Janvarta News Gujarat

Janvarta News Gujarat Janvarta News Paper & News Channel Gujarat

05/07/2025

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી
Amit Shah ના વરદ્હસ્તે આજે આણંદમાં દેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન સંપન્ન થયું.

આ કાર્યક્રમમાં સહભાગી થઈ સહકારિતા ક્ષેત્રના નવયુગના પ્રારંભના સાક્ષી બનવાનો અવસર ખુબ હર્ષપૂર્ણ રહ્યો. એક ઝલક..

05/07/2025

RTO Inspector Caught Assaulting Driver, Sparks Public Outrage

A viral video featuring RTO Inspector V.K. Parmar from the Dahod-Ahmedabad Highway near Devgadh Baria has ignited public outrage. The footage shows him aggressively assaulting a truck driver in broad daylight, raising serious concerns over misuse of authority. Citizens are questioning the very role of law enforcers—when those meant to uphold justice turn aggressors, where can the common man seek protection? The incident has sparked demands for immediate disciplinary action against the inspector. The public voice is loud, clear, and rightfully angry.

ફાટીને ધુમાડે ગયેલા 'RTO ઇન્સ્પેકટર'ની 'દબંગાઈ'નો વિડીયો વાયરલ

દાહોદ-અમદાવાદ હાઈવે પર દેવગઢ બારિયા નજીક RTO ઇન્સ્પેક્ટર વી.કે. પરમારનો વિવાદાસ્પદ વીડિયો વાઈરલ થયો છે, જેમાં તેઓ એક ટ્રક ચાલકને જાહેરમાં જ ખુબ જ ખરાબ રીતે મારતા નજરે પડે છે.વાયરલ વિડીયો બાદ 'RTO ઇન્સ્પેકટર' સામે ફિટકાર સાથે આક્રોશ ફેલાવ્યો છે,સાથે જ સવાલ ઉભા થયા છે કે કાયદાના રક્ષક ભક્ષક બની અત્યાચાર કરે તો સામાન્ય નાગરિક ક્યાં જાય? વીડિયોની પરથી લોકો ઈન્સ્પેક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે,આપનું શું માનવું છે?

05/07/2025

કોર્પોરેટર અને અધિકારીની બબાલ જુઓ...

*જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી, વડોદરા દ્વારા ‘મતદાર યાદી સુધારણા’ સેમિનાર યોજાયો****** *ઝોનવાર સેમિનારમાં વડોદર...
05/07/2025

*જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી, વડોદરા દ્વારા ‘મતદાર યાદી સુધારણા’ સેમિનાર યોજાયો*
*****
*ઝોનવાર સેમિનારમાં વડોદરા સહિત છ જિલ્લાના ધારાસભ્યશ્રીઓએ ઉપસ્થિત રહીને સૂચનો કર્યા*
*****
*વડોદરા જિલ્લાના માસ્ટર ટ્રેનર અધિકારી દ્વારા મતદાર યાદી અને મતદાન મથક વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું*
*****
*જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ ધારાસભ્યશ્રીઓના પ્રશ્નોનું કાયદાકીય જોગવાઈઓની મર્યાદામાં યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી*
*****

આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં સરકીટ હાઉસ ખાતે વડોદરા સહિત છ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ માટે ‘મતદાર યાદી સુધારણા’ અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ અને દાહોદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ધારાસભ્યશ્રીઓએ પોતાના વિધાનસભા મત વિસ્તારના વિવિધ સૂચનો કર્યા હતા.

પ્રાસંગિક ઉદબોધન વેળા વડોદરાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, આ સેમિનારથી મતદાર યાદી સુધારણા સંદર્ભે જનપ્રતિનિધિઓના લોકસંપર્ક અને અનુભવનો સહકાર મળવાથી કામગીરીની અસરકારકતામાં વધારો થશે. આ વિષય પર જનપ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા અને રચનાત્મક સૂચનો દ્વારા મતદારોના પ્રશ્નોના નિકાલ અંગે ઉકેલના વધારે રસ્તાઓ મળશે, તેમ ડો. અનિલ ધામેલિયાએ ઉમેર્યું હતું.

મતદાર યાદી સુધારણા અંગેના સેમિનારમાં ધારાસભ્યશ્રીઓએ મતદાર યાદી અને મતદાન મથક સંદર્ભે રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે હકારાત્મક વલણ દાખવીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ ધારાસભ્યશ્રીઓને ચૂંટણી પંચની જોગવાઈઓથી માહિતગાર કર્યા હતા તેમજ તેમના પ્રશ્નોનું વૈધાનિક જોગવાઈઓની મર્યાદામાં યોગ્ય ઉકેલ લાવવા માટે સંનિષ્ઠ પ્રયાસોની ખાતરી આપી હતી. મતદાર યાદી સુધારણા સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટેના તમામ સૂચનો પર કામ કરીશું અને ચૂંટણી પંચનું ધ્યાન દોરીશું, તેમ ડો. અનિલ ધામેલિયાએ ઉમેર્યું હતું.

વડોદરા જિલ્લાના માસ્ટર ટ્રેનર અધિકારી શ્રી દક્ષેણ મકવાણા દ્વારા ‘મતદાર યાદી’ તેમજ શ્રી વી. કે. સાંબડ દ્વારા ‘મતદાન મથક’ વિષય પર તમામ પાસાઓને આવરીને વિસ્તૃત અને ઝીણવટપૂર્વક માહિતી પ્રસ્તુતિકરણથી સમજાવવામાં આવી હતી. ચૂંટણી પંચનું માળખું, મતદાર યાદી અને મતદાન મથક સંદર્ભે કાયદાકીય જોગવાઈઓ, અધિકારીઓની ભૂમિકા, જિલ્લા ચૂંટણી અધિકારી તંત્ર દ્વારા થતી કામગીરી તેમજ બુથ લેવલ ઓફિસર અને બુથ લેવલ એજન્ટ વચ્ચેના સંકલન અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી.

મહત્વનું છે કે, મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીના પત્રથી જાહેર હિસાબ સમિતિની બેઠકની ભલામણ અનુસાર ધારાસભ્યશ્રીઓને મતદારયાદી સુધારણા અંગે જરૂરી માહિતીથી અવગત કરવા માટે ઝોનવાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
*૦૦૦*

05/07/2025

पानी गेट पुलिस स्टेशन पुलिस कमिश्नर और जॉइंट पुलिस कमिश्नर समस्त अधिकारी द्वारा ताजिया बंदोबस्त मैराथन बैठक

*સંસદીય રાજભાષા સમિતિ દ્વારા  હિન્દીના  ઉપયોગ બદલ આકાશવાણી વડોદરા કેન્દ્રને સન્માનિત કરાયા.**ગુજરાતનું સૌથી જૂનું આકાશવા...
04/07/2025

*સંસદીય રાજભાષા સમિતિ દ્વારા હિન્દીના ઉપયોગ બદલ આકાશવાણી વડોદરા કેન્દ્રને સન્માનિત કરાયા.*

*ગુજરાતનું સૌથી જૂનું આકાશવાણી કેન્દ્ર ૧૯૩૯માં વડોદરામાં સ્થાપના કરવામાં આવી હતી.*

વડોદરા : તાજેતરમાં અમદાવાદ ખાતે સંસદીય રાજભાષા સમિતિની બીજી ઉપ-સમિતિ દ્વારા ગુજરાતના અમદાવાદ ખાતે મુલાકાત કરવામાં આવી હતી. સંસદીય રાજભાષા સમિતિનું ગઠન રાજભાષા અધિનિયમ ૧૯૬૩ ની ધારા ૪ના અંતગર્ત વર્ષ ૧૯૭૬માં કરવામાં આવ્યું હતું. આ એક વિશેષાધિકાર પ્રાપ્ત સમિતિ છે. આ સમિતિમાં ૩૦ સાંસદ સભ્યો હોય છે. જેમાં ૨૦ લોકસભાના અને ૧૦ રાજ્યસભાના સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે. આ સમિતિના અધ્યક્ષ કેન્દ્રના ગૃહમંત્રીશ્રી અમિત શાહ છે. આ સમિતિનું મુખ્ય કાર્ય કેન્દ્ર સરકારમાં કાર્ય કરતાં વિવિધ સરકારી વિભાગમાં હિન્દીના ઉપયોગનું નિરીક્ષણ કરીને તેની સમિક્ષા અને તેના પરથી યોગ્ય સૂચનો બનાવીને એક રિપોર્ટ તૈયાર કરીને દેશના આદરણીય રાષ્ટ્રપતિશ્રીને વિગતવાર રજૂ કરવાનો હોય છે.

આ વર્ષે અમદાવાદ ખાતે આ સમિતિની મુલાકાત કરી વિવિધ વિભાગો ની સમીક્ષા કરવામાં આવી હતી. તેમાં મકરપુરા સ્થિત આકાશવાણી કેન્દ્ર વડોદરાને રાજભાષા હિન્દીનો ઉપયોગ
કરવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આકાશવાણી-વડોદરાના કેન્દ્રાધ્યક્ષ જગદીશ પરમાર દ્વારા પોતાના વિભાગમાં કરવામાં આવતી રાજભાષા હિન્દીના પ્રયોગ વિશેની વિસ્તૃત જાણકારી સમિતિ સમક્ષ મૂકવામાં આવી હતી. રાજભાષાનો સમિતિ દ્વારા આકાશવાણી વડોદરાને નિરીક્ષણ દરમિયાન રાજભાષા હિન્દીના ઉપયોગને
સંતોષજનક તરીકે મૂલ્યાંકન કરીને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

એ યાદ કરવું જરૂરી છે કે આ કેન્દ્રની પહેલી મેં ૧૯૩૯ ના રોજ આકાશવાણી વડોદરા ખાતે સ્થાપના કરવામાં આવી હતી. એ સમયે વડોદરામાં ડાયમંડ જ્યુબેલી બિલ્ડીંગમાં હતું એક કિલો વોટ નું ટ્રાન્સમિશન સ્ટુડિયોથી ૧૫ કિલોમીટર દૂર સમલાયા ગામ પાસે હતું. ટ્રાન્સમિશન અને પ્રસારણ ક્ષમતા ૬૦ કિલોમીટર સુધીની હતી સાંજે ૬ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી પ્રસારણ થતું હતું અને આજે ૧૦ કિલોવોટ નું ટ્રાન્સમિશન છે. અને ૯૦ કિલોમીટર સુધી પ્રસારણ ક્ષમતા ધરાવે છે. પ્રસારણ સવારે ૫.૫૫ વાગ્યા થી રાત્રિ ના ૧૧.૧૦ વાગ્યા સુધી થાય છે. આ કેન્દ્રમાં વડોદરા ના કલાકારોની સાથે ભારતભરના પ્રસિદ્ધ કલાકારોની યાદો આ કેન્દ્ર સાથે જોડાયેલ છે..

*સમય વર્તે સાવધાન….ક્લાયમેટ ચેન્જથી બદલાઇ રહ્યો છે ચોમાસાનો મિજાજ !!* *ચોમાસાના ચાર માસના કુલ વરસાદનું ચોથા ભાગનું પાણી ...
04/07/2025

*સમય વર્તે સાવધાન….ક્લાયમેટ ચેન્જથી બદલાઇ રહ્યો છે ચોમાસાનો મિજાજ !!*

*ચોમાસાના ચાર માસના કુલ વરસાદનું ચોથા ભાગનું પાણી હવે જૂન માસમાં વરસી જાય છે*

*એક માસના સરેરાશ વરસાદ કરતા પણ વધુ વરસાદ એક જ દિવસમાં વરસી જવાનું વધતું જતું પ્રમાણ*

*દાયક પહેલા તલીમનાડુના માર્ગે આવતા ચક્રવાતોએ ક્લાયમેટ ચેન્જના કારણે હવે રસ્તો બદલે મધ્યપ્રદેશના માર્ગે આવે છે*

*ગુજરાત ઉપરથી ચોમાસ દરમિયાન બેત્રણ વખત પસાર થતાં મેડન જુલિયન ઓસિલેશનના વાદળો પણ વરસાદ લાવે છે*

*અર્બન હિટ આયલેન્ડ શહેરોમાં ભારે વરસાદનું કારણ બને છે અને પૂરની સ્થિતિનું નિર્માણ કરે છે*

*આલેખન – દર્શન ત્રિવેદી*

પ્રકૃતિના અવિવેકી દોહન અને અર્બનાઇઝેશનના પરિણામે ઉદ્દભવેલી સમસ્યા ક્લાયમેટ ચેન્જની સમગ્ર જીવસૃષ્ટિ ઉપર વિપરિત અસર પડી છે. ઉનાળામાં ગરમી, ચોમાસામાં વરસાદ અને શિયાળામાં ઠંડીનો મિજાજ સમગ્રતયા બદલાઇ ગયા હોવાનો અહેસાસ સામાન્ય માનવી કરી રહ્યો છે. મૌસમની પેટર્ન, એમાંય ખાસ કરીને ચોમાસાની ચાલ પરિવર્તન પામી હોવાની વાત મહારાજ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડાના ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્લાઇમેટ ચેન્જ એન્ડ રિસર્ચ સેન્ટરમાં થઇ રહેલા સંશોધનમાં પણ ફલિત થવા પામી છે.

ગુજરાત અને વિશેષતઃ વડોદરામાં ચોમાસાની ચાલને સમજવા માટે તેનું બંધારણ કેવી રીતે થાય છે ? એ જાણવું જોઇએ. આપણા પ્રદેશમાં મુખ્યત્વે બંગાળના ઉપમહાસાગર અને અરબી સમુદ્રમાં ઉદ્દભતા લોપ્રેશન સિસ્ટમથી આવે છે. આ બન્ને સમુદ્રમાં પ્રતિ વર્ષ પાંચથી છ વખત આવી સિસ્ટમ ઉભી થાય છે. જેમાં હવાનું દબાણ એક હજાર મિલિબાર્સ કે તેની આસપાસ હોય છે. આ નૈઋત્યનું ચોમાસું વાયા કેરળ, મહારાષ્ટ્ર થઇ ગુજરાતમાં પ્રવેશે છે અને વરસાદ આવે છે.

ગુજરાતના ચોમાસ ઉપર પ્રશાંત મહાસાગરના ઉષ્ણતામાન પણ અસર કરે છે. જેને લા નિના, અલ નિના તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઇન્ડિયન ઓશન ડાયપોલ (આઇઓડી)ની અસર પણ સક્રીય ભૂમિકા અદા કરે છે. આઇઓડી એટલે અરબી સમુદ્ર અને બંગાળના ઉપમહાસાગરમાં ઉષ્ણતામાનનો તફાવત ! સમુદ્રનું તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સીયસની ઉપર જાય ત્યારે સમુદ્રની સક્રીયતામાં વૃદ્ધ થાય છે. ત્યાર પછી લોપ્રેશન થઇ શકે છે.

જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી મુકેશ પાઠક કહે છે, આ ઉપરાંત મેડન જુલિયન ઓસિલેશન એટલે કે વાદળોનો એક મોટો સમુહ પૃથ્વીના ચક્કર મારતો રહે છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ મેડન જુલિયન ઓસિલેશન સામાન્ય રીતે બે કે ત્રણ વખત ભારત ઉપરથી પસાર થાય છે અને તે પણ વરસાદ આપે છે.

ચક્રવાતની વાત સમજીએ તો લોપ્રેશરમાં જેમ જેમ હવાનું દબાણ વધતું જાય એમ એમ તેનું સ્વરૂપ બદલાતું જાય છે. લોપ્રેશરમાંથી વેલ માર્ક્ડ લો પ્રેશર, ડિપ્રેશન, ડિપડ્રિપેશન અને બાદમાં ચક્રવાત, સ્ટ્રોમમાં પરિવર્તિત થાય છે. ભારતમાં ૧૫ ફેબ્રુઆરીથી ૧૫ જૂન સુધી અને ઓક્ટોબર, ચોમાસામાં નવેમ્બર અને ડિસેમ્બરમાં ચક્રવાતની સંભાવના વધુ હોય છે. આ માટે તેમાં રહેલા હવાના દબાણના મિલિબાર્સ આંકના આધારે આકલન કરવામાં આવે છે. અરબી કે બંગાળના ઉપમહાસાગરમાં આવા ચાર પાંચ ચક્રવાતો ઉદ્દભવે છે, જે ગુજરાતને અસર કરે છે. એક દાયકા પૂર્વે આ ચક્રવાતો તમીલનાડુ, આંધ્રપ્રદેશ થઇ ગુજરાત તરફ ફંટાતા હતા. પણ હવે ક્લાયમેટ ચેન્જના કારણે આ ચક્રવાતો મધ્ય પ્રદેશ થઇને આવે છે.

ગુજરાતમાં સામાન્ય રીતે દક્ષિણ પ્રાંતમાં વધારે વરસાદ નોંધાતો હતો. પણ હવે તો કચ્છમાં પણ અચાનક વરસાદ પુષ્કળ વરસાદ પડે છે. પહેલા સ્થિતિ એવી હતી કે, ભૂજનું હમીરસર તળાવ ભાગ્યે જ ભરાતું હતું અને ભરાઇ એટલે કચ્છમાં અગતો (રજા) પાળવામાં આવતી હતી. હવે તો આ તળાવ પણ એકઆંતરા ચોમાસામાં ભરાતું હોય છે. એક ચોમાસામાં પુષ્કળ વરસાદના કારણે જ્યાં પૂરની સ્થિતિ હોય એ જિલ્લામાં બીજા વર્ષે પાણી અછત રહે એટલો જ વરસાદ નોંધાય છે.

ઉક્ત બાબતો ક્લાયમેટ ચેન્જની અસર સૂચિત કરે છે. ક્લાયમેટ એટલે લઘુત્તમ ૩૦ વર્ષના હવામાનના તારણો. મહારાજ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડાના ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્લાઇમેટ ચેન્જ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ડો. સંસ્કૃતિ મુજુમદારના માર્ગદર્શન હેઠળ પ્રો. ચિરાયુ પંડિતે ક્લાયમેટ ચેન્જ વિષયે રસપ્રદ સંશોધન કર્યું છે. કેન્દ્ર સરકારના મૌસમ વિભાગ સહિતની એજન્સી પાસેથી આંકડાઓ લઇ તેમણે કરેલા સંશોધનમાં પરિણામો ધ્યાને લેવા ઘટે !

વડોદરામાં જળવાયુ પરિવર્તનને કારણે આખા ચોમાસાના ચોથા ભાગનો વરસાદ હવે એક માત્ર જૂન માસમાં પડી જાય છે. એમાંય એક માસના સરેરાશ જેટલો તો એક જ દિવસમાં વરસાદ પડે છે. આવું થાય ત્યારે પૂરની સ્થિતિ આવે છે. વર્ષ ૨૦૦૫માં જૂન માસના સરેરાશ ૧૩૫ મિલિમિટર વરસાદની સામે તા. ૨૯-૦૬-૨૫ના રોજ એક જ દિવસમાં ૨૩૮ મિલિમિટર વરસાદ વરસી ગયો હતો.

૨૦૧૯માં જુલાઇ માસના સરેરાશ ૩૨૭ મિલિમિટરની સાપેક્ષે ૩૧-૭-૧૯ના રોજ એક જ દિવસમાં ૩૫૧ મિલિમિટર વરસાદ પડ્યો હતો. એ જ રીતે ૧૯૭૮ના ઓગસ્ટમાં ૨૭૯ મહિનાની સરેરાશ સામે તા. ૧૭-૮-૭૮ના રોજ એક જ દિવસે ૨૨૪ મિલિમિટર વરસાદ નોંધાયો હતો. ૧૯૯૪ના સપ્ટેમ્બરની ૧૪૪ મિલિમિટર સરેરાશ સામે તા. ૧૧-૯-૯૪ના રોજ ૨૫૬ મિલિમિટર વરસાદ નોંધાયો હતો. વડોદરામાં ચોમાસામાં સરેરાશ ૩૭ દિવસ વરસાદ પડે છે.

શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ સહિતના પરિબળો ક્લાયમેટ ચેન્જમાં મહત્વના પૂરવાર થાય છે. શહેરોમાં ઉંચી ઉમારતોના કારણે પવનની દિશા અને ગતિમાં ફેરફાર થાય છે. જેના કારણે શહેરના એક જ વિસ્તારમાં વરસાદ હોય તો બીજા ભાગ સાવ કોરો હોય છે.

જમીનના સરફેસના આધારે વાતાવરણ વચ્ચેના ઇન્ટરેક્શનથી રચાતું બાઉન્ડ્રી લેયર, જે તે સ્થળનું તાપમાન અને મિટિરોલોજીકલ માપદંડ નક્કી કરે છે. સામાન્ય સંજોગોમાં દિવસે તાપમાન વધવાના કારણે લેયર જમીનથી ગરમી દોઢથી બે કિલોમિટર ઉપર જતી હોય છે અને રાતે ૧૦૦ મિટર સુધી જતી હોય છે. પરંતુ, ક્લાયમેટ ચેન્જના કારણે શહેરી વિસ્તારની જમીનની ગરમી આકાશ તરફ જવાના અંતરમાં દિવસ અને રાતમાં કોઇ તફાવત રહ્યો નથી. ગામડાઓમાં આ અંતર હજુ વધુ છે. શહેરીકરણના કારણે વધતા જતા તાપમાનને અર્બન હિટ આયલેન્ડ કહે છે. આ અર્બન હિટ આયલેન્ડ શહેરમાં ભારે વરસાદનું કારણ બને છે અને પૂરની સ્થિતિનું નિર્માણ કરે છે.

વડોદરાની વાત કરીએ તો ૧૯૭૮માં વડોદરા શહેરના કુલ ક્ષેત્રફળ ૧૫૦ ચોરસ કિલોમિટર પૈકી ૮ ટકા વિસ્તાર એટલે કે ૧૪.૦૮ ટકા વિસ્તારમાં બાંધકામ હતું. તે વધીને ૨૦૧૮માં ૯૭ ચોરસ કિલોમિટર, ૬૮ ટકા થઇ ગયું છે. તેવું પ્રો. પંડિતના સંશોધનમાં છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રકૃતિના રક્ષણ માટે મિશન લાઇફ નામક અભિયાન આપ્યું છે. એ અભિયાનને અપનાવવાનો આ ખરો સમય છે. તો જ આપણે પ્રકૃતિનું સંરક્ષણ કરી શકશું.

૦૦૦૦

ગુજરાત MADRAS TIGERS ના નામે વડોદરામાં એક જ દિવસમાં 2 સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકીMADRAS TIGERS ના નામે વડોદરામાં એક જ દિ...
04/07/2025

ગુજરાત MADRAS TIGERS ના નામે વડોદરામાં એક જ દિવસમાં 2 સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી

MADRAS TIGERS ના નામે વડોદરામાં એક જ દિવસમાં 2 સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી
વડોદરા શહેરમાં સ્કૂલોને RDXથી ઉડાવવાની ધમકીનો સિલસિલો યથાવત્ રહ્યો છે. હરણીની સિગ્નસ સ્કૂલ બાદ હવે અકોટા વિસ્તારમાં આવેલી ડી.આર.અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકીનો ઇ-મેલ મળતાં પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની મદદથી બન્ને સ્કુલોમાં જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન કોઇ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી.
અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ગત અઠવાડિયે ગુજરાતમાં 13 ધમકીભર્યા ઇ-મેલ મોકલવા બદલ ચેન્નઈની IT એન્જિનિયર રેની જોશીલ્ડાની ધરપકડ કરાઈ હતી. જોકે તેની ધરપકડ પછી પણ આ પ્રકારની ધમકીઓ ચાલુ રહી છે અને હવે મદ્રાસ ટાઇગર્સના નામથી વડોદરાની સિગ્નસ સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી મળી છે.
મળતી માહિતી અનુસાર, નવા ઇ-મેલનું કન્ટેન્ટ અગાઉ મોકલેલા ધમકીભર્યા ઈ-મેલ જેવું જ છે, પરંતુ આ વખતે ધમકી 'મદ્રાસ ટાઇગર્સ' તરફથી આવી છે. આ સાથે ધમકી ભર્યો ઇ-મેલ મોકલવા માટે “HotMail” નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇ-મેલમાં ફિલ્મ પ્રોડોયુસર જાફર સાદીકના રૂ. 2000 કરોડના ડ્રગ્સ કેસનો ઉલ્લોખ કરાયો છે. આ સાથે તામિલનાડુના ADGP સામે આક્ષેપો કરવામાં આવ્યાં છે, તથા સાઉથના કેટલાક શહેરોના નામો અને ટ્રસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્કૂલ પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ- ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન કોઇ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.
ઉલ્લેખનીય છે કે 12 દિવસમાં વડોદરાની ત્રણ અલગ અલગ સ્કૂલને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને ધમકી આપનારને શોધવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ધમકીભર્યો ઇ-મેલ મળતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ મામલે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે Watch Gujarat સાથે વાત કરતા જણાવ્યું કે, અગાઉના ઇ-મેલ કરતા આ વખતના ઇ-મેલની પેટર્ન જુદી છે. આ વખતે ઇ-મેલ મોકલવા માટે Hotmail નો ઉપયોગ કરાયો છે. અગાઉના ઇ-મેલમાં ચોક્કસ સમુદાયના વ્યક્તિનું નામ લખવામાં આવ્યું હતુ. જ્યારે આજે સીગ્નસ અને ડી.આર અમીન સ્કુલને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઇ-મેલમાં મદરાસ ટાઇગર્સ નામ લખવામાં આવ્યું છે. વારંવાર આ પ્રકારના ધમકીભર્યા ઇ-મેલ મળતા અમે છેલ્લા સાત ઇ-મેલનો એક રિપોર્ટ તૈયાર કરી રાષ્ટ્રી સાયબર ક્રાઇમ એજન્સીને મોકલી આપ્યો છે. આખા દેશમાં આ પ્રકારના અનેક ધમકીભર્યા ઇ-મેલ મળી રહ્યાં છે. જેથી ભારતીય સાયબર ક્રાઇમ કોઓરડીનેશના ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર દ્વારા તેની તપાસ કરવામાં આવી રહીં છે.

સમગ્ર રાજ્યમાં મનરેગા અને નલ સે જલ યોજનામાં થયેલા વ્યાપક ભ્રષ્ટાચારમાં તટસ્થ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ...
04/07/2025

સમગ્ર રાજ્યમાં મનરેગા અને નલ સે જલ યોજનામાં
થયેલા વ્યાપક ભ્રષ્ટાચારમાં તટસ્થ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે Indian National Congress - Gujarat ના ધારાસભ્ય શ્રીઓ સાથે મહામહિમ રાજ્યપાલ શ્રીને આવેદન પત્ર પાઠવ્યું..

છોટાઉદેપુર જિલ્લાના જલોદા ગામમાં બુદૃધવારની મોડી રાત્રે એક દહેશતભરી ઘટના બની હતી. જ્યાં એક દીપડાએ ઘરમાં ઘૂસીને ચાર વર્ષન...
04/07/2025

છોટાઉદેપુર જિલ્લાના જલોદા ગામમાં બુદૃધવારની મોડી રાત્રે એક દહેશતભરી ઘટના બની હતી. જ્યાં એક દીપડાએ ઘરમાં ઘૂસીને ચાર વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જલોદા ગામમાં રહેતા જશવંતભાઈ રાઠવાના ચાર વર્ષના પુત્ર ક્રિશ રાઠવા ઉપર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. ઘટના સમયે પરિવાર નવું મકાન બનાવીને તેમાં રહેતો હતો. પરંતુ મકાનમાં દરવાજા ન લાગેલા હોવાથી રાત્રે દીપડો ઘરમાં પ્રવેશી ગયો હતો.
અચાનક ઘરમાં ઘૂસેલા દીપડાએ સૂતાં બાળક પર હુમલો કર્યો હતો. બાળકની ચીસો અને પરિવારજનોની બૂમાબૂમ સાંભળી ગામના લોકો દોડી આવ્યા હતા. લોકોએ ચાલાચાલી કરતાં દીપડો ઘટના સ્થળેથી જંગલ તરફ ભાગી ગયો હતો. આ ઘટનામાં નાનકડા ક્રિશને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતાં તેને તુરંત 108 એમ્બ્યુલન્સ દ્વારા છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકને પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવરા માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ વનવિભાગને કરાઈ હતી લોકો ઈચ્છી રહ્યા છે કે, દીપડાને પકડવા માટે પાંજરા પાથરવામાં આવે. ગ્રામજનોએ રાત્રે સુરક્ષા વધારવાની માંગ ઉઠાવી છે અને આવા બનાવોને અટકાવવા તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે.

*ટ્રાફિક જાગૃતિ પર શોર્ટ ફિલ્મ સ્પર્ધા યોજાઈ**બ્રહ્માકુમારીઝ અટલાદરા અને ટ્રાફિક પોલીસ વડોદરા દ્વારા ટ્રાફિક નિયમોની જાગ...
02/07/2025

*ટ્રાફિક જાગૃતિ પર શોર્ટ ફિલ્મ સ્પર્ધા યોજાઈ*

*બ્રહ્માકુમારીઝ અટલાદરા અને ટ્રાફિક પોલીસ વડોદરા દ્વારા ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે "યાત્રી કૃપયા ધ્યાન દે" કાર્યક્રમમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ૨૦ જેટલી ફિલ્મો દ્વારા સંદેશ આપવામાં આવ્યો*

બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે ટ્રાફિક જાગૃતિ શોર્ટ ફિલ્મ સ્પર્ધા ૨૦૨૫ યોજાઇ હતી. આકાર્યકમનુ ઉદ્ઘાટન કરતા પોલીસ કમિશનરશ્રી નરસિંમ્હા કોમારએ વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી માટે લેવામાં આવેલા પગલાંઓ વિશે વિગતવાર સમજાવ્યું હતુ. અને ભવિષ્યની યોજનાઓ વિશે તેમણે જણાવ્યુ કે, સામાન્ય નાગરિકોએ તેમની નૈતિક જવાબદારીઓને ઓળખવી જોઈએ, જો માતા-પિતા તેમના ૧૪- ૧૫ વર્ષના બાળકોને વાહન ચલાવવા તો આપે છે. પરંતુ તેમને ટ્રાફિક સલામતીના નિયમો વિશે સાચી માહિતી આપતા નથી. અથવા તેમને શિક્ષિત કરતા નથી, તો તેઓ તેમના બાળકો અને તેમના ભવિષ્ય સાથે ન્યાય કરી રહ્યા નથી, તેથી જ સમાજે પણ પોતાની જવાબદારી સમજીને સહભાગી થવું જોઈએ.

બીકે વિપિન ભાઈએ જણાવ્યું હતું કે બ્રહ્માકુમારીઝ સંસ્થાનો ઉદ્દેશ ધ્યાન દ્વારા સકારાત્મક મૂડ વિકસાવીને માર્ગ મુસાફરી અને જીવનની યાત્રા બંનેને સલામત અને સુખદ બનાવવાનો છે. સમગ્ર ભારતમાં "યાત્રી કૃપયા ધ્યાન દે " થીમ પર કાર્યક્રમોનું બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાની ૨૦ ટૂંકી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં, સંજયભાઈ લહેરુ, અદિતિ ભટ્ટ, જીતેનભાઈ પરીખ, અતુલભાઈ શ્રીવાસ્તવ અને સ્નેહલભાઈ શાહ વિવિધ શહેરોમાંથી નિર્ણાયક પેનલમાં ન્યાયાધીશ તરીકે આવ્યા હતા. નિર્ણાયકોની પેનલે વિજેતાઓને સ્પાર્ક ન્યૂઝ ચેનલ દ્વારા વિશાળ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. પ્રથમ ઇનામ તરીકે ૩૧૦૦૦, બિજુ ઇનામ ૨૧૦૦૦ અને ત્રિજુ ઇનામ ૧૧૦૦૦ રૂપિયાના આપવામા આવ્યુ

અટલાદરા સેવાકેન્દ્રના સંચાલિકા બી.કે. ડૉ.અરુણા બેનએ માઉન્ટ આબુથી ઓનલાઇન જોડાયને પ્રતિષ્ઠિત મહેમાનો અને સભાના લોકોને જણાવ્યું કે જો સરકારી વહીવટીતંત્ર અમને પરવાનગી આપે, તો અમે વિવિધ શાળાઓ અને કોલેજો અને સરકારી ડિપાર્ટમેન્ટમાં જઈને માર્ગ સલામતી વિશે જાગૃતિ ફેલાવી શકીએ અને બાળકોને રાજયોગ શીખવીને બાળકોમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન લાવી શકીએ છીએ.

ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈએ પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા, વાહન ચલાવતી વખતે મોબાઈલથી દૂર રહેવું એ આપણા માટે સલામતી કવચ છે..

સ્પાર્ક ટુડે ડિજિટલ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર શ્રી પરેશભાઈ શાહે જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિ કોઈ એક શહેર માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે પડકારજનક છે, જેમાં ટ્રાફિક નિયમોમાં આટલી મોટી વસ્તીને શિસ્તબદ્ધ કરવાની જવાબદારી મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ ટ્રાફિક પોલીસ માટે ખૂબ જ મુશ્કેલ છે, તેથી આમાં જનભાગીદારી જરૂરી છે.
બી.કે. પૂનમ દીદીએ સભાને સંબોધતા કહ્યું કે આ સ્પર્ધા ફક્ત કલા સ્પર્ધા માટેનું પ્લેટફોર્મ નથી પરંતુ જનજાગૃતિ અને જીવન બચાવવા માટેનું અભિયાન છે. આપણે ટ્રાફિક નિયમોનું પાલન ફક્ત કાયદા તરીકે ન કરવું જોઈએ, પરંતુ સાચો હીરો એ છે જે ટ્રાફિક નિયમોનું પાલન કરે છે
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ચૈતન્ય દેસાઇ, વડોદરા ભાજપ પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની, જોઈન્ટ સીપી લીનાબેન પટેલ, ડીસીપી જ્યોતિબેન પટેલ અને ટ્રાફિક એસીપી ડી.એમ. વ્યાસ કોનમેટના ડિરેક્ટર શ્રીચંદ્રકાંત મુશી, એક્સક્લુઝિવ વિઝનના સીઈઓ શ્રીવિનીતભાઈ શાહ અને SHVVETના સ્થાપક અને ડિરેક્ટર શ્રી કલ્પિત ભાઈ સોની વગેરે મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી

Adresse

Democratic Republic Of The

Téléphone

+919714614911

Site Web

Notifications

Soyez le premier à savoir et laissez-nous vous envoyer un courriel lorsque Janvarta News Gujarat publie des nouvelles et des promotions. Votre adresse e-mail ne sera pas utilisée à d'autres fins, et vous pouvez vous désabonner à tout moment.

Partager