Muthi Uncho Gujarati

Muthi Uncho Gujarati અહાલેક....

ગુજરાતી ગૌરવ, ગરિમા અને અસ્ત?

રાજ રાજેશ્વરીનો સવાસો વર્ષ જૂનો દોરદમામ આજેય અકબંધ ભાગ : 4
07/01/2024

રાજ રાજેશ્વરીનો સવાસો વર્ષ જૂનો દોરદમામ આજેય અકબંધ
ભાગ : 4

07/01/2024
રાજ રાજેશ્વરીનો સવાસો વર્ષ જૂનો દોરદમામ આજેય અકબંધ ભાગ : 2
27/12/2023

રાજ રાજેશ્વરીનો સવાસો વર્ષ જૂનો દોરદમામ આજેય અકબંધ
ભાગ : 2

રાજ રાજેશ્વરીનો સવાસો વર્ષ જૂનો દોરદમામ આજેય અકબંધ ભાગ : 1
27/12/2023

રાજ રાજેશ્વરીનો સવાસો વર્ષ જૂનો દોરદમામ આજેય અકબંધ
ભાગ : 1

19/10/2023

કંકુ નાં પગલાં પડ્યાં ....
જિહવામાં જાગૃત થયાં...

સત્યાવીસ સાબરકાંઠા દૈવ્યભૂમિ છે. ઋષિ - મુનિની તપશ્ચર્યા રહેલી ભૂમિ છે. રાષ્ટ્રનું નામ ભારત પડ્યું તે સર્વદમન - ભરત, આપણી ભૂમિ ઉમેદપુરામાં જન્મ્યો મોટો થયો. શકુંતલાને મેનકા મૂકી ગઈ હતી તે કર્ણવ ઋષિનો આશ્રમ અહીં જ હતો. એકલશૃંગી - એકલારા, અગસ્ત્ય - આગલોડ, વાલ્મિકી (પૂર્વાસ્થા વાલિયો ભીલ) - ધારેશ્વર ખેડાવાડા, માર્કેન્ડ - માંયદમાં તપશ્ચર્યા કરી હતી. અરે આપણી ભૂમિમાં સપ્તર્ષિને આવવું પડ્યું શિવ આરાધના માટે. તે સપ્તેશ્વર. તો સંઘપુરમાં અરણોજ મા છે.
આપણી ભૂમિના બ્રાહ્મણની આંગળીએ મા અન્નપૂર્ણાનો વાસ હતો. શક્તિ ઉપાસકો જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દેવી ઉપાસના કરતા હતા. આજે આપણે ગાઈએ છીએ કે ' કંકુનાં પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યા ' આપણે ત્યાં બે સ્વજનોને ત્યાં કંકુનાં પગલાં પડ્યાં હતાં.... પેઢામલી - ત્રિકમલાલ ગોવિંદરામ ઠાકરને ( કવિશ્રી મેહૂલ )ને ત્યાં મેં એ કંકુ પગલાં જોયાં છે. બહેનશ્રી સુશીલાબેન મેહુલથી નાના ભાઈ ( આઠ - દસ માસ )ને લઈને ચોપડમાં બેઠાં હતાં. સુંદર યુવા મહિલા ઘરમાં પ્રવેશી. સુશીબેન જોઈ રહ્યાં પૃચ્છા કરી. યુવા મહિલા અદ્ર્શ્ય થઈ. ગભરાયેલા સુશીબેન ઊભાં થઈ ગયાં ખોળામાં રહેલું બાળક ભોંય પર પટકાયું. ત્રણ ચાર કંકુના પગલાં હતાં.
ત્રિકમલાલ ફુઆ ૧૦૪ વર્ષ જૂની નવરાત્રિના સ્થાપક પ્રેરકબળ રહ્યા છે. તેમને વારંવાર મા સ્વપ્નામાં આવી કહે તારા પાણિયારા નીચે છું મને કાઢ. ત્રિકમ ફુઆને થયા કરે વધુ પડતી ભક્તિ નિદ્રામાં પણ પીછો છોડતી નથી. પણ ગામનાં બે ચાર ને પણ આવાં સ્વપ્નો આવ્યાં. આગલોડ, ઈલોલ, કડોલી, સહિતના વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યાં. ' માની મૂર્તિ ' છે તેવી વાત હોવાથી આંગળા વડે જ ખોદકામ કર્યું. પાણીનો સ્ત્રોત વછુટયો. મૂર્તિ જણાઈ. અને તે આજે પેઢામલીમાં બિરાજમાન છે. મિનિ અંબાજી કહેવાય છે.
રમણિકલાલ રેવાશંકર પાઠક ( ખેડાવાડા ) નવું ઘર લીધું વાસ્તુપૂજા નવચંડી કરાવી અને બાળા સ્વરૂપે મા પધાર્યા. કંકુના પગલાં મેં જોયાં છે. શંકરાચાર્યે કહ્યું છે કે ' કુપુત્રો જાયેત, કવચિદપિ કુમાતા ન ભવતિ ' પુત્ર કુપુત્ર બને પણ કુમાતા ન થાય. ભક્તિની શક્તિ અટળ છે. તમે માને ભજો તો મા તમને પ્રસન્ન થશે. ગિરજાશંકર રેવાશંકર ભટ્ટ, નાથાલાલ રેવાશંકર ભટ્ટ બંધુબેલડી માના પરમ ઉપાસક. નાથાલાલે ચંડીપાઠનો ગેયબધ્ધ અનુવાદ કર્યો હતો. શક્રાદયનો ગેયબધ્ધ અનુવાદ નવરાત્રિ નિરઝરણીમાં છે સૈકાને આંબવા આવેલી નવરાત્રિ નિરઝરણીનું માના ગુણાનુવાદનું ગેયબધ્ધ સંકલન સંપાદન ગિરજાશંકરે કર્યું. આજે સત્યાવીસ નહીં સત્યાવીસોના કંઠે નિરઝરણીનાં ગરબી ગીતો ગવાય છે.
મા. ગિરજાશંકરના પુત્રી જયાબેન નારાયણદાસના જમાઈ તુષાર જેટલી ( અંજલીનાં પતિ )ની જિહ્વા પર બિરાજમાન છે. તુષાર જેટલીના પિતાશ્રી સંસ્કૃતમાં વિદ્વાન છે માના ભક્ત પણ છે તે વારસો પણ તેમને મળ્યો છે. તેમણે ચંડીપાઠના શ્લોક ગેયબધ્ધ, તાલબધ્ધ, ઉચ્ચારણો સાથે ગાય છે. તો બીજી દીકરી ઉષા રવિશંકર ઉપાધ્યાય. રવિની જિહ્વા પર તો મા બિરાજમાન હતા જ પણ તેમના પુત્ર પ્રકાશની જિહ્વાએ બિરાજે છે. બન્ને (જેટલી - ઉપાધ્યાય)એ નંદલાલ ભૂતા એ ગેય અને પઠન માટે ચંડીપાઠની ઓડિયો કેસેટ બનાવી છે તેમાં તેઓએ ગાયું છે. છેલ્લા ચાલીસ વર્ષોથી નંદલાલ ભૂતા દ્વારા ચંડીપાઠ થાય છે.
રવિભાઈના બન્ને પુત્રો ડૉ. જગદીશ ઉપાધ્યાય અને ડૉ. ખુશમન પણ સુંદર મજાનું ગાય છે. માની ભક્તિ કરે છે. આ ભક્તિનો વારસો છે તપોભૂમિના બ્રહ્મદેવનો વારસો છે. સત્યાવીસ સાબરકાંઠાનાં ગામડાનો નવરાત્રોત્સવ છે તે પણ સૈકા વટાવી ચુકેલો છે.
- ચંદ્રવદન જાની ( ચંદ્રેશ)

નિર્વાણ મોહા જીત સંગ દોષા...કુમુદને...શ્રાવણ અને તેમાંયે અધિક શ્રાવણ સાધક માટે ઉત્તમ છે પરંતુ મારે માટે અધિક શ્રાવણ ઘાતક...
24/07/2023

નિર્વાણ મોહા જીત સંગ દોષા...
કુમુદને...

શ્રાવણ અને તેમાંયે અધિક શ્રાવણ સાધક માટે ઉત્તમ છે પરંતુ મારે માટે અધિક શ્રાવણ ઘાતક અને બાધક નીવડ્યો. આજથી ઓગણીસ વર્ષ પૂર્વે ઈ. સ. ૨૦૦૪માં ૨૪મી જુલાઈએ મારી અર્ધાગ્ના કુમુદનો જીવ શિવમાં ભળી ગયો. આ સમયે આભ રડયું હતું અનરાધાર અશ્રુએ.
કુમુદ, કુમુદ હતી. પરદુઃખે દુઃખીથનારી, મને તેણે ઘણું શીખવ્યું. સંસાર મતલબી રહ્યો છે તેનું ભાન મને તેના ગયા પછી થવા લાગ્યું.
કુમુદ નો જીવ શિવમાં ભળ્યો તેની અનુભૂતિ મને થઈ ચૂકી હતી. વિરહ વેદના સહેવાની શક્તિ આપીને ગઈ હતી...

-ચંદ્રવદન જાની "ચંદ્રેશ"
૨૪/૭/૨૦૨૩.

13/04/2023

મુંબઈ અને ગુજરાતી પત્રકારો પરસ્પર પ્યાર કરે છે.

ગુજરાતી અને ગુજરાતી પત્રકારોએ મુંબઈને હૃદયપૂર્વક પ્રેમ કર્યો છે અને મુંબઈએ તેમને નામ આપ્યા છે. મુંબઈમાં ત્રણ ગુજરાતી અખબારોને નામે માર્ગ છે. એશિયામાં સર્વ પ્રથમ અને વિશ્વમાં ચોથું - પાંચમું અખબાર એવા મુંબઈ સમાચાર, સૈકા જૂનું જામે જમશેદ અને સૈકાને આંબવા આવેલા જન્મભૂમિને નામે માર્ગ છે, તો વિશ્વમાં વિખ્યાત ચિત્રલેખાના સ્થાપક તંત્રી વજુ કોટકને નામે માર્ગ છે. તેજસ્વી, તેજાબી કલમધારી કાંતિ ભટ્ટને નામે બોરીવલીમાં માર્ગ છે. તો જયંતિ શુક્લને નામે મલાડમાં માર્ગ છે. ગુજરાતી ભાષાના લાડીલા કવિ વેણીભાઈ પુરોહિતને નામે ઘાટકોપરમાં માર્ગ છે.

મુંબઈ મહાનગર પાલિકામાં ગુજરાતી પત્રકાર કાંતિ ધુલ્લા નગરસેવક ચૂંટાયા. વિવિધ પ્રકારની સમસ્યાઓ હલ કરાવી. તેમની બેઠક મહિલા આરક્ષિત થતાં તેમનાં ધર્મપત્ની વિજયા ધુલ્લા ત્રણ ટર્મ સુધી નગરસેવિકા રહ્યાં. મુંબઈની વિવિધ પ્રકારે સેવા કરી. ગુજરાતી પત્રકારો જનતાનાં સુખ દુઃખમાં સામેલ થતાં અને તેથી જ હજારો મહિલાઓને રોજી રોટી આપી પગભર કરનારા પુરુષોત્તમ દત્તાની (વ્યાપાર)એ લિજ્જત પાપડ (મહિલા ગૃહ ઉદ્યોગ) રચ્યું. આજે લિજ્જત પાપડ વિશ્વ વિખ્યાત છે.

એક મહિલાને ફૂટપાથ પર રડતી જોઈને પાછા ફરીને પૂછ્યું, "બેન કેમ રડે છે?" મહિલાએ કહ્યું, "બાપનું ઘર નથી" (પિયરમાં કોઈ નથી). અને વર્લીમાં બાપનું ઘર રચ્યું તે પત્રકાર મનુ સુબેદાર. લિબર્ટી ટોકીઝ પાસે (મેટ્રો પાછળ) ગુલ બહાર બેરેક રોડ પર લેખક ગુણવંત આચાર્ય, મોહનલાલ મેહતા- સોપાન રહેતા અને અંખડ આનંદ નામે ગુજરાતી માસિકના વર્ષો સુધી તંત્રી રહ્યાં.

અરે ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈનાં મોટાભાઈ છોટુ ભાઈ દેસાઈ હાઉસિંગ બોર્ડના ચેરમેન હતાં. બ્રિટેનથી ભણીને આવેલા સુરતના હસમુખ ભાઈ ટી. પારેખને બોલાવ્યાં અને કહ્યું, મુંબઈમાં મકાન લઈ શકાતું નથી, રસ્તા પર ઝૂંપડું બાંધી શકાતું નથી કે ખુલ્લાંમાં સંસાર થઈ શકતો નથી. સરકાર મકાનો બનાવે છે તે અપૂરતા છે, કંઈ અભ્યાસ કરી નિર્ણય આપ.

હસમુખ ભાઈએ પૂર્ણ અભ્યાસ કર્યો, ICICI BANKના ચેરમેન બન્યા પણ તેમનાં મનમાં મકાનનો પ્રશ્ન રહ્યો. તેમણે લેન્ડ મોર્ગેજ સ્કીમ રચી કહ્યું, સોએ વીસ રૂપિયા તમારા એંસી રૂપિયા હું આપીશ. મકાન લ્યો. સરકારની મદદ વગરની એશિયામાં સર્વ પ્રથમ હાઉસિંગ સ્કીમ લાવ્યાં. આજે HDFC છે. હજારો લોકોને લોન આપી મકાન અપાવ્યાં છે. આ ગુજરાતી, જે પોતાની કમાણી જનતાના હિતમાં ખર્ચે. તેઓ જન્મભૂમિમાં ટ્રસ્ટી મંડળમાં હતા.

આજે મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ સુવર્ણ મહોત્સવે પહોંચ્યું છે ત્યારે તેમનું ઉચિત સન્માન થવું જોઈએ...

- ચંદ્રેશ જાની.

પ્રમુખ સ્વામીને શતાબ્દી સમયે કોટિ કોટિ વંદન...
29/11/2022

પ્રમુખ સ્વામીને શતાબ્દી સમયે કોટિ કોટિ વંદન...

સત્તાવીસ સાબરકાંઠામાં સાબરમતી વિદ્યાર્થી ભવને જ્ઞાન જ્યોત પ્રગટાવી આમાં ત્રણ જ્યોત શિવશંકર ત્રિ. ઠાકર, પ્રવિણચંદ્ર જાની ...
04/11/2022

સત્તાવીસ સાબરકાંઠામાં સાબરમતી વિદ્યાર્થી ભવને જ્ઞાન જ્યોત પ્રગટાવી આમાં ત્રણ જ્યોત શિવશંકર ત્રિ. ઠાકર, પ્રવિણચંદ્ર જાની અને રતિલાલ શિવલાલ પાઠક ઝળહળતી હતી. જોકે ઘણી બધી જ્યોતે સમાજ, રાષ્ટ્ર સેવામાં કાર્યો કર્યાં છે પણ તેમાંયે "સર્વેન સુખીન સંતુ" ને અનુલક્ષી કાર્ય કરવામાં R. S. Pathak મોખરે હતા.
બાળપણમાં માનો પ્રેમ ફોઈ (અમથી માસી) પાસેથી મેળવ્યો અને સમાજ, રાજ્ય, રાષ્ટ્રને પ્રેમ આપતા રહ્યા.
ગુજરાતમાં ફાટેલી નોટોનું ચલણ હતું. પ્લાસ્ટિકમાં નોટોના ટુકડા ભરી ચલણમાં ચાલતા હતા. ધારેશ્વર દાદાના ભક્ત એવા આર એસ પાઠકે જોયુ હૃદય દ્રવી ઊઠયું અને સુબ્રહ્મણ્યમ સ્વામીથી માંડીને રિઝર્વ બેન્કના ગવર્નરનો સંપર્ક કર્યો. નવી નોટો આવી ગઈ. આજે નોટ બાબત ઘણાં નિયમો આવ્યા છે. જ્યારે ખેડાવાડાના પાઠકોએ ખેડાવાડા છોડ્યું ત્યારે વતનપ્રેમથી પ્રેરાઈ ગામમાં ઘર બનાવ્યું અને ગામને છેડે બાગબગીચામાં લીંબુથી માંડીને આંબા વાવ્યા. લગ્ન પ્રસંગે તેઓ લીંબુ મોકલી આપતા.
ભાઈશ્રી રતિલાલે અમૃત મહોત્સવમાં પ્રવેશ કર્યો ત્યારે તેમના ડોક્ટર પુત્રે ધારેશ્વરમાં ચિકિત્સા શિબિર યોજી દવાઓ આપી હતી.
એક સમયે સેલ્સ ટેક્સનું પ્રભુત્વ હતું ત્યારે તે સમયે તેઓ સેલ્સ ટેક્સ પ્રેક્ટિસ કરતા હતા. સીએની ડિગ્રી ન હતી. મુંબઈ સેલ્સ ટેક્સ પ્રેક્ટિસનર્સ એસોસિયેશનના પ્રમુખ રહી ઘણી બધી કામગીરી બજાવી હતી.
સાબરકાંઠા જ નહીં ગુજરાતનો સિતારો કહી શકાય તેવા રતિલાલ પાઠક આજે આકાશમાં લીન થઈ ગયા છે, ધારેશ્વર દાદામાં સમાઈ ગયા છે.
હું તેમને બાળપણથી ઓળખું તેમના માતા તુલ્ય ફોઈ અમથી બા મારી બાના ખાસ બહેનપણી. કૌટુંબિક બહેન હતાં તેથી જ મારો વધુ પરિચય રહ્યો.
પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે. 🙏

27/10/2022

અહીં રંગભેર રમવા રે, આવોને જીવણ જમવા;
મારાં દુઃખડાં મીટાવવા રે,
આવોને જીવણ જમવા...

અગસ્ત્યપુર (આગલોડ) માં નૂતનવર્ષે ભગવાન શ્રી રામચંદ્રજી આગળ અન્નકૂટ ધરાવવામાં આવે છે. તેમાં વિવિધ પ્રકારની વાનગીઓ અને લુગત્તી (રાજગરાનો લોટ અને બૂરું સાકર) મુકવામાં આવે છે. આગલોડમાં બ્રહ્મપુરીમાં વસતા રણછોડ મહારાજ ઈડર રાજ્યમાં શિક્ષક હતા. કંઇક કારણવશાત રાજમહેલ ભણી જતા હતા. રાજકુમાર મસ્તી કરતા હતા ત્યારે સિપાઈએ કહ્યું, ગુરુજી આવે છે કહી દઉં તમે મસ્તી તોફાન કરો છો ભણતા નથી. રાજકુમાર આ સાંભળી સંતાઈ ગયા.
રણછોડદાસે આ સાંભળ્યું, તેમને થયું હું એટલો ક્રૂર છું કે મારાથી રાજકુમાર ડરે.... તેમણે શિક્ષકની નોકરી છોડી પણ ઈડર રાજવીએ તેમને ઈડર છોડી જવા ના દીધા. મહેસૂલ વિભાગમાં મુખ્ય બનાવ્યા. રણછોડદાસ પરગજું માણસ ખેડૂતનો વલોપાત સાંભળી મહેસૂલ લેવાને બદલે નાણાં આપતા આ સામે તેમના હાથ નીચેના માણસોએ ફરિયાદ કરી રાજવીએ રણછોડદાસને ધમકાવ્યા અને કહ્યું, જો તમે આમ કરશો તો ફાંસી આપવામાં આવશે....
એક ખેડૂત મહેસૂલ આપવાને બદલે વલોપાત કરવા લાગ્યો, રણછોડદાસે તેને નાણાં આપ્યાં અને પછી યાદ આવ્યું કે રાજવી મને સજા કરશે. તેઓ ભાગી છૂટ્યા. રાજવી તેમને જવા દેવા ઈચ્છતો ન હતો તેથી સિપાઈ દોડાવ્યા પણ સિપાઈ નિષ્ફળ નીવડ્યા.
રણછોડદાસે અગસ્ત્ય ટેકરીએ આવી પિતામહ અગસ્ત્ય ઋષિને કહ્યું સંન્યાસ લઉં છું. મને આજ્ઞા આપો. અગસ્ત્ય ઋષિએ કહ્યું, જા સંસારમાં રહી સેવા કર. હું પણ ગૃહસ્થી છું, સપત્ની આરાધના કરું છું. જો તું સંસારમાં જઈશ તો તારી સાથે ભગવાન આવશે.
અગસ્ત્ય ઋષિની આજ્ઞા મળતાં ઘરે પાછા ફર્યા, પણ મનમાં થયું કે સાચે જ મારી સાથે અગસ્ત્ય પિતાએ વાત કરી હતી કે ભ્રમણા હતી? તેમણે ઘરનો દરવાજો ખોલ્યો પાછા ફરીને જોયું તો કંકુની બે પગલીઓ જોઈ અને તેઓ ભક્તિમાં પરોવાઈ ગયા.
તેમણે વિશ્વ વિખ્યાત (ગાંધીજીની ભજનાવલીમાં છે) ભજન "દિલમાં દીવો કરો દીવો કરો કુડાકર્મ ને પરહરો" લખ્યું, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ઘણું ગમ્યું અને સાબરમતી આશ્રમ ભજનાવલીમાં લીધું. બ્રાહ્મણો અને વૈષ્ણવો વચ્ચે અવારનવાર ઝગડા થતા તેથી રામજી મંદિરમાં બ્રાહ્મણો ને રહેવા ન દેતા. રણછોડ મહારાજ એક ગામે ગયા રાતવાસો સ્મશાન પાસેના શિવાલયમાં કર્યો. એક યુવા મૃત્યુ જોયું, શોક પ્રદર્શિત કરતાં કહ્યું, આનું તો આયુષ્ય છે જીવશે. મુખાગ્નિ આપશો નહીં કહી ઈશ્વર આરાધનામાં બેસી ગયા. કલાકેકમાં યુવાન આળસ મરડી ચિતા પર બેઠો થયો.
અને તેમની ખ્યાતિ ફેલાવવા લાગી.
અમદાવાદમાં એક ભાટિયા પરિવાર તેમનું ભક્ત. દીપોત્સવમાં અન્નકૂટ કર્યો. ભાટિયાણીને ગામડિયા ગુરુજી પર ઓછો વિશ્વાસ તેથી તેણે પરીક્ષા લીધી. પડદો પાડી, બાવન પકવાન મૂક્યાં. મીઠું નાખ્યું ન હતું બાજુમાં મૂક્યું હતું. ભાટિયાણીએ કહ્યું ગુરુજી અન્નકૂટમાં કઈ કઈ વાનગીઓ છે??... અને તે આ જ ભોજનથાળ "આવોને જીવણ જમવા" એકે એક વસ્તુવર્ણવી અને છેલ્લે કહ્યું મીઠું જોઈએતો માંગી લેજો, ખારું મોળું થયું હોય તો કહેજો...
અને ભાટિયાણી પગે પડી ગઈ.
આ ઘટના સંવત ૧૮૯૧ માં (એટલેકે આજથી ૧૮૮ વર્ષપૂર્વે) કાર્તિકી પ્રતિપદા એ બની હતી.

Manibhadra veer Aglod
25/09/2022

Manibhadra veer Aglod

Address

Asara Chs
Virar
401303

Alerts

Be the first to know and let us send you an email when Muthi Uncho Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Muthi Uncho Gujarati:

Share