Kalp Kathayein

Kalp Kathayein This page is dedicated to sharing wisdom through mythological, historical, and epic stories.

It delves into lesser-known tales that have shaped our culture and religion, emphasizing the profound concept of “All in One and One in All".

આવતીકાલથી ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે. આપણે ગણપતિજીને આદર્શ પુત્ર, આદર્શ પિતા, આદર્શ પતિ, શ્રેષ્ઠ ગણનાયક અને વિઘ્નહર્તા ...
26/08/2025

આવતીકાલથી ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે. આપણે ગણપતિજીને આદર્શ પુત્ર, આદર્શ પિતા, આદર્શ પતિ, શ્રેષ્ઠ ગણનાયક અને વિઘ્નહર્તા દેવ તરીકે ઓળખીએ છીએ. એ ઉપરાંત ગણપતિજીનું એક મહત્વપૂર્ણ યોગદાન દક્ષિણ ભારતમાં કાવેરી નદીને વહેતી કરવામાં પણ છે. અગત્સ્ય મુનિએ જ્યારે પોતાની પત્ની લોપામુદ્રા ને પોતાનાથી દૂર જવા દેવાની ઈચ્છા ન હોવાથી કમંડળમાં કેદ કરીને રાખ્યા, એ સમયે ગણપતિજીએ જ એમને કમંડળમાંથી મુક્ત કરી કાવેરી નદી રૂપે વહેતા કર્યા જે દક્ષિણ ભારતની અત્યંત મહત્વપૂર્ણ નદી ગણાય છે. આમ તો ગણેશજીની સર્વ કથાઓ એકદમ પ્રેરણાદાયી અને મનના સંતાપને દૂર કરી, ઈશ્વર પર શ્રદ્ધા વધારનારી છે સાથે સાથે અગત્સ્ય મ્યુનિએ લોપામુદ્રા ને કેમ કેદ કરવા પડ્યા એ જાણવું પણ રસપ્રદ થઈ રહેશે. આ કથા તમે મારી youtube ચેનલ પર સાંભળી શકશો જેની લીંક સાથે આપેલ છે. કથા ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.

लोपामुद्रा को कमंडल में क्यो कैद किया गया था ? और कैसे वे मुक्त हुए यह जानने के लिए यह कहानी अवश्य सुने।अगत्स्य मुनि...

17/08/2025

આપણામાંથી મોટાભાગના લોકો એવું માને છે કે સ્વર્ગ એક એવી જગ્યા છે જ્યાં જઈએ એટલે સુખ જ સુખ મળે. ન વૃદ્ધાવસ્થા, ન રોગ અને ન કોઈ કામકાજ કરવાની ઝંઝટ વગેરે વગેરે. પણ આ અર્ધ સત્ય છે. ત્યાં વૃદ્ધાવસ્થા કે રોગ નથી પરંતુ ત્યાં ભય, ક્રોધ, પ્રેમ, ઈર્ષા અને મોહ જેવી ભાવનાઓ છે. ત્યાં પણ પૃથ્વી પર જોવા મળે છે તેવા કાવાદાવા અને વેર-ઝેર છે. આપણા પુરાણોમાં એવી અનેક કથાઓ જોવા મળે છે. એવી જ એક કથા દેવગુરુ બૃહસ્પતિના પુત્ર કચ અને અસુર ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાની વચ્ચે પાંગરતી પ્રેમ કથા છે જેમાં કચને શુક્રાચાર્ય પાસેથી ગમે તે રીતે મૃત સંજીવની વિદ્યા શીખવા માટે મોકલવામાં આવે છે. ગુરુ ગૃહે રહેતા કચ તરફ દેવયાની નું મન ઢળવા લાગે છે. કથામાં ઘણા ઉતાર ચઢાવ આવે છે અને કચને મારી નાખવામાં પણ આવે છે તે છતાંય દેવયાનીના પ્રેમને કારણે શુક્રાચાર્ય તેને ફરી જીવિત કરે છે. જો કે તે પ્રેમ કથા પૂરી ન થઈ શકી પરંતુ તેમાં અચાનક આવેલા વળાંકથી દેવયાની કૌરવો અને પાંડવોની પૂર્વજ માતા બને છે. આ આખી કથા સાથે આપેલ મારી યૂટ્યુબ ચેનલ ની લિંક પરથી જોઈ સાંભળી શકાય છે.
https://youtu.be/r4Rnja4HLd8?si=yecy1tRXFPgPZK8r

વાર્તાઓ આપણને કેટલું બધું આપી જાય છે નહિ!! ક્યારેક કોઈ વિચાર, ક્યારેક કોઈ ઝબકાર, ક્યારેક એકાદું આંસુ, ક્યારેક છૂપાયેલું ...
05/08/2025

વાર્તાઓ આપણને કેટલું બધું આપી જાય છે નહિ!! ક્યારેક કોઈ વિચાર, ક્યારેક કોઈ ઝબકાર, ક્યારેક એકાદું આંસુ, ક્યારેક છૂપાયેલું હાસ્ય, ક્યારેક એ આનંદ માં, તો ક્યારેક આપની ચેતના ની જાગૃતિ બનીને છલકે છે. એ નિર્જીવ લાગતા શબ્દો એક આખી સૃષ્ટિ સર્જી છે અને આપણે તે સૃષ્ટિ નો અનુભવ પણ કરીએ છીએ. વેદોમાં કહેવાયેલા શબ્દ બ્રહ્મ આ જ હશે તેવું તમને નથી લાગતું? જાણે કે બ્રહ્મ ચેતનાની જેમજ સર્જન, પોષણ અને વિસર્જન કરનારું એક મહત્વનું પરિબળ હોય તેવું મને લાગે હંમેશા...
આપણે અસંખ્ય વાર સાંભળ્યું છે કે મનમાં અપાર શક્તિ છે. જ્યાં આપણે કોઈ દિવસ ગયા ના હોઈએ ત્યાં પણ આપણું મન કલ્પના થકી પહોંચી જાય છે. પણ ઘણીવાર આપણે આપણા આ શક્તિશાળી મનને યોગ્ય રસ્તો અથવા તો કહો કે સંભાવના ની પાંખો નથી આપી શકતા. વાર્તાઓ અને કથાઓ ના શબ્દો એ કામ સહજ રીતે કરી જાય છે.
તમને શું લાગે છે આ બાબતે?

આપણે ઘણીવાર કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ નું સમગ્રપણે અવલોકન કરી શકતા નથી, જેના કારણે તેમની ઘણી વિશેષતાઓથી અજાણ રહી જ...
01/06/2025

આપણે ઘણીવાર કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ નું સમગ્રપણે અવલોકન કરી શકતા નથી, જેના કારણે તેમની ઘણી વિશેષતાઓથી અજાણ રહી જઈએ છીએ. જેમકે આદિ શંકરાચાર્ય...
આપણે તેમને વેદાંતના પ્રખર પ્રચારક, બ્રહ્મસૂત્ર ના ભાષ્યકાર, દશનામી સાધુ સમાજ ના સ્થાપક, શિવાવતાર વગેરે વગેરે...તરીકે જાણીએ છીએ પરંતુ એ બધાની સાથે તેઓ પ્રખર માતૃભક્ત પણ હતા. મહાન ઉદ્દેશ્યની પૂર્તિ માટે માત્ર આઠ વર્ષની ઉંમરે સન્યાસ ધારણ કરી ગૃહત્યાગ કર્યો પરંતુ જતાં પહેલા માતા ને એક વચન આપ્યું અને તેનું પાલન પણ કર્યું. માતૃ વંદના રૂપે માતૃ પંચક ની પણ રચના કરી...
આ પ્રસંગ ની કથા મારી યૂટ્યુબ ચેનલ પર મૂકી છે જેની લિંક અહી શેર કરું છું.

कुछ महापुरुष इस पृथ्वी पर कुछ उद्देश्यों को पूरा करने के लिए ही अवतरित होते है। आदि शंकराचार्य ने भी वही किया जिसक.....

12/05/2025

વેદો માં પૂજા,અર્ચના ના મંત્રો સાથે સાથે દૈનિક જીવન માં જરૂરી એવી ભાવનાઓ ના વિકાસ માટે ની ઋચાઓ પણ છે. એવા ગુણો જે આત્મા ને પરમાત્મા ની સમીપ લઈ જાય તેનું વર્ણન પણ છે. વર્તમાન સમય માં છેલ્લા એક અઠવાડિયાથી વધારે સાવધ રહી ને દેશની રક્ષા કરનાર ભારતીય સેનાએ જાણે અજાણે આ ઋચા આત્મસાત કરી ને જીવી રહ્યા હોય તેવું લાગે છે.
આ ઋચા અથર્વવેદ ના મુંડક ઉપનિષદ નું અંગ છે, જેમાં કહેવાયું છે કે આ આત્મા બળહીન ને નથી મળતી, પ્રમાદી એટલે કે અસાવધાનને અને કોઈ લક્ષ વગર તપસ્યા કરનાર ને પણ નથી મળતી. જે આ વાતને માને છે અને તેવું આચરણ કરે છે તેની આત્મા બ્રહ્મધામ માં પહોંચે છે.
આપણા સૈનિકો મોત ને સાક્ષાત જોઈને પણ ડરતા નથી એવા બળવાન અને સમર્થ છે. તેમની પાસે દેશસેવા નું લક્ષ્ય છે અને તે માટે તેઓ પોતાના કુટુંબ થી દૂર, વિપરીત સંજોગો માં પણ વિચલિત થયા વગર ટકેલા છે તે એક ઉત્તમ તપસ્યા જ છે જે દરેક વ્યક્તિ નથી કરી શકતી. તેઓ જરા પણ પ્રમાદી કે બેદરકાર નથી. જાણે કે આ મંત્ર તેઓ જીવી રહ્યા છે. ઈશ્વર સદા સર્વદા તેમની રક્ષા કરે .🙏

28/04/2025

जब कभी किसी विचारधारा से बहुत लोग प्रभावित होकर जुड़ जाते है तब उस विचारधारा के मूल उद्देश्य बदल जाने की संभावना बढ जाती है। एक ऐसे दौर में लोग ईश्वर प्रति श्रद्धा खो चुके थे, सत्कर्मों से विमुख होकर पलायनवादी हो चुके थे और दिशाहीन हो गए थे तब आचार्य शंकर ने जन्म लिया और सनातन धर्म की गरिमा को आकाश सी ऊंचाई दी। उनके जन्म से शुरू हो रही इस कथा श्रृंखला में आप उनके जीवन और दैवी कार्यों से अवगत होकर सनातन धर्म को कुछ अंश में समझ सकेंगे।
आचार्य शंकर की माता का नाम किसी ग्रन्थ में विशिष्टा देवी और अन्य ग्रन्थ में आर्याम्बा देखने को मिलता है। सत्य तो यह है कि हम उस माता के सदा ऋणी रहेंगे।
पूरा वीडियो अवश्य देखे।

06/04/2025

આપણા ઋષિ મુનિ જે શ્રેષ્ઠ ગ્રંથકાર પણ હતા, તેમણે દેવતાઓ ને પણ આપણી જેમ દુઃખ, પ્રેમ, ભય વગેરે લાગણીઓ અનુભવતા વર્ણવ્યા છે. તેમના દ્વારા ભૂલો થાય છે અને તેઓ પોતાની ભૂલ નું પ્રાયશ્ચિત પણ કરે છે એવા વર્ણનો જોવા મળે છે. જેને કારણે આપણે આપણી જાત ને પણ તેઓની સાથે કનેક્ટ કરી શકીએ છીએ અને સાથે સાથે જીવન માં આગળ વધવાની પ્રેરણા મેળવીએ છીએ. આ બધી જ કથાઓ માં દુઃખ, ભય વગેરે તો આવે જાય છે પરંતુ પ્રેમ, વિશ્વાસ અને ધીરજ લગભગ સ્થાયી ભાવ તરીકે પ્રગટ થાય છે જે સત્ય પણ છે.
આવી જ એક પુરાણ કથા, જેમાં દેવરાજ ઇન્દ્ર પોતાના ડર ને વશ થઈ ભૂલ કરે છે અને પછી તેનું પ્રાયશ્ચિત પણ કરે છે...તેના પહેલા ભાગ ની લિંક અહી શેર કરું છું...
https://youtu.be/qLI1Wuqsw98?si=mqCoJHhFTkKS4q8Z

12/03/2025

સનાતન ધર્મમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પંચતત્વ ને પણ ઈશ્વર નું સ્થાન આપી ઉપાસના કરવામાં આવે છે. આવી રહેલ હોળી નો તહેવાર પણ એકરીતે અગ્નિદેવ ની પૂજા નો તહેવાર છે. જેમાં હોળી ની પૂજા શ્રીફળ, ધાણી,ખજૂર, ચણા, કાચી કેરી વગેરે અર્પણ કરીને કરવામાં આવે છે. અનાદી માનતા વેદો માં પણ અલગ અલગ ઋચાઓ દ્વારા અગ્નિદેવ ને પ્રાર્થના કરવામાં આવી છે. શુક્લ યજુર્વેદ અંતર્ગત ઈશાવાસ્ય ઉપનિષદ ની અંતિમ ઋચા માં કરવામાં આવેલ પ્રાર્થના, સંસ્કૃતમાં અને તેના ભાવાર્થ સાથે અહી પોસ્ટ કરું છું.

https://youtu.be/wjzqiPu8Dls?si=syH-MQd7iJ4S_PJu

શિવજી ની આરાધના માટે બધા જ દિવસો પવિત્ર અને કલ્યાણકારી જ છે પણ શિવરાત્રી ના દિવસ નું આગવું મહત્વ છે. ચાર પ્રહર ની પૂજા અ...
24/02/2025

શિવજી ની આરાધના માટે બધા જ દિવસો પવિત્ર અને કલ્યાણકારી જ છે પણ શિવરાત્રી ના દિવસ નું આગવું મહત્વ છે. ચાર પ્રહર ની પૂજા અને રાત્રી જાગરણ દરમિયાન શિવ ઉપાસના અંતરમન માં શાંતિ અને જાગૃતિ નો અનુભવ કરાવે છે.
શિવ મહિમ્ન સ્તોત્ર દ્વારા આપણે જાણીએ છીએ કે વિષ્ણુ ભગવાન નું શસ્ત્ર સુદર્શન ચક્ર છે. આપણે એ પણ જાણીએ છીએ કે તે ભગવાન શિવે તેમને આપેલું. પરંતુ ભગવાન શિવે સુદર્શન ચક્ર શા માટે અને કેવી રીતે ઉત્પન્ન કર્યું? તેનો સર્વ પ્રથમ ઉપયોગ કોના પર થયો? વગેરે બાબતો ઓછી જાણીતી છે. શિવરાત્રી નજીક આવી રહી છે ત્યારે શિવજી ની મહીમા ના વર્ણન ના પ્રયાસ સાથે આ બધા પ્રશ્નો ના જવાબ રૂપે એક વીડિયો યૂટ્યુબ પર મૂક્યો છે જેની લિંક અહી શેર કરી રહી છું. એકવાર અવશ્ય જુઓ.

कभी कभी हम हमारी अल्प मति से ईश्वर में भेद देखते है लेकिन वास्तवमें ऐसा नहीं है। हमारे शास्त्रों में अनगिनत कथाएं .....

09/02/2025

સનાતન ધર્મની ચાર આશ્રમ વ્યવસ્થાનો મહત્વપૂર્ણ અને બાકીના ત્રણેય આશ્રમોનો આધાર ગૃહસ્થાઆશ્રમ છે, જેમાં પતિ અને પત્ની બંને એકબીજા ની ઈચ્છા અને મર્યાદા ને માં આપી એકબીજાનાં પૂરક બને છે. આવા એક શ્રેષ્ઠ યુગલ માં અગત્સ્ય મુનિ અને તેમની પત્ની લોપામુદ્રાનો સમાવેશ થાય છે. લોપામુદ્રાની ઈચ્છા ને માન આપીને મુનિ ધનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને તેમાં સફળ પણ થાય છે. સાથે સાથે એ સમયે જે રાક્ષસ બંધુ બ્રાહ્મણો ને મારી નાખી આનંદ મેળવતા હતા તેમને પણ તેમના પાપ નું ભાન કરાવે છે. આ પહેલા અગત્સ્ય મુનિ ના જીવન પર આધારિત યૂટ્યુબ વીડિયોનો પ્રથમ ભાગ શેર કરેલો અને આજે બીજા ભાગની લિંક અહી શેર કરું છું. ગમે તો લાઈક અને શેર અવશ્ય કરજો.
https://youtu.be/M5VtxdHNPr0?si=ZKTpsqUcWhsZvG9I

19/01/2025

મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત મહાભારત એક એવો અનુપમ ગ્રંથ છે કે જેમાં આ પૃથ્વી પર જોવા મળતી દરેક પ્રકાર ની માનસિકતા ધરાવતા પાત્રો નું વર્ણન છે. અહી દ્રૌપદી અને વિદુર ની ભક્તિ છે, શ્રી કૃષ્ણ દ્વારા અપાયેલું જ્ઞાન છે, અર્જુન નો પૂર્ણ મનોયોગ છે, દ્રૌપદી અને કુંતી ની વિવશતા છે, સહદેવ ની બધું જ જાણતા હોવા છતાં ચૂપ રહેવાની પીડા છે, ભીષ્મની પોતાની પ્રતિજ્ઞા સાથે પ્રતિબદ્ધતા છે, ધૃતરાષ્ટ્ર નો આંધળો મોહ છે, કર્ણ ની દાન આપવા ની ઉદારતા છે, અભિમન્યુ ની અપ્રતિમ વીરતા છે....
આ લિસ્ટ હજુ પણ ઘણું લાંબુ બને તેમ છે. આપણે સમજવા જેવી અને આચરણ માં ઉતારવા જેવી દરેક વાત આ ગ્રંથ માં છે.
મહાભારત ની રચના ની જાણકારી આપતા મારા એક વીડિયો ની લિંક અહી શેર કરું છું.
https://youtu.be/0Wb6HVBJpQ0?feature=shared

17/12/2024

ગઈકાલે સોમવાર અને આર્દ્રા નક્ષત્ર નો સમન્વય હતો. સોશિયલ મીડિયા ને કારણે તેનું મહત્વ, તે દિવસે શું કરવું? વગેરે માહિતી આપણા સુધી પહોંચી. પણ આર્દ્રા નક્ષત્ર ભગવાન શિવજી સાથે કઈ રીતે જોડાયેલું છે? તે વાત નો ઉલ્લેખ ક્યાં ગ્રંથો માં છે? તે જાણવું પણ રસપ્રદ છે. આર્દ્રા ની સાથે સાથે મૃગશીર્ષ નક્ષત્ર પણ જોડાયેલું છે અને અત્યારે વિક્રમ સંવત નો જે મહિનો ચાલે છે તે પણ મૃગશીર્ષ પરથી જ માગશર કે માર્ગશીર્ષ તરીકે ઓળખાય છે. શ્રી પુષ્પદંત રચિત શિવ મહિમ્ન સ્તોત્ર માં આ બધી બાબતો નો ઉલ્લેખ છે..તેને વિસ્તાર થી સમજવા માટે અમારી એક કથા ના વીડિયો ની યૂટ્યુબ લિંક અહી શેર કરીએ છીએ.
આશા છે કે બધા ને ગમશે.
https://youtu.be/oPeUzCvQzDc?si=2ktOZts2C67znRKy

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalp Kathayein posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share