TEJ NETRA

TEJ NETRA TEJ NETRA NEWS

29/08/2025

*અમદાવાદ માં પાલડીના 88 વર્ષના વૃદ્ધ ડૉક્ટરને ડિજિટલ એરેસ્ટ કરી 8 કરોડ પડાવ્યા; ત્રણની ઈસમો ની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંન્ચ પોલીસ*

29/08/2025

પાટણમાં મહિલા ચીફ ઓફિસરનો વિવાદ ગરમાયો:* કોંગ્રેસ કાર્યકરોએ બગવાડા દરવાજા પાસે પૂતળા દહન કર્યું, માફીની માંગ.

સેવન્થ ડે સ્કૂલના વળતા પાણીસેવન્થ ડે સ્કૂલમાંથી 170 વાલીઓએ એડમિશન પરત ખેંચ્યું, અન્ય શાળા પ્રવેશની પ્રક્રિયા શરૂ કરી...અ...
29/08/2025

સેવન્થ ડે સ્કૂલના વળતા પાણી

સેવન્થ ડે સ્કૂલમાંથી 170 વાલીઓએ એડમિશન પરત ખેંચ્યું, અન્ય શાળા પ્રવેશની પ્રક્રિયા શરૂ કરી...

અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલના વિધાર્થીની હત્યા બાદ વાલીઓ શાળા છોડવા લાગ્યા છે. અત્યાર સુધી 170 વાલીઓએ સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ લઈને અન્ય શાળામાં પ્રવેશ માટેની પ્રક્રીયા શરૂ કરી દીધી છે. વાલીઓ દ્વારા પ્રવેશ રદ કર્યા બાદ DEO દ્વારા પણ તમામ વાલીઓને બાદ અન્ય શાળામાં પ્રવેશ માટે મદદ કરવામાં આવી રહી છે. હજુ પણ DEO કચેરી સમક્ષ પ્રવેશ રદ કરાવવા માટે વાલીઓ પૂછપરછ માટે શાળાએ આવી રહ્યા છે. આગામી દિવસો હજુ અનેક બાળકો સેવન્થ ડે શાળામાં પોતાનું એડમિશન રદ કરે તેવી સંભાવના જોવા મળી રહી છે.

29/08/2025

પટના: કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપનું વિરોધ પ્રદર્શન, બંને પક્ષના કાર્યકરો વચ્ચે અથડામણ,


Video Source: ANI

કરોડોના બિટકોઈન કૌભાંડ કેસમાં 14 આરોપી દોષિતપૂર્વ MLA નલિન કોટડીયા, અમરેલીના પૂર્વ SP જગદીશ પટેલ દોષિતપૂર્વ PI અનંત પટેલ...
29/08/2025

કરોડોના બિટકોઈન કૌભાંડ કેસમાં 14 આરોપી દોષિત

પૂર્વ MLA નલિન કોટડીયા, અમરેલીના પૂર્વ SP જગદીશ પટેલ દોષિત

પૂર્વ PI અનંત પટેલ સહિત 14 આરોપીઓ દોષિત જાહેર થયા

IPC અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ મુજબ આરોપીઓ દોષિત

સમગ્ર કેસમાં સરકાર તરફે 172 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા

બચાવ પક્ષે એક સાક્ષીને તપાસવામાં આવ્યો હતો

વર્ષ 2018માં બિટકોઇન કૌભાંડના કેસમાં ફાઈલ થયું હતું ચાર્જશીટ

કેસમાં અંતિમ દલીલો ત્રણ મહિના જેટલો સમય ચાલી હતી

29/08/2025

*અમદાવાદ શહેર વસ્ત્રાલ રીંગ રોડ ખાતેથી રૂ. ૨૮,૩૫,૭૫૦/- ની કિંમતના કુલ ૧૮.૯૦૫ કિગ્રા ચરસના જથ્થા સાથે એક વ્યકિતને ઝડપી પાડી એન.ડી.પી.એસ. એકટ હેઠળ ક્રાયવાહી કરતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ*

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી દ્વારા આપવામા આવેલ સુચના મુજબ N.D.P.S. એકટ હેઠળના પ્રતિબંધિત પદાર્થોનું સેવન તથા વેચાણ કરતાં વ્યકિતઓને શોધી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ જે અનુસંધાને મદદનીશ પોલીસ કમિશ્નર, ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એન.ડી.પી.એસ. હેકટ હેઠળ કેસો શોધવા કાર્યરત છે.
આજરોજ અમદવાદ શહેર વસ્ત્રાલ રીંગ રોડ ચાર રસ્તા, ભગવતી કાર સર્વિસ નામની દુકાનની સામે સર્વીસ રોડ ઉપર એક સફેદ રંગની ક્રિયા સેલ્ટોસ કાર નં. UP 78 HJ-8907 માં આરોપી નામે વિવેક કુમાર સ/ઓ રામબાબુ ઉર્ફે છુનાલાલ કુશવાહ ઉ.વ.૨૯ ધંધો નોકરી રહે ગામ કંઠીપુર થાના સુરજપુર તા. બિલ્હૌર જિલ્લો: કાનપુર ઉત્તરપ્રદેશ દ્વારા લાવવામાં આવેલ ગેરકાયદેસર ડ્રગ્સ – ચરસનો જથ્થો કુલ ૧૮.૯૦૫ કિગ્રા જેની કિ.રૂ.૨૮,૩૫,૭૫૦/- ગણાય તે ડ્રગ્સ તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ કિ.રૂ. ૩૩,૩૫,૭૫૦/- ના મુદામાલ સાથે પકડી એન.ડી.પી.એસ. એકટ હેઠળ ડી.સી.બી. પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે પકડાયેલ ચરસના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ૧ કીગ્રાના એક કરોડ લેખે કુલ ૧૮,૯૦,૫૫,૭૫૦/- ની કિંમતનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની વિગત:-

*વિવેક કુમાર સ/ઓ રામબાબુ ઉર્ફે છુનાલાલ કુશવાહ ઉ.વ.૨૯ ધંધો નોકરી રહે ગામ કંઠીપુર થાના સુરજપુર તા.બિલ્હૌર જિલ્લો કાનપુર ઉત્તરપ્રદેશ* પકડાયેલ આરોપી વિવેક કુમાર તેના મિત્ર વિમલ રાજપૂત તથા અજય નામના વ્યકિત સાથે કાનપુર, ઉતર પ્રદેશ ખાતેથી કોઇપણ રીતે ગેરકાયદેસર ચરસનો જથ્થો મેળવી પોતાની કારમાં બોનેટના ભાગે છુપાવી ડીલવરી આપવા આવેલ હોવાનું જણાય આવેલ છે. આ ઉપરાંત સ્થળ પરથી નાશી ગયેલ આરોપી વિમલ રાજપૂતના વોલેટમાંથી નેપાળ દેશની ચલણી નોટો મળી આવેલ હોય આરોપી આ ચરસનો જથ્થો નેપાળ ખાતેથી મેળવેલ હોવાની શકયતા રહેલી છે.

*આરોપીના કબ્જામાંથી મળેલ ચરસ તથા અન્ય ચીજવસ્તુઓ:*

(૧) ચરસનો ૧૮ કિલો ૯૦૫ ગ્રામ જથ્થો કિ.રુ. ૨૮,૩૫,૭૫૦/,

(૨) પેકીંગ મટિરીયલ કિ.રૂ.૦૦/૦૦

(૩) વિવેકકુમારના નામનુ ડ્રાઇવીંગ લાયસન્સ નંગ-૦૧

(૪) વિમલના નામનુ આધાર કાર્ડ નંગ-૦૧

(૫) વિમલના નામનુ ડ્રાઇવીંગ લાયસસ નંગ-૦૧

(૬) નેપાળ દેશની અલગ અલગ દરની ચલણી નોટો નંગ-૦૮

(૭) પર્સ નંગ-૦૧

(૮) કિયા સેલ્ટોસ કાર કિ.રુ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩૩,૩૫,૭૫૦/ - નો મુદામાલ

અહેવાલ : રાકેશ પંચાલ
તેજ નેત્ર ન્યૂઝ : અમદાવાદ


29/08/2025

Wel Come to Nikol....
મુસ્કુરાઈએ...ક્યુંકી આપ નિકોલ મેં હૈ....
😅😅😅😅😅
થોડાક જ વરસાદ માં આ હાલત છે...

હવે બીજું તો શું લખવું, AMC-Amdavad Municipal Corporation , દસ્ક્રોઈના ધારાસભ્ય, નિકોલ ના કોર્પોરેટરો વિશે..??
આજે તમે બધા જ લખો કમેન્ટ માં....

Bhupendra Patel PMO India Aam Aadmi Party Gujarat Aam Aadmi Party Ahmedabad Aam Aadmi Party Gopal Italia Jatin Dhameliya Sandip Patel Isudan Gadhvi

*ચુડા પોલીસ સમથકમાં ફરજ બજાવતાં હેડ કોસ્ટેબલ રાજેશભાઈ મીઠાપરાએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું.*સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડ...
28/08/2025

*ચુડા પોલીસ સમથકમાં ફરજ બજાવતાં હેડ કોસ્ટેબલ રાજેશભાઈ મીઠાપરાએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું.*
સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા પોલીસ મથકમાં ફરજ બજાવતાં પોલીસ કર્મી રાજેશભાઈ મીઠાપરાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં મોત થયું હતું.પ્રાપ્ત માહિતી મુજબ રાજેશભાઈ મીઠાપરાએ અગમ્ય કારણોસર ગોખરવાળાની સીમમાં ઝેરી ગટગટાવી હતી.
ટૂંકી સારવાર બાદ સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ચુડા પોલીસ મથકમાં હેડ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતાં રાજેશભાઈ મીઠાપરા ગોખરવાળા ગામની સીમમાં ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. રાજેશભાઈ મીઠાપરાનું મોત નિપજતાં પરિવાર પર આભ તુટી પડ્યું હતું.અને રાજેશભાઈ પોતે પરિવારનો આશરો હતાં મૃત્યુનાં સમાચાર સાંભળતા પરિવાર શોખમગ્ન થયો હતો.રાજેશભાઈ મીઠાપરાએ ક્યાં કારણોસર દવા ગટગટાવી હતી.તેનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી સમગ્ર ઘટનાને લઈને પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ હજુ સુધી ક્યાં કારણોસર આત્મહત્યા કરી લીધી છે.તેનું કારણ અકબંધ રહ્યું છે.

અહેવાલ : ભરતસિંહ પરમાર
તેજ નેત્ર ન્યૂઝ : સુરેન્દ્રનગર

ગુજરાત પોલીસ માં 118 PSI ની ટ્રાંસફર : ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 118 PSIની બદલી કરવામાં આવી છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા ...
28/08/2025

ગુજરાત પોલીસ માં 118 PSI ની ટ્રાંસફર : ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 118 PSIની બદલી કરવામાં આવી છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે.

જુઓ આ 👇લિસ્ટ કોની ક્યાંથી ક્યાં કરવામાં આવી બદલી

*ચુડા તાલુકાનાં ચમારડી ગામે દાદા અને પૌત્ર વાંસળ નદીમાં ગરકાવ થતાં મોતને ભેટ્યાં*દાદા અને પૌત્ર પશુ ચલાવતાં હતાં ત્યારે ...
28/08/2025

*ચુડા તાલુકાનાં ચમારડી ગામે દાદા અને પૌત્ર વાંસળ નદીમાં ગરકાવ થતાં મોતને ભેટ્યાં*
દાદા અને પૌત્ર પશુ ચલાવતાં હતાં ત્યારે ચમારડી ગામે વાંસળ નદીમાં ૧૧ વર્ષીય નરેશ દોલાભાઈ ચાવડા નદીનાં કાંઠે ન્હાવા માટે ગયો હતો. ત્યારે અચાનક જ ઊંડા ખાડામાં તણાઈ જતાં નરેશને ડૂબતો જોઈ તેનાં દાદા કરણભાઈ ઊંડા પાણીમાં ફસાયેલ પોતાના પૌત્રને બચાવવા માટે મોતની છલાંગ લગાવી હતી.
પૌત્રને ડૂબતો જોઈ દાદાએ છલાંગ લગાવી હતી.પરંતુ તેમને તરતાં આવડતું ન હતું.અંતે ઊંડા પાણીમાં દાદા અને પૌત્ર બંને ગરકાવ થઈ જવાથી મોત થયા હતા.
ઘટનાની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા.અને દાદા પૌત્રને બહાર કાઢી ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
તે સમયે ઉપસ્થિત ડો.જીગ્નેશ કણઝરીયાએ પૌત્ર અને દાદાને મૃતક જાહેર કરતાં પરિવારજનો અને ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

અહેવાલ : ભરતસિંહ પરમાર
તેજ નેત્ર ન્યૂઝ : સુરેન્દ્રનગર

*શ્રી જવાહર નવોદય વિદ્યાલય જર્જરી હાલત હોવાથી વાલીઓએ કલેકટરને આપ્યું આવેદનપત્ર*              વિષય:----------------------...
28/08/2025

*શ્રી જવાહર નવોદય વિદ્યાલય જર્જરી હાલત હોવાથી વાલીઓએ કલેકટરને આપ્યું આવેદનપત્ર*

વિષય:-
------------------------------------------
શ્રી જવાહર નવોદય વિધાલય લણવા, તા.ચાણસ્મા, જી.પાટણ માં ધોરણ-૬ થી ૧૨ ના વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જે શાળા આજથી ઘણા વર્ષો અગાઉ બનાવેલ છે. જે ઈમારત (બિલ્ડિંગ) વર્ષો જુની હોવાથી તે ઈમારત (બિલ્ડિંગ) માં તિડાળો તથા ધાબાના ઉપર અને નીચેના ભાગે તિડાળો અને જર્જરિત થવાથી ખરાબ હાલતમાં હોવાથી નવોદય વિધાલય ના વિધાર્થીઓ ઉપર ધાબાના નીચેના ભાગમાં થયેલ જર્જરિત થવાથી સિમેન્ટ અને કપચીના મોટા મોટા (ટુકડા) પોપડા નીચે પડે છે. જેથી વિધાર્થીઓને પારીવારીક નુકશાન થવાની સંભાવના વધારે છે. જેથી શ્રી જવાહર નવોદય વિધાલય લણવા, તા.ચાણસ્મા, જી.પાટણની યોગ્ય તપાસ કરી વિધાર્થીઓ કોઈપણ જાતનું નુકશાન ન થાય તે માટે અન્ય કોઈ બીજી જગ્યાએ નવોદય વિધાલય ની ફેર બદલી કરી આપવા અમો વાલીઓની આપ સાહેબને વિનંતી છે.

જય ભારત સાથે જણાવવાનું કે શ્રી જવાહર નવોદય વિધાલય લણવા, તા.ચાણસ્મા, જી.પાટણ માં ધોરણ-૬ થી ૧૨ ના વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જે શાળા આજથી ધણા વર્ષો અગાઉ બનાવેલ છે. જે ઈમારત (બિલ્ડિંગ) વર્ષો જુની હોવાથી તે ઈમારત (બિલ્ડિંગ) માં તિડાળો તથા ધાબાના ઉપર અને નીચેના ભાગે તિડાળો અને જર્જરિત થવાથી ખરાબ હાલતમાં હોવાથી નવોદય વિધાલય ના વિધાર્થીઓ ઉપર ધાબાના નીચેના ભાગમાં થયેલ જર્જરિત થવાથી સિમેન્ટ અને કપચીના મોટા મોટા પોપડા નીચે પડે છે. જેથી વિધાર્થીઓને પારીવારીક નુકશાન થવાની સંભાવના વધારે છે. શ્રી જવાહર નવોદય વિધાલય લણવા, તા.ચાણસ્મા, જી.પાટણ માં અમો વાલીઓ વારંવાર અમારા બાળકોને મળવા માટે આવતા જતા હોઈએ છીએ અને શ્રી જવાહર નવોદય વિધાલય લણવા માં અમારા બાળકો અભ્યાસ કરે છે. અમો વાલીઓ શ્રી જવાહર નવોદય વિધાલય લણવા ની મુલાકત લઈએ છીએ. મુલાકત લીધા પછી અમો વાલીઓને જોવા મળેલ છે કે શ્રી જવાહર નવોદય વિધાલય લણવા ની ઈમારત (બિલ્ડિંગ) વર્ષો જુની છે. તે ઈમારત (બિલ્ડિંગ) જર્જરિત હાલતમાં જોવા મળેલ છે અને તે ઈમારત (બિલ્ડિંગ) માં તિડાળો તથા ધાબાના ઉપર અને નીચેના ભાગે તિડાળો અને જર્જરિત
થવાથી ખરાબ હાલતમાં હોવાથી નવોદય વિધાલય ના (બાળકો) વિધાર્થીઓ ઉપર ધાબાના નીચેના ભાગમાં થયેલ જર્જરિત થવાથી સિમેન્ટ અને કપચીના મોટા મોટા (ટુકડા) પોપડા નીચે પડે છે. જેથી અમો વાલીઓના બાળકોને જાન-હાની હોવાની સંભાવના છે. જેથી અગાઉ તાજેતરમાં રાજસ્થાનની શાળામાં બનાવ બનેલ છે. જેમાં ઘણા માસુમ બાળકો ઈમારત (બિલ્ડિંગ) ધરાશાઈ થવાથી ધણા બાળકોને ઈજાઓ થયેલ હતી અને ઘણા માસુમ બાળકો તે ઈમારત (બિલ્ડિંગ) ધરાશાઈ થવાથી નીચે દટાઈ ગયેલા હતા અને ઘણા માસુમ બાળકો તે ઇમારત (બિલ્ડિંગ) ધરાશાઈ થવાથી ઘટના સ્થળે મૃત્યુ (અવસાન) થયેલ છે. જેથી આવી જ ઘટના શ્રી જવાહર નવોદય વિધાલય લણવા, તા.ચાણસ્મા, જી.પાટણ માં ધોરણ-૬ થી ૧૨ ના વિધાર્થીઓ તથા અમો વાલીઓના બાળકો સાથે ના ઘટે તે માટે આપ સાહેબશ્રીને અમો તમામ વાલીઓની નમ્ર વિનંતી છે કે આપ સાહેબ શ્રી જવાહર નવોદય વિધાલય લણવા, તા.ચાણસ્મા, જી.પાટણ ની મુલાકાત લઈ યોગ્ય તપાસ કરીને તમામ વિધાથીઓને અને શાળાને ફેર બદલી કરી યોગ્ય પગલા લેવા અમો તમામ વાલીઓની આપ સાહેબશ્રીને આ આવેદન પત્ર આપીએ છીએ.


Address

Ahmedabad
Ahmedabad
382350

Alerts

Be the first to know and let us send you an email when TEJ NETRA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TEJ NETRA:

Share