Dr K R Shroff Foundation

Dr K R Shroff Foundation We are striving to create a world where all children can have a quality education that inspires them

વિનોદભાઈનું જીવન શરૂઆતથી જ સંઘર્ષમય રહ્યું. પિતા શારીરિક તકલીફ એ કામ ન કરી શકે. ગામમાં રહેતા ત્યાં તો જીવવું દુષ્કર બન્ય...
21/10/2025

વિનોદભાઈનું જીવન શરૂઆતથી જ સંઘર્ષમય રહ્યું. પિતા શારીરિક તકલીફ એ કામ ન કરી શકે. ગામમાં રહેતા ત્યાં તો જીવવું દુષ્કર બન્યું એટલે સુરેન્દ્રનગરમાં આવીને ભાડાના ઘરમાં રહ્યા.
ભણતરનો અવસર ન મળ્યો, એટલે નાનપણથી મજૂરી કરવી પડી. પણ એમણે હિંમત ન હારી. મોટા થયા પછી ફેબ્રિકેશનનું કામ શીખ્યા અને બેંકમાંથી લોન અને સગા પાસેથી ઉછીના લઇને પોતાની મહેનતથી ઘર ઊભું કર્યું.

ફેબ્રિકેશનનો ધંધો સારી રીતે ચાલતો હતો, પરંતુ તેને વધારવા સાધનો જોઈએ અને એ માટે મૂડીનો અભાવ. KRSFમાંથી VSSM ના કાર્યકર હર્ષદભાઈએ એમની લોન કરી આપી. એમણે નવા સાધનો વસાવ્યા અને ધંધામાં સારુ કમાવવા માંડ્યા.

KRSFના સ્થાપક પ્રતુલભાઈ વિનોદભાઈને ખાસ મળ્યા. એમને પ્રોત્સાહન આપ્યું. વિનોદભાઈએ હૃદયપૂર્વક પ્રતુલભાઈનો આભાર માન્યો કે જેમના સહયોગથી તેમની જીંદગીમાં નવો વળાંક આવ્યો.

આજે વિનોદભાઈએ ફેબ્રીકેશનનું કામ બીજા ૭ કારીગરોને શીખવ્યું. જેઓ પોતપોતાનું સ્વતંત્ર ફેબ્રિકેશન કામ શરૂ કર્યું છે. ગરીબાઈમાં સ્વબળે ઉપર ઊઠી વિનોદભાઈ આજે સન્માનભેર જીવન જીવી રહ્યા છે.

એક વખત પારાવાર ગરીબાઈમાં જીવતા વિનોદભાઈ આજે પોતાના ઘરમાં છે. સમાન એમને માનભેર જુએ છે. અમને આનંદ આવા પરિવારોના જીવનમાં સુખ આપવામાં નિમિત્ત બન્યાનો.

#સ્વમાનભેરજીવન #પરિશ્રમનીશક્તિ #માનવતા #ગરીબીમુક્તિ

19/10/2025

ઓહ... બાપરે... સમજમાં ના બેસે તેવી વાતસંસ્કૃતના શિક્ષક અંગ્રેજી કેવી રીતે ભણાવ્યું?



Visit us:
Website: https://www.krsf.in/

Follow us :
YouTube
/

Instagram
/ krshrofffoundation

Facebook
/ dr.k.r.shroff.foundation

To watch educational videos, click on the link below
/

“એક વૃક્ષ માં કે નામ.”બનાસકાંઠાનું કુડા ગામ. જયારે ઉનાળામાં બનાસકાંઠા આવેલા ત્યારે અને અત્યારે બનાસકાંઠો સાવ બદલાયેલો લા...
11/10/2025

“એક વૃક્ષ માં કે નામ.”
બનાસકાંઠાનું કુડા ગામ. જયારે ઉનાળામાં બનાસકાંઠા આવેલા ત્યારે અને અત્યારે બનાસકાંઠો સાવ બદલાયેલો લાગે. કુડા ગામે KRSF ની જળમંદિર (તળાવ) અને ગ્રામવન (વૃક્ષારોપણ)ની બંને સાઈટ સામ સામે.
VSSM વર્ષોથી વૃક્ષો વાવીને તેને ઉછેરવાનું કાર્ય કરે અને આમાં અમે તેમને ફાળો આપેલો. તેઓ ચોક્કસ પણે માને પણ ખરા કે તમે આવો અને તમારા માતાપિતાના નામે ઉછરી રહેલું વન કેવું છે તે જોવો.
સ્મશાનમાં એકલા જવું પણ બિહામણું લાગે પણ, અત્યારે ચારે બાજુ લીલોતરી જાતજાતના પંખીઓ, ફળો અને સગંધિત વન જોઇને ખુશ થવાયું.
આ ગ્રામવન ૪ માં ૨૦ વીઘા જમીનમાં ૧૦૦૦૦ થી વધુ વૃક્ષો વાવ્યા અને તે ઉછરી રહ્યા છે માટે ગામ લોકો VSSM અને તમારા સૌનો આભાર…

04/10/2025

દસમી ફેલ છોકરો, આજે શું બની ગયો? નવાઈ લાગે તેવો કિસ્સો | KRSF |

શિક્ષક માત્ર પાઠ ભણાવનાર વ્યકિત નથી, પણ બાળકના જીવનના સર્વાંગી વિકાસના માર્ગદર્શક હોય છે. માતા જેમ બાળકની જરૂરિયાતો સમજે...
03/10/2025

શિક્ષક માત્ર પાઠ ભણાવનાર વ્યકિત નથી, પણ બાળકના જીવનના સર્વાંગી વિકાસના માર્ગદર્શક હોય છે. માતા જેમ બાળકની જરૂરિયાતો સમજે, તેમ તેઓ વિદ્યાર્થીઓની ક્ષમતાઓ અને ભાવનાઓને પણ ઝીણવટપૂર્વક સમજે છે. અરવલ્લીની ધોળેશ્વર શાળામાં પૂરક શિક્ષક મૌલિકભાઈ આ જ ઉદાહરણ પૂરું પાડે છે. તેઓ દરેક બાળકને અપાર પ્રેમ અને સમજણથી શીખવે છે, જે સાબિત કરે છે કે શિક્ષક ખરેખર મા સમાન હોય છે. તાજેતરમાં એક બાળકના શર્ટનું બટન તૂટતાં, વારંવાર કહેવા છતાં ન આવતાં, મૌલિકભાઈએ રિસેસમાં જાતે ટાંકી આપ્યું. તેમની નિસ્વાર્થ કાળજીને કારણે બાળકો કોઈ પણ મુશ્કેલીમાં સૌ પ્રથમ તેમની પાસે આવે છે. તેમણે હેલ્થ ક્લાસ લીધા છે, જેના પરિણામે બાળકો હવે હાથ ધોયા વિના મધ્યાહન ભોજનમાં બેસતા નથી; તેઓ જાતે નખ પણ કાપી આપે છે. આ બધું જ મેં મારી રૂબરૂ મુલાકાત દરમિયાન પ્રત્યક્ષ નિહાળ્યું છે, જે ખરેખર પ્રેરણાદાયક છે.

29/09/2025

બાળકને પાયલટ અને સાયન્ટિસ્ટ બનાવવાનીનેમ લઈને મંડેલા અમારા પૂરક શિક્ષક..| KRSF |

We are delighted to share that Dr. K. R. Shroff Foundation (KRSF) has been recognized by the Climate Change Department, ...
18/09/2025

We are delighted to share that Dr. K. R. Shroff Foundation (KRSF) has been recognized by the Climate Change Department, Government of Gujarat and the Gujarat Energy Development Agency (GEDA) for our efforts in addressing climate change. 🌍✨

What began as a vision years ago now finds encouragement through this honour. It strengthens our belief that every effort—big or small—creates ripples of change for a sustainable future. 🌱💚

This recognition belongs to our passionate team (special thanks to Girish Prajapati), our supportive partners such as VSSM, and all well-wishers who continue to believe in us. Together, we have shown that caring for the environment is not just a duty, but a promise to the next generation. 🌿

This milestone inspires us to walk the path of sustainability with renewed energy and purpose. With heartfelt gratitude to everyone who has stood with us on this journey. 🙏

17/09/2025

અકસ્માતમાં પણ પોતાનું કર્તવ્ય ના ભૂલે..તેવા અમારા પુરક શિક્ષક. એમણે એવું શું કર્યું? | KRSF |

09/09/2025

આવા કળીયુગમાં આવી દીકરી? 😱😳માન્યામાં ના આવે તેવી વાત ...માન્યામાં ના આવે તેવી વાત ..| KRSF |

“રામચંદ્રભાઈ તમારુ નામ સરસ છે કોણે પાડ્યું?”મારી વાત સાંભળી રામચંદ્રભાઈ થોડા શરમાયા. બાજુમાં એમના મમ્મી ઊભા હતા એમણે કહ્...
05/09/2025

“રામચંદ્રભાઈ તમારુ નામ સરસ છે કોણે પાડ્યું?”
મારી વાત સાંભળી રામચંદ્રભાઈ થોડા શરમાયા. બાજુમાં એમના મમ્મી ઊભા હતા એમણે કહ્યું, “મે પાડ્યું. ભગવાન રામનું નામ એમના જેવો દિકરો થાય એવું ગમે એટલે.”
“તે એવો દિકરા છે?”
“હા અમારુ ખુબ ધ્યાન રાખે.”

પાલનપુરમાં રહેતા રામચંદ્રભાઈ અને તેમનો આખો પરિવાર સીમેન્ટની ખાલી થેલી ભેગી કરી વેચવાનું કરે. ખાલી થેલી ખરીદવા મૂડી જોઈએ જે વ્યાજથી લાવે પણ વ્યાજ તગડુ ચુકવે. અમે પુછ્યું કેટલું વ્યાજ તો એમણે કહ્યું, 1000 રૃપિયા લઈએ તો 100 કાપીને 900 આપે જે સાંજે પાછા 1000 આપી દેવાના.
સાંભળીને આંખો પહોળી થઈ ગયેલી.

ખાલી સીમેન્ટની થોડી થેલી વેચવા જાય તો ઈચ્છીત ભાવ ન મળે પણ વધારે ભેગી થાય તો સારો ભાવ મળે. અમારા કાર્યકર પરેશભાઈ, રામચંદ્રભાઈના સંપર્કમાં એમની સ્થિતિ પણ જાણે એટલે એક દિવસ લોન આપવા વાત કરી. રામચંદ્રભાઈ તો એનાથી રાજી. એમના પિતા, બહેન અને એમણે ત્રણેયે અમારી પાસેથી લોન લીધી.
હવે એમનું રોટેશન સરસ થવા માંડ્યું છે. સારો એવો નફો થાય છે.

એમની પાસે પોતાનું ઘર નથી. ભાડાનાઘરમાં એ રહે. એ કહે, મોટી બિલ્ડીંગ બંધાતી હોય તેની ખાલી સીમેન્ટની થેલીઓ લેવાનો કોન્ટ્રાક્ટ રાખી શકુ એટલા પૈસા કમાવવા છે ને પછી મારુ પોતાનું ઘર બનાવવું છે.

રામચંદ્રભાઈની ઈચ્છા પુરી થાય એવી પ્રાર્થના.

KRSF અને VSSM અત્યાર સુધી 12,000 થી વધારે પરિવારોને સ્વતંત્ર ધંધો કરવા આ રીતે લોન આપી શક્યા તેનો રાજીપો.
રામચંદ્રભાઈ એમની કમાણીમાંથી દર મહિને 200 રૃપિયાનું અનુદાન આપે છે. એ કહે મને કોઈએ મદદ કરી તો પછી મને જે મળે એમાંથી અન્યોના કલ્યાણ માટે વિચારવાની મારી ફરજ.

રામચંદ્રભાઈનો પરિવાર સુખી થાય તેવી શુભભાવના..

✨ #સહાયથીસફળતા

‘તમે કોઈ દિ સ્મશાનમાં આવેલા?’‘ઓય હું દાટ્યું હોય તે આબ્બુ પડ.’‘તો આજે પહેલીવાર આવ્યા?’‘હોવ. આતો ઘરના એ કીધું ક ઝાડ વાબ્બ...
01/09/2025

‘તમે કોઈ દિ સ્મશાનમાં આવેલા?’
‘ઓય હું દાટ્યું હોય તે આબ્બુ પડ.’
‘તો આજે પહેલીવાર આવ્યા?’
‘હોવ. આતો ઘરના એ કીધું ક ઝાડ વાબ્બાના હ. તે આયા પણ હારુ કીધુ આ આખું કટમ્બ, ગોમ ઓમ પેલીવાર કા આ રીતે ભેળુ થ્યું.’

માથે ઘૂંઘટ ઓઢેલી વૃક્ષો વાવી રહેલી બહેનોએ આ કહ્યું.
સ્મશાન પવિત્ર ભૂમી પણ કોઈને અહીંયા જીવતા આવવું તો ન જ ગમે. અમે સ્મશાનમાં વૃક્ષો પૂજન કરીને વાવીએ. ગામના સ્ત્રી, પુરુષ, બાળકો સૌ આ કાર્યક્રમમાં હાજર રહે એવી અમારી લાગણી. આ બહાને સમ્શાન માટેનો ભય પણ ભાંગે.

બનાસકાંઠાના સેદલાગામના સ્મશાન માં અમે 5500 વૃક્ષો ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન (KRSF) અને ગામની ભાગીદારીથી વાવ્યા.
અમે સ્મશાનમાં પહોંચ્યા તો ગામના 500 કરતા વધારે વ્યક્તિઓ વૃક્ષો વાવવા માટે કરેલા ખાડા પાસે એક એક વૃક્ષ લઈને બેઠેલા જોયા.

સરસ નજારો હતો. સૌએ અમને આવકાર્યા ને પછી પૂજન કરી અમે વૃક્ષદેવનું સ્થાપન કર્યું. સૌએ વૃક્ષ નારાયણ દેવ કી જયના નામનો જયધોષ કર્યો.
એ પછી સૌ એક જગ્યા પર એકત્રીત થયા. વૃક્ષોના મહત્વની વાત KRSFના સ્થાપક આદરણીય શ્રી પ્રતુલભાઈએ કરી. VSSM ટીમ આ કાર્યમાં નિમિત્ત બની. સેદલાવાસીઓએ ટીમના તમામ સદસ્યોનું પણ સન્માન કર્યું.

એ પછી સ્મશાનમાં સૌએ ચા નાસ્તો કર્યો. જેમ બહેનો અને બાળકોનું સ્મશાનમાં આવવાનું પહેલીવાર નું હતું અદલ એવું જ અહીંયા નાસ્તો કરવાનું પણ હતું.

વૃક્ષ ઉછેર કાર્યક્રમ અંતર્ગત પ્રકૃતિનું સંવર્ધન તો થાય છે સાથે સાથે સામાજીક માન્યતાઓ પણ બદલાય છે. વળી અનેકોને આ કાર્યમાંથી રોજી રોટી પણ મળે છે.

સેદલાની એક સ્મશાનભૂમીમાં વૃક્ષો વવાતા જોઈને ગામના અન્ય સમાજના લોકોએ પણ પોતાની સ્મશાન ભૂમિ સાફ કરવાની શરૂઆત કરી દીધી. એમને પણ પોતાના સ્મશાનને ગાંડા બાવળ થી મુક્ત કરવું છે.

બસ ગામે ગામ લોકો જાગે ને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બને તેવું ઈચ્છીએ.
આભાર પ્રતુલભાઈ તમે સાથે છો એનો રાજીપો ને સાથે કુદરત તમને ખુબ આપે ને અનેકોના શુભમાં નિમિત્ત બનાવે તેવી પ્રાર્થના..

Address

Ahmedabad

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 6am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

+917227064000

Alerts

Be the first to know and let us send you an email when Dr K R Shroff Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dr K R Shroff Foundation:

Share