TEJ NETRA

TEJ NETRA TEJ NETRA NEWS

03/09/2026

અમરેલી ન્યૂઝ

અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકામાં ખેતીવાડી વીજ પુરવઠાની અનિયમિતતાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ને ખેડૂતોએ સાવરકુંડલા PGVCL કચેરીએ હલ્લાબોલ કરી આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવાની માંગ કરી હતી

સાવરકુંડલા તાલુકાના 6 થી 7 ગામના ખેડૂતો ખેતીવાડી વીજ પુરવઠાની સમસ્યાને લઈને પી.જી.વી.સી.એલ. કચેરીએ પહોંચ્યા હતા સાવરકુંડલાના થોરડી ફિડરમાં લોડ સેટિંગ અને ફોલ્ટના કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ PGVCL ના અધિકારીઓને રજૂઆત કરી હતી ખાસ કરીને પિયતના સમયે જ વીજ પુરવઠો પૂરતો ન મળતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે થોરડી ફિડર હેઠળ અંદાજે 560 જેટલા ગ્રાહકોને પૂરતો અને નિયમિત વીજ પુરવઠો મળતો ન હોવાની ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે જો આગામી બે દિવસમાં વીજ પુરવઠાની સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને પૂરતો વીજ પુરવઠો નહીં આપવામાં આવે તો આંદોલન કરવાની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

બાઈટ 1 મહેશ ચોડવડીયા (ખેડૂત આંબરડી)

સાવરકુંડલા તાલુકાના થોરડી સહિત આસપાસના 6થી 7 ગામના ખેડૂતો ખેતીવાડી વીજ પુરવઠાની સમસ્યાથી પારાવાર પરેશાની ભોગવી રહ્યાં છે ખેડૂતોના જણાવ્યા મુજબ થોરડી ફિડરમાં વારંવાર લોડ સેટિંગ અને ફોલ્ટના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અને પિયતના સમયે વીજળી ન મળતી હોવાથી ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા હોય ત્યારે થોરડી ફિડર હેઠળ આશરે 560 જેટલા ગ્રાહકોને વીજ પુરવઠાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ખેડૂતો એકત્ર થઈ પી.જી.વી.સી.એલ. કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલિક વીજ પુરવઠો નિયમિત કરવા રજૂઆત કરી હતી ખેતીવાડી માટે જરૂરી અને પૂરતો વીજ પુરવઠો નિયમિત રીતે આપવામાં આવે તેવી માંગ કરી હતી બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉંચારેલી હતી હવે ખેડૂતોની આ રજૂઆત બાદ પી.જી.વી.સી.એલ. તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે....... અહેવાલ ફારૂક બિલખીયા અમરેલી

03/09/2026

AMC દ્વારા નિકોલ વોર્ડમાં યોજાયેલ લોક દરબાર કાર્યક્રમાં નાગરિકોનો તંત્ર સામે હલ્લાબોલ,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દસક્રોઈ વિધાનસભા વિસ્તારના નિકોલ વોર્ડમાં યોજાયેલ
લોક દરબાર કાર્યક્રમાં થયો હોબાળો,

ઝડફિયા સ્ટેજ પરથી ઉતરી લોકોને સમજાવવા લાગ્યા

અમદાવાદ નિકોલ વિસ્તારમાં AMCના લોક દરબારમાં સ્થાનિકોએ તંત્ર સામે કર્યો પ્રશ્નોનો મારો,

મેયર હિતેશ બારોટની હાજરીમાં કર્યો સ્થાનિકોએ કર્યો હોબાળો,

ફાયર સેફ્ટી વિના ચાલતા ખાણીપીણી બજારમાં 200થી વધુ ગેસના બાટલા હોવાનો આરોપ

તંત્ર ના ભ્ર
ષ્ટાચાર અને અણઘડ વહીવટની પોલ નિકોલના લોક દરબારમાં ખુલ્લી પડી.

ખાડાવાળા બિસ્માર રસ્તા, પીવાનું ગંદુ પાણી, ઉભરાતી ગટરો અને બેફામ ગેરકાયદે દબાણોથી ત્રાહિમામ પોકારી ગયેલા સ્થાનિકોએ શાસકોનો આકરા શબ્દોમાં ઘેરાવ કર્યો. રહેણાંક સોસાયટીઓમાં જીવનું જોખમ ઊભું કરતા ગેરકાયદે સિલિન્ડરોના ઢગલા સામે બેઠેલું આંધળું-બહેરું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે.ગરીબો માટેની આવાસ યોજનામાં વ્યાપક અનિયમિતતાઓ સામે આવ્યા છતાં સત્તાધીશો માત્ર પોકળ ખાતરીઓ આપીને જવાબદારીમાંથી છટકી રહ્યા છે.

પ્રજાના હકના પ્રશ્નો તાત્કાલિક નહીં ઉકેલાય તો ભાજપના શાસકોએ જનતાના ઉગ્ર આંદોલનનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.



AMC-Amdavad Municipal Corporation



03/09/2026

તારીખ 2 September 2026 ના રોજ સાંજે ૪ કલાકે નિકોલ માં સૌરાષ્ટ્ર પટેલ સમાજ ની વાડી મા લોક દરબાર યોજાયો હતો.
ત્યાં મેયર શ્રી દ્વાર લોકો ની રજૂઆત સાંભળી અને વિકાસ ના કાર્યો ને લઈને સંવાદ કરવામાં આવ્યો
ત્યારે લોક દરબાર મા જાગૃત નાગરિકો દ્વારા ખાણીપીણી પ્લોટ ના લીધે પડતી તકલીફો, સરકારી સ્કૂલો, જીઆઇડીસી ના રોડ, તેમજ સ્મશાન ને લઈને રજુઆત કરવામાં આવી.

AMC-Amdavad Municipal Corporation BJP Gujarat Indian National Congress BJP Karnavati Mahanagar Aap Gujrat Ahmedabad Traffic Police

02/09/2026

મનફરા ગામમાં કથિત અસામાજિક તત્વોના આતંક સામે ગ્રામજનોની રજૂઆત

ભચાઉ તાલુકાના મનફરા ગામમાં રેતીચોરી, માટીચોરી સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને મારામારીના આક્ષેપો સાથે ગ્રામજનોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. તા. ૨૮ ઓગસ્ટે અરજણભાઈ ઉપર જીવલેણ હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે, જેમાં તેમને ગંભીર ઈજાઓ થતાં ભુજની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કેટલાક તત્વો રાજકીય વગના આધારે ગામમાં ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે અને વિરોધ કરનાર ખેડૂતો તથા ગ્રામજનો સાથે મારામારી કરે છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી, તેમજ ગામમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ સુરક્ષા વધારવાની માંગ કરવામાં આવી છે.

સાથે જ, ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કાયદા મુજબ પાસા, તડીપાર સહિતની પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવાની પણ ગ્રામજનોએ માંગ કરી છે.

02/09/2026

🚨 રાજકોટ રેસકોર્સ મેળામાં કાયદો કોના માટે?

રાજકોટ રેસકોર્સ મેળામાં સફેદ રંગની Creta કાર પર પાછળ નંબર પ્લેટ જોવા મળતી નથી, જ્યારે વાહન પર “POLICE” લખેલું છે.

❓ સવાલ એ છે કે સામાન્ય વાહનચાલક નંબર પ્લેટ વગર વાહન ચલાવે તો કાર્યવાહી થાય, તો પોલીસ લખેલી કાર માટે નિયમ અલગ છે?

⛽ નંબર પ્લેટ વગરના વાહનમાં પેટ્રોલ-ડીઝલ પણ ભરી આપવામાં આવે છે?

👉 RTO અને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરવી જોઈએ.

કાયદો સૌ માટે સમાન છે કે નહીં?

02/09/2026

*આતંકી હુમલા સામે સ્થાનિક તંત્રની સજ્જતા વધુ સુદૃઢ કરવા જામનગર એરપોર્ટ ખાતે હાઈ-લેવલ 'મોકડ્રીલ' યોજાઈ*

*ચેતક કમાન્ડો અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું*

*ચેતક કમાન્ડો દ્વારા એરપોર્ટ ખાતે ૪ આતંકવાદીઓનો ખાતમો કરી તમામ બંધકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા*

જામનગર તા.૦૨ સપ્ટેમ્બર, જામનગર શહેરના અતિ સંવેદનશીલ એવા જામનગર એરપોર્ટ ખાતે આતંકવાદ વિરોધી 'મોકડ્રીલ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કવાયત દ્વારા સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટી તંત્રએ સંભવિત કટોકટી સામે પોતાની સજ્જતા અને ત્વરિત પ્રતિસાદનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

આ ઓપરેશનમાં જામનગર એરપોર્ટ પરિસરમાં ૪ આતંકવાદીઓ દ્વારા હુમલો કરી નાગરિકોને બાન પકડવાની સ્થિતિનો ડમી સિનારીયો ઊભો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ચેતક કમાન્ડો, પોલીસ તંત્ર અને ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા સમગ્ર એરપોર્ટ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. જાનમાલને કોઈ જ નુકશાન ન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક બુલેટ પ્રુફ વાહનો, ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ સહિતના અદ્યતન સાધનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આતંકી ઘટના અંગેનો મેસેજ મળતાની સાથે જ ગણતરીની મિનિટોમાં તમામ સંબંધિત વિભાગોના કાફલાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

વ્યૂહાત્મક રીતે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો તથા કમાન્ડો દ્વારા અત્યંત કુશળતાપૂર્વક આતંકી કાવતરું નિષ્ફળ બનાવી તમામ ૪ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા અને તમામ બંધકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

જિલ્લા કલેક્ટર શ્રી પી. બી. પંડ્યા તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિ મોહન સૈનીના સીધા માર્ગદર્શન હેઠળ ઓપરેશન કમાન્ડર શ્રી કીર્તિદેવસિંહ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવિરસિંહ ઝાલા તથા શ્રી પંડ્યા, એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર શ્રી ચૌધરી વગેરે દ્વારા પોલીસ, આરોગ્ય, ફાયર, પી.જી.વી.સી.એલ., સિવિલ ડિફેન્સ, મરીન કમાન્ડો, બૉમ્બ ડિસપોઝલ સ્ક્વોડ સહિતના તમામ વિભાગો વચ્ચે ગણતરીની ઘડીઓમાં સંકલન સાધવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે યોજાયેલી આ મોકડ્રીલ થકી સુરક્ષા વ્યવસ્થાની ગહન ચકાસણી કરાઈ હતી અને વિવિધ એજન્સીઓ વચ્ચેના તાલમેલને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો હતો. આ સફળ તાલીમ દ્વારા જામનગર જિલ્લા વહીવટી તંત્રએ સાબિત કર્યું કે તેઓ કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
0000000

*નાકામ આતંકી ષડયંત્ર અને સફળ કમાન્ડો ઓપરેશન*

આતંકવાદીઓએ બંધકોને સહી સલામત મુક્ત કરવાના બદલે પોતાના દેશ જવા માટે પ્લેનની સુવિધા, જેલમાં બંધ તેમના ત્રણ સાથીઓને મુક્ત કરવાની અને રોકડ રકમની માંગણી મૂકી હતી. જોકે, ચેતક કમાન્ડો, સ્થાનિક પોલીસ અને તંત્રના સંયુક્ત તથા કુશળ વ્યુહાત્મક ઓપરેશનના પરિણામે આ તમામ આતંકવાદીઓને સ્થળ પર જ ઠાર કરવામાં સફળતા મળી હતી.

*ડોગ સ્ક્વોડે સઘન ચેકિંગ હાથ ધરી આતંકવાદીઓની કારમાંથી વિસ્ફોટક સામગ્રી ઝડપી*

એરપોર્ટ પરિસરમાં કારમાં આવી પહોંચેલા આતંકવાદીઓએ બોમ્બ ધડાકાનો મારો ચલાવ્યો હતો. આતંકીઓ જે વાહનમાં આવ્યા હતા તેમાં બોમ્બ બનાવવાની મોટી માત્રામાં સામગ્રી પણ છુપાવેલી હતી. જોકે, ઘટનાસ્થળે તૈનાત ડોગ સ્ક્વોડની તીક્ષ્ણ સતર્કતા અને સઘન ચેકિંગના પરિણામે સમયસર તે કારમાંથી વિસ્ફોટક સામગ્રી ઝડપાઈ ગઈ હતી, જેનાથી એક મોટી દુર્ઘટના અટકી શકી.
000000

02/09/2026

🚨 અમદાવાદમાં AMCની મેગા ડિમોલિશન ડ્રાઇવ
અમદાવાદ: મધ્ય ઝોનના AMC એસ્ટેટ વિભાગ દ્વારા અમદાવાદ પોલીસના સહયોગથી કાળુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર બસ સ્ટોપ તથા આસપાસના વિસ્તારોમાં મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી.
જાહેર માર્ગો પરની અવરજવર સરળ બને અને નાગરિકોને સુવિધા મળે તે હેતુથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. શહેરના જાહેર સ્થળો અને માર્ગોને દબાણમુક્ત તથા સુવ્યવસ્થિત રાખવા AMC એસ્ટેટ વિભાગ દ્વારા આવી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.

02/09/2026

બિહારના ભાગલપુરમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થતાં ચૈતી દુર્ગા મંદિર પાણીમાં ગરકાવ થયું. જુઓ આ સમગ્ર ઘટનાનો વાયરલ થયેલ વિડિયો,

02/09/2026
02/09/2026

અમદાવાદમાં યોજાયેલા લોક દરબારમાં બબાલ,

ઝડફિયા સ્ટેજ પરથી ઉતરી લોકોને સમજાવવા લાગ્યા

અમદાવાદ નિકોલ વિસ્તારમાં AMCના લોક દરબારમાં સ્થાનિકોએ પ્રશ્નોને મારો મેયર હિતેશ બારોટની હાજરીમાં કર્યો હોબાળો

ફાયર સેફ્ટી વિના ચાલતા ખાણીપીણી બજારમાં 200થી વધુ ગેસના બાટલા હોવાનો આરોપ

Address

Ahmedabad
Ahmedabad
382350

Alerts

Be the first to know and let us send you an email when TEJ NETRA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TEJ NETRA:

Shortcuts

Share