Narivacha

Narivacha Nari Vacha News

અમરેલી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની ૧૯૮૬ બેચનો રિયુનિયન યોજાયો.અમરેલી ખાતે આવેલી અમરેલી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની ૧૯૮...
13/03/2026

અમરેલી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની ૧૯૮૬ બેચનો રિયુનિયન યોજાયો.

અમરેલી ખાતે આવેલી અમરેલી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની ૧૯૮૬ની બેચની વિદ્યાર્થીનીઓ દ્વારા તાજેતરમાં રિયુનિયન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્કૂલના પૂર્વ શિક્ષક-શિક્ષિકાઓને આમંત્રિત કરી તેમનો સન્માન કરવામાં આવ્યૂ હતુ.

કાર્યક્રમ દરમિયાન પૂર્વ વિદ્યાર્થીનીઓએ સ્કૂલ જીવનના સુખદ સંસ્મરણોને યાદ કરી જૂના દિવસોની યાદોને ફરી તાજી કરી હતી.

શિક્ષક-શિક્ષિકાઓએ પણ વિદ્યાર્થીઓ સાથે પોતાના અનુભવ અને સંસ્મરણો વહેંચ્યા હતા.
આ પ્રસંગે તમામ હાજર સભ્યોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. મેળાપ અને સંવાદના આ કાર્યક્રમને સૌએ યાદગાર બનાવ્યો હતો.
તસવીર સાભાર: અવધ ટાઇમ્સ (અમરેલી)

છેલ્લા સાત વર્ષોમાં, ભ્રષ્ટ વ્યક્તિઓએ "પીસી એક્ટની 17A ની એક નાની જોગવાઈને કારણે" સમગ્ર ભારતમાં વિનાશ મચાવ્યો છે.ભારતભરમ...
14/01/2026

છેલ્લા સાત વર્ષોમાં, ભ્રષ્ટ વ્યક્તિઓએ "પીસી એક્ટની 17A ની એક નાની જોગવાઈને કારણે" સમગ્ર ભારતમાં વિનાશ મચાવ્યો છે.

ભારતભરમાં ભ્રષ્ટ વ્યક્તિઓએ ભ્રષ્ટાચાર નિવારણ કાયદામાં સુધારો કર્યો છે, જેમાં કલમ 17A જણાવે છે કે, "સરકારની પરવાનગી વિના પોતાના પદનો દુરુપયોગ કરીને મોટા ભ્રષ્ટાચાર આચરનારા વ્યક્તિઓની તપાસ ACB અથવા CBI કરી શકશે નહીં..."

આશ્ચર્યજનક હકીકત એ છે કે જ્યારે ભાજપે સંસદમાં આ સુધારો રજૂ કર્યો, ત્યારે કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ તેને મૌનથી ટેકો આપ્યો...

હવે, સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું છે કે "આ સુધારો ગેરકાયદેસર છે..." આ બાબતે અંતિમ નિર્ણય હજુ બાકી છે, પરંતુ શરૂઆત થઈ ગઈ છે...

ગ્રીન બેલ્ટની સરકારી જમીનમા બોગસ નામ દાખલ કરીને આશરે રૂપિયા સાડાસાત કરોડની ઉઠાંતરી નો મામલો પહોંચ્યો કોર્ટમાં.મસમોટા જમી...
25/12/2025

ગ્રીન બેલ્ટની સરકારી જમીનમા બોગસ નામ દાખલ કરીને આશરે રૂપિયા સાડાસાત કરોડની ઉઠાંતરી નો મામલો પહોંચ્યો કોર્ટમાં.

મસમોટા જમીન કંભાડમા ઘણા મોટા માથાઓના નામ ખૂલી શકે છે.

તપાસમા હજુ કેટલાય ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા.

FIR દાખલ કરી વધુ તપાસના કામે આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં લેવાની તેમજ પોલીસ રિમાન્ડ પર સોંપવાની અરજદાર દ્વારા દાદ માંગેલ છે.

નિલેશ મિસ્ત્રી દ્વારા ના. મેટ્રો મેજીસ્ટ્રેટ કોર્ટમાં પોલીસ ફરીયાદ FIR દાખલ કરવા અરજી. ના. મેજીસ્ટ્રેટ કોર્ટે BNSS 233 મુજબ હૂકમ કરેલ કે શાહપુર પોલીસ 30 દિવસમાં કરેલ કાર્યવાહીનો ઇન્કવાયરી રિપોર્ટ રજુ કરવો અને ન્યાયના હિતમાં બન્ને તરફે તપાસ થવી યોગ્ય ન હોય પોલીસ તપાસ સ્થગિત કરવી તે મુજબ હૂકમ પણ કરેલ. પરંતુ પોલીસ દ્વારા લાંબા સમય સુધી કોર્ટમાં રિપોર્ટ રજુ નહીં કરતા અરજદારે ના કોર્ટમાં 156/3 મુજબ ગુનો દાખલ કારવા સર્વોચ્ચ અદાલતના ડાયરેકશન મુજબ એફીડેવીટ રજુ કરીને ગુનો દાખલ કરવા હૂકમ થવા દાદ માંગેલ . મેજીસ્ટ્રેટ સાહેબની ટ્રાન્સફર થયેલ બાદમાં નવા નિયુક્ત થયેલ મેજીસ્ટ્રેટ સાહેબે તથ્યો તપાસ્યા વગર કે ટ્રાયલ ચલાવ્યા વગર જ અગાઉના મેજીસ્ટ્રેટ સાહેબે દ્વારા કરવામાં આવેલ હૂકમ રદ કરીને અરજદારની અરજી દંડ સાથે ફગાવી દવાઈ હતી.

રિવીઝન અરજી એડમીટ.

અરજદાર નિલેશ મિસ્ત્રી દ્વારા ના. સેશન્સ કોર્ટમાં રિવીઝન અરજી દાખલ કરેલ અને લંબાણ પૂર્વકની દલીલો બાદ ના. સેશન્સ કોર્ટે અરજદારની દલીલો ગ્રાહ્ય રાખીને કૌભાંડની તપાસ આગળ વધારવા આરોપી અધિકારીઓને નોટીસ ફટકારીને તા 30-01-2026 થી લીસ્ટ થયેલ છે.

25/12/2025

5% 12% 17% નો કમિશન ખેલ કોને કેટલા ટકા મળશે ? તે આપણે સમજવું.

25/12/2025

વિકાસની લ્હાયમા ભાન ભૂલ્યા સત્તાધીશો?

5% 12% 17% ના કમિશન ખેલ કોને કેટલા ટકા પહોંચાડતા હશે ? તે તો આપણે સમજવું પડે.

ખૂશ ખબર ....ખૂશ ખબર .

S g Road પર રાજપથ ક્લબ સામે હાઈવે ચડતા Blind Cut ઉપર તા.૩૦/૧૨/૨૫ના રોજ નિર્માણ પામેલા ફૂવારા નું ઉદ્ઘાટન થશે.

પ્રજા માટે નહીં પરંતુ સત્તાધિશોના ફાયદા માટે થઈ રહ્યો છે જોખમી વિકાસ: સ્થાનિગણ.

એ જી હાઈવે ડસ્ટ ફ્રી આઇકોનિક રૉડ બનતા પહેલા છેલ્લા એક વર્ષથી લોકો ધૂળ મિશ્રિત શ્વાસનો આનંદ માણી રહ્યા છે. સાથે ગંભીર દુર્ઘટના ઘટવાના ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હોવાથી સત્તાધીશોમા પણ હર્ષની લાગણી જોવા મળે છે.

લોક ચર્ચાઓ મુજબ મહાનગર પાલિકાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે એટલે નેતાઓ અને અધિકારીઓએ હાથમા પાવડા ધારણ કરી લીધા છે સમય ઘણો ઓછો છે. ઉહેડાય તેટલું ઉહેડીલો ભાઈ . કોણ જાણે કાલ શું થશે તે તો જાનકીનાથ જ જાણે.

ખાસ વિશેષતા : અત્યંત સુંદર મૉડેલ રોડ હેવી ઇલેક્ટ્રિક લાઈન નીચે ફૂવારો બનાવ્યો છે . ખાસ આકર્ષણ એવું છે કે હેવી ઇલેક્ટ્રિક લાઈન નીચે ઈલેક્ટ્રીક કનેક્શન અપાયું છે. જ્યાં બટન દબાવતા જ મોટર ચાલુ થાય અને ફૂવારો શરૂ થઈ જાય. લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલો આ જોખમી ફૂવારો જોવા દેશ વિદેશથી સહેલાણીઓ ઉમટી પડશે એટલો ખતરનાક આઇકોનિક રોડ સાથે ફૂવારો નિર્માણ પામ્યો છે.

ખાસ વિશેષતા : પકવાન થી ઇસ્કોન સુધી વિકાસની ઝડપી ગતિથી આઇકોનિક રોડ નિર્માણ પામી રહ્યો છે. પકવાન થી ઇસ્કોન સુધી રહેણાંક R1ઝોનમા રોડ પર દબાણ થયેલ અને ગેરકાયદેસર નિર્માણ પામેલી કોમર્શિયલ બિલ્ડીંગ માલીકોને તકલીફ ના પડે તેવી તકેદારી દાખવીનેવ ગાડીઓના પાર્કિંગ કરવા ૪૦ ફૂટનો રોડ કાપીને પાર્કિંગની સુંદર વ્યવસ્થા ઉભી કરાઈ હોવાથી સત્તાધીશોમા અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

23/12/2025
ગ્રાઉન્ડ રિપોર્ટ.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.બાકી અન્ય પક્ષોનું  અસ્તિત્વ કયા છે ?મહાનગર પાલિકા ચૂંટણી નજીક આવી રહી છે એવુ...
04/12/2025

ગ્રાઉન્ડ રિપોર્ટ.

ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.
બાકી અન્ય પક્ષોનું અસ્તિત્વ કયા છે ?

મહાનગર પાલિકા ચૂંટણી નજીક આવી રહી છે એવું સોશિયલ મીડિયામા દેખાય રહ્યું છે. પાંચ વર્ષ પત્યા એટલે દાવેદારો સફાળા જાગ્યા અને દાવેદારી નોંધાવવા દોડતા થયા. અમને તો ટિકીટ મળવી જોઈએ બાકી ભાજપની શાખ પર જીતવાનુ જ છે.

વિધાનસભાના ઉમેદવાર હોય કે લોકસભા ઉમેદવારનો ટાર્ગેટ પૂરો થાય કે ના થાય આપણો ટારગેટ પૂરો થવો જોઈએ.

ચૂંટણી આવે એટલે ધારાસભ્ય અને સંસદસભ્ય છે તેમને ખૂશ કરવા રોજ રોજ ફોટો સેશન કરીને સોશિયલ મીડિયા મારફતે સંદેશો પહોંચાડવાનો અમે બવ આબરૂદાર પક્ષ માટે ખૂબ કામ કરીએ છે છીએ તેવો દાવો કરીને ટિકીટ મળવી લેવાની .

આપણને ટિકીટ મળી અને જીત્યા એટલે બસ વિધાનસભા કે લોકસભા ની ચૂંટણીઓમાં આપણે શું ? સાસંદ કે ધારાસભ્ય તો તેમના દમ પર અને શાખ પર તો જીતવાના જ છે.

હમણાં જોયું હશે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના પાર્ટીના કાર્યક્રમોમા પ્રજા માંથી બે ચાર માથાઓ પણ મળતા નથી પક્ષ તરફથી મળેલી એસટી બસો પણ ખાલી દોડાવવી પડે છે.

વડાપ્રધાને કે ગ્રુહ મંત્રીની સભામાં કે કાર્યક્રમોમાં ભીડ પણ ભેગી કરી શકતા નથી કારણકે આવા ચાપલૂસી કરતા સ્થાનિક નેતાઓને ધારાસભ્ય કે સાસંદ સભ્યોની ચૂંટણીમાં કોઈ રસ હોતો નથી . સાહેબ જીતવાના જ છે . આપણે પ્રચાર કરીયે કે ના કરીએ શું ફરક પડવાનો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે એટલે પોતાનો રોટલો શેકી લેવામા જ શાણપણ છે. સ્થાનિક ચૂંટણી જીતયે એટલે રાજા...વિધાનસભા કે લોકસભા ચૂંટણી આવે મારે શું ? એક ઉદાહરણ લઈએ તો ગત ઘાટલોડીયા વિધાનસભામા અને લોકસભા મતોના આંકડાઓમા મોટો તફાવત દેખાય છે.

લોકસભાની સાત વિધાનસભાના મતની ગણતરી કરીએ તો લોકસભાના ઉમેદવારને વિધાનસભાના ઉમેદવાર કરતા વોટ ઓછા મળે છે.આવુ કેમ ?

ગાંધીનગરમા સાત વિધાનસભા આવે છે વિધાનસભા દિઠ એવરેજ જેટલા મત પડે છે. તેના કરતાં પણ ગાંધીનગર લોકસભામાં મત પડતા નથી એટલે કે સાત વિધાનસભાના સરવાળે ગાંધીનગર અને લોકસભાની ચૂંટણીઓમા સંગઠન કે ઉચ્ચ હોદ્દો ધરાવતા સ્થાનીક નેતાઓ મતદારોને મતદાન મથક સુધી લાવીને મતદાન કરાવવાની દાનત ધરાવતા હોતા નથી.

ચૂંટણી આવે એટલે રાજકીય કાર્યક્રમોમા હાજરી આપીને સોશિયલ મીડિયામા ફોટા પોસ્ટ કરી સંનિષ્ઠ કાર્યકર હોવાનો દાવો કરતા અને લોકસંપર્ક વિહોણા સ્થાનિક નેતાઓ લોકસભા કે વિધાનસભામાં ઉમેદવાર તરફે મતદાન કરાવવામા પણ રસ ધરાવતા નથી .

ગત ઘાટલોડીયા વિધાનસભા અને ગાંધીનગર લોકસભામા મળેલા મતોનો તફાવત જોઈએ તો સમજાય કે ઉમેદવારો સંગઠનના ભરોસે નહીં પણ પોતીકા દમ પર અને ભગવાન ભરોસે જ ચૂંટણીઓ લડે છે અને જીતે છે. બાકી તો કેન્દ્રીય નેતાઓના ખાસ હોવાનો દાવો કરીને લોકોને ડરાવી ધમકાવી ને તોડપાણી કરવા સીવાય કોઈ કામ કરતા જ નથી.

સ્થાનિક નેતાઓને પ્રજા સાથે કોઈ સિધા સંપર્ક હોતા જ નથી એટલે કેન્દ્રીય નેતાઓ મતવિસ્તારમાં આવવાના હોય ત્યારે સ્થાનિક આગેવાનોને કડીયાનાકા. શાક માર્કેટ. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને લાવીને ભીડ ભેગી કરવી પડે છે. બની બેઠેલા આગેવાન નેતાઓને રાજકીય કાર્યક્રમોમા વોર્ડ દિઠ ફક્ત ૫૦૦ માથા લાવવા ફરજીયાત કરવામાં આવે તો ખબર પડે કે કયો નેતા કેટલી ભીડ ભેગી કરી શકે છે.
કોર્પોરેશનની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 15/20 હજારની લીડથી જીતતા હોય તો રાજકીય કાર્યક્રમોમા 500-500 માથાઓ લાવી શકે નહીં ? વિચારવા જેવું ખરું?

Sir: એટલે શું જેમની પાસે ભૂતિયા પોકેટ વૉટ હતા તે પોતાના જૂથ માટે ઉપયોગ થતો હતો. અન્ય જૂથ માટે તો નહીં જ.

ફાયદો ક્યાં દેખાય છે ?

ગુજરાત રાજયના પોતાના અંગત વિશ્વાસુઓએ પોતાનો સ્વાર્થ સાધવા પાટલી બદલી નાખી. ફક્ત આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ વફાદાર બચ્યા છે. તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ગુરુએ અન્ય રાજ્યોમાં પક્કડ જમાવી છે પણ પોતાના રાજ્યમાં પક્કડ ઢીલી પડી રહી હોવાનું કારણ સમજી શકાય તેવુ નથી ?

એક સ્થાનિક નેતાગીરી અને બીજી રાષ્ટ્રીય નેતાગીરી વચ્ચે જંગ જામી ચૂક્યો હોવાનું વાતાવરણ ઉભું થઇ ગયું છે.

હવે તો ચાણકયના ચેલા પણ સ્વાર્થથી ચાણક્ય બની ગયા અને કહેવત સાર્થક થઈ ગઈ કે રાજ કારણમાં કોઈ સગા બાપનો ના થાય. તો પછી ગુરુનો થાય ? જેના થકી ફાયદો દેખાય તેના બની જવાનો સ્વાર્થ સાધી લેતા તત્વોને ઓળખી લે તે ખેલાડી.
સોશિયલ મીડિયાના કલાકારો વિભીષણના નું સ્ક્રિપ્ટ મુજબ પાત્ર ભજવી રહ્યા છે. આવનાર સમયના રાજકીય પ્રોક્ષી યુધ્ધના એંધાણ વર્તાઈ રહ્યાં નથી ?
ક્રમશ....

પોઝિટિવ સ્ટોરી:તહેવારોની ઉજવણીમાં આઝાદી લોકોમાં દિવાળીના તહેવારમા  ઉત્સાહની લહેર.નાના ધંધાર્થીઓ અને લારીઓમાં વેપાર કરતા ...
21/10/2025

પોઝિટિવ સ્ટોરી:તહેવારોની ઉજવણીમાં આઝાદી લોકોમાં દિવાળીના તહેવારમા ઉત્સાહની લહેર.

નાના ધંધાર્થીઓ અને લારીઓમાં વેપાર કરતા ગરીબ ફેરીયાઓમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

ગ્રુહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતીઓને ધામધૂમથી તહેવારોની ઉજવણી કરવા છૂટોદોર આપ્યો છે. ખાસ કરીને પોતાના પરિવાર માટે પેટીયું રળતા ગરીબ. મધ્યમ વર્ગ તેમજ નાના મોટા ધંધાર્થીઓએ નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની હર્ષભેર અને ભવ્યતાથી ઉજવણી કરી .

નવરાત્રી દિવાળી જેવા તહેવારો સાથે લોકોની આસ્થા જોડાયેલી હોય છે.

નાના ધંધાર્થીઓ તેમજ ફેરીયાઓમા ડર હતો કે આ વખતે પણ દિવાળી નવરાત્રી જેવા તહેવારો સિજનયો વેપાર કરી નહી શકીયે.

પરંતુ હર્ષ સંઘવીએ લોકોમા તહેવારોની ઉજવણીનો ઉત્સાહ વધાર્યો છે. તહેવારો નિમીતે ધંધો કરતા નાના મોટા ફેરીયાઓએ પણ પેટ ભરીને વેપાર કર્યો છે. અને નાના ગરીબ પરિવારો અને તેમના બાળકોએ પણ ધામધુમથી તહેવાર ઉજવીને ગ્રુહ મંત્રી હર્ષ સંઘવીને આશિર્વાદ આપ્યા .

31/05/2025

ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની દાસ્તાન.

લાયન સર્કલથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીનમાં ઝૂંપડપટ્ટી ઉભી થઈ ગઈ છે શું તેની જાણ ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ ઓફીસરને નહોતી ?

શુ આ ઝૂંપડપટ્ટી દેશી દારૂનો ધંધો ધમધમી રહ્યાની જાણ વસ્ત્રાપુર પોલીસને નહોતી ?

જાણવા મળતી વિગતો મુજબ તાજેતર માં એક વિડિઓ વાયરલ થયેલ જેમાં સિંહ સર્કલ થી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન જવાના રસ્તે ફૂટપાથ ઉપર ઝૂંપડપટ્ટી નું વર્ષો થી દબાણ થયેલ છે. જેમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે. જે વિડિઓ માં પણ સ્પષ્ટ નઝરે ચડે છે.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની બાજુ કોર્પોરેશનની જમીનમાં જ ઝૂંપડપટ્ટીઓ બની ગયેલ અને આ સ્થળ પર ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો ધમધોકાર ચાલતો હોવાનો વિડીયો વાયરલ થતાંજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશનના સ્ટાફ ને ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ ઓફીસર પાસે રૂબરૂ દોડાવીને તાત્કાલિક દબાણ દૂર કરવા એસ્ટેટ ઓફીસરની મદદ માંગી અને એસ્ટેટ ઓફીસર પણ પોલીસની અને દેશી દારૂના અડ્ડા વાળાઓની મીલી ભગત નો પર્દાફાશ થાય નહીં તે માટે હરકતમાં આવી ગયા અને દબાણની ગાડીઓ મોકલી ઝૂંપડપટ્ટીનુ દબાણ હટાવી દેવામાં આવ્યું અને દારૂ વેચનારાઓને ભગાડી મૂકી દેશી દારૂના વેપલા નો આંખો કાંડ અને તેના પૂરાવા નો નાશ કરી દીધો.હવે જોવાની વાત તો એ છે આ ઝૂંપડપટ્ટી બાબતે કેટકેટલી વાર લોકો દ્વારા ફરિયાદ કરવા છતાં પણ એસ્ટેટ વિભાગ તેમજ વસ્ત્રાપુર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નહોતી.

રાજપથ રૉ હાઉસ જજીસ બંગલા રોડ પર રહેણાંકમા ગેરકાયદેસર હોટલ કોફી શૉપ બની ગયા છે અને ત્યાં રોડ પર ખૂલ્લેઆમ નશાનો કારોબાર ચાલતો હોવાથી સ્થાનીકો દ્વારા સહીઓ સાથે લેખીત રજુઆતો પણ કરી હતી . એસ્ટેટ વિભાગ અને વસ્ત્રાપુર પોલીસ પણ ચૂપકીદી સેવી લીધી છે .

અને અચાનક આ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ના માત્ર ૨૦૦ મીટરના અંતરે આવે આ ઝૂંપડપટ્ટી માં દારૂ વેચાય છે એવો વિડિઓ વાયરલ થતાંજ માત્ર બે કે ત્રણ કલાક માં જ આ ઝૂંપડપટ્ટી એસ્ટેટ વિભાગ દ્વારા હટાવી લેવામાં આવી.

તપાસ કરતા એવું જાણવા મળ્યું કે વસ્ત્રાપુર પોલીસ દ્વારા એસ્ટેટ વિભાગ ના સંપર્ક કરવામાં આવતા એસ્ટેટ વિભાગે આ ઝૂંપડપટ્ટી ને તાત્કાલિક ત્યાંથી હટાવી લીધી. જેથી પુરાવાનો તત્કાલિક નાશ થઈ જાય અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની બાજુમાં ચાલતા દેશી દારૂના વેપલા નો હોબાળા ઉભો થાય નહીં અને બચી જાય.

એસ્ટેટ ઓફીસરની મિલીભગત તો જુઓ પુરાવાની નાશ થાય, અને વસ્ત્રાપુર પોલીસ દેશી દારૂ કાંડથી બચી જાય એટલે એસ્ટેટ ઓફિસરે તાત્કાલિક દબાણની ગાડીઓ મોકલી દબાણ હટાવી દીધું.

વસ્ત્રાપુર પોલીસ એસ્ટેટ ના કેટલાય એવા કૌભાંડો છે જેની ફરિયાદો પણ થઈ છે. પરંતુ દોસ્તી નિભાવવા માટે બંને એક બીજાને સાચવે છે ???

એસજી હાઈવે થલતેજ અને કર્ણાવતી ક્લબ તરફ પણ આકાશમા ડ્રોન દેખાયા.
07/05/2025

એસજી હાઈવે થલતેજ અને કર્ણાવતી ક્લબ તરફ પણ આકાશમા ડ્રોન દેખાયા.

Address

Ahmedabad
380054

Alerts

Be the first to know and let us send you an email when Narivacha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Narivacha:

Share