Gujarat Samachar

Gujarat Samachar Fearless Truth -
No.1 Gujarati Daily News Paper

You can follow us on the following social networking sites:

Twitter
https://twitter.com/gujratsamachar

Telegram
https://t.me/gujaratsamacharofficial

Sound cloud
https://soundcloud.com/gujaratsamachar

Pinterest
https://in.pinterest.com/gujratsamachar/

Subscribe to our YouTube channel
https://www.youtube.com/GujaratSamacharVideo

Delhi Air Pollution News: દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે, આ દરમિયાન દિલ્હી હાઇકોર્ટ...
24/12/2025

Delhi Air Pollution News: દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે, આ દરમિયાન દિલ્હી હાઇકોર્ટે એક જાહેર હિત અરજી (PIL) પર સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકારને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યો છે કે, ‘પ્રદૂષણની કટોકટીભરી સ્થિતિમાં પણ લોકોને સ્વચ્છ હવા આપી શકે એવા સાધનો પર આટલો ઊંચો ટેક્સ શા માટે રખાયો છે? આપણે દિવસમાં લગભગ 21,000 વખત શ્વાસ લઈએ છીએ. એ હિસાબે શરીરમાં દાખલ થતાં પ્રદૂષકોને લીધે થનારા નુકસાનની ગણતરી કરો.’

આ દરમિયાન કેન્દ્ર સરકારના વકીલે જવાબ આપવા માટે વધુ સમય માગતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. દિલ્હી હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘આ મુદ્દે નિર્ણય લેવામાં હજુ કેટલો સમય લાગશે? જ્યારે હજારો લોકો મરી જશે ત્યારે નિર્ણય લેશો? દરેક વ્યક્તિને સ્વચ્છ હવાની જરૂર છે અને તમે એટલું પણ નથી કરી શકતા! ઓછામાં ઓછું એર પ્યોરિફાયર જેવા સાધનો તો સુલભ બનાવી દો.’

નોંધનીય છે કે, દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ હોવા છતાં એર પ્યોરિફાયર પર 18% GST વસૂલાતો હોવા મુદ્દે દિલ્હી હાઇકોર્ટમાં એક જાહેર હિત અરજી (PIL) દાખલ કરાઇ હતી. આ અરજીમાં એર પ્યોરિફાયર્સને 'તબીબી ઉપકરણો'ની શ્રેણીમાં મૂકીને તેના પરના જી.એસ.ટી દરને માત્ર 5% કરવાની માંગ કરાઇ છે.

જયપુરની વિશેષ પોક્સો અદાલતે ક્રિકેટર યશ દયાલને સગીરા સાથે કથિત યૌન શોષણના આરોપમાં આગોતરા જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દ...
24/12/2025

જયપુરની વિશેષ પોક્સો અદાલતે ક્રિકેટર યશ દયાલને સગીરા સાથે કથિત યૌન શોષણના આરોપમાં આગોતરા જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, ‘આ મુદ્દે એક સગીર પીડિતા સાથે જોડાયેલો છે, જેમાં લગાવાયેલા આરોપ ખૂબ જ ગંભીર છે અને આવા સ્તરે આરોપીને કોઇપણ પ્રકારની કાયદાકીય રાહત આપવી અયોગ્ય છે.’

નોંધનીય છે કે, યશ દયાલ સામે આરોપ છે કે, તેણે ક્રિકેટમાં કારકિર્દી બનાવવાના ખોટા આશ્વાસન આપીને કથિત રીતે લાંબા સમય સુધી પીડિતાનું શારીરિક શોષણ કર્યું. ફરિયાદ મુજબ, યશ દયાલે આ ગુનો પીડિતા જ્યારે સગીર હતી ત્યારે આચર્યો હતો.

Dahod News : ઉત્તરાયણ પર્વના થોડા દિવસો બાકી છે, ત્યારે ગુજરાતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો આતંક યથાવત્ છે. દાહોદમાં ચાઈન...
24/12/2025

Dahod News : ઉત્તરાયણ પર્વના થોડા દિવસો બાકી છે, ત્યારે ગુજરાતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો આતંક યથાવત્ છે. દાહોદમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળુ કપાયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં યુવકને હાથ અને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં યુવકને ગળાના ભાગે 50 કરતાં વધુ ટાંકા લેવા પડ્યા હતા.

24/12/2025

Mumbai ના ચર્ચમાં ક્રિસમસ કેરોલ્સ પહેલા ગુંજ્યુ રાષ્ટ્રગાન, વીડિયો વાઇરલ | Gujarat Samachar

New Airlines in India: ભારતીય એવિએશન સેક્ટરમાં અત્યાર સુધી ગણ્યા-ગાંઠ્યા ખેલાડીઓનું વર્ચસ્વ હતું, જેના કારણે મુસાફરોએ ઘણ...
24/12/2025

New Airlines in India: ભારતીય એવિએશન સેક્ટરમાં અત્યાર સુધી ગણ્યા-ગાંઠ્યા ખેલાડીઓનું વર્ચસ્વ હતું, જેના કારણે મુસાફરોએ ઘણીવાર ઊંચા ભાડા અને મનમાનીનો સામનો કરવો પડતો હતો. જો કે, ઈન્ડિગો સંકટ બાદ આ એકહથ્થુ શાસન તોડવા માટે કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. સરકારે ‘અલ હિંદ એર’, ‘ફ્લાય એક્સપ્રેસ’ અને ‘શંખ એર’ નામની ત્રણ નવી એરલાઈન્સને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપી દીધું છે.

હાલ દેશના લગભગ 90 ટકા મુસાફરો ઈન્ડિગો અને એર ઇન્ડિયાની સેવાનો ઉપયોગ કરે છે. તાજેતરમાં ઈન્ડિગોની સિસ્ટમ ખોરવાતા હજારો મુસાફરો હેરાન-પરેશાન થઈ ગયા હતા, ત્યારથી આ સેક્ટરમાં વધુ એરલાઈન્સની જરૂર જણાઇ હતી. હવે સરકારના આ નિર્ણયથી આગામી સમયમાં હવાઈ મુસાફરોને વધુ વિકલ્પો અને સસ્તી ટિકિટો મળવાની આશા જાગી છે.

24/12/2025

એકતરફી પ્રેમમાં દિયરે કરી ભાભીની છેડતી, ધરપકડ બાદ કર્યો દાવો, 'મને ઉપરવાળાએ આવું કરવા કહ્યું'

Virat Kohli And Rohit Sharma Century : ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર્સ વિરાટ કોહલી અને રોહિત શર્માએ વિજય હજારે ટ્રોફીમાં શ...
24/12/2025

Virat Kohli And Rohit Sharma Century : ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર્સ વિરાટ કોહલી અને રોહિત શર્માએ વિજય હજારે ટ્રોફીમાં શાનદાર દેખાવ કર્યો છે.

દિલ્હી તરફથી રમતા વિરાટ કોહલીએ આંધ્રપ્રદેશ સામેની મેચમાં 101 બોલમાં 3 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકારી 131 રન બનાવ્યા હતા. આ સાથે જ વિરાટે લિસ્ટ-A ક્રિકેટ (આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ વનડે ક્રિકેટ)માં 16,000 રનનો આંકડો પાર કર્યો છે. સચિન તેંડુલકર પછી વિરાટ આ સિદ્ધિ મેળવનારો બીજો ભારતીય બેટર બની ગયો છે.

બીજી બાજુ, મુંબઈ માટે રમતા હિટમેન રોહિત શર્માએ પણ સિક્કિમ સામે આક્રમક સદી ફટકારી છે. રોહિતે માત્ર 61 બોલમાં સદી ઠોકી દીધી હતી અને 94 બોલમાં 9 છગ્ગા અને 18 ચોગ્ગા ફટકારી 155 રનની તોફાની ઈનિંગ રમી હતી.

24/12/2025

પ્રસૂતાને ઝોળીમાં લઇ જવી પડી.. બાળકો ઝાડ નીચે ભણી રહ્યા છે.. આ છે ગુજરાત મોડલ?: ચૈતર વસાવા

24/12/2025

ગોંડલ, રાજકોટ: 'એ અમારા મા-બાપ છે, મોટા ભાઇ છે અમારા...', રાજુ સોલંકીના સૂર કેમ બદલાયા?

Ahmedabad Flower Show: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાતા 'ફ્લાવર શો'ની ટિકિટના દરો...
24/12/2025

Ahmedabad Flower Show: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાતા 'ફ્લાવર શો'ની ટિકિટના દરોમાં વધારો કરાયો છે. સામાન્ય દિવસો એટલે કે સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટના ભાવ 80 રૂપિયા (ગત વર્ષની સરખામણીમાં 10 રૂપિયા વધુ) અને શનિવાર-રવિવારના દિવસોમાં ટિકિટનો ભાવ 100 રૂપિયા કરાયો છે. આ ઉપરાંત સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 પ્રાઈમ સ્લોટ રખાયો છે. જેમાં લોકો 500 રૂપિયામાં ભીડ વગર ફ્લાવર શોની મજા માણી શકશે.

નોંધનીય છે કે, 12 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકો મફતમાં ફ્લાવર શોની મજા માણી શકશે. આ ઉપરાંત AMC સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં અને અન્ય શાળાના વિદ્યાર્થીઓ માટે ટિકિટનો દર 10 રૂપિયા નક્કી કરાયો છે. સૈનિક અને દિવ્યાંગો માટે પણ ફ્લાવર શોમાં ફ્રીમાં એન્ટ્રીની વ્યવસ્થા કરાઇ છે.

24/12/2025

25 કિમી સુધી પીછો કરી મચાવી લૂંટ; બગોદરા પાસે દંપતીને નિશાન બનાવનારા ઝડપાયા

Ambaji Temple: ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વનો હુકમ કરતા કહ્યું છે કે, હવે અંબાજીમાં નવરાત્રિની આઠમની પૂજાનો વિશેષાધિકાર ફ...
24/12/2025

Ambaji Temple: ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વનો હુકમ કરતા કહ્યું છે કે, હવે અંબાજીમાં નવરાત્રિની આઠમની પૂજાનો વિશેષાધિકાર ફક્ત દાંતાના મહારાજા અને વંશજોને નહીં રહે. આ દિવસે સામાન્ય ભક્તો પણ પૂજા અને દર્શનનો લાભ લઈ શકશે.
નોંધનીય છે કે, અંબાજી મંદિરની સ્થાપના પછી આ અત્યાર સુધીનો સૌથી મહત્ત્વનો નિર્ણય છે.

શું હતો સમગ્ર વિવાદ?
બનાસકાંઠાના દાંતાના રાજવી પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે દાયકાઓથી કાનૂની લડાઈ ચાલી રહી હતી. દાંતાના રાજવી પરિવારનો દાવો હતો કે, પરંપરાગત રીતે આઠમની હવન પૂજા અને આરતીનો પ્રથમ હક તેમનો છે. આ પરંપરા રાજાશાહીના સમયથી ચાલી આવતી હતી અને તેને તેઓ પોતાનો કાનૂની અને ધાર્મિક અધિકાર ગણાવતા હતા. જેના લીધે અત્યાર સુધી આઠમની પલ્લી અને વિશેષ પૂજા વખતે રાજવી પરિવારની હાજરી અનિવાર્ય ગણાતી હતી, પરંતુ હવે મંદિર વહીવટી તંત્ર પોતાની રીતે તમામ ભક્તો માટે વ્યવસ્થા કરી શકશે.

સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટના 3 મહત્ત્વના અવલોકન
1. લોકશાહીમાં વિશેષાધિકાર નહીં: રાજાશાહીના સમયના હકો હવે લોકશાહી શાસન વ્યવસ્થામાં કાયમી ધોરણે ચાલુ રાખી શકાય નહીં.
2. જાહેર ટ્રસ્ટનો નિયમ: અંબાજી મંદિર હવે એક પબ્લિક ટ્રસ્ટ અને સરકાર હસ્તક છે. જાહેર મંદિરમાં દરેક શ્રદ્ધાળુ સમાન છે.
3. ભક્તો માટે સમાનતા: પૂજા કે આરતીમાં કોઈ એક વ્યક્તિ કે પરિવારને અગ્રતા આપવી એ બંધારણીય રીતે યોગ્ય નથી. હવે આ પૂજાનો લાભ સામાન્ય વ્યક્તિ પણ લઈ શકશે.

Address

Gujarat Samachar
Ahmedabad
380001

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Samachar:

Share

Gujarat Samachar Is Now on Telegram!

We at Gujarat Samachar promise to deliver the most relevant news updates right to your inbox with our Telegram service. And we also promise to never spam you, till Telegram does us apart! And if you unsubscribe (we hope you don't), we move on and make peace with your decision.

Here are some of our other Telegram channels. Gujarat Samachar: https://t.me/gujaratsamacharofficial Gujarat Samachar Surat News: https://t.me/suratsamachar Gujarat Samachar Saurashtra News: https://t.me/saurashtranews

Simply click on a link and join the channel! Enjoy The Gujarat Samachar on Telegram!

લગભગ એક વર્ષ પહેલા ગુજરાત સમાચારએ વાચકોને WhatsApp પર મહત્વના સમાચાર પહોંચડવાનું વચન આપ્યું હતું. જોકે, અમે આ વચન પાળી શક્યા નથી કારણકે છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપએ પોતાની પોલિસીમાં ઘણા ફેરબદલ કર્યા છે. ખાસ કરીને ન્યુઝ પબ્લિશર્સ માટે પોતાની પૉલિસી બદલી નાખી છે. જેના કારણે તમારા સુધી પહોંચવુ અમારા માટે ઘણું કપરુ બની ગયું હતું.