Sarhad Na Samachar

Sarhad Na Samachar News Portal

મંત્રી સ્વરૂપજીના વતન ની અતિ મહત્વ ની એવી વાવ ની ધરાધરા તાલુકા પંચાયત સીટ પર  ભાજપના મહિલા ઉમેદવારે ઉમેદવારી નોંધાવી* સ્...
04/12/2026

મંત્રી સ્વરૂપજીના વતન ની અતિ મહત્વ ની એવી વાવ ની ધરાધરા તાલુકા પંચાયત સીટ પર ભાજપના મહિલા ઉમેદવારે ઉમેદવારી નોંધાવી*

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ વાવ તાલુકામાં રાજકીય ગતિવિધિઓ દિવસે ને દિવસે તેજ બની રહી છે. ત્યારે આવા ભારે રાજકીય ગરમાવો વચ્ચે અતિ મહત્વ ની અને રાજ્ય સરકાર ના મંત્રી એવા સ્વરૂપજી ઠાકોર વતન એવા બીયોકની ધરાધરા તાલુકા પંચાયત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી ના મહિલા ઉમેદવાર એવા આરતીબેન અમરત ભાઈએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે વાવ મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યા માં લોકો સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.જો કે આ અતિ મહત્વની એવી રાજ્ય સરકાર ના મંત્રી એવા સ્વરૂપજી ઠાકોર નો વિસ્તાર હોઈ આ સીટ પર બીયોક દેવપુરા ધરાધરા ત્રણ ગામો નો સમાવેશ અને 4800 મતદારો માં 2400 ઠાકોર મતો નું પ્રભુતવ હોઈ બને આમને સામને ઠાકોર સમાજ ના મહિલા ઉમેદારો એ ઉમેદવારી નોંધાવી છે.જો કે એક તરફ રાજ્ય સરકાર ના મંત્રી ના વતન નો વિસ્તાર હોઈ આ બેઠક ઉપર ભાજપ નું પલડું ભારે જોવા મળી રહ્યું છે.ભાજપ ના મહિલા ઉમેદવાર આરતી બેન ના પતિ અમરતજી ઠાકોર વાવ તાલુકા જી.કે.ટી.એસ.ના ઠાકોરસેના ના પ્રમુખ પદે કાર્યરત છે.જેમનું સમાજ માં પ્રભુત્વ છે.બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે.

ઉમેદવારી ફોર્મ રજૂ કરતા પસંગે ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ બહોળી સંખ્યા માં સમર્થકો હાજર રહ્યા હતા. સમર્થકો એ ભાજપ ના સૂત્રોચ્ચાર કરી ઉમેદવાર ને સમર્થન જાહેર કર્યું હતું.વાવ મામલતદાર કચેરીના પરિસરમાં ઉત્સાહ અને ઉર્જાનો માહોલ સર્જાયો હતો. ઉમેદવારના સમર્થનમાં કાર્યકરો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જે પ્રસંગે ભાજપના અગ્રણીઓએ જણાવ્યું હતું કે પક્ષ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારો વહીવટ અને વિકાસને કેન્દ્રમાં રાખીને કાર્ય કરશે અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે. તેમણે કાર્યકરોને સંઘટિત રહી ચૂંટણીમાં સક્રિય ભાગ લેવા અને પક્ષના ઉમેદવારને વિજયી બનાવવા હાકલ કરી હતી.

ઉમેદવારી નોંધણી બાદ આરતીબેન અમૃતભાઈ ઠાકોરે એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તેઓ વિસ્તારના વિકાસના મૂળભૂત સુવિધાઓના વિસ્તરણ અને જનહિતના પ્રશ્નોના ઉકેલ માટે પ્રતિબદ્ધ રહેશે. તેમણે મતદારોનો વિશ્વાસ જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારની ગતિવિધિઓમાં તેજી થઈ રહી છે. વિવિધ પક્ષોના ઉમેદવારો દ્વારા લોકો સુધી પહોંચીને સમર્થન મેળવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા છે, જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક બનવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.

04/08/2026
03/11/2026

✍️ખુબજ દુઃખદ ✍️
બનાસકાંઠા જિલ્લા ના
➡️ પાંથાવાડા નજીક ટ્રેલર અને બાઈક વચ્ચે ટક્કર, ધોરણ 12 hsc ના બે વિદ્યાર્થીઓના કરૂણ મોત

➡️બપોરે ૩:૦૦ વાગ્યાનું પેપર આપવા નીકળેલા બે મિત્રોના ઘટનાસ્થળે જ કરૂણ મોત

➡️પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરે બાઈક સવાર વિદ્યાર્થીઓને અડફેટે લીધા.

➡️અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકનો કુરચો બોલી ગયો.ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા.

➡️પરીક્ષા કેન્દ્રને બદલે મૃતદેહો હોસ્પિટલ પહોંચતા પરિવારમાં આભ ફાટ્યું

➡️પેન અને કમ્પાસ બોક્સ લઈને નીકળેલા વિદ્યાર્થીઓના લોહીથી પાંથાવાડા હાઈવે લથબથ થયો.

➡️સાતસણ અને ગુંદરી ગામના આશાસ્પદ વિધાર્થીઓના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું.

➡️પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી.

➡️મૃતક વિદ્યાર્થીઓની વિગતો:

➡️​લાલાભાઈ વિહાભાઈ ચૌધરી (ઉંમર ૧૭ વર્ષ, રહે. સાતસણ)

➡️​હરેશસિંહ શેરસિંહ રાજપૂત (ઉંમર ૧૭ વર્ષ, રહે. ગુંદરી)

વાવ થરાદ ધરણીધર તાલુકાના માવસરી ગૌ શાળા માં સંચાલક દ્વારા કૌભાંડ નો મામલો વાવ તાલુકાના પૂર્વ બીજેપી પ્રમુખ દ્વારા લખીરામ...
03/11/2026

વાવ થરાદ

ધરણીધર તાલુકાના માવસરી ગૌ શાળા માં સંચાલક દ્વારા કૌભાંડ નો મામલો

વાવ તાલુકાના પૂર્વ બીજેપી પ્રમુખ દ્વારા લખીરામ બાપુ ગૌ શાળામાં ભષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના થયા હતા આક્ષેપ

ગૌ શાળામાં ભ્રષ્ટાચાર ના આક્ષેપ બાદ પૂર્વ પ્રમુખ ની સંગઠન ની બેઠકોમા ગેર હાજરી

છેલી વાવ થરાદ જિલ્લાની ત્રણ સંગઠન ની બેઠકો માં ગેર હાજર થી ઉડી ને આંખે વળગી

પૂર્વ પ્રમુખ દ્વારા એક કરોડ રૂપિયા નો ગૌ શાળામાં ભષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ બાદ ગાયબ સંગઠન ની બેઠકોમાંથી

ભષ્ટાચાર ના આક્ષેપ બાદ કેટલાક કાર્યકરો આગેવાનો પણ નારાજ પૂર્વ પ્રમુખ થી

વાવ તાલુકા બીજેપી પ્રમુખ પ્રભારી પરિચય વાવ થરાદ જિલ્લા હોદેદારો નો પરિચય અને વાવ લાખાપીર ખાતે ભાજપ ના હોદેદારો પરિચય કાર્યક્રમ માં પૂર્વ પ્રમુખ બાકાત

Address

Dallas, TX

Alerts

Be the first to know and let us send you an email when Sarhad Na Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share