03/09/2026
અમરેલી ન્યૂઝ
અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકામાં ખેતીવાડી વીજ પુરવઠાની અનિયમિતતાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ને ખેડૂતોએ સાવરકુંડલા PGVCL કચેરીએ હલ્લાબોલ કરી આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવાની માંગ કરી હતી
સાવરકુંડલા તાલુકાના 6 થી 7 ગામના ખેડૂતો ખેતીવાડી વીજ પુરવઠાની સમસ્યાને લઈને પી.જી.વી.સી.એલ. કચેરીએ પહોંચ્યા હતા સાવરકુંડલાના થોરડી ફિડરમાં લોડ સેટિંગ અને ફોલ્ટના કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ PGVCL ના અધિકારીઓને રજૂઆત કરી હતી ખાસ કરીને પિયતના સમયે જ વીજ પુરવઠો પૂરતો ન મળતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે થોરડી ફિડર હેઠળ અંદાજે 560 જેટલા ગ્રાહકોને પૂરતો અને નિયમિત વીજ પુરવઠો મળતો ન હોવાની ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે જો આગામી બે દિવસમાં વીજ પુરવઠાની સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને પૂરતો વીજ પુરવઠો નહીં આપવામાં આવે તો આંદોલન કરવાની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી
બાઈટ 1 મહેશ ચોડવડીયા (ખેડૂત આંબરડી)
સાવરકુંડલા તાલુકાના થોરડી સહિત આસપાસના 6થી 7 ગામના ખેડૂતો ખેતીવાડી વીજ પુરવઠાની સમસ્યાથી પારાવાર પરેશાની ભોગવી રહ્યાં છે ખેડૂતોના જણાવ્યા મુજબ થોરડી ફિડરમાં વારંવાર લોડ સેટિંગ અને ફોલ્ટના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અને પિયતના સમયે વીજળી ન મળતી હોવાથી ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા હોય ત્યારે થોરડી ફિડર હેઠળ આશરે 560 જેટલા ગ્રાહકોને વીજ પુરવઠાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ખેડૂતો એકત્ર થઈ પી.જી.વી.સી.એલ. કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલિક વીજ પુરવઠો નિયમિત કરવા રજૂઆત કરી હતી ખેતીવાડી માટે જરૂરી અને પૂરતો વીજ પુરવઠો નિયમિત રીતે આપવામાં આવે તેવી માંગ કરી હતી બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉંચારેલી હતી હવે ખેડૂતોની આ રજૂઆત બાદ પી.જી.વી.સી.એલ. તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે....... અહેવાલ ફારૂક બિલખીયા અમરેલી