Anand Today

Anand Today Anand Today
(1)

આણંદ ટુડે | કાબુલપાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. અફઘાનિસ્તાનના સત્તાવાર પ્રવક્તા ઝબ...
10/06/2026

આણંદ ટુડે | કાબુલ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. અફઘાનિસ્તાનના સત્તાવાર પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે દાવો કર્યો છે કે પાકિસ્તાની વાયુસેનાએ સરહદી વિસ્તાર નજીક હવાઈ કાર્યવાહી કરી હતી, જેના કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે ચર્ચા અને ચિંતા વધી છે.

અફઘાનિસ્તાન તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનામાં સામાન્ય નાગરિકો પણ પ્રભાવિત થયા હોવાની માહિતી મળી રહી છે. જોકે ઘટનાને લઈને બંને દેશોના સત્તાવાર પક્ષો તરફથી અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે અને સમગ્ર મામલે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

આ ઘટનાને પગલે સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને બંને દેશોને સંયમ જાળવી રાજદ્વારી માર્ગે મુદ્દાનો ઉકેલ લાવવા અપીલ કરી રહ્યા છે.

આણંદ ટુડે | વાવ-થરાદ‘હર ઘર જળ’ના દાવાઓ વચ્ચે વાવ-થરાદના પંથકનું આકોલી ગામ આજે પણ પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી ...
10/06/2026

આણંદ ટુડે | વાવ-થરાદ

‘હર ઘર જળ’ના દાવાઓ વચ્ચે વાવ-થરાદના પંથકનું આકોલી ગામ આજે પણ પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. લાંબા સમયથી પાણીની અછતથી પરેશાન ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેના પગલે ગામની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી.

મહિલાઓએ ખાલી માટલાં ફોડીને તંત્ર અને શાસકો સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે અનેક રજૂઆતો અને ઉચ્ચ સ્તરેથી સૂચનાઓ મળ્યા છતાં પાણીની સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. જેના કારણે લોકોને આજે પણ પીવાના પાણી માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

આંદોલનકારી મહિલાઓએ તાત્કાલિક પાણી પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી અને ચેતવણી આપી હતી કે જો સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

10/06/2026
10/06/2026

સાદગી અને સૌહાર્દનું અનોખું દૃશ્ય.!

P.M નરેન્દ્ર મોદીજીએ NDAના સાથી નેતાઓ સાથે ઝાલમુરીનો સ્વાદ માણ્યો

દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી NDA બેઠક દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ NDAના સાથી નેતાઓ સાથે પરંપરાગત ઝાલમુરીનો સ્વાદ માણ્યો.નેતૃત્વમાં સાદગી, સહકારમાં મીઠાશ અને વિકાસના સંકલ્પ સાથે આગળ વધતું NDA પરિવાર.

10/06/2026

સ્વચ્છતા માટે શ્રમદાન
આણંદ ભાજપ દ્વારા અટલજીને સ્વચ્છતાથી શ્રદ્ધાંજલિ

સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત કરમસદ-આણંદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા અટલબિહારી બાજપાઈજીની પ્રતિમાનું સ્વચ્છતા કાર્ય તેમજ લોટેશ્વર તળાવ ખાતે શ્રમદાન કરવામાં આવ્યું.સ્વચ્છ અને સુંદર શહેર માટે સૌ નાગરિકોને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો.

10/06/2026

કરમસદમાં ગુંજ્યું સરદાર પટેલનું ગૌરવગાન
વિદ્યાર્થીઓએ જાણી લોખંડી પુરુષની જીવનગાથા
પ્રગતિ પથ યાત્રા અંતર્ગત સરદાર પટેલના જીવનમૂલ્યોનો પરિચય

આણંદ જિલ્લાના કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે પ્રગતિ પથ યાત્રા અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, રાષ્ટ્રપ્રેમ અને દેશની એકતા માટેના તેમના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું મેમોરિયલ ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ, એકતા, નેતૃત્વ અને લોકસેવાના મૂલ્યો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવા અને વિદ્યાર્થીઓને સરદાર પટેલના જીવનમૂલ્યોમાંથી પ્રેરણા મળી રહે અને યુવાઓ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે પ્રોત્સાહિત થાય તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો.વિદ્યાર્થીઓને સરદાર પટેલના જીવન અને રાષ્ટ્રસેવાના કાર્ય અંગે નજીકથી જાણવા મળે તે હેતુથી વિદ્યાર્થીઓએ સરદાર પટેલ મેમોરિયલની મુલાકાત કરાવાઇ હતી. આ દરમિયાન સરદાર પટેલ દ્વારા તેમના જીવનકાળમાં ઉપયોગમાં લેવામાં આવેલી વિવિધ વસ્તુઓ, દસ્તાવેજો અને સ્મૃતિચિહ્નો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મના માધ્યમથી સરદાર પટેલના જીવનપ્રસંગો, તેમના નેતૃત્વ, રાષ્ટ્રીય એકતાના કાર્ય અને દેશસેવાના આદર્શોને ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલ, બાપેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રી, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી સુથાર, જનપ્રતિનિધિઓ, મહાનગરપાલિકાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આણંદ ટુડે | વડોદરાવડોદરા શહેરમાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને જર્જરીત અને જોખમી મકાનો સામે વિશેષ ઝુંબેશ હા...
10/06/2026

આણંદ ટુડે | વડોદરા

વડોદરા શહેરમાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને જર્જરીત અને જોખમી મકાનો સામે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. શહેરમાં અંદાજે 1800 જેટલા જર્જરીત મકાનો ચિહ્નિત કરવામાં આવ્યા છે, જેમાં માત્ર વોર્ડ નંબર 14 વિસ્તારમાં જ 788 મકાનોનો સમાવેશ થાય છે.

જાનહાનિ ટાળવા માટે કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગે મકાન માલિકોને નોટિસો પાઠવી છે તેમજ આવા જોખમી મકાનોમાં રહેતા લોકોને સ્થળ ખાલી કરવાની જાહેર ચેતવણી પણ આપવામાં આવી છે. શહેરના વિવિધ વોર્ડમાં જોખમી ગણાયેલા મકાનોની તપાસ અને જરૂરી કાર્યવાહી ચાલી રહી છે.

કોર્પોરેશને નાગરિકોને ચોમાસા દરમિયાન સલામતી જાળવવા અપીલ કરી છે અને જર્જરીત મકાનોમાં રહેવાનું ટાળવા જણાવ્યું છે. તંત્ર દ્વારા સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ દુર્ઘટના સર્જાય નહીં.

આણંદ ટુડે | સ્પોર્ટ્સ ડેસ્કભારતના સ્ટાર બેટ્સમેન Shubman Gillએ ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં મહત્વપૂર્ણ ઉછાળો મેળવી 8મુ...
10/06/2026

આણંદ ટુડે | સ્પોર્ટ્સ ડેસ્ક

ભારતના સ્ટાર બેટ્સમેન Shubman Gillએ ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં મહત્વપૂર્ણ ઉછાળો મેળવી 8મું સ્થાન હાંસલ કર્યું છે. અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં ફટકારેલી શાનદાર સદીના કારણે ગિલને રેન્કિંગમાં સીધો ફાયદો થયો છે. તે અગાઉ 10મા ક્રમે હતો, પરંતુ હવે બે ખેલાડીઓને પાછળ છોડીને 8મા સ્થાને પહોંચી ગયો છે.

બીજી તરફ ભારતના યુવા ઓપનર Yashasvi Jaiswalને રેન્કિંગમાં થોડું નુકસાન થયું છે. તાજેતરના અપડેટમાં તેના સ્થાનમાં ઘટાડો નોંધાયો છે. ગિલની સતત સારી બેટિંગ ભારતીય ટીમ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે, જ્યારે આવનારી ટેસ્ટ શ્રેણીઓમાં ખેલાડીઓના પ્રદર્શન પર સૌની નજર રહેશે.

આણંદ ટુડે | ગાંધીનગરગુજરાતમાં બુધવારે સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો, જ્યારે મુખ્યમંત્રી કાર્યાલય (CMO), અમદાવાદ ...
10/06/2026

આણંદ ટુડે | ગાંધીનગર

ગુજરાતમાં બુધવારે સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો, જ્યારે મુખ્યમંત્રી કાર્યાલય (CMO), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કચેરી અને RSS કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતો ઈ-મેઈલ મળ્યો હતો. ધમકીમાં 10 જૂનથી 30 સપ્ટેમ્બર વચ્ચે કોઈપણ સમયે વિસ્ફોટ કરવાની વાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ધમકી મળ્યા બાદ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી. સંબંધિત તમામ સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જોકે ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સઘન તપાસ ચાલુ રાખવામાં આવી છે.

અધિકારીઓ ધમકીભર્યા ઈ-મેઈલનો સ્ત્રોત શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ સહિત વિવિધ એજન્સીઓ તપાસમાં જોડાઈ છે.

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Anand Today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Anand Today:

Share