11/06/2026
અમદાવાદમાં પાલતુ શ્વાનનો આતંક! 9 વર્ષના બાળક પર હુમલા બાદ માલિક સામે કાર્યવાહી
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પાલતુ શ્વાન દ્વારા 9 વર્ષના બાળક પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. શ્વાને બાળકને બચકા ભરતા તેને ઇજા પહોંચી હતી.
ઘટના બાદ પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા શ્વાનના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ વિસ્તારમાં બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વધારી છે.
પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.