the_5spy

the_5spy Explore the best of Food, Fashion, Travel, Events & more in Ahmedabad
Memes, News, Information, food
(1)

માણો ગુજરાત અને દેશ-વિદેશના મહત્વપૂર્ણ સમાચાર આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર The 5 Spy ના page પર. આ page ગુજરાત અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રાખે છે.

આપના ઉદાર દાન - ફાળા થકી જ આ તમામ કાર્યો સફળતા પૂર્વક સંપન્ન થયેલ છે. આ સમાજ ભવનના ભગીરથ કાર્યને સફળ બનાવવા આપ સૌનો સાથ-...
23/05/2024

આપના ઉદાર દાન - ફાળા થકી જ આ તમામ કાર્યો સફળતા પૂર્વક સંપન્ન થયેલ છે. આ સમાજ ભવનના ભગીરથ કાર્યને સફળ બનાવવા આપ સૌનો સાથ-સહકાર અનિવાર્ય છે. તો આપ સૌ તન મન ધનથી આ સેવાયજ્ઞ માં આહુતી આપશો એવી નમ્ર પ્રાર્થના...

આજરોજ અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈ-મેઈલ મામલે લોકોને અફવાઓથી દૂર રહેવા અમદાવાદ પોલીસની અપી...
06/05/2024

આજરોજ અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈ-મેઈલ મામલે લોકોને અફવાઓથી દૂર રહેવા અમદાવાદ પોલીસની અપીલ

Photo credit: Ahmedabad Police

🔸ફાલતુ પોસ્ટમાં ટાઈમ બગાડ્યા કરતા અહી કંઇક નવું જાણવા મળશે, ફોલો કરો
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔸 બની શકે કે મારી બધી જ પોસ્ટ તમને ના દેખાય તો ભૂલ્યા વગર પોસ્ટ notification on દેજો.





05/05/2024

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં હોમગાર્ડ જવાને એક દુકાનદારને ઢોર માર માર્યો હતો.ગાડી હટાવવા મામલે માથાકૂટ થઇ હતી જેને લઇ હોમગાર્ડ જવાને માર માર્યો હોવાના આક્ષેપ દુકાનદાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે,ખેર આ મામલે પોલીસ મથકમાં સામ સામે ફરિયાદ નોંધવામાં આવી છે

🔸ફાલતુ પોસ્ટમાં ટાઈમ બગાડ્યા કરતા અહી કંઇક નવું જાણવા મળશે, ફોલો કરો
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔸 બની શકે કે મારી બધી જ પોસ્ટ તમને ના દેખાય તો ભૂલ્યા વગર પોસ્ટ notification on દેજો.





અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ગત ૩૦મી એપ્રિલના રોજ એક ૧૪ વર્ષનો  સગીર લાપતા થયો હતો. આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસ...
05/05/2024

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ગત ૩૦મી એપ્રિલના રોજ એક ૧૪ વર્ષનો સગીર લાપતા થયો હતો. આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસ દ્વારા વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ રેલવે સ્ટેશનથી મુંબઇ અને ગોવા સુધી સ્થાનિક પોલીસની મદદ લઇને સતત ૭૨ કલાકની જહેમત બાદ બાળકને ગોવાથી સલામત રીતે શોધી કાઢવામાં આવ્યો હતો. કિશોરની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેને ધોરણ-૯ની પરીક્ષામાં નાપાસ થવાને કારણે પિતા દ્વારા માર પડવાનો ડર હોવાથી તે ઘર છોડીને નાસી ગયો હતો. પોલીસે હાલ તેના માતા પિતાને સોપ્યો છે. શહેરના ઘાટલોડિયામાં વિસ્તારમા રહેતો ૧૪ વર્ષનો એક કિશોર ૩૦મી એપ્રિલના રોજ સવારે છ વાગે ટયુશન ગયા બાદ પરત આવ્યો નહોતો. આ અંગે ઘાટલોડિયા પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ ઇન્સ્પેક્ટર વી ડી મોરીએ પોલીસ સ્ટાફની વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી.

🔸ફાલતુ પોસ્ટમાં ટાઈમ બગાડ્યા કરતા અહી કંઇક નવું જાણવા મળશે, ફોલો કરો
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔸 બની શકે કે મારી બધી જ પોસ્ટ તમને ના દેખાય તો ભૂલ્યા વગર પોસ્ટ notification on દેજો.





અમદાવાદ વસ્ત્રાલ રીંગ રોડ પર 3 મેના રાત્રિ દરમિયાન એક ટ્રકની રામોલ પોલીસે તપાસ કરતા તેમાંથી અનેક અબોલા પશુઓ મળી આવ્યા હત...
04/05/2024

અમદાવાદ વસ્ત્રાલ રીંગ રોડ પર 3 મેના રાત્રિ દરમિયાન એક ટ્રકની રામોલ પોલીસે તપાસ કરતા તેમાંથી અનેક અબોલા પશુઓ મળી આવ્યા હતા જે કતલખાને લઇ જવામાં આવી રહ્યા હતા.
• પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી, અને ટ્રકમાંથી નાનામોટા હથિયાર પણ મળી આવતા પોલીસે ગુનો નોંધી આરોપી આવેજખાન બલોચની ધરપકડ કરી હતી.

આ રોડ પર અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં અનેક અબોલા પશુઓને કતલખાને ધકેલી દેવામાં આવી રહ્યા હોય છે.

🔸ફાલતુ પોસ્ટમાં ટાઈમ બગાડ્યા કરતા અહી કંઇક નવું જાણવા મળશે, ફોલો કરો
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔸 બની શકે કે મારી બધી જ પોસ્ટ તમને ના દેખાય તો ભૂલ્યા વગર પોસ્ટ notification on દેજો.





અંબાજીથી માંગરોળ રૂટની સ્લીપર કોચ ST બસને ગમખ્વાર અકસ્માત નડયોગંભીર રીતે ઇજાગ્રસ્ત કંડકટર, પ્રવાસી મહિલાને સારવારઅર્થે ર...
04/05/2024

અંબાજીથી માંગરોળ રૂટની સ્લીપર કોચ ST બસને ગમખ્વાર અકસ્માત નડયો

ગંભીર રીતે ઇજાગ્રસ્ત કંડકટર, પ્રવાસી મહિલાને સારવારઅર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા

• 40 જેટલા મુસાફરો ગાઢ નીંદર માણી રહ્યા હતા અને બસ અચાનક આડે પડખે થઈ જતા દોડધામ મચી

🔸ફાલતુ પોસ્ટમાં ટાઈમ બગાડ્યા કરતા અહી કંઇક નવું જાણવા મળશે, ફોલો કરો
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔸 બની શકે કે મારી બધી જ પોસ્ટ તમને ના દેખાય તો ભૂલ્યા વગર પોસ્ટ notification on દેજો.





અમદાવાદ ગોતા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસંતનગર વિકસાવવામાં આવ્યું હતું. જેમાં આવેલ વીર સાવરકર હાઇટ્સ 1 મુખ્યમંત્ર...
03/05/2024

અમદાવાદ ગોતા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસંતનગર વિકસાવવામાં આવ્યું હતું. જેમાં આવેલ વીર સાવરકર હાઇટ્સ 1 મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વિકસાવવામાં આવ્યું હતું. આ સોસાયટીમાં 13 માળના ફ્લેટોમાં 1600 જેટલા મકાનો આવેલા છે. જેની 8000 જેટલી વસ્તી થવા જાય છે. અહીં રહેવા આવેલા લોકોને 2017માં મકાનોનું પોઝિશન આપવામાં આવ્યું હતું. તે સમયે મેન્ટેનન્સ પેટે 8.98 કરોડનું ભંડોળ ગુજરાત સ્ટેટ-કો ઓપરેટિવ બેન્કમાં મૂકવામાં આવ્યું હતું. બાદમાં વધુ એક કરોડ જેટલી રકમ એકત્ર થઈ હતી. તેના વ્યાજ અને માસિક મેન્ટેનન્સ પેટે વધુ 6 થી 7 કરોડ રૂપિયા એકઠા થયા હતા. આમ કુલ 15 થી 16 કરોડ જેટલી રકમ બેંકમાં મૂકવામાં આવી હતી.

🔸ફાલતુ પોસ્ટમાં ટાઈમ બગાડ્યા કરતા અહી કંઇક નવું જાણવા મળશે, ફોલો કરો
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔸 બની શકે કે મારી બધી જ પોસ્ટ તમને ના દેખાય તો ભૂલ્યા વગર પોસ્ટ notification on દેજો.





હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ત્રણ દિવસ યલો એલર્ટની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના કેટલ...
03/05/2024

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ત્રણ દિવસ યલો એલર્ટની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. જ્યારે અમદાવાદમાં આજે સવારથી જ તાપમાનનો પારો ટોચ પર છે. સવારે 9 વાગ્યે 29 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે 11 વાગ્યે વધીને 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એટલે કે, બે કલાકમાં જ 5 ડિગ્રી તાપમાન વધ્યું છે.

🔸ફાલતુ પોસ્ટમાં ટાઈમ બગાડ્યા કરતા અહી કંઇક નવું જાણવા મળશે, ફોલો કરો
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔸 બની શકે કે મારી બધી જ પોસ્ટ તમને ના દેખાય તો ભૂલ્યા વગર પોસ્ટ notification on દેજો.





અમદાવાદનો હેરિટેજ બ્રિજ એટલે કે એલિસબ્રીજ (લક્કડિયા) પુલના રીનોવેશનનું કાર્ય હવે ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.• 130 વર્ષ...
30/04/2024

અમદાવાદનો હેરિટેજ બ્રિજ એટલે કે એલિસબ્રીજ (લક્કડિયા) પુલના રીનોવેશનનું કાર્ય હવે ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.
• 130 વર્ષ જૂના બ્રિજ પરથી પોપડા પડવા લાગ્યા હતા, જેના પગલે સલામતીના ભાગરૂપે નીચે નેટ પણ લગાવવામાં આવી હતી.
• આગમી 15 દિવસમાં આ બ્રિજને રીનીવેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે, 130 વર્ષ પહેલાં ₹4 લાખમાં બનેલ આ બ્રિજને રીનોવેટ કરવામાં ₹27 કરોડનો ખર્ચ થશે.
• આ બ્રિજના રીનિવેશન થયા બાદ બ્રિજ પર બેસવાની વ્યવસ્થા સહિત ડેકોરેટિવ લાઈટ અને ફૂલછોડ વાવવામાં આવશે.

🔸ફાલતુ પોસ્ટમાં ટાઈમ બગાડ્યા કરતા અહી કંઇક નવું જાણવા મળશે, ફોલો કરો
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔸 બની શકે કે મારી બધી જ પોસ્ટ તમને ના દેખાય તો ભૂલ્યા વગર પોસ્ટ notification on દેજો.





2 જૂનથી અમેરિકામાં શરૂ થઈ રહેલ T 20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની યાદી જાહેર થઈ!• આ વખતે વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકા ભેગ...
30/04/2024

2 જૂનથી અમેરિકામાં શરૂ થઈ રહેલ T 20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની યાદી જાહેર થઈ!
• આ વખતે વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકા ભેગા થઈને યજમાન બન્યા છે અને USAમાં વર્લ્ડકપ રમવા જઈ રહ્યો છે.
• વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની યાદી જાહેર કરવામાં આવી.

Rohit Sharma (c), Hardik Pandya (vc), Yashasvi Jaiswal, Virat Kohli, Suryakumar Yadav, Rishabh Pant (wk), Sanju Samson (wk), Shivam Dube, Ravindra Jadeja, Axar Patel, Kuldeep Yadav, Yuzvendra Chahal, Arshdeep Singh, Jasprit Bumrah, Mohd. Siraj

આ સિવાય 4 ખેલાડીઓને રિઝર્વમાં રાખવામાં આવ્યા.

Shubman Gill, Rinku Singh, Khaleel Ahmed and Avesh Khan.

• 2 જૂનથી વર્લ્ડકપ શરૂ થવા જઇ રહ્યો છે અને 5 જૂને ભારતની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમાશે.
• ભારતની સાથે ગ્રુપ A માં પાકિસ્તાન, કેનેડા, અમેરિકા અને આયરલેન્ડ છે જેથી 9 જૂને ભારત પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ ગ્રુપ મેચ પણ જોવા મળશે.

🔸ફાલતુ પોસ્ટમાં ટાઈમ બગાડ્યા કરતા અહી કંઇક નવું જાણવા મળશે, ફોલો કરો
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔸 બની શકે કે મારી બધી જ પોસ્ટ તમને ના દેખાય તો ભૂલ્યા વગર પોસ્ટ notification on દેજો.





અમદાવાદના ચંદ્રનગર રિવરફ્રન્ટના વોક વે પર 29 એપ્રિલના મોડી સાંજે પરિણીતાએ છ વર્ષના બાળક, માતા અને ભાઈ સાથે નદીમાં ઝંપલાવ...
30/04/2024

અમદાવાદના ચંદ્રનગર રિવરફ્રન્ટના વોક વે પર 29 એપ્રિલના મોડી સાંજે પરિણીતાએ છ વર્ષના બાળક, માતા અને ભાઈ સાથે નદીમાં ઝંપલાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
• જોકે આસપાસના લોકોએ સમયસૂચકતા વાપરીને પરિવારને બચાવી લીધો હતો જેમાં તમામ 4 લોકોને બચવવામાં આવ્યા હતા.
• પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પતિના ત્રાસથી પરિવારે આ પગલું ભર્યું હતું, જોકે સાથે રાખેલી સુસાઇડ નોટ પાણીમાં પલળી ગઈ હતી.
• જ્યારે પરિવાર નદીમાં કૂદ્યો તે સમયે ત્યાં હાજર કિન્નરે માનવતા દાખવી પોતે પહેરેલી સાડી નદીમાં નાખીને પરિવારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ નદીમાં કૂદ્યા અને નાના બાળક સહિત ચાર લોકોને બચાવી લીધા હતા.
• ભૂદરપુરા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય ચંપાબેન તેમની દીકરી રીનાબેન તેમનું 6 વર્ષનું બાળક અને ચંપાબેનનો દીકરો ચંદ્રનગર રિવરફ્રન્ટના વોક વે પરથી નદીમાં કૂદ્યા હતા. આ પરિવારમાં રીનાબેનને પતિ સાથે ઘણા સમયથી અણબનાવ ચાલતો હતો. તે ઘણી વખત ઘર જમાઈ તરીકે પણ રહેવા આવતો હતો અને પછી જતો રહેતો હતો. અગાઉ પરિવારે જમાઈ સામે સામે 498 સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સતત તેનો ત્રાસ ચાલુ રહેતા અંતે કંટાળીને પરિવારે આત્મહત્યા કરવાનો વિચાર કરીને નદીમાં ઝંપલાવ્યું હતું.

🔸ફાલતુ પોસ્ટમાં ટાઈમ બગાડ્યા કરતા અહી કંઇક નવું જાણવા મળશે, ફોલો કરો
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔸 બની શકે કે મારી બધી જ પોસ્ટ તમને ના દેખાય તો ભૂલ્યા વગર પોસ્ટ notification on દેજો.





29/04/2024

ગુજરાત પ્રદેશ કમિટીમાં અમદાવાદ ખાતે ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ તરીકે યશરાજસિંહ ગોહિલની નિમણુક કરવામાં આવી હતી,સાથે જ ક્ષત્રિય કરણી સેના ગુજરાત પ્રદેશના નવ નિયુક્ત હોદ્દેદારો ની પણ નિમણૂક કરવામાં આવી હતી આ તમામ નવનિયુક્ત તમામ હોદ્દેદારોએ શપથ ગ્રહણ કર્યા હતા.યશરાજસિંહે પોતાના પડ માટે આપેલ ગાદી પર રાજ શેખાવતની પાઘડીને મૂકી કાર્યભાર સંભાળશે તેમજણાવ્યું હતું.પરસોતમ રૂપાલા કરતા બાબતે કહ્યું હતું કે,આવા શુભ પ્રસંગે તેમની વાત નથી કરવી

Address

Ahmedabad
380051

Alerts

Be the first to know and let us send you an email when the_5spy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to the_5spy:

Share