10/05/2026
આ દ્રશ્યો જ્યારે મે જોયા તો મને લાગ્યું કે માનવતા હજુ જીવંત છે, ચલો તમને કહુ આખી કહાની, અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં એક્ટિવા પર દૂધના કેન લઈને ફરતા આ દાદાએ શ્વાન માટે ભોજન પુરુ પાડવાનું બીડુ ઝડપ્યું છે. રાત્રે બાર વાગે કે એક પણ આ વિસ્તારમાં ફરતા દરેક શ્વાનને દૂધ અને ચીઝ બિસ્ટિક સહિતનું ભોજન પીરસી આ દાદા પ્રેમથી દરેક શ્વાનને જમાડે છે. આ એવો સમય છે જ્યારે લોકો પાળેલા શ્વાનથી પણ ડરે છે અને ક્યાંક તો તેને માર મારવાના દ્રશ્યો પણ જોવા મળે છે એવામાં નિ:સ્વાર્થ ભાવે જાતખર્ચે આ દાદાએ પસંદ કર્યો છે દયા અને કરુણાનો રસ્તો. પૈસા નહીં પણ પુણ્યની કમાણી....
જો તમને પણ લાગતુ હોય કે કોંક્રીટના જંગલોની વચ્ચે જ્યાં લોહીના સંબંધો માટે સમય નથી ત્યાં માનવતા હજુ પણ હૃદયમાં ધબકે છે તો કરો કોમેન્ટ.