ZCAD publication

ZCAD publication ZCAD GROUP IS PUBLICATION AND PRINTING SERVICES.

BOOKFESTLast 4 days
02/04/2025

BOOKFEST

Last 4 days

સાહિત્ય-સ્વરૃપ સ્વાધ્યાય-શ્રેણી...           સાહિત્યના ઈતિહાસમાં મુખ્ય-ગૌણ એમ વિવિધ પ્રકારનાં અનેક સાહિત્યસ્વરૃપો અવલોકવ...
17/10/2024

સાહિત્ય-સ્વરૃપ સ્વાધ્યાય-શ્રેણી...
સાહિત્યના ઈતિહાસમાં મુખ્ય-ગૌણ એમ વિવિધ પ્રકારનાં અનેક સાહિત્યસ્વરૃપો અવલોકવા મળતાં હોય છે. મોટેભાગે આ સ્વરૃપો આગળ વિષયસામગ્રીની અર્થપૂર્ણ અભિવ્યક્તિ અર્થે અસ્તિત્વમાં આવ્યાં હોય છે. સામાજિક કે સંસ્કૃતિમૂલક સંદર્ભોથી જે-તે સ્વરૃપ પ્રગટે અને પ્રયોજાઈને વિકાસ પામતાં રહેતા. એમાં આંતરિક પરિવર્તન, રૃપાંતર થતું રહેતું હોય છે. કોઈ મુખ્ય સ્વરૃપ ગૌણ બની જાય અને ગૌણસ્વરૃપ મુખ્ય બની જાય એ આખું તંત્ર સાહિત્યના ઈતિહાસનો ભાગ બની રહેતું હોય છે. આ સંરચના-સ્ટ્રક્ચર અને ફોર્મ-સ્વરૃપને સાહિત્યના ઈતિહાસની કળાકીય વિકાસરેખા ગણવાની રહે.
આમાં પૂર્વાપર અને કાર્યકારણ સંદર્ભ પાર્શ્વભૂમાં પરિબળ રૃપે પડઘાતો હોય તો એ પણ સમગ્ર ખંડને - પરંપરાને નૂતન રીતે આવિષ્કાર કરાવનારું ઘટક હોઈ શકે.
સ્વરૃપનું સંવર્ધન-વિવર્ધન થતું રહેતું હોય છે. સાહિત્યના ઈતિહાસનું આવું સ્વરૃપમૂલક ઘટક-પરિમાણ પાછળ સમાજની સ્વીકૃતિ, સમાજની માંગ, સામાજિક અવસ્થિતિ પણ કારણભૂત હોય છે. સર્જકને પ્રાપ્ત પરિસ્થિતિ અને સર્જકને પ્રાપ્ત વિષય સામગ્રી એને અમુક સ્વરૃપમાં ક્રિયાશીલ થવા પ્રેરનાર-પ્રેરક પરિબળ ગણાયા. સ્વરૃપ પ્રાપ્ત કૃતિને આ પરિબળનો પ્રતિઘોષ ગણીને સાહિત્યના ઈતિહાસમાં ચર્ચવાની હોય.
ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં ઈ.સ. ૧૨૫૦થી આ પરંપરા પ્રયોજાતી રહી. મધ્યકાલીન અને અર્વાચીન ગાળામાં સમયાંતરે સંતસાહિત્ય, લોકસાહિત્ય અને ચારણીસાહિત્યની પરંપરા પ્રભાવ પાડતી રહી છે. પરંતુ ઈતિહાસમાં આ ધારાને લગભગ બહુ લક્ષમાં લેવાઈ નથી. અહીં મધ્યકાળથી અનુઆધુનિકકાળ સુધી પ્રવાહમાન સ્વરૃપોનો સ્વાધ્યાય, સાંપ્રત સમયે સ્વાધ્યાયરત અભ્યાસી અધ્યાપકોેએ પોતાની રીતે ભારે ખંતથી, નિસ્બતથી સમયસર કરી આપ્યો તે પ્રકાશિત છે.
પ્રકાશનની દુનિયામાં અમારું ઝેડકેડ પ્રકાશન ગ્રુપ થોડાં સમય પહેલાં સાંવ નવું નામ હતું. પરંતુ, આપ સૌના સ્નેહ-સહકારથી વિવિધ વિષયોના પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. એમાનાં ઘણાં પુસ્તકોની એકથી વધુ આવૃત્તિઓ પણ થઈ છે. આ તમામ શ્રેણ આપ જેવા સુજ્ઞ ભાવકોને જ જાય છે. અમારી આ સાહિત્ય-સ્વરૃપ સ્વાધ્યાય-શ્રેણીમાં લોકસાહિત્ય, સંતસાહિત્ય, મધ્યકાલીન તથા અર્વાચીન સાહિત્યના લગભગ તમામ સ્વરૃપોને ક્રમશઃ પ્રગટ કરવાની નેમ છે. નિશ્ચિત પૃષ્ઠમર્યાદા, જે-તે સાહિત્યસ્વરૃપની સંજ્ઞા-વિભાવના, લાક્ષણિકતાઓ, વિકાસરેખા તથા નમૂનારૃપ આસ્વાદ વગેરે મુદ્દાઓને ધ્યાનમાં લઈને નિશ્ચિત માળખામાં આ શ્રેણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જે-તે સાહિત્ય સ્વરૃપના સ્વતંત્ર પુસ્તકો તથા લેખો આપણને પ્રાપ્ય છે જ પરંતુ આ શ્રેણીની વિશેષતા એ છે કે ટૂંકમાં છતાં જે-તે સાહિત્યસ્વરૃપની તમામ બાબતોનો એક જ પુસ્તકમાં સમાવેશ કરવાનો પ્રયાસ થયો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તથા સ્નાતક, અનુસ્નાતક અને સાહિત્ય સંદર્ભે સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપરાંત સાહિત્યમાં-સાહિત્યસ્વરૃપોમાં ટૂંકમાં છતાં દરેક પાસાઓનો અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવનારને આ પુસ્તક આશીર્વાદરૃપ બનશે.

 સંગીતકારો માટે વિશેષ ઓફર...લોકગાણાં, લોકવાતું, લોકરીત એ જ લોકપરંપરા: એ જ આપણાં મૂળ..લોકસાહિત્યકાર, ગીતકાર, સંગીતકાર મુ....
20/03/2024



સંગીતકારો માટે વિશેષ ઓફર...
લોકગાણાં, લોકવાતું, લોકરીત એ જ લોકપરંપરા: એ જ આપણાં મૂળ..
લોકસાહિત્યકાર, ગીતકાર, સંગીતકાર મુ.શ્રી અરવિંદ બારોટના ઝેડ-કેડ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત
• મોર જાજે ઉગમણે દેશ (પરંપરાગત લગ્નગીતો, ફટાણાં અને રાંદલમાનાં ગીતો) મૂળ કિંમત 460.00
• હરિ તારાં નામ છે હજાર (ધોળ-મંગળ, કિર્તન, પદ, ઝીલણિયાં, આરતી, થાળ, ધૂન) મૂળ કિંમત 400.00
ઉપરોક્ત બંને પુસ્તકો પોસ્ટેજ ખર્ચ સાથે ફક્ત 680.00માં 31 માર્ચ 2024 સુધી ઉપલબ્ધ.

અરવિંદ બારોટના પુસ્તકની લિંક મેસેજમાં આપેલ છે.
સંપર્ક 6358852437



Manish Patel Zcad ZCAD GROUP ZCAD Foundation Manish Patel Zcad Manis Patel સાહિત્ય સ્પંદન સામયિક

કલ્પનાઓ, સંવેદનાઓ, ભાવનાઓ અને વિચારોનો સમન્વય*તો શું થયું?*માનવજીવનને સ્પર્શતી આર. બી. રાઠોડની ગઝલનો ગુલદસ્તો આપની સમક્ષ...
04/03/2024

કલ્પનાઓ, સંવેદનાઓ, ભાવનાઓ અને વિચારોનો સમન્વય
*તો શું થયું?*
માનવજીવનને સ્પર્શતી આર. બી. રાઠોડની ગઝલનો ગુલદસ્તો
આપની સમક્ષ પ્રગટ કરતાં આનંદની લાગણી અનુભવું છું.

આ સંગ્રહ મગાવવા માટે નીચેની લિંક ક્લિક કરો...

https://zcadgroup.co.in/product/to-shu-thayu/

11/07/2023
29/04/2023

અરવિંદ બારોટના (1) મોર જાજે ઉગમણે દેશ (2) હરિ તારાં નામ છે હજાર પુસ્તકોના ઘણાં ગીતો જલસો પ્લેટફોર્મ ઉપર લાઈવ સાંભળવાનો લ્હાવો સાંપડ્યો. અરવિંદભાઈએ જલસો કરાવી દીધો.

જલસો ટીમનો ખૂબ ખૂબ આભારી.
ખાસ આભારી
Naishadh Purani Naishadh Purani Jalso Arvind Barot Arvind Barot ZCAD GROUP ZCAD publication ZCAD Foundation ZCAD GROUP

પરંપરાની પ્રતિષ્ઠા:

આ ગીતો લખેલાં નથી, ઊગેલાં છે.
°
આપણી 'પરંપરાની પ્રતિષ્ઠા' ઉપર
ચારે બાજુથી આઘાતો થઈ રહ્યા છે.
આપણા રિવાજોને અર્થહીન ગણીને આપણી ઠેકડી ઉડાડવામાં આવે છે. માતાના ધાવણથી વિમુખ કરીને ઝેરીલાં રસાયણો અને વિનાશક ઉજવણીના આદિ બનાવવામાં આવે છે.
ચેતી જઈએ. આપણાં મૂળનું પોષણ ન ગુમાવીએ.
આ ગીતો આપણી ઓળખનાં સરનામાં છે. આપણા રિવાજો જીવનની કવિતા છે.
•••••••••••••••••••••••••••••••••••••••••
જીવતરના કહુંબાના પિયાલા સમાં બે પુસ્તકો...
•••••••••••••••••••••••••••••••••••••••••
પુસ્તકો મેળવવા માટે:

ઝેડ-કેડ પબ્લિકેશન
અમદાવાદ
6358852437

https://zcadgroup.co.in/store/arvind-barot/

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when ZCAD publication posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ZCAD publication:

Share