“Sadhana” Saptahik (weekly), published by “Sadhana Prakashan Trust”, is one of the most revered and widely read Gujarati weeklies.
(1019)
આ પેજ પર મુકેલી દરેક રચનાના, પોસ્ટ કોઈને ઠેસ પહોચાડવા કે કોઇની લાગણી દુભાવવા માટે નથી. તેમ છતાં જે કોઈ રચનાઓ તેમજ તસ્વીરો બ્લોગ પોસ્ટ પર મૂકી છે, જેને કારણે અજાણતા પણ જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લમાલુમ પડે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના કે પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરવામા આવશે.
29/09/2025
સાધનાના આગામી અંકમાં વાંચો...
- સાંભળો આંદોલનજીઓ… (તંત્રીસ્થાનેથી)
- શ્રેષ્ઠ ભારત – સમર્થ ભારત (મુખપૃષ્ઠ વાર્તા)
- જાહેરખબરનું ખ્રિસ્તીકરણ (સાંપ્રત)
- વિજયાદશમી ઉત્સવો વિશે… (સંઘશતાબ્દી)
- જાતિમુક્ત સમાજના નિર્માણ તરફ (વિશેષ)
- ઉદ્યોગોનું કબ્રસ્તાન બંગાળ (મારી નજરે)
- પૂર્વોત્તરમાં વિકાસ (વિકાસ)
-
ઈ-મેગેઝિન વાંચવા માત્ર ૯૯ રૂપિયાનું લવાજમ ભરો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક સ્વ. શ્રી મધુભાઈ કુલકર્ણીનું (પૂર્વ પ્રાંત પ્રચારક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત) નિધન દિનાંક 18-09-2025ના રોજ થયું છે. સ્વ. શ્રી મધુભાઈ કુલકર્ણી ને શ્રદ્ધાસુમન અર્પિત કરવા માટે આજે ટાગોર હોલ, કર્ણાવતી ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી સુનિલભાઈ મેહતા (અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ, રા.સ્વ. સંઘ) સહિત અનેક સ્વયંસેવકોએ તથા મહાનુભાવોએ શ્રી મધુભાઈ કુલકર્ણી સાથેના પોતાના સંસ્મરણો રજૂ કર્યા હતા.....
27/09/2025
સ્વદેશી અપનાવી જો આ અંતર આપણે ઘટાડી શકીએ તો…
ભારતે ૨૦૨૪માં ૩૭.૦૧ લાખ કરોડ રૂપિયાના માલ-સામાનની નિકાસ કરી હતી ૬૦.૮૯ લાખ કરોડ રૂપિયાના માલસામાનની વિદેશથી ખરીદી કરી હતી. ભારતની નિકાસ કરતા આયાત વધુ છે. આ બન્ને વચ્ચે ૨૩.૮૮ લાખ કરોડનું અંતર છે. સ્વદેશી અપનાવી જો આ અંતર આપણે ઘટાડી શકીએ તો પણ દેશને ઘણો ફાયદો થાય. ઘણી વિદેશી વસ્તુ વગર ચાલે એમ નથી પણ જે ભારતમાં બને છે તે ખરીદવાનો, વાપરવાનો આગ્રહ રાખીએ તો પણ ઘણો ફાયદો થઈ શકે તેમ છે!
27/09/2025
એક આદર્શ સ્વયંસેવક અને ઉત્કૃષ્ટ રાષ્ટ્રભક્ત તરીકે અશોક સિંઘલજીનું સંપૂર્ણ જીવન સનાતન ધર્મ અને સંસ્કૃતિ તથા તેના મૂલ્યોના સંરક્ષણ પ્રત્યે સમર્પિત રહ્યું. શ્રીરામ જન્મભૂમિ આંદોલનમાં તેમનું અદ્વિતીય યોગદાન હંમેશાં દરેકના હ્યદયમાં રહેશે. તેમની જન્મજયંતિ નિમિત્તે તેમને વંદન…
26/09/2025
26/09/2025
25/09/2025
કન્નડ સાહિત્યના શિરમોર પદ્મ ભૂષણ શ્રી એસ.એલ. ભૈરપ્પાજી હવે આપણી વચ્ચે રહ્યા નથી. ભગવાન તેમની આત્મનાને મોક્ષગતિ અર્પે એવી પ્રાર્થના…
24/09/2025
રાહુલ ગાંધી બંધારણીય હોદ્દા પર રહેલા લોકોને સતત ધમકી આપી રહ્યા છે. આ ક્યાંકને ક્યાંક શહેરી નક્સલવાદી માનસિકતા દર્શાવે છે. રાહુલ ગાંધીએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ પોતે જામીન પર છે.
નીરજ કુમાર દુબે, પ્રભાસાક્ષીના તંત્રી
પ્રભાસાક્ષી ન્યૂઝ નેટવર્કના વિશેષ સાપ્તાહિક કાર્યક્રમ "ચાય પર સમીક્ષા" (ચાય પર સમીક્ષા) દરમિયાન
Be the first to know and let us send you an email when Sadhana Saptahik - Gujarat News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Contact The Business
Send a message to Sadhana Saptahik - Gujarat News:
“Sadhana” Saptahik (weekly), published by “Sadhana Prakashan Trust”, is one of the most revered and widely read Gujarati weeklies. Read and contributed by most honoured men of letters, columnists, and analysts, “Sadhana” has been echoing the voice of the Gujarati readers across the globe since 1956.
આ પેજ પર મુકેલી દરેક રચનાના, પોસ્ટ કોઈને ઠેસ પહોચાડવા કે કોઇની લાગણી દુભાવવા માટે નથી. તેમ છતાં જે કોઈ રચનાઓ તેમજ તસ્વીરો બ્લોગ પોસ્ટ પર મૂકી છે, જેને કારણે અજાણતા પણ જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને માલુમ પડે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના કે પોસ્ટ સત્વરે પેજે પરથી દૂર કરવામા આવશે. સાધના સાપ્તાહિક ગુજરાતનું એક પ્રસિધ્ધ સામયિક છે. છેલ્લા ૬૧ વર્ષથી સાધના દર અઠવાડિયે અવિરત પ્રકાશિત થતું રહ્યું છે.
સાંસ્કૃતિક રાષ્ટ્રધર્મના ઉદઘોષક બની રહેવાની નેમ સાથે વર્ષ ૧૯૫૬ની વિજયાદશમીના દિવસે ‘સાધના સાપ્તાહિક’ની એક ગૌરવવંતી અણથક યાત્રા પ્રારંભ થઇ. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સમાચાર જગતમાં મૂલ્યનિષ્ઠાના બદલે વ્યવસાયની બોલબાલા વધતી ગઇ... આવા સમયે ધ્યેય સમર્પિત સામયિકો માટે ટકી રહેવુ અને સાથોસાથ વિકાસ સાધવો એ કાંટાળો માર્ગ બની ગયો હતો. ગુજરાતમાં અનેક લબ્ધપ્રતિષ્ઠિત સામયિકો બંધ પડ્યાં. નવા પ્રારંભ પણ થયા, પરંતુ ‘સાધના સાપ્તાહિક’ની સાધના અખંડ અને અવિરત આગળ ધપતી જ રહી. ગુજરાતની ભૂમિ ઉપર તેનો પ્રસાર અને પ્રભાવ સતત ફેલાતો જ ગયો.
વર્ષ ૧૯૭૫માં દેશમાં લોકશાહીના સૂર્ય પર કટોકટીનું ગ્રહણ લાગ્યું હતું તે સમયના ‘સાધના’ ના પત્રકારત્વને તો આજેય દેશભરનાં સર્વ ક્ષેત્રોના અગ્રણી વિચારકો અને રાજનેતાઓ દ્વારા ગૌરવભેર યાદ કરવામાં આવે છે.
આજના તીવ્ર વૈચારિક યુદ્ધમાં રાષ્ટ્રિયતા – સિદ્ધાંત્નિષ્ઠ પત્રકારત્વ તથા દેશભક્તિના અડગ અને અટલ સિદ્ધાંત પર મક્કમ રહીને પોતની વાત લાખો લોકો સુધી પહોંચાડવાની ખૂબ મોટી જવાબદારી ‘સાધના સાપ્તાહિક’ પર છે. ‘સાધના’ ફક્ત ગુજરાત માટેનું સાપ્તાહિક નથી પણ ગુજરાતીઓ માટેનું સાપ્તાહિક છે. રાષ્ટ્રભક્તોએ જે સ્નેહ મમતા અને શક્તિ આપ્યાં છે, એના આધાર પર તો ‘સાધના’ કપરા કાળમાંય ટકી ગયું... અને નિરંતર પ્રગતિના પંથે આગળ ને આગળ ધપી રહ્યું છે.
સાધના અને સોશિયલ મીડિયા
કે છેલ્લા ૬૦ વર્ષથી રાષ્ટ્રીય વિચાર ફેલાવતું સાધના સપ્તાહિક પણ સોશિયલ મીડિયા પર બધા માટે ઉપલબ્ધ છે….