સર્વ કથાઓ એકદમ પ્રેરણાદાયી અને મનના સંતાપને દૂર કરી, ઈશ્વર પર શ્રદ્ધા વધારનારી છે સાથે સાથે અગત્સ્ય મ્યુનિએ લોપામુદ્રા ને કેમ કેદ કરવા પડ્યા એ જાણવું પણ રસપ્રદ થઈ રહેશે. આ કથા તમે મારી youtube ચેનલ પર સાંભળી શકશો જેની લીંક સાથે આપેલ છે. કથા ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.

लोपामुद्रा को कमंडल में क्यो कैद किया गया था ? और कैसे वे मुक्त हुए यह जानने के लिए यह कहानी अवश्य सुने।अगत्स्य मुनि...

17/08/2025

આપણામાંથી મોટાભાગના લોકો એવું માને છે કે સ્વર્ગ એક એવી જગ્યા છે જ્યાં જઈએ એટલે સુખ જ સુખ મળે. ન વૃદ્ધાવસ્થા, ન રોગ અને ન કોઈ કામકાજ કરવાની ઝંઝટ વગેરે વગેરે. પણ આ અર્ધ સત્ય છે. ત્યાં વૃદ્ધાવસ્થા કે રોગ નથી પરંતુ ત્યાં ભય, ક્રોધ, પ્રેમ, ઈર્ષા અને મોહ જેવી ભાવનાઓ છે. ત્યાં પણ પૃથ્વી પર જોવા મળે છે તેવા કાવાદાવા અને વેર-ઝેર છે. આપણા પુરાણોમાં એવી અનેક કથાઓ જોવા મળે છે. એવી જ એક કથા દેવગુરુ બૃહસ્પતિના પુત્ર કચ અને અસુર ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાની વચ્ચે પાંગરતી પ્રેમ કથા છે જેમાં કચને શુક્રાચાર્ય પાસેથી ગમે તે રીતે મૃત સંજીવની વિદ્યા શીખવા માટે મોકલવામાં આવે છે. ગુરુ ગૃહે રહેતા કચ તરફ દેવયાની નું મન ઢળવા લાગે છે. કથામાં ઘણા ઉતાર ચઢાવ આવે છે અને કચને મારી નાખવામાં પણ આવે છે તે છતાંય દેવયાનીના પ્રેમને કારણે શુક્રાચાર્ય તેને ફરી જીવિત કરે છે. જો કે તે પ્રેમ કથા પૂરી ન થઈ શકી પરંતુ તેમાં અચાનક આવેલા વળાંકથી દેવયાની કૌરવો અને પાંડવોની પૂર્વજ માતા બને છે. આ આખી કથા સાથે આપેલ મારી યૂટ્યુબ ચેનલ ની લિંક પરથી જોઈ સાંભળી શકાય છે.
https://youtu.be/r4Rnja4HLd8?si=yecy1tRXFPgPZK8r

વાર્તાઓ આપણને કેટલું બધું આપી જાય છે નહિ!! ક્યારેક કોઈ વિચાર, ક્યારેક કોઈ ઝબકાર, ક્યારેક એકાદું આંસુ, ક્યારેક છૂપાયેલું ...
05/08/2025

વાર્તાઓ આપણને કેટલું બધું આપી જાય છે નહિ!! ક્યારેક કોઈ વિચાર, ક્યારેક કોઈ ઝબકાર, ક્યારેક એકાદું આંસુ, ક્યારેક છૂપાયેલું હાસ્ય, ક્યારેક એ આનંદ માં, તો ક્યારેક આપની ચેતના ની જાગૃતિ બનીને છલકે છે. એ નિર્જીવ લાગતા શબ્દો એક આખી સૃષ્ટિ સર્જી છે અને આપણે તે સૃષ્ટિ નો અનુભવ પણ કરીએ છીએ. વેદોમાં કહેવાયેલા શબ્દ બ્રહ્મ આ જ હશે તેવું તમને નથી લાગતું? જાણે કે બ્રહ્મ ચેતનાની જેમજ સર્જન, પોષણ અને વિસર્જન કરનારું એક મહત્વનું પરિબળ હોય તેવું મને લાગે હંમેશા...
આપણે અસંખ્ય વાર સાંભળ્યું છે કે મનમાં અપાર શક્તિ છે. જ્યાં આપણે કોઈ દિવસ ગયા ના હોઈએ ત્યાં પણ આપણું મન કલ્પના થકી પહોંચી જાય છે. પણ ઘણીવાર આપણે આપણા આ શક્તિશાળી મનને યોગ્ય રસ્તો અથવા તો કહો કે સંભાવના ની પાંખો નથી આપી શકતા. વાર્તાઓ અને કથાઓ ના શબ્દો એ કામ સહજ રીતે કરી જાય છે.
તમને શું લાગે છે આ બાબતે?

આપણે ઘણીવાર કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ નું સમગ્રપણે અવલોકન કરી શકતા નથી, જેના કારણે તેમની ઘણી વિશેષતાઓથી અજાણ રહી જ...
01/06/2025

આપણે ઘણીવાર કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ નું સમગ્રપણે અવલોકન કરી શકતા નથી, જેના કારણે તેમની ઘણી વિશેષતાઓથી અજાણ રહી જઈએ છીએ. જેમકે આદિ શંકરાચાર્ય...
આપણે તેમને વેદાંતના પ્રખર પ્રચારક, બ્રહ્મસૂત્ર ના ભાષ્યકાર, દશનામી સાધુ સમાજ ના સ્થાપક, શિવાવતાર વગેરે વગેરે...તરીકે જાણીએ છીએ પરંતુ એ બધાની સાથે તેઓ પ્રખર માતૃભક્ત પણ હતા. મહાન ઉદ્દેશ્યની પૂર્તિ માટે માત્ર આઠ વર્ષની ઉંમરે સન્યાસ ધારણ કરી ગૃહત્યાગ કર્યો પરંતુ જતાં પહેલા માતા ને એક વચન આપ્યું અને તેનું પાલન પણ કર્યું. માતૃ વંદના રૂપે માતૃ પંચક ની પણ રચના કરી...
આ પ્રસંગ ની કથા મારી યૂટ્યુબ ચેનલ પર મૂકી છે જેની લિંક અહી શેર કરું છું.

कुछ महापुरुष इस पृथ्वी पर कुछ उद्देश्यों को पूरा करने के लिए ही अवतरित होते है। आदि शंकराचार्य ने भी वही किया जिसक.....

12/05/2025

વેદો માં પૂજા,અર્ચના ના મંત્રો સાથે સાથે દૈનિક જીવન માં જરૂરી એવી ભાવનાઓ ના વિકાસ માટે ની ઋચાઓ પણ છે. એવા ગુણો જે આત્મા ને પરમાત્મા ની સમીપ લઈ જાય તેનું વર્ણન પણ છે. વર્તમાન સમય માં છેલ્લા એક અઠવાડિયાથી વધારે સાવધ રહી ને દેશની રક્ષા કરનાર ભારતીય સેનાએ જાણે અજાણે આ ઋચા આત્મસાત કરી ને જીવી રહ્યા હોય તેવું લાગે છે.
આ ઋચા અથર્વવેદ ના મુંડક ઉપનિષદ નું અંગ છે, જેમાં કહેવાયું છે કે આ આત્મા બળહીન ને નથી મળતી, પ્રમાદી એટલે કે અસાવધાનને અને કોઈ લક્ષ વગર તપસ્યા કરનાર ને પણ નથી મળતી. જે આ વાતને માને છે અને તેવું આચરણ કરે છે તેની આત્મા બ્રહ્મધામ માં પહોંચે છે.
આપણા સૈનિકો મોત ને સાક્ષાત જોઈને પણ ડરતા નથી એવા બળવાન અને સમર્થ છે. તેમની પાસે દેશસેવા નું લક્ષ્ય છે અને તે માટે તેઓ પોતાના કુટુંબ થી દૂર, વિપરીત સંજોગો માં પણ વિચલિત થયા વગર ટકેલા છે તે એક ઉત્તમ તપસ્યા જ છે જે દરેક વ્યક્તિ નથી કરી શકતી. તેઓ જરા પણ પ્રમાદી કે બેદરકાર નથી. જાણે કે આ મંત્ર તેઓ જીવી રહ્યા છે. ઈશ્વર સદા સર્વદા તેમની રક્ષા કરે .🙏

28/04/2025

जब कभी किसी विचारधारा से बहुत लोग प्रभावित होकर जुड़ जाते है तब उस विचारधारा के मूल उद्देश्य बदल जाने की संभावना बढ जाती है। एक ऐसे दौर में लोग ईश्वर प्रति श्रद्धा खो चुके थे, सत्कर्मों से विमुख होकर पलायनवादी हो चुके थे और दिशाहीन हो गए थे तब आचार्य शंकर ने जन्म लिया और सनातन धर्म की गरिमा को आकाश सी ऊंचाई दी। उनके जन्म से शुरू हो रही इस कथा श्रृंखला में आप उनके जीवन और दैवी कार्यों से अवगत होकर सनातन धर्म को कुछ अंश में समझ सकेंगे।
आचार्य शंकर की माता का नाम किसी ग्रन्थ में विशिष्टा देवी और अन्य ग्रन्थ में आर्याम्बा देखने को मिलता है। सत्य तो यह है कि हम उस माता के सदा ऋणी रहेंगे।
पूरा वीडियो अवश्य देखे।

06/04/2025

આપણા ઋષિ મુનિ જે શ્રેષ્ઠ ગ્રંથકાર પણ હતા, તેમણે દેવતાઓ ને પણ આપણી જેમ દુઃખ, પ્રેમ, ભય વગેરે લાગણીઓ અનુભવતા વર્ણવ્યા છે. તેમના દ્વારા ભૂલો થાય છે અને તેઓ પોતાની ભૂલ નું પ્રાયશ્ચિત પણ કરે છે એવા વર્ણનો જોવા મળે છે. જેને કારણે આપણે આપણી જાત ને પણ તેઓની સાથે કનેક્ટ કરી શકીએ છીએ અને સાથે સાથે જીવન માં આગળ વધવાની પ્રેરણા મેળવીએ છીએ. આ બધી જ કથાઓ માં દુઃખ, ભય વગેરે તો આવે જાય છે પરંતુ પ્રેમ, વિશ્વાસ અને ધીરજ લગભગ સ્થાયી ભાવ તરીકે પ્રગટ થાય છે જે સત્ય પણ છે.
આવી જ એક પુરાણ કથા, જેમાં દેવરાજ ઇન્દ્ર પોતાના ડર ને વશ થઈ ભૂલ કરે છે અને પછી તેનું પ્રાયશ્ચિત પણ કરે છે...તેના પહેલા ભાગ ની લિંક અહી શેર કરું છું...
https://youtu.be/qLI1Wuqsw98?si=mqCoJHhFTkKS4q8Z

12/03/2025

સનાતન ધર્મમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પંચતત્વ ને પણ ઈશ્વર નું સ્થાન આપી ઉપાસના કરવામાં આવે છે. આવી રહેલ હોળી નો તહેવાર પણ એકરીતે અગ્નિદેવ ની પૂજા નો તહેવાર છે. જેમાં હોળી ની પૂજા શ્રીફળ, ધાણી,ખજૂર, ચણા, કાચી કેરી વગેરે અર્પણ કરીને કરવામાં આવે છે. અનાદી માનતા વેદો માં પણ અલગ અલગ ઋચાઓ દ્વારા અગ્નિદેવ ને પ્રાર્થના કરવામાં આવી છે. શુક્લ યજુર્વેદ અંતર્ગત ઈશાવાસ્ય ઉપનિષદ ની અંતિમ ઋચા માં કરવામાં આવેલ પ્રાર્થના, સંસ્કૃતમાં અને તેના ભાવાર્થ સાથે અહી પોસ્ટ કરું છું.

https://youtu.be/wjzqiPu8Dls?si=syH-MQd7iJ4S_PJu

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalp Kathayein posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share