Arpita Shah

Arpita Shah Founder
Owner of Saanvi Associates
Social Activist | IT Engineer | Spiritual
(1)

MISSION
SuryaShobhaVandana Foundation wants to constructinnovative schools so that children get more facilities in the Educational area; to provide health services to financially weak persons. To maintain balance in the environment and make rainwater harvesting in buildings, schools, colleges, and commercial buildings to maintain the reducing level of water on land. And to make more tree plantations to keep under control the ever-increasing pollution in the cities.

સપ્તઋષિ સરગવા ડ્રાઈવ 🌱સુર્યાશોભાવંદના ફાઉન્ડેશન માં સુપોષણ ક્લબ અંતર્ગત અમે  દરેક શાળા માં 7 સરગવા ના છોડ વાવવા માટે ની ...
21/07/2025

સપ્તઋષિ સરગવા ડ્રાઈવ 🌱

સુર્યાશોભાવંદના ફાઉન્ડેશન માં સુપોષણ ક્લબ અંતર્ગત અમે દરેક શાળા માં 7 સરગવા ના છોડ વાવવા માટે ની DRIVE શરુ કરી છે
સુપોષણ ક્લબ થકી સરકારી તેમજ અન્ય શાળાઓ એમ 700 થી વધુ શાળાઓ માં 7 સરગવાના છોડ વાવી ને શાળા ના 7 બાળકો "સપ્તઋષિ" બની ને આ છોડ નું જતન કરશે ... એમ અમારી સંસ્થા દ્વારા 5000 થી વધુ સરગવાના વૃક્ષ નું જતન સાથે વાવેતર થશે....

સરગવો એક એવું વૃક્ષ છે જેની સિંગ, પાંદડા, ફૂલ, ડાળીઓ બધું જ ખૂબ પોષ્ટિક હોય છે ... સુપોષણ માટે આ વૃક્ષ અકસીર છે....

સપ્તઋષિ સરગવા ડ્રાઈવ નો હેતુ :
1. સરગવાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
2. સરગવાની સીંગ માં કેલ્શિયમ વધુ હોવાથી હાડકા અને સાંધા ઓ મજબુત થાય છે.
3. સરગવાના ફૂલો ના સેવનથી વાળ ખરતા અટકે છે.
4. ⁠ કુપોષણ થી પીડિત બાળકો માટે આહારના રૂપ માં સરગવા ના પાન ની ભાજી , સિંગ , પાવડર, સૂપ ના ઉપયોગથી સુધારો આવે છે.
5. નાના બાળકોના પેટ માં કરમિયા હોય તો તેમને સરગવાના પાનનો રસ આપવો જોઈએ.
6. ⁠ ઘર ના દરેક વ્યક્તિ સરાગવા નો ઉપયોગ કરી શકે છે .
7. ⁠ શાળા ના બાળકો પાસે 7 છોડ નું જતન કરાવાથી એમને પર્યાવરણ નું મહત્વ સમજાય છે ...

અમારી સાથે જોડાવા સંપર્ક કરો :- 7490898823

Media Coverage :- Divya Bhaskar


20/07/2025

હું હંમેશા કહું કે કૃષ્ણ જોઈતા હોય ને તો કૃષ્ણ બનવું પડે. ઊભા રહ્યા છો કોઈની તકલીફમાં એના સખા બની ને? ટેકો આપ્યો છે કોઈને એના જીવન ના યુદ્ધ માં સારથિ બની ને ?

તમારી આજબાજુ માં એવા કેટલા જેણે કોઈને ભેગા કરવા પ્રયત્ન કર્યા હોય ? મારે શું લેવા દેવા મારી જોડે થોડી ખોટું થયું છે એમ વિચારી લોકો નજીક ના હોવા છતાં ચૂપ રહી ને તમાશો જુએ છે તમને શું લાગે છે એમને કૃષ્ણ મળશે ?
કૃષ્ણ દરેક ને મોકો આપે છે કોઇના જીવન માં કૃષ્ણ બનવાનો અનુભવ થી કહું છું જે કોઈના જીવન માં કૃષ્ણ બને છે એને કૃષ્ણ મળેજ છે... એની તકલીફ માં ભગવાન સખા કે સારથિ બનીને ઉભા રહે જ છે...

સવાર સાંજ ભક્તિ કરવાથી નહી પણ એ રસ્તે ચાલવા થી કૃષ્ણ મળે છે...
અને એ રસ્તો એટલે "સમર્પણ"...

જ્યાં ઘણું બધું છોડી દેવું પડે તો ઘણું બધું છૂટી જાય છે પણ દુઃખ નથી થતું...
અને એટલે જ સમર્પણ જ્યાં ભક્તિ નું હોય... પ્રેમનું હોય કે કામનું કૃષ્ણ મળે જ છે...

-Arpita

18/07/2025

દરેક માતાની આંખમાં એક સપનું છે કે એનું બાળક ખૂબ ભણે પણ સાચી સમજણ ના હોવાથી બાળકને એવો ખોરાક આપે છે કે બાળક ધીમે ધીમે બિમારી તરફ ધકેલાતું જાય છે...

દરેક માતાને વિનંતી કે બાળક ના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકનું સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે તો બાળક ને ઘરનો ખોરાક ખવડાવે....

"કુપોષણ થી સુપોષણ તરફ"

SSV Foundation : - 7490898823



08/07/2025

વસંતકુંજ જૈન દેરાસર , પાલડી માં પ્રક્ષાલ ના પાણી ને જમીન નીચે ઉતારવાની સિસ્ટમ બનાવવા માં આવી છે પણ સિસ્ટમ ક્લીન ના થવાં ને લીધે પાણી નીચે જતું નથી ...

આજ રોજ આ સિસ્ટમ ને ક્લીન કરવાની કામગીરી સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન તરફ થી થઈ રહી છે ...

વોટર રીચાર્જ સિસ્ટમ ને ક્લીન કરાવી ખૂબ જરૂરી છે જેથી પાણી શુદ્ધ થઈ જમીન ની નીચે ઉતરી શકે અને ઠેર ઠેર પાણી ભરાય નહી ... શહેરી વિસ્તાર માં જ્યાં તળાવ બનાવવા શક્ય ના હોય ત્યાં વોટર રીચાર્જ સિસ્ટમ સૌથી બેસ્ટ સોર્સ છે પાણી ની બચત માટે ....

વોટર રીચાર્જ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા કે ક્લીન કરવા માટે અમારી સંસ્થા નો સંપર્ક કરો : 9429467596





#પાણી

02/07/2025

સ્ત્રી ને judge કરવા કરતાં એને સમજવી જરૂરી ...



Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Arpita Shah posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Arpita Shah:

Share