
22/09/2025
આજે આસો સુદ એકમ.....અર્થાત શક્તિ ના પવિત્ર પર્વ -ઉત્તમ ભક્તિ ના પર્વ -નવરાત્રિ ની શરૂઆત.........
ॐ सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके ;
शरण्ये त्रयम्बिके गौरी नारायणी नमोस्तुते,
या देवी सर्व भुतेशु शक्ति रूपेण संस्थिता ; नमस्तस्सये,नमस्तस्सये,नमस्तस्सये नमो नमः ।
આજથી આપણા મંદિરો માં ભક્તિ પર્વ ની શરૂઆત થશે........અને સમગ્ર ગુજરાત-ભારત "ગર્ભ-દીપક" ના આ ઉત્સવ માં માં જગદંબા -આદ્ય શક્તિ ની ભક્તિ માં હિલોળે ચડશે.....પણ હમેંશ ની જેમ આપણા ગુણાતીત ગુરુઓ -સંતો ની આજ્ઞા મુજબ........મર્યાદા સાચવવી......નિયમ-ધર્મ માં લગારે ફેર ન પડે........આ પર્વ માં જીવ ની અપ્રતિમ શુધ્ધતા જળવાય અને એ એક શ્રીજી-શક્તિ માં જ જોડાય...એમ જ કરવું.....! આ ઉત્સવ ઇન્દ્રિય ..અંતઃકરણ ના ઉપવાસ થકી દેહ અને અંતર ને શુદ્ધ કરી.....શુદ્ધ ભક્તિ.....આરાધના.....ઉપાસના.....અને જગતજનની રૂપી અક્ષર ને રાજી કરી પુરુષોત્તમ ને પામવા નો ઉત્સવ છે .......યાદ રાખો.......
અને એટલા માટે જ- આપણા સત્સંગી-યુવા ધન ને ભક્તિ નો મહિમા સમજવવા- દરેક બેપ્સ મંદિરો માં- આજથી ભક્તિ પર્વ શરુ થશે....રાત્રે- મોટા મંદિરો માં- યુવાન-ધન સર્વે માટે- કીર્તન-રાસ-કથા-સંવાદ -રસપ્રદ કાર્યક્રમ દ્વારા થશે.............માટે એનો અચૂક લાભ લેવો..!
ચાલો ...આજ્ઞા ના મહિમા ને જીવસ્થ કરીએ એક વચનામૃત દ્વારા.......
સ્વામિનારાયણ હરે.........
પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્યા જે,
“સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિષે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી, અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા ને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન તેણે કરીને જ થાય છે; અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે. માટે એ બે વાનાં તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવાં. ..............
જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિષે જોડાણી તેને અષ્ટાંગયોગ વગર સાધે સધાઈ રહ્યો. માટે અમે કહ્યાં જે આત્મનિષ્ઠા અને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન એ બે સાધન તે દ્રઢપણે રાખવાં; અને વર્તમાનધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે, તે જરૂર રાખવાં....................
તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં. કેમ જે, એ ભગવાનની આજ્ઞા પાળે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે. અને ભગવાનનું માહાત્મ્યજ્ઞાન તથા વૈરાગ્યે સહિત આત્મજ્ઞાન એ બેની અતિશય દ્રઢતા રાખવી અને પોતાને વિષે પૂર્ણકામપણું સમજવું જે, ‘હવે મારે ક્યાંઈ ન્યૂનતા રહી નથી;’ એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી.................
----------------------------------------
વચનામૃત-ગઢડા પ્રથમ-૨૫
આત્મનિષ્ઠા અને શ્રીજી ના સ્વરૂપ નું માહાત્મ્ય યુક્ત જ્ઞાન......એ હોય તો જ -ભક્ત સંપૂર્ણ કહેવાય......અને એમ કરવાથી જ ભક્ત ની વૃતિ-ભગવાન સાથે એકાકાર થાય છે.....મૂર્તિ હૃદય માં અખંડ દેખાય છે.....અને બ્રહ્મરૂપ થાય છે......
આ બધું શ્રીજી ની આજ્ઞા માં રહેવા થી થાય છે......એની મરજી જ ભક્ત નું જીવન.....એમ યથાર્થ થાય ત્યારે- ભક્તના અંતરમાં સહજ+ આનંદનો છોળો ઉછળે છે..........સંપૂર્ણતાની અખંડ શાંતિ થાય છે....
ચાલો આપણે પણ આ આજ્ઞા માં રહીએ.......પૂર્ણકામ થઈએ......શુભ નવરાત્રિ..... માં અંબા ના ચરણો માં પ્રાર્થના કે નારાયણ સાક્ષાત મળ્યા છે તો એમને સદાયે રાજી કરી શકીએ.............
જય સ્વામિનારાયણ.....