Sadhana Saptahik - Gujarat News

Sadhana Saptahik - Gujarat News “Sadhana” Saptahik (weekly), published by “Sadhana Prakashan Trust”, is one of the most revered and widely read Gujarati weeklies.
(1015)

આ પેજ પર મુકેલી દરેક રચનાના, પોસ્ટ કોઈને ઠેસ પહોચાડવા કે કોઇની લાગણી દુભાવવા માટે નથી. તેમ છતાં જે કોઈ રચનાઓ તેમજ તસ્વીરો બ્લોગ પોસ્ટ પર મૂકી છે, જેને કારણે અજાણતા પણ જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લમાલુમ પડે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના કે પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરવામા આવશે.

ઐતિહાસિક ક્ષણ: જ્યારે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ RSSના સંઘસ્થાનની મુલાકાત લીધી! આજે ૨ જાન્યુઆરી એટલે એક એવો દિવસ જે સામાજિ...
02/01/2026

ઐતિહાસિક ક્ષણ: જ્યારે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ RSSના સંઘસ્થાનની મુલાકાત લીધી!

આજે ૨ જાન્યુઆરી એટલે એક એવો દિવસ જે સામાજિક સમરસતાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. ૨ જાન્યુઆરી, ૧૯૪૦ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ સાતારા જિલ્લાના કહાડ ગામમાં આવેલા 'ભવાની સંઘસ્થાન'ની મુલાકાત લીધી હતી.

શું હતી એ ઘટના? આ મુલાકાત માત્ર ઔપચારિક નહોતી, પણ વિચારોના આદાન-પ્રદાનની એક મહત્વપૂર્ણ ક્ષણ હતી. તે સમયના અગ્રણી અખબાર `દૈનિક કેસરી'એ ૯ જાન્યુઆરી, ૧૯૪૦ના અંકમાં આ ઘટનાનું સચોટ વર્ણન કર્યું છે.

મુલાકાત દરમિયાન સ્વયંસેવકોને સંબોધતા ડૉ. બાબાસાહેબે હૃદયસ્પર્શી વાત કહી હતી:

“કેટલીક વાતો પર મતભેદ હોઈ શકે છે, પરંતુ હું આ સંઘ પ્રત્યે અપનત્વની ભાવનાથી જોઉં છું.”

શા માટે આ મુલાકાત ખાસ હતી?

ભેદભાવ વગરનું વાતાવરણ: બાબાસાહેબે ત્યાં જોયું કે સ્વયંસેવકો કોઈપણ ભેદભાવ વગર એકસાથે રહી રહ્યા હતા અને ભોજન કરી રહ્યા હતા.
વૈચારિક મતભેદો હોવા છતાં, રાષ્ટ્રહિત અને સામાજિક એકતાના મુદ્દે તેમણે સંઘના કાર્યમાં પોતાપણું અનુભવ્યું હતું.

જ્યારે બાબાસાહેબે જ્ઞાતિ વિશે પૂછ્યું, ત્યારે ડૉ. હેડગેવારજીએ સ્પષ્ટ કહ્યું હતું કે - "સાહેબ, અહીં કોઈ જ્ઞાતિ નથી હોતી, અહીં ફક્ત હિન્દુ હોય છે."

બાબાસાહેબે સ્વીકાર્યું હતું કે જે અસ્પૃશ્યતા નિવારણ માટે તેઓ વર્ષોથી લડત લડી રહ્યા છે, તેનું સાક્ષાત્કાર સ્વરૂપ તેમને આ શિબિરમાં જોવા મળ્યું.

વોટર વુમન શિપ્રા પાઠક…૧ જાન્યુઆરીના શુભ સાયંકાળે "સાધના" સાપ્તાહિકે હાથ ધરેલા વિશિષ્ટ આયોજન અંતર્ગત..દીદી શ્રી શિપ્રા પા...
02/01/2026

વોટર વુમન શિપ્રા પાઠક…

૧ જાન્યુઆરીના શુભ સાયંકાળે "સાધના" સાપ્તાહિકે હાથ ધરેલા વિશિષ્ટ આયોજન અંતર્ગત..દીદી શ્રી શિપ્રા પાઠકજી (Water Women)ના સાંનિધ્યમાં 'જળ' મુદ્દે ચિંતનાત્મક સંગોષ્ઠિ યોજાઈ ગઈ.ગુજરાતના ગણમાન્ય પર્યાવરણવિદોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ગોષ્ઠિમાં ચર્ચા-ચિંતન અને મંથન થયું. જળને લઈને જે સમસ્યાઓ સર્જાઈ છે, તેને ટૂકડા ટૂકડા (Compartment)માં જોવાને બદલે એકીકૃત (Holistic) દ્રષ્ટિએ જોઈએ તો જણાશે કે આ બધી સમસ્યાઓના મૂળમાં માનવીએ અપનાવેલી ગેરપ્રાકૃતિક જીવનશૈલી જ કારણભૂત છે.

વોટર વુમન શિપ્રા પાઠક…

હિન્દુસ્તાન ટાઇમ્સ દ્વારા "વોટર વુમન" ના ગૌરવશાળી બિરૂદથી સન્માનિત શિપ્રા પાઠક એક બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિત્વ છે, જેઓ પર્યાવરણ સંરક્ષણ, આધ્યાત્મિકતા અને સામાજિક સેવામાં કાર્યરત છે. તેમનો જન્મ એક મજબૂત રાજકીય અને સેવાકીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારમાં થયો છે. તેમના દાદી સ્વ. સંતોષ કુમારી પાઠક દાતાગંજ વિધાનસભા ક્ષેત્રમાંથી ચાર વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે, જ્યારે તેમના નાના પં. ત્રિવેણી સહાય શર્મા પણ ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. શિપ્રા પાઠકના પિતા ડૉ. શૈલેષ પાઠક ભાજપના પાયાના કાર્યકર છે, અને તેમના ભાઈ અંકિત પાઠક ગ્રામીણ શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે સક્રિય છે.
શિપ્રા પાઠકની ઓળખ આજે એક પ્રખર પર્યાવરણવાદી અને 'પંચતત્વ' સંસ્થાના સંસ્થાપક તરીકેની છે. આ સંસ્થાના માધ્યમથી તેમણે એક કરોડ વૃક્ષો વાવવાનો મહત્વાકાંક્ષી સંકલ્પ લીધો છે, જેનું કાર્ય દેશના અનેક રાજ્યોમાં જોરશોરથી ચાલી રહ્યું છે. જળ સંરક્ષણ ક્ષેત્રે તેમનું યોગદાન અભૂતપૂર્વ છે. તેમણે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને ઉત્તરાખંડના અનેક નદી ઘાટો પર જળ સંરક્ષણના કાર્યો હાથ ધર્યા છે. 'જળ શપથ' દ્વારા તેમણે કરોડો લોકોને પાણી બચાવવા અને સ્વચ્છ રાખવા માટે જાગૃત કર્યા છે. આ ઉપરાંત, આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે તેઓ ખસ, લેમન ગ્રાસ અને તુલસી જેવી વિવિધ ઔષધિઓની ખેતી પણ કરી રહ્યા છે.
તેમની આધ્યાત્મિક યાત્રા અત્યંત પ્રેરણાદાયક છે. તેમણે માં નર્મદાની ૩૬૦૦ કિલોમીટરની પદયાત્રા અને માનસરોવરની પરિક્રમા કરી છે. ભારતની પહેલી માતૃશક્તિ તરીકે તેમણે અયોધ્યાથી રામેશ્વરમ સુધીની ૪૧૦૦ કિમીની 'રામ જાનકી વન ગમન' પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમજ માં ગોમતીની ૧૦૦૦ કિમીની પદયાત્રા દ્વારા તેમણે ૭ જિલ્લાઓમાં જનજાગૃતિ ફેલાવી છે. તેમના આ અનુભવોને તેમણે "રેવા" પુસ્તક અને "NARMADE HER" નામની ડોક્યુમેન્ટ્રી દ્વારા લોકો સુધી પહોંચાડ્યા છે. મહાકુંભ નામના એમના ગ્રંથનું લોકાર્પણ લંડનમાં થયું જે ભારત માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ હતી.
શિપ્રા પાઠકની સેવાની નોંધ દેશના સર્વોચ્ચ સ્તરે પણ લેવામાં આવી છે. બદાયુંની 'સોત નદી'ના પુનરુત્થાન માટે તેમણે કરેલા પ્રયાસોની પ્રશંસા ખુદ વડાપ્રધાનશ્રીએ 'મન કી બાત' માં કરી હતી. તેમને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આઈઆઈએમ રાયપુર અને ૩૦ જેટલી યુનિવર્સિટીઓએ પણ તેમના કાર્યોને બિરદાવ્યા છે. એક લેખક, નિર્દેશક, અને પ્રેરણાદાયી વક્તા તરીકે શિપ્રા પાઠક આજે નવી પેઢી માટે પર્યાવરણ અને સંસ્કૃતિના જતનનો મજબૂત પર્યાય બની ગયા છે.

ભારતીય વિચારધારાના ૧૦૦ વર્ષ: વામપંથનો અસ્ત અને RSSનો ઉદય  #1 શું ભારતમાં આયાતી વિચારધારા ક્યારેય ટકી શકે? ૧૦૦ વર્ષ પહેલા...
01/01/2026

ભારતીય વિચારધારાના ૧૦૦ વર્ષ: વામપંથનો અસ્ત અને RSSનો ઉદય

#1 શું ભારતમાં આયાતી વિચારધારા ક્યારેય ટકી શકે? ૧૦૦ વર્ષ પહેલાં શરૂ થયેલો વામપંથ અને ભારતીયતા વચ્ચેનો વૈચારિક સંઘર્ષ આજે નિર્ણાયક વળાંક પર છે. એક તરફ સત્તાનો મોહ છે, તો બીજી તરફ સેવા અને સંસ્કારની પરાકાષ્ઠા!
#2 ૧૯૨૫માં જ્યારે સંઘની સ્થાપના થઈ, ત્યારે ભારત માત્ર અંગ્રેજો સામે જ નહીં, પણ પોતાની ઓળખ માટે પણ લડતું હતું. વિદેશી વિચારોમાં અટવાયેલો વામપંથ ભારતને માત્ર શોષિત-શોષકના ભેદમાં જોતો રહ્યો, જ્યારે સંઘે ભારતને એક જીવંત સાંસ્કૃતિક શક્તિ તરીકે ઓળખ્યું.
#3 વામપંથની સૌથી મોટી મર્યાદા એ રહી કે તેની વિચારધારા યુરોપની ફેક્ટરીઓમાંથી જન્મી હતી. 'ધર્મ એ અફીણ છે' તેવા સૂત્રોને વળગી રહીને તેમણે ભારતીય આસ્થા અને પરંપરાઓને 'પછાતપણું' ગણાવ્યું. જ્યારે જનતાની આસ્થાને નકારવામાં આવે, ત્યારે તે વિચારધારા લાંબુ ટકતી નથી.
#4 સત્તા કેન્દ્રિત રાજનીતિ vs સેવા કાર્ય: વામપંથનું ધ્યાન હંમેશા સત્તા પર રહ્યું. બંગાળ અને ત્રિપુરામાં દાયકાઓ સુધી શાસન છતાં તેઓ કોઈ મજબૂત મોડેલ ન આપી શક્યા. બીજી તરફ, સંઘે સત્તાને બદલે 'શાખા' અને 'સેવા' દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર સમાજ નિર્માણનું કામ કર્યું.
#5 આજે 'સેવા ભારતી' અને 'વનવાસી કલ્યાણ આશ્રમ' જેવા સંગઠનો દ્વારા લાખો વંચિતો સુધી શિક્ષણ અને સ્વાસ્થ્ય પહોંચી રહ્યું છે. સંઘે સાબિત કર્યું કે સમાજ પરિવર્તન માત્ર ઉપદેશો આપવાથી નહીં, પણ સમાજની વચ્ચે રહીને કાર્ય કરવાથી આવે છે.
#6 બૌદ્ધિક મોરચે પણ આજે બદલાવ દેખાય છે. યુનિવર્સિટીઓના નકારાત્મક વિશ્લેષણ સામે આજે ભારતનો વાસ્તવિક ઇતિહાસ અને 'વિશ્વગુરુ'નો સંકલ્પ યુવાનોને વધુ આકર્ષી રહ્યો છે. વામપંથ હવે માત્ર અમુક શૈક્ષણિક સંકુલો પૂરતો સીમિત થઈ ગયો છે.
#7 આ વૈચારિક યુદ્ધમાં ભારતીયતાનો વિજય એ સાબિત કરે છે કે આ દેશની માટી આયાતી વિચારોને નહીં, પણ પોતાના મૂળભૂત સંસ્કારોને જ સ્વીકારે છે. સંઘ આજે એવું વટવૃક્ષ છે જેની શાખાઓ દરેક ક્ષેત્રમાં ફેલાયેલી છે. 🚩 લેખની લિંક:
https://www.sadhanaweekly.com/Encyc/2026/1/1/100-years-of-indian-ideology-rss-vs-leftism-cultural-nationalism.html

01/01/2026
૨૦૨૬થી નક્સલમુક્ત થનાર ભારતે..બીજાં કયાં રાજકીય અનિષ્ટોથી મુક્ત થવાનું છે?
31/12/2025

૨૦૨૬થી નક્સલમુક્ત થનાર ભારતે..બીજાં કયાં રાજકીય અનિષ્ટોથી મુક્ત થવાનું છે?

આગામી અંક... આજે જ માત્ર ૪૯/- રૂપિયાનું લવાજમ ભરો અને જોડાવ  સાધના સાપ્તાહિક સાથે... આ રહી લિંક.... https://epaper.sadha...
31/12/2025

આગામી અંક... આજે જ માત્ર ૪૯/- રૂપિયાનું લવાજમ ભરો અને જોડાવ સાધના સાપ્તાહિક સાથે... આ રહી લિંક.... https://epaper.sadhanaweekly.com

નવા વર્ષની ઉજણવી અને ડરનો માહોલ
30/12/2025

નવા વર્ષની ઉજણવી અને ડરનો માહોલ

નવા વર્ષે પહેલીવાર એવું થઈ રહ્યું છે કે  યુવાનો આગ્રામાં આવેલું સફેદ રંગનું કબ્રસ્તાન જોવા જવાને બદલે અયોધ્યાજી, વૃંદાવન...
29/12/2025

નવા વર્ષે પહેલીવાર એવું થઈ રહ્યું છે કે યુવાનો આગ્રામાં આવેલું સફેદ રંગનું કબ્રસ્તાન જોવા જવાને બદલે અયોધ્યાજી, વૃંદાવન જઈ રહ્યા છે. પરિવર્તન થઈ રહ્યું છે – કુમાર વિશ્વાસ

27/12/2025

સાંગલીનું ગામ બતાવે છે 'ડિજિટલ ડિટોક્સ'નો સાચો રસ્તો. રાત્રે 7 વાગ્યે સાયરન, પછી 2.5 કલાક ફોન બંધ!
27/12/2025

સાંગલીનું ગામ બતાવે છે 'ડિજિટલ ડિટોક્સ'નો સાચો રસ્તો. રાત્રે 7 વાગ્યે સાયરન, પછી 2.5 કલાક ફોન બંધ!

Address

24/Sanidhya Building, Ellisbridge
Ahmedabad
380009

Alerts

Be the first to know and let us send you an email when Sadhana Saptahik - Gujarat News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sadhana Saptahik - Gujarat News:

Share

Our Story

“Sadhana” Saptahik (weekly), published by “Sadhana Prakashan Trust”, is one of the most revered and widely read Gujarati weeklies. Read and contributed by most honoured men of letters, columnists, and analysts, “Sadhana” has been echoing the voice of the Gujarati readers across the globe since 1956.

આ પેજ પર મુકેલી દરેક રચનાના, પોસ્ટ કોઈને ઠેસ પહોચાડવા કે કોઇની લાગણી દુભાવવા માટે નથી. તેમ છતાં જે કોઈ રચનાઓ તેમજ તસ્વીરો બ્લોગ પોસ્ટ પર મૂકી છે, જેને કારણે અજાણતા પણ જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને માલુમ પડે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના કે પોસ્ટ સત્વરે પેજે પરથી દૂર કરવામા આવશે. સાધના સાપ્તાહિક ગુજરાતનું એક પ્રસિધ્ધ સામયિક છે. છેલ્લા ૬૧ વર્ષથી સાધના દર અઠવાડિયે અવિરત પ્રકાશિત થતું રહ્યું છે.

સાંસ્કૃતિક રાષ્ટ્રધર્મના ઉદઘોષક બની રહેવાની નેમ સાથે વર્ષ ૧૯૫૬ની વિજયાદશમીના દિવસે ‘સાધના સાપ્તાહિક’ની એક ગૌરવવંતી અણથક યાત્રા પ્રારંભ થઇ. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સમાચાર જગતમાં મૂલ્યનિષ્ઠાના બદલે વ્યવસાયની બોલબાલા વધતી ગઇ... આવા સમયે ધ્યેય સમર્પિત સામયિકો માટે ટકી રહેવુ અને સાથોસાથ વિકાસ સાધવો એ કાંટાળો માર્ગ બની ગયો હતો. ગુજરાતમાં અનેક લબ્ધપ્રતિષ્ઠિત સામયિકો બંધ પડ્યાં. નવા પ્રારંભ પણ થયા, પરંતુ ‘સાધના સાપ્તાહિક’ની સાધના અખંડ અને અવિરત આગળ ધપતી જ રહી. ગુજરાતની ભૂમિ ઉપર તેનો પ્રસાર અને પ્રભાવ સતત ફેલાતો જ ગયો.