TEJ NETRA

TEJ NETRA TEJ NETRA NEWS
(1)

02/06/2026

“સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન” અંતર્ગત અમદાવાદના મેયરશ્રી હિતેશભાઈ બારોટે નાગરિકોને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે વધુ સક્રિય બનવાનો સંદેશ આપ્યો.

અમદાવાદને વધુ સ્વચ્છ, હરિયાળું અને સુંદર બનાવવાના સંકલ્પ સાથે AMC દ્વારા “Mission 5 Million Trees” જેવા જનભાગીદારી આધારિત અભિયાનને પણ આગળ વધારવામાં આવી રહ્યું છે.
“મારું શહેર, મારી જવાબદારી” — સ્વચ્છતા અને હરિયાળી તરફ એક વધુ સશક્ત પગલું.


02/06/2026

સ્વચ્છતા માત્ર અભિયાન નહીં, પરંતુ આપણા સૌનો સ્વભાવ બનવો જોઈએ.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્વચ્છતા, વૃક્ષારોપણ અને ઊર્જા બચત જેવા જનઆંદોલનોમાં લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલ #સાબરમતીસફાઈઅભિયાનને આવકારતા રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે સ્વચ્છતા એ સૌની સામૂહિક જવાબદારી છે અને આવા પ્રયાસો સ્વચ્છ તથા સ્વસ્થ ગુજરાતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

આવો, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને વધુ મજબૂત બનાવીએ.

વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું સ્ટ્રલિંગ હોસ્પિટલમાં સારવાર વખતે અવસાન,ભાજપના વરિષ્ઠ નેતા અને માંજલપુરના લોક...
02/06/2026

વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું સ્ટ્રલિંગ હોસ્પિટલમાં સારવાર વખતે અવસાન,

ભાજપના વરિષ્ઠ નેતા અને માંજલપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે.

રાજકીય તથા લોકકલ્યાણ ક્ષેત્રે તેમનું યોગદાન હંમેશા સ્મરણ રહેશે. ઈશ્વર તેમના દિવંગત આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

ॐ શાંતિ 🙏

નિવૃત્તિના એક દિવસ પહેલા જ રાજકોટ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર વી.જી પટેલ થયા સસ્પેન્ડ, ગુજરાત પોલીસ બેડામાં બચ્યો ખળભળાટ,*અડધ...
02/06/2026

નિવૃત્તિના એક દિવસ પહેલા જ રાજકોટ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર વી.જી પટેલ થયા સસ્પેન્ડ, ગુજરાત પોલીસ બેડામાં બચ્યો ખળભળાટ,

*અડધી જિંદગી નોકરી કરી ને હવે પેન્શન લઈ આરામથી જીવન જીવવાનું હતું પણ ભૂતકાળમાં એક આરોપીને બચાવવાનું ભારે પડ્યું*

*રાજકોટ શહેર કંટ્રોલ રૂમ ACP વી.જી.પટેલને નિવૃત્તિના એક દિવસ પહેલાં જ ડિસમિસ કરાયા;હવે પેન્શન સહિતનો કોઈ સરકારી લાભ નહીં મળે!*

રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા ACP વિનાયક જી.પટેલને નિવૃત્તિના માત્ર એક દિવસ પહેલાં ગૃહ વિભાગ દ્વારા નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. તેઓ 31 મેના રોજ નિવૃત થવાના હતા, પરંતુ 30 મેના રોજ ગૃહ વિભાગ તરફથી ડિસમિસ કરવાનો ઓર્ડર જાહેર થયો હતો.માહિતી મુજબ, ભૂતકાળમાં વડોદરામાં ACP તરીકે ફરજ બજાવતા હતા દરમિયાન મકરપુરા પોલીસ સ્ટેશનના જુગારના એક કેસમાં ફરાર આરોપીને પોલીસ પકડથી બચવા માટે ઘરે ન રહેવાની સલાહ આપવાનો તેમના પર આક્ષેપ હતો.આ મામલે ચાલેલી ખાતાકીય તપાસમાં તેઓ દોષિત ઠરતા ગૃહ વિભાગે કડક કાર્યવાહી કરીને નિવૃત્તિ પહેલાં જ તેમને સેવા પરથી બરતરફ કર્યા છે.

01/06/2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ની ઘોર બેદરકારીને કારણે એક વ્યક્તિ નો જીવ જોખમ માં

અમદાવાદ પૂર્વ ના ન્યૂ વસ્ત્રાલ વિસ્તાર માં વસ્ત્રાલ પોલીસ ચોકી થી માધવ ફાર્મ સુધી જે નવો રોડ બનાવેલ તેની ડ્રેનેજ લાઇન ને ઉપર લાવવા માટે ખાડા ખોદી નાખેલ છે વસ્ત્રાલ પોલીસ ચોકી સામે આવેલા સુન્દરમ આવાસ યોજના ના મેઈન ગેટ પાસે ડ્રેનેજ લાઈન ના ખાડા ખોદ્યા બાદ કોઈ પણ પ્રકાર નું બેરિકેટ કરવામાં આવ્યું ન હોવાથી રાત્રિ ના સમયે ત્યાંથી દ્વિચક્રી વાહન ચાલક તેમાં પડી જતા હાલ ગંભીર હાલત માં નજીક ની હોસ્પિટલ ખાતે 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આળસુ અધિકારીઓ શું કામ ચાલે છે તે જોવાની તસ્તી પણ આવા ઉનાળાની ગરમી માં પોતાની એર કન્ડિશનર ઓફિસ થી બહાર નીકળી કામ ના સ્થળે જતા પણ નથી જેના કારણે આમ નિર્દોષ નાગરિકો તેનો ભોગ બની રહ્યા છે
સ્થાનિક લોકો ને વોર્ડ અધિકારી ને જાણ કરી તો તેઓ આ કામ પોતાની જવાબદારી માં નથી તેમ જણાવી પ્રોજેકટ ની જવાબદારી છે તેમ કહી ખો આપી દીધી
હાલ આ કાકા ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને નજીક ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
આ માટે કોણ જવાબદાર કહેવાશે

01/06/2026

પ્રેસનોટ

માનવ અધિકાર આંદોલન સમિતિ ((MAAS)

*માનવ અધિકાર ક્ષેત્રે કાર્યરત કાર્યકર રાકેશ મહેરિયાને તડીપાર કરવાની કાર્યવાહી સામે વિરોધ*

*અનેક આગેવાનોએ કલેકટર કચેરીએ સુત્રોચાર કરી કલેકટર ને આવેદન આપ્યું*

અમદાવાદ શહેરમાં ગરીબ, પીડિત, દલિત, વંચિત, લારી-ગલ્લા ધારકો, પાથરણાવાળા અને શ્રમિક વર્ગના લોકોના પ્રશ્નોને લઈને સતત સંઘર્ષ કરતા અને માનવ અધિકારોના રક્ષણ માટે સક્રિય રહેલા સામાજિક કાર્યકર રાકેશ મહેરિયા વિરુદ્ધ અમદાવાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તડીપાર (હદપાર) કરવાની કાર્યવાહી સામે માનવ અધિકાર આંદોલન સમિતિ સહિત વિવિધ સામાજિક આગેવાનો અને કાર્યકરોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
આ સંદર્ભે આજે અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનમાં જણાવાયું છે કે રાકેશ મહેરિયા વર્ષોથી અનુસૂચિત જાતિ, ગરીબ અને પીડિત વર્ગોના પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે અને લોકશાહી માધ્યમો દ્વારા ન્યાય માટે લડત ચલાવતા રહ્યા છે. તેઓ સામે કરવામાં આવેલી તડીપારની કાર્યવાહી પાછળ રજૂ કરાયેલા કારણો અને ફરિયાદોની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.રજૂઆતમાં એ પણ જણાવાયું છે કે રાકેશ મહેરિયા વિરુદ્ધ કોઈ સંગઠિત ગુનાખોરી, અસામાજિક પ્રવૃત્તિ અથવા જાહેર શાંતિ ભંગ કરવાની વિશ્વસનીય માહિતી કે પુરાવા ઉપલબ્ધ નથી.આવા સંજોગોમાં તેમના જેવા માનવ અધિકાર કાર્યકર સામે કરવામાં આવતી કાર્યવાહી નાગરિકોના બંધારણીય અધિકારો, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકશાહી મૂલ્યો માટે ચિંતાજનક છે.માનવ અધિકાર આંદોલન સમિતિએ માંગ કરી છે કે તડીપારની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તથા ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે. સમાજના નબળા અને પીડિત વર્ગોના હક્કોની લડત લડતા કાર્યકરોને દબાવવાના કોઈપણ પ્રયાસો લોકશાહી વ્યવસ્થાને નબળી પાડે છે.આવેદનપત્રને વિવિધ સામાજિક આગેવાનો, માનવ અધિકાર કાર્યકરો અને નાગરિકોના સમર્થન સાથે રજૂ કરવામાં આવ્યું હતું.આ આવેદન આપવામાં મહેસાણા થી એડવોકેટ કૌશિક પરમાર,વિરમગામથી કિરીટ રાઠોડ,અમદાવાદથી કલ્પેશ પરમાર,કમલેશ ધવન,રાહુલ પરમાર,પ્રકાશ બેંકર,ઉષા પરમાર,મધુ કોરડીયા,હેમાબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.શરૂઆતમાં કલેકટર કચેરી બહાર હલલબોલ કરી આવેનપત્ર આપવામાં આવ્યું હતું.

માનવ અધિકાર આંદોલન સમિતિ

તારીખ-01/06/2026
સ્થળ- અમદાવાદ

01/06/2026

વનમાં વસવાની રાજભા ગઢવીને મળેલી મંજૂરી પર સ્થાનિક માલધારીઓનો વિરોધ વનમંત્રીને મીડિયા મિત્રોએ સવાલ કર્યો તો જવાબ મૌન

શું ગુજરાતના મંત્રીઓ ચાવી વાળાં રમકડાં છે?

અર્જુન મોઢવાડિયા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી છે. તેઓ ઓક્ટોબર 2025થી વન અને પર્યાવરણ/ વિજ્ઞાન અને ટેક્નોલોજી/ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી છે.

માર્ચ 2024માં તેઓ કોંગ્રેસ છોડીને BJPમાં જોડાયા હતા. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC)ના પૂર્વ પ્રમુખ અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા (2004-2007) હતા.

તેઓ 31 મે 2026ના રોજ ગીર પૂર્વ વિસ્તાર જસાધાર રેન્જ/ એનિમલ કેર સેન્ટરની મુલાકાતે ગયા હતા, ત્યારે પત્રકારોએ ડાયરા કલાકાર રાજભા ગઢવીને ગીરના લીલાપાણી નેસમાં માલધારી તરીકે વસવાટ અને પશુપાલન માટે મંજૂરી આપવા અંગે સવાલ પૂછ્યા હતા, ત્યારે રાજભા ગઢવીનું નામ સાંભળતાં જ અર્જુન મોઢવાડિયાએ માઈક કાઢી નાખ્યું. તેઓ કોઈ જવાબ આપ્યા વિના મૌન ધારણ કરીને ચાલતા થઈ ગયા.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

2023માં રાજભા ગઢવીના પિતાની ગીરમાં વસવાટ કરવાની અરજી વન વિભાગે નામંજૂર કરી હતી. 2026માં રાજભાની અરજી તરત મંજૂર થઈ ગઈ, જેના કારણે અન્ય માલધારીઓમાં વિરોધ વધ્યો છે. તેઓ પણ ગીરમાં વસવાટની મંજૂરી માંગે છે.

થોડા મુદ્દાઓ:
[1] શું રાજભા ગઢવી દિવસ-રાત મોદીજીનું સ્તુતિગાન કર્યા કરે છે એટલે સરકારે ખાસ કિસ્સામાં મંજુરી આપી છે? 2023માં તેમના પિતાની અરજી નામંજૂર કરી હતી તો હવે મંજૂરી કેમ આપી? શું વન મંત્રી અર્જુન મોઢવાડિયા સ્પષ્ટતા કરશે?

[2] કેટલાક લોકો કહે છે કે અર્જુન મોઢવાડિયા કદાવર નેતા છે. પરંતુ કદાવર નેતા પોતાના વિભાગને લગતા પ્રશ્નનો જવાબ આપ્યા વિના જતા રહ્યા, એમની કોઈ મજબૂરી હશે?

[3] શું સરકારની આ બેવડી નીતિ નથી? અમુકને ખોળ અને અમુકને ગોળ કેમ?

[4] શું અર્જુન મોઢવાડિયા મોદીજીની નકલ કરે છે? થાય તે કરી લો, જવાબ નહીં આપું!

[5] અર્જુન મોઢવાડિયા પાટલી બદલું છે. વેચાઈ ગયેલા છે. લાશ સમાન છે. સત્ય બોલવા માટે હિંમત જોઈએ અને દિલ્હીની પરમિશન જોઈએ. તો જ મોં ખૂલી શકે! શું આ કારણે જ તેઓ મૌન રહ્યા હશે? શું ગુજરાતના મંત્રીઓ ચાવી વાળાં રમકડાં છે? દિલ્હીથી ચાવી મારે એટલું જ રમકડું ચાલે? rs [1 જૂન 2026]

તમામ સરકારી કચેરીમાં રજા શિવાય કોઈ ને પ્રવેશ કરવો નહિ તેવું બોર્ડ લગાવવું ગેરકાયદેસર છે, જેથી આવા બોર્ડ કોઈ પણ સરકારી કચ...
01/06/2026

તમામ સરકારી કચેરીમાં રજા શિવાય કોઈ ને પ્રવેશ કરવો નહિ તેવું બોર્ડ લગાવવું ગેરકાયદેસર છે,
જેથી આવા બોર્ડ કોઈ પણ સરકારી કચેરીમાં હોય તો પરિપત્ર માંગી બોર્ડ દૂર કરાવી શકાય છે. કાયદો જાણો હક્ક મેળવો.

01/06/2026
31/05/2026

01/06/2026 (તેજ નેત્ર ન્યૂઝ )
સોમવાર અંક

Address

Ahmedabad
Ahmedabad
382350

Alerts

Be the first to know and let us send you an email when TEJ NETRA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TEJ NETRA:

Share