17/08/2026
શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુરત શહેર અને જિલ્લાના શિવ મંદિરો 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભક્તો, કાવડિયાઓ અને યુવાનોના ઘોડાપૂર વચ્ચે શિવલિંગ પર દૂધ-જળનો અભિષેક કરાયો હતો. મંદિરોને ફૂલોથી શણગારી, રોશનીથી ઝળહળતા કરાયા હતા. સુરત જાણે શિવમય બની ગયું હતું, જ્યાં ભક્તિનો અનેરો માહોલ છવાયો હતો.