Anand Today

Anand Today Anand Today

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભP.M મોદીએ જર્મન ચાન્સેલર સાથે પતંગ ચગાવ્યોઆણંદ ટુડે | ...
12/01/2026

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

P.M મોદીએ જર્મન ચાન્સેલર સાથે પતંગ ચગાવ્યો

આણંદ ટુડે | અમદાવાદ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલર સાથે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. બાદમાં વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલર સાથે પતંગ ચગાવ્યો હતો. આ પતંગ મહોત્સવમાં 936 ભારતીય પતંગબાજો પણ ભાગ લઈ રહ્યા છે. ઉત્સવમાં પાંચ લાખથી વધુ મુલાકાતીઓની અપેક્ષા છે. આ કાર્યક્રમમાં એક વિશાળ પ્લેટફોર્મ અને સાંસ્કૃતિક સંગીત પ્રદર્શન પણ દર્શાવવામાં આવશે. આ વર્ષે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ હેરિટેજ પોલ થીમ સાથે શરૂ કરવામાં આવ્યો છે.

જર્મનીના ચાન્સેલર P.M મોદી સાથે અમદાવાદના મહેમાન બન્યાસાબરમતી આશ્રમની મુલાકાત લીધી
12/01/2026

જર્મનીના ચાન્સેલર P.M મોદી સાથે અમદાવાદના મહેમાન બન્યા
સાબરમતી આશ્રમની મુલાકાત લીધી

12/01/2026
રાષ્ટ્રપ્રેમી સ્વામી વિવેકાનંદની આજે  જન્મજયંતીભારતીય સંસ્કૃતિનાં પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી સ્વામી વિવેકાનંદ (નરેન...
12/01/2026

રાષ્ટ્રપ્રેમી સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતી

ભારતીય સંસ્કૃતિનાં પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી સ્વામી વિવેકાનંદ (નરેન્દ્રનાથ દત્ત)નો કોલકાતામાં જન્મ (12/1/1863)
તેમણે ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો’નું સૂત્ર આપ્યું

" રાષ્ટ્રીય યુવા દિવસ "
ભારતીય સંસ્કૃતિનાં પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી સ્વામી વિવેકાનંદનો જન્મદિન 'રાષ્ટ્રીય યુવા દિવસ’ તરીકે ઉજવાય છે

ઈશ્વરની શોધ માટે રામકૃષ્ણ પરમહંસનાં શરણે ગયા અને ગુરુ-શિષ્યની અમર જોડીએ સમાજસુધારણાનું કાર્ય કર્યુ, સ્વામી વિવેકાનંદે 1 મે, 1897માં પોતાનાં ગુરુના નામ પરથી બેલૂરમાં ‘રામકૃષ્ણ મિશન મઠ’ની સ્થાપના કરી
તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપનાં રાષ્ટ્રોનાં ઇતિહાસનો અભ્યાસ કર્યો
વિશ્વ ધર્મ પરિષદ, શિકાગોમાં તા. 11 સપ્ટેમ્બર, 1893નાં રોજ તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનની સમજ આપી અને વૈશ્વિક પ્રસિદ્ધિ પામ્યા

ધર્મજ ખાતે આજે 20 મો " ધર્મજ ડે " ઉજવાશે, NRIનો થશે જમાવડોઆણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ધર્મજ ગામે દર વર્ષે 12 જાન્યુઆરી...
12/01/2026

ધર્મજ ખાતે આજે 20 મો " ધર્મજ ડે " ઉજવાશે, NRIનો થશે જમાવડો

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ધર્મજ ગામે દર વર્ષે 12 જાન્યુઆરીએ “ધર્મજ ડે” ઉજવવામાં આવે છે.
આ પરંપરા વર્ષ 2007થી શરૂ થઈ હતી અને સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી તથા રાષ્ટ્રીય યુવા દિન સાથે જોડાયેલી છે.
2026માં આજે 12 જાન્યુઆરીએ 20 મો ધર્મજ ડે ઉજવાશે, જેમાં પરદેશમાં વસેલા ધર્મજના વતનીઓ અને ગ્રામજનો એકત્રિત થઈ વિવિધ સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજશે.

Good Morning આજનો સુવિચારમદદ એક એવી ધટના છે, કરો તો લોકો ભૂલી જાય છે , ના કરો તો લોકો યાદ રાખે છે.
12/01/2026

Good Morning
આજનો સુવિચાર
મદદ એક એવી ધટના છે, કરો તો લોકો ભૂલી જાય છે , ના કરો તો લોકો યાદ રાખે છે.

11/01/2026

ગૌ શાળાનો ધ્યેય અમે છોડ્યો નથી - અલ્પેશ પુરોહિત

ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ અને મૈત્રી પરિવાર વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે ગંગાબા પંચાલ છાત્રાલય કરમસદ રોડ વલ્લભ વિદ્યાનગર ખાતે રવિવારના રોજ પત્રકાર પરિષદ અને મૈત્રી મિલન સમારોહનું આયોજન કરાયું હતું .આ પ્રસંગે નવરાત્રીના તમામ હિસાબોનું સરવૈયું પત્રકારો સમક્ષ જાહેર કરાયું હતું .કાર્યક્રમ બાદ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ મૈત્રી મિલન સમારોહમાં ઉપસ્થિત પત્રકાર મિત્રો સહિત તમામ મહાનુભાવોએ લીલી હળદરનું શાક ,રોટલા અને મીઠી મધુર છાશ નો સ્વાદ માણ્યો હતો .

ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ એન.ડી.ડી.બી. ખાતેથી ડૉ.હેનિમેન એપ્લાઇડ હોમિયોપેથી ઓનલાઇન અભ્યાસક્રમ અને ઓર્ગ...
11/01/2026

ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ એન.ડી.ડી.બી. ખાતેથી ડૉ.હેનિમેન એપ્લાઇડ હોમિયોપેથી ઓનલાઇન અભ્યાસક્રમ અને ઓર્ગોનન ઓફ મેડિસિન ડિજિટલ ડેવલપમેન્ટ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા હોમિયોપેથી અભ્યાસક્રમનો વ્યાપ વધે તે માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. રાજ્યપાલશ્રીના હસ્તે ૪૫ જેટલા નિષ્ણાત તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરે જળાભિષેક કર્યોવડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. સોમનાથમાં રોડ-...
11/01/2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરે જળાભિષેક કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. સોમનાથમાં રોડ-શો બાદ આજે સોમનાથ મંદિરે પહોંચી જળાભિષેક કર્યો હતો.

અમેરિકામાં ફરી એક વખત ગોળીબારની ઘટના મિસિસિપીમાં ફાયરીંગ : 6 લોકોનાં મોતમાનસિક અસ્થિર વ્યક્તિએ 3 અલગ-અલગ જગ્યાએ ફાયરિંગ ...
11/01/2026

અમેરિકામાં ફરી એક વખત ગોળીબારની ઘટના
મિસિસિપીમાં ફાયરીંગ : 6 લોકોનાં મોત
માનસિક અસ્થિર વ્યક્તિએ 3 અલગ-અલગ જગ્યાએ ફાયરિંગ કર્યું; શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઈ
આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.

આશિકી ફિલ્મથી લોકપ્રિય બનેલી અભિનેત્રીને અનુ અગ્રવાલનો આજે જન્મદિવસઆશિકી ફિલ્મથી લોકપ્રિય બનેલી અભિનેત્રીને અનુ અગ્રવાલન...
11/01/2026

આશિકી ફિલ્મથી લોકપ્રિય બનેલી અભિનેત્રીને અનુ અગ્રવાલનો આજે જન્મદિવસ

આશિકી ફિલ્મથી લોકપ્રિય બનેલી અભિનેત્રીને અનુ અગ્રવાલનો જન્મ 11 જાન્યુઆરી, 1969 ના રોજ નવી દિલ્હી ખાતે એક મધ્યવર્ગીય પરિવાર થયો હતો. 1990ની સુપરહિટ ફિલ્મ આશિકીથી બોલીવુડમાં આગવું સ્થાન મેળવ્યું. બાદમાં થોડી ફિલ્મોમાં કામ કર્યું. કાર અકસ્માત બાદ ફિલ્મોથી દૂર થઈ યોગ અને આધ્યાત્મિક જીવન અપનાવ્યું.

Good Morning આજનો સુવિચારનકલી ઝવેરાત ખરીદવા માટે પણપૈસા તો સાચા જોઇએ.આ જ બતાવે છે કે ખોટા ઉપર પણવર્ચસ્વ તો સાચા નું જ છે...
11/01/2026

Good Morning

આજનો સુવિચાર
નકલી ઝવેરાત ખરીદવા માટે પણ
પૈસા તો સાચા જોઇએ.
આ જ બતાવે છે કે ખોટા ઉપર પણ
વર્ચસ્વ તો સાચા નું જ છે.

Address


Alerts

Be the first to know and let us send you an email when Anand Today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Anand Today:

  • Want your business to be the top-listed Media Company?

Share