સર્વોપરી અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંત- Sarvopari Akshar Purushottam Sidhdhant

  • Home
  • સર્વોપરી અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંત- Sarvopari Akshar Purushottam Sidhdhant

સર્વોપરી અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંત- Sarvopari Akshar Purushottam Sidhdhant "અક્ષર રૂપ થઇ ને એક પુરુષોત્તમ ની ભક્તિ કરવી...એ જ બ્રહ્મમાર્ગ...એ જ ધ્યેય.....

“ગુણાતીતો અક્ષરમ બ્રહ્મ ,ભગવાન પુરુષોત્તમ
જનો જાનમનીદમ સત્યમ મુચ્યાતે ભવબંધનાત”
પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ...પ.પુ. મહંત સ્વામી મહારાજ અને આપણી ગુણાતીત પરંપરા એ કે જેણે- ગુણાતીતાનંદ સ્વામી જ મૂળ અક્ષર છે અને સહજાનંદ સ્વામી જ એક પૂર્ણ પુરુષોત્તમ છે- એ બ્રહ્મ સત્ય ને જીવ માત્ર સુધી પહોંચાડવા -પોતાની જાત ને ઘસી નાખી છે..અને એક જ સર્વોપરી સિધ્ધાંત કે જેણે જીવમાત્ર માટે અક્ષરધામ ને સુલભ બનાવ્યું...એ સ

ર્વોપરી સિધ્ધાંત .."અક્ષર રૂપ થઇ એક પુરુષોત્તમ ની ભક્તિ કરવી" ને જન જન સુધી પહોંચાડવા નો એક પ્રયાસ છે....આપણે તો એક માધ્યમ માત્ર છીએ.....

ચાલો કાર્તિક માસ ની વધતી ઠંડીની  ધાર ને સ્વયમ શ્રીજી ના અમૃત વચનો ની ધાર સાથે અંતર માં મમળાવી એ.........અને જીવ ને અક્ષર...
25/10/2025

ચાલો કાર્તિક માસ ની વધતી ઠંડીની ધાર ને સ્વયમ શ્રીજી ના અમૃત વચનો ની ધાર સાથે અંતર માં મમળાવી એ.........અને જીવ ને અક્ષર રૂપ કરી......પુરુષોત્તમ તરફ પ્રયાણ કરીએ.......!

સ્થળ -ગઢડા -દાદા ખાચર નો દરબાર...આથમણો દ્વાર
સમય- સંવંત ૧૮૭૬ -પોષ સુદી પુનમ

સંવાદ- ગોપાળાનંદ સ્વામી દ્વારા એક પ્રશ્ન અને શ્રીજી મહારાજ દ્વારા ઉત્તર...

" ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે......
“ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિને કેમ પામે ?”

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એના ઉપાય ચાર છે :

૧)--એક તો પવિત્ર દેશ,
૨)--બીજો રૂડો કાળ,
૩)--ત્રીજી શુભ ક્રિયા અને
૪)--ચોથો સત્પુરુષનો સંગ.

તેમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે ને દેશકાળ ને સંગનું કારણ વિશેષ છે; કેમ જે, જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંગ હોય ત્યાં ક્રિયા રૂડી જ થાય............પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આઘુંપાછું ખસી નીસરવું,........ અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચ વર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેત્તા સાધુ તેનો કરવો, તો હરિભક્તને પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિ પામે..........
--------------------------
ઇતિ વચનામૃતમ-ગઢડા પ્રથમ-૨૯

શ્રીજી મહારાજ અહિયા બેધડક કહે છે કે- ભૂંડી ક્રિયા...ભૂંડો સંગ...ભૂંડો દેશ.....ભૂંડો કાળ.....નો હમેંશા ત્યાગ કરવો......! કારણ કે જેવો સંગ એવો રંગ......આપણે બધા અક્ષર રૂપ બનવા ના માર્ગ પર ચાલતા વટેમાર્ગુ છીએ....સાધક છીએ.....આથી સંગ..કાળ..ક્રિયા ના દોષ આપણ ને લાગે જ -એ સ્વાભાવિક જ છે.....આથી આમાં જીવ નું કલ્યાણ કઈ રીતે કરવું???? જવાબ ઉપર જ છે.....તે ઉપરાંત -બ્રહ્મવેત્તા સત્પુરુષ નો નિત્ય સંગ -સમાગમ મળે તો- જીવ કલ્યાણ ના માર્ગ પર વધતો જાય છે......!

તો સત્સંગ નો આ રૂડો માર્ગ પકડજો.....અને સદાયે રાજી રહેજો.......શ્રીજી-સ્વામી અને ગુરુ ને રાજી રાખજો.......

જય જય સ્વામિનારાયણ..

આજે ધનતેરસ......અર્થાત ધન ત્રયોદશી.....! આગળ કહ્યું તેમ- આપણે સર્વોપરી સંપ્રદાય ના સત્સંગી.....કે જ્યાં સ્વયં નારાયણ જ આ...
18/10/2025

આજે ધનતેરસ......અર્થાત ધન ત્રયોદશી.....! આગળ કહ્યું તેમ- આપણે સર્વોપરી સંપ્રદાય ના સત્સંગી.....કે જ્યાં સ્વયં નારાયણ જ આપણા જીવન મા વણાયેલા ...છે....અને જ્યાં નારાયણ હોય ત્યાં - લક્ષ્મીજી તો એમનાં અર્ધાંગિની તરીકે સાથે રહેવા ના જ....! સાથે સાથે આયુર્વેદ ના દાતા ધન્વંતરિ નો પ્રાગટય દિન......સમૃદ્ધિ સાથે સ્વાસ્થ્ય હોય તો જ એકમેક નો આનંદ આવે......નહીંતર સર્વે નિષ્ફળ....!!! માટે જ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય બંને પ્રગતિ પંથે રહે એ જ શ્રીજી ને પ્રાર્થના...!
....સ્વયં શ્રીજી એ પોતાના ભક્તો ને અભય વર આપ્યું છે....યોગક્ષેમ નું.......તો પછી આપણ ને ધન-ધાન્ય ની ચિંતા ક્યાંથી હોય? .....છતાં- આપણા સંપ્રદાય ની એક અનોખી-અલગ રીત છે......અહિયા સત્સંગ- ભૌતિક સુખ માટે નહી.....દૈહિક સુખ માટે નહી...સકામ ભક્તિ નહીં પણ નિષ્કામ ભક્તિ ...પણ એક ભગવાન ના અખંડ સુખ માટે જ થાય છે.......ભીડા-અપમાનો ચાહે જેટલા આવે-પણ સાચા ભક્તો- એમનાં નાથ ને....શ્યામ વર ને એક પળ પણ ભૂલતા નથી.....એટલા માટે જ....સત્સંગ ની મા કહેવાતા સદગુરુ મુક્તાનંદ સ્વામી એ પોતાના અદભૂત- લાગણીશીલ પદ મા કહ્યું છે કે....

"રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુખ દાયક જાણું......
રે તમ વિના સુખ સંપત કહાવે , તે તો સર્વે મહાદુઃખ ઉપજાવે,
અંતે તેમાં કામ કોઈ નાવે રે........રે શ્યામ.....૦
રે મૂરખ લોક મારે ભટકી, જુઠા સંગે હારે શિર પટકી ;
તેથી મારી મનવૃત્તિ અટકી.......રે શ્યામ...૦
રે અખંડ અલૌકિક સુખ સારું, રે જોઈ જોઈ મન મોહ્યું મારું;
ધરા ધન તમ પર વારુ...........રે શ્યામ ..૦
રે બ્રહ્મા થી કીટ લગી જોયું, જુઠું સુખ જાણીને વગવ્યું;
મુક્તાનંદ મન તમ સંગ મોહ્યું...રે શ્યામ...૦
--------------------

અને એ જ કવિ પોતાના એક પદ માં કહે છે કે......

ગિરધારી રે સખી ! ગિરધારી,
મારે નિરભે અખૂટ નાણું ગિરધારી... ...0

ખરચ્યું ન ખૂટે એને ચોર ન લૂંટે,
દામની પેઠે રે, ગાંઠે બાંધ્યું ન છૂટે... ગિરધારી...0

અનગણ નાણું સંચે અંતે નિરધનિયા જાયે,
તેની પેઠે નિરભે નાણું દૂર ન થાયે... ગિરધારી...0

સંપત વિપત સર્વે સ્વપનું જાણું,
હરિના ચરણની સેવા પૂરણ ભાગ્ય પરમાણું... ગિરધારી...0

મુક્તાનંદ કહે મોહનવરને ઉરમાં ધારી,
દુઃખ ને દારિદ્ર થકી થઈ છું હું ન્યારી... ગિરધારી...0

આપણી પ્રાપ્તિ નો મહિમા તો કહેવાય એમ નથી..... સાક્ષાત નારાયણ પ્રગટ પ્રમાણ મળ્યા છે......એમના રાજીપા માં રહેશું તો સાક્ષાત લક્ષ્મી જી એમ ને એમ એમની પાછળ આવશે.......

તો સમજવા નું આ છે કે- વ્યવહાર મા જેટલું જરૂરી છે એટલું દ્રવ્ય-ધન-ધાન્ય -સુખ લેવું.....પણ જીવ તો એક હરિ સાથે જ જોડેલો રાખવો.......છેવટે અંતિમ વ્યવહાર તો એક હરિ નો જ છે ને.....!

ચાલો શુભ ધનતેરસ....શુભ ઘડી શુભ દિન............

સર્વે નું ભલું હો....સર્વે તને મને ધને અને વિશેષ જીવે કરીને અઢળક સુખી થાય તેવી જ સ્વામી શ્રીજી ના ચરણો માં પ્રાર્થના.....!!

જય સ્વામિનારાયણ.......એક હરિ મા જ મોહ રાખીએ....

શુભ દિન....હરિમય દિન ની શુભકામનાઓ સાથે ......સર્વે ને જય સ્વામિનારાયણ........શ્રીજી મહારાજ ના અદ્ભુત વચનો..........અમૃત ...
16/10/2025

શુભ દિન....હરિમય દિન ની શુભકામનાઓ સાથે ......સર્વે ને જય સ્વામિનારાયણ........

શ્રીજી મહારાજ ના અદ્ભુત વચનો..........અમૃત વચનો.....! જે સમજે એ તરે.........એનું કલ્યાણ પાકું.....!
-------------------------
આ અમૃત વચનો માં શ્રીજી- સત્સંગી નો સત્સંગ માં અધોગતિ અને ઉર્ધ્વગતી ની વાત કરે છે.........

શ્રીહરિ કહે છે કે....

" સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને.......
--- અસદ્‍વાસનાની વૃદ્ધિ થાય છે ને તેને
----પ્રથમ તો દિવસે દિવસે સત્સંગીમાત્રનો અવગુણ આવે છે ને
----પોતાના હૈયામાં એમ જાણે જે, ‘સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું’ એમ સર્વથી અધિક પોતાને જાણે અને
----રાત્રિ-દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સૂએ તો નિદ્રા પણ આવે નહીં અને
-----ક્રોધ તો ક્યારેય મટે જ નહીં અને
------અર્ધબળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે........
અને........

સત્સંગમાં જેને વધારો થવાનો હોય તેને

----શુભ વાસના વૃદ્ધિ પામે છે ત્યારે તેને
-----દિવસે દિવસે સત્સંગીમાત્રનો હૈયામાં ગુણ જ આવે અને
-----સર્વ હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે ને
-----આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે,

એવાં લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે, ‘શુભ વાસના વૃદ્ધિ પામી છે.’ અને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટ્યપને પામી જાય છે.”
---------------------
ઇતિ વચનામૃતમ-ગઢડા પ્રથમ-૨૮

હવે એક પ્રશ્ન આપણા માટે............આપણે ક્યાં છીએ???? કઈ તરફ ગતિ કરી રહ્યા છીએ?????
જાગો.....વિચારો.......કારણ કે "જો જાગત હૈ વોહ પાવત હૈ.."......એ જ અધ્યાત્મ માર્ગ નો સિધ્ધાંત....!

બસ વિક્રમ સંવત 2081 નું વર્ષ હવે અંત તરફ છે અને નવું વર્ષ આપણી રાહ જોઈ રહ્યું છે.....તો નવા સંકલ્પ..નવા વિચાર......નવા ઉત્સાહ સાથે ઉપરોક્ત અમૃત વચનો ને મન માં ધારીએ .......સત્સંગ અને મોક્ષ દ્રઢ કરીએ.....

જય જય સ્વામિનારાયણ.....સૌ રાજી રહેજો....

સ્વામિનારાયણ હરે......પછી શ્રીજી મહારાજ બોલ્યા જે.....-----એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવ...
15/10/2025

સ્વામિનારાયણ હરે......

પછી શ્રીજી મહારાજ બોલ્યા જે.....

-----એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, અને

----એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે;
...........એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે................. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે............,
.......તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટ્યપ છે. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે............. ..............અને જે આંખ્યો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બિવરાવે છે ને મનમાં જાણે જે, ‘હું મોટો થયો છું,’ પણ એ મોટો નથી અથવા સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી, એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટ્યપ છે તે સંસારના માર્ગમાં છે.......................

જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર-વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી................ અને જેની મતિ એવી હોય જે, ‘આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે અને આ વસ્ત્ર તો અતિશય સારું છે અને આ મેડી તો ઘણી સારી છે અને આ તુંબડી તો અતિશય સારી છે ને આ પાત્ર તો અતિશય સારું છે,’ એવી રીતના જે ગૃહસ્થ તથા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે.................. ત્યારે તમે કહેશો જે, એનું કલ્યાણ થશે કે નહીં થાય ? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનુંયે થાય છે, પણ મોરે કહી એવી જે સંતતા તે એમાં કોઈ દહાડે આવતી નથી............... તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી; કાં જે, એ પાત્ર થયો નથી..............”
------------------------------------------------
વચનામૃતમ- ગઢડા પ્રથમ ૨૭-૨

શ્રીજી ની સર્વોપરી સંત મહિમા ની વાત....!!! જગત નો નાથ સ્વયમ જયારે પોતાના સંત નો મહિમા કહેતો હોય ત્યારે જે સંશય કરે...એને મહા મૂરખ જ કહેવાય.......એટલા માટે જ સ્વયમ શ્રીજી કહે છે કે " નારદ મેરે સંત સે અધિક ન કોઈ....."

આ વચનામૃત નો એક એક શબ્દ વાંચો.....સમજો........જે ભગવાન ને સર્વપ્રથમ સમજે છે......સર્વોપરી સમજે છે......એ જ મોટેરો છે....બાકી બધા જગત ની માયા માં ભટકતા તુચ્છબુદ્ધિ વાળા છે.......

માટે આવા પરમ એકાંતિક ગુણાતીત ને ઓળખી રાખવા........એમને રાજી કરી લેવા.......એમના નિત્ય સંગ થી પોતાના જીવ ને પણ એકાંતિક કરી......એક શ્રીજી ને સાંગોપાંગ પામી લેવા.......

સુપ્રભાતમ......સર્વે ને સાષ્ટાંગ દંડવત સહીત જય સ્વામિનારાયણ.....

આજની રવિસભા- શાહીબાગ મંદિર, અમદાવાદ
12/10/2025

આજની રવિસભા- શાહીબાગ મંદિર, અમદાવાદ

સ્વામિનારાયણ હરે……પછી શ્રીજી મહારાજ બોલ્યા જે… ………કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વકર્તાહર્તા જાણવા એ જ છે. અને જે....

સ્વામિનારાયણ હરે......પછી શ્રીજીમહારાજે વાર્તા કરી જે, “શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય સંબંધી જે સુખ તે દિવ્યમૂ...
08/10/2025

સ્વામિનારાયણ હરે......

પછી શ્રીજીમહારાજે વાર્તા કરી જે,

“શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય સંબંધી જે સુખ તે દિવ્યમૂર્તિ એવા જે ભગવાન પુરુષોત્તમ તેની જે સુખમય મૂર્તિ તે રૂપ જે એક સ્થળ તેને વિષે રહ્યું છે. તે જો ભગવાનની મૂર્તિનાં દર્શન કરતા હોઈએ તો રૂપનું સુખ પ્રાપ્ત થાય ને બીજા સ્પર્શ આદિક ચાર વિષય તેનું સુખ પણ પ્રાપ્ત થાય; તે એક જ સમયને વિષે થાય છે...........
..........માયિક વિષયમાં ભિન્નભિન્નપણે સુખ રહ્યું છે અને તે સુખ તો તુચ્છ છે ને નાશવંત ને અંતે અપાર દુઃખનું કારણ છે.............. અને ભગવાનમાં તો સર્વ વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે ને તે સુખ મહાઅલૌકિક છે ને અખંડ, અવિનાશી છે. તે સારુ જે મુમુક્ષુ હોય તેને માયિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ્ય પામીને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ તેને વિષે સર્વ પ્રકારે જોડાવું..........”

“જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ તથા સંત-સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે. અને તે સ્વભાવ તો એવો હોય જે, ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય, તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાંખે.”
..............વર્તમાનની આંટી ( નિયમ ધર્મ માં દ્રઢતા) તો પોતાના જીવનરૂપ છે ને તેને વિષે બહુ માલ છે, એવી રીતે માહાત્મ્યે સહિત તેની આંટી પાડવી. અને બીજા સ્વભાવની આંટી પાડી હોય તેને વિષે તો તુચ્છપણું જાણવું ને તેને સંત મુકાવે તો મૂકી દેવી ને પ્રથમની આંટી મૂકવી નહીં.
----------------------------
વચનામૃતમ-ગઢડા અંત્ય-૨૭-૧

શાસ્ત્રો અને સ્વયમ શ્રીજી કહે છે કે- સર્વ વિષય માં જેટલું સુખ હોય તેટલું અને તેનાથી અનંત ગણું સુખ તો ભગવાન ની મૂર્તિ ના પળવાર ના દર્શન થી મળે છે......એટલે જ ભક્તે ભગવાન ની ભક્તિ નો..સંત ના સમાગમ નો અતિશય ખપ રાખવો......સંત કહે તે વચનો માં- નિયમ ધર્મ માં-વર્તમાન માં મહિમા સહીત ના જ્ઞાન સહીત નિષ્ઠા રાખવી....

તો કલ્યાણ આપણું જ છે.............આ શુભ રાત્રી એ આ અમૃત વચનો નું મનન કરતા રહીએ....

શુભ રાત્રી..............સર્વ ને સાષ્ટાંગ દંડવત સહીત જય સ્વામિનારાયણ....

આજે અને ગઈકાલે શરદ પૂર્ણિમા નો બે ગણો ઉત્સવ આપણ ને મળ્યો છે.......તો ચાલો એ શરદ પૂનમ ની ઐતિહાસિક ઘડી ના મહિમા ને સમજીએ.....
07/10/2025

આજે અને ગઈકાલે શરદ પૂર્ણિમા નો બે ગણો ઉત્સવ આપણ ને મળ્યો છે.......તો ચાલો એ શરદ પૂનમ ની ઐતિહાસિક ઘડી ના મહિમા ને સમજીએ......

गुणातीतो अक्षरम ब्रह्म भगवान् पुरुषोत्तम:
जनोंजानमनीदं सत्यम मुच्यते भवबन्धनात
...આજે શરદપૂર્ણિમા...અર્થાત......બ્રહ્મ અને પરબ્રહ્મ ના મંગલકારી મિલન નો દિવસ....બરોબર ૨૩૯ વર્ષ પહેલા...આજની તિથિએ-ઈસ્વીસન ૧૭૮૫ ની ૧૭ મી ઓક્ટોબરે ( અર્થાત- વિક્રમ સંવંત ૧૮૪૧- આસો સુદ પૂર્ણિમા-શરદ પૂર્ણિમા) ના દિવસે - ભાદરા ગામે -પુરુષોત્તમ ના રહેવા ના ધામ- અક્ષરધામ -મૂળ અક્ષર મૂર્તિ- ગુણાતીતાનંદ સ્વામી નો- મુળજી શર્મા નો માતા સાકરબા ની કુખે જન્મ થયો....પુરુષોત્તમ થી ૪ વર્ષ નાના -એમના પરમ ધામ- અક્ષર ધામ ની પ્રથમ મુલાકાત -એમના નાથ સાથે પીપલાણા માં- સ્વયમ શ્રીહરિ ના ગુરુ પદ સ્થાપન સમયે થઇ....તારીખ હતી- ૨૮ ઓક્ટોબર- સન ૧૮૦૦.....

પછી તો- અક્ષરધામ ને એના સ્વામી- ની મુલાકાતો નો દોર ચાલુ રહ્યો.....ભગવાન સ્વામીનારાયણ વખતો વખત -ભાદરા -સાકરબા ને ત્યાં પધારતા રહ્યા અને- સાકરબા ને ઓળખાણ કરાવતા રહ્યા કે..." તમારો મુળજી ને કદાચ તમે નહિ જાણતા હો...પણ એ તો અમારા રહેવા નું ધામ છે...અમારું અક્ષરધામ છે..." ....અને વિધિસર મુલજી શર્મા ની- ગુણાતીતાનંદ સ્વામી તરીકે ભાગવતી દીક્ષા થઇ - ડભાણ ના યજ્ઞ માં( સંવંત ૧૮૬૬ -પોષ સુદ પૂનમ) ......જ્યાં સ્વયમ શ્રીજી એ એમને ભાગવતી દીક્ષા આપતાં કહ્યું કે.....

"मुलजिशर्मणे दीक्षाम ददानास्य प्रजायते ;
भुयन्मेअत्र समानंदो यतो धामाक्षरम स में.....
मुक्तेरनन्तई: साकं में यत्राअखंडतश्योश्ते ;
उर्ध्वाधोभागराहितम तन्मुलम धाम चाक्षरम ........
----------------
ब्रह्मचारी अचिंत्यानंद ( श्रीहरी लिलाकल्पतरु -७/४९-५०)

અર્થાત - આ મુળજી શર્મા કે જે મારું મૂર્તિમાન અક્ષર બ્રહ્મ ધામ છે તેને આજે દીક્ષા આપતાં મને ખુબ જ આનંદ થાય છે . તે મૂળ અક્ષર અધો-ઉર્ધ્વ પ્રમાણે રહિત એવું મારું ધામ છે , જેમાં હું મારા અનંત મુકતો સાથે રહું છું.......

गुनत्रयात्पराम काश्चिद गुनातेतीनामिकाम ;
अवस्थाम भजमान मामय्म जानाति मुलजित......
--------------
અર્થાત- ત્રણ ગુણો થી પર ગુણાતીત , દિવ્ય અવસ્થાવાળા મને કેવળ આ મુળજી શર્મા જ સારી રીતે જાણી શકે છે.......

હવે કહેવાનું શું? સાબિત શું કરવાનું?..જાણવા નું હવે શું બાકી રહ્યું? અક્ષરધામ ને ઓળખ્યા વગર- અક્ષર રૂપ થવાતું નથી....અને પુરુષોત્તમ ની ઓળખાણ થતી નથી....એમણે પામી નથી શકાતા......

તો- પૂર્ણ પુરુષોત્તમ ના આ સર્વોપરી ધામ- મૂળ અક્ષર મૂર્તિ ને શ્રીહરિ સાથે રુદયા માં ધારીએ......અને શરદ પૂર્ણિમા ના આ પૂર્ણ યુગ્મ ચંદ્ર ને આત્મા માં ધારીએ...એટલે- સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત સફળ-સુફળ થાય......અને જીવ- અક્ષરધામ ને-આ પૂર્ણ પુરુષોત્તમ ને પામે....

બોલો....અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય..........!

આજની રવિસભા- શાહીબાગ મંદિર, અમદાવાદ
05/10/2025

આજની રવિસભા- શાહીબાગ મંદિર, અમદાવાદ

મારા કુંબામાં હાથી પેઠો મારા ભઈ  હું તો નાચું થનક થન થૈ… ꠶ટેક મનના કમાડને તોડી ફોડીને  મારા કુબામાં હાથી પેઠો, ઓલ્.....

આજની રવિસભા- શાહીબાગ મંદિર, અમદાવાદ
28/09/2025

આજની રવિસભા- શાહીબાગ મંદિર, અમદાવાદ

આજની સભા વિશિષ્ટ હતી કારણ કે નવરાત્રી નો પવિત્ર ઉત્સવ+અમી છાંટણા નો લાભ+આપણું ગૌરવ મહામહોપાધ્યય પૂ. ભદ્રેશ સ્વામી ...

આજે આસો સુદ એકમ.....અર્થાત શક્તિ ના પવિત્ર પર્વ -ઉત્તમ ભક્તિ ના પર્વ -નવરાત્રિ ની શરૂઆત.........ॐ सर्व मंगल मांगल्ये शिव...
22/09/2025

આજે આસો સુદ એકમ.....અર્થાત શક્તિ ના પવિત્ર પર્વ -ઉત્તમ ભક્તિ ના પર્વ -નવરાત્રિ ની શરૂઆત.........

ॐ सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके ;
शरण्ये त्रयम्बिके गौरी नारायणी नमोस्तुते,

या देवी सर्व भुतेशु शक्ति रूपेण संस्थिता ; नमस्तस्सये,नमस्तस्सये,नमस्तस्सये नमो नमः ।

આજથી આપણા મંદિરો માં ભક્તિ પર્વ ની શરૂઆત થશે........અને સમગ્ર ગુજરાત-ભારત "ગર્ભ-દીપક" ના આ ઉત્સવ માં માં જગદંબા -આદ્ય શક્તિ ની ભક્તિ માં હિલોળે ચડશે.....પણ હમેંશ ની જેમ આપણા ગુણાતીત ગુરુઓ -સંતો ની આજ્ઞા મુજબ........મર્યાદા સાચવવી......નિયમ-ધર્મ માં લગારે ફેર ન પડે........આ પર્વ માં જીવ ની અપ્રતિમ શુધ્ધતા જળવાય અને એ એક શ્રીજી-શક્તિ માં જ જોડાય...એમ જ કરવું.....! આ ઉત્સવ ઇન્દ્રિય ..અંતઃકરણ ના ઉપવાસ થકી દેહ અને અંતર ને શુદ્ધ કરી.....શુદ્ધ ભક્તિ.....આરાધના.....ઉપાસના.....અને જગતજનની રૂપી અક્ષર ને રાજી કરી પુરુષોત્તમ ને પામવા નો ઉત્સવ છે .......યાદ રાખો.......

અને એટલા માટે જ- આપણા સત્સંગી-યુવા ધન ને ભક્તિ નો મહિમા સમજવવા- દરેક બેપ્સ મંદિરો માં- આજથી ભક્તિ પર્વ શરુ થશે....રાત્રે- મોટા મંદિરો માં- યુવાન-ધન સર્વે માટે- કીર્તન-રાસ-કથા-સંવાદ -રસપ્રદ કાર્યક્રમ દ્વારા થશે.............માટે એનો અચૂક લાભ લેવો..!

ચાલો ...આજ્ઞા ના મહિમા ને જીવસ્થ કરીએ એક વચનામૃત દ્વારા.......

સ્વામિનારાયણ હરે.........

પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્યા જે,

“સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિષે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી, અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા ને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન તેણે કરીને જ થાય છે; અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે. માટે એ બે વાનાં તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવાં. ..............

જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિષે જોડાણી તેને અષ્ટાંગયોગ વગર સાધે સધાઈ રહ્યો. માટે અમે કહ્યાં જે આત્મનિષ્ઠા અને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન એ બે સાધન તે દ્રઢપણે રાખવાં; અને વર્તમાનધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે, તે જરૂર રાખવાં....................

તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં. કેમ જે, એ ભગવાનની આજ્ઞા પાળે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે. અને ભગવાનનું માહાત્મ્યજ્ઞાન તથા વૈરાગ્યે સહિત આત્મજ્ઞાન એ બેની અતિશય દ્રઢતા રાખવી અને પોતાને વિષે પૂર્ણકામપણું સમજવું જે, ‘હવે મારે ક્યાંઈ ન્યૂનતા રહી નથી;’ એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી.................
----------------------------------------
વચનામૃત-ગઢડા પ્રથમ-૨૫

આત્મનિષ્ઠા અને શ્રીજી ના સ્વરૂપ નું માહાત્મ્ય યુક્ત જ્ઞાન......એ હોય તો જ -ભક્ત સંપૂર્ણ કહેવાય......અને એમ કરવાથી જ ભક્ત ની વૃતિ-ભગવાન સાથે એકાકાર થાય છે.....મૂર્તિ હૃદય માં અખંડ દેખાય છે.....અને બ્રહ્મરૂપ થાય છે......

આ બધું શ્રીજી ની આજ્ઞા માં રહેવા થી થાય છે......એની મરજી જ ભક્ત નું જીવન.....એમ યથાર્થ થાય ત્યારે- ભક્તના અંતરમાં સહજ+ આનંદનો છોળો ઉછળે છે..........સંપૂર્ણતાની અખંડ શાંતિ થાય છે....

ચાલો આપણે પણ આ આજ્ઞા માં રહીએ.......પૂર્ણકામ થઈએ......શુભ નવરાત્રિ..... માં અંબા ના ચરણો માં પ્રાર્થના કે નારાયણ સાક્ષાત મળ્યા છે તો એમને સદાયે રાજી કરી શકીએ.............

જય સ્વામિનારાયણ.....

આજની રવિસભા-શાહીબાગ મંદિર, અમદાવાદ
21/09/2025

આજની રવિસભા-શાહીબાગ મંદિર, અમદાવાદ

………જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે….. પછી તે ભક્ત જ.....

Address


Alerts

Be the first to know and let us send you an email when સર્વોપરી અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંત- Sarvopari Akshar Purushottam Sidhdhant posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share