Dr K R Shroff Foundation

Dr K R Shroff Foundation We are striving to create a world where all children can have a quality education that inspires them
(1)

05/07/2025

એક શાળાની પ્રયોગશાળામાં એવું શું થયું ... કે આખી શાળામાં બદલાવ આવી ગયો? Dr. K. R. Shroff Foundation

કહેવાય છે કે બાળપણમાં રોપાયેલા સંસ્કાર અને મળેલો પ્લેટફોર્મ જીવનનો આધારસ્તંભ બને છે. ડેડીયાપાડા કન્યાશાળા આ વાતનું જીવંત...
03/07/2025

કહેવાય છે કે બાળપણમાં રોપાયેલા સંસ્કાર અને મળેલો પ્લેટફોર્મ જીવનનો આધારસ્તંભ બને છે. ડેડીયાપાડા કન્યાશાળા આ વાતનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. અમારા પૂરક શિક્ષિકા, ચંપાબેન, એક દ્રષ્ટિકોણ સાથે આગળ વધ્યા તેમની શાળામાં ભણતી બાળકીઓમાં છુપાયેલી અદભુત પ્રતિભાઓને બહાર લાવવી.
આ વિચાર માત્ર એક સપનું નહોતો, પણ એક મિશન બની ગયું. આચાર્યશ્રીના ત્વરિત સમર્થન અને અન્ય શિક્ષકોના સહયોગથી, આ મિશનને પાંખો મળી. એક ખાસ નોટબુકમાં સંગીત, નૃત્ય, રમતગમત અને વક્તૃત્વ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થયું. ચંપાબેનનું કામ માત્ર ભણાવવાનું નહોતું, પણ દરેક બાળકીની આંખોમાં છુપાયેલી જિજ્ઞાસાને પારખીને તેમને યોગ્ય દિશા આપવાનું હતું.
આજના પરિણામો અદભુત છે! પ્રિયંકાબેન ઢોલના તાલે પોતાની પ્રતિભા સિદ્ધ કરી રહી છે, જ્યારે આરોહીના કંઠે ગવાયેલા ગીતો દિલને સ્પર્શી જાય છે. પ્રિયાંશી, અશ્વિની અને નિધિકા જેવી બાળકીઓ ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં અસ્ખલિત વક્તૃત્વ આપીને સૌને પ્રભાવિત કરી રહી છે. ધોરણ 7 ની પરીના, સૌમ્યા અને ધોરણ 6 ની જાનવી, ખુશ્નુમા કોઈપણ વિષય પર બોલવા માટે સદાય તત્પર રહે છે, અને અંગ્રેજી સૂચનો પણ સહેલાઈથી સમજે છે.
આ શાળા માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતી સીમિત નથી. અહીં શિક્ષકો બાળકો સાથે મળીને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે, જે બાળકીઓને આગળ વધવા માટે સતત પ્રેરણા પૂરી પાડે છે. ખરેખર, આ ચંપાબેન જેવા દીર્ઘદ્રષ્ટિવાળા શિક્ષકોની મહેનત અને બાળકોમાં રહેલી શક્તિઓને પારખવાની તેમની અનોખી કળાનું જ પરિણામ છે કે ડેડીયાપાડા કન્યાશાળા આજે એક આદર્શ શાળા તરીકે ઉભરી આવી છે. અહીં માત્ર શિક્ષણ જ નથી, પણ સર્વાંગી વિકાસનો માર્ગ પણ કંડારાય છે.

બાળકોને હંમેશા જીવંત વર્ગ વધુ ગમે.... કારણ કે તેમાં હોય છે તેમને મજા પડે તેવી વાતો... તેમને ત્યાં ફક્ત પુસ્તકિયું જ્ઞાન ...
01/07/2025

બાળકોને હંમેશા જીવંત વર્ગ વધુ ગમે.... કારણ કે તેમાં હોય છે તેમને મજા પડે તેવી વાતો... તેમને ત્યાં ફક્ત પુસ્તકિયું જ્ઞાન નહિ પણ એવું જ્ઞાન અપાય કે જેમાં તેમને રમતા રમતા જ્ઞાન મળે... તેઓને ચિત્રો કે કોઈ પ્રયોગ દ્વારા શીખવા મળે જેને TLM ટીચિંગ લર્નિંગ મટીરીયલ કહેવાય... બસ આ જ મટીરીયલ બનાવવા માટે દિવસને રાત જોયા વિના અમારી ટીમ મહેનત કરે અને તે જોઇને આનંદ થાય....

બાળકો પાછળ આટલી બધી મહેનત કરે છે આ શિક્ષકો?Visit us: Website: https://www.krsf.in/ Follow us :YouTubehttps://www.youtube.com/...

હૃદયમાં નિત હું એકલો કેમ એની ઊથલપાથલ થાય.આમ તો જીંદગી આખી આનો જવાબ શોધવા મથ્યો.કે છે ઈશ્વર ને તમે સાંભળવા મથો તો એ જવાબ ...
30/06/2025

હૃદયમાં નિત હું એકલો કેમ એની ઊથલપાથલ થાય.
આમ તો જીંદગી આખી આનો જવાબ શોધવા મથ્યો.
કે છે ઈશ્વર ને તમે સાંભળવા મથો તો એ જવાબ આપે.
તે એનેય સાદ કર્યો પણ એનેય મારો અવાજ ન સંભળાયો.
મને એકલો, નિરાધાર કેમ રાખ્યો એ જ પુછવું’તુ એને.
પણ ખેર હવે તો પ્રશ્ન પુછવાથી પણ થાક્યો.
હવે વાટ એના સમીપની ને એ હેમખેમ લઈ જાય એની..

જેમનું આ દુનિયામાં કોઈ નથી એવા 700 નિરાધાર માવતરોને અમે રાશન આપવાનું કરીએ. આ માવતરો પાસે જઈએ, બેસીએ ત્યારે બધાની લગભગ અમે એકલા કેમની વાત..
સાંભળીને મન ખિન્ન થાય. પણ પછી અમે કહીએ, “તમે એકલા ક્યાં? તમે હરીને સાદ કર્યો ને અમારા જેવા ને તમારી પાસે એણે મોકલી આપ્યા.”
અમારી વાત સાંભળી બધા પાછા એ વાત હાવ હાચી એમ કહે..

ભીખાબાપા ગાંધીનગરના લોદરામાં રહે. તેમની ચાકરી કરનાર કોઈ નહીં. કુટુંબીજનો સાચવે પણ કાકાને ઓશિયાળી લાગતી. અમે રાશન આપવાનું શરૃ કર્યું ને કાકાને એનાથી નિરાંત. રસોઈ કુટુંબીજનો બનાવી આપે પણ કાકા કહે, “હું સ્વમાનથી ખાવું.”

સ્વમાનથી ખાવું બહુ મોટી વાત..

આ કાર્યમાં અનેક સ્વજનો મદદ કરે. પણ આદરણીય પ્રતુલભાઈ શ્રોફ -ડો. કે.આર.શ્રોફ ફાઉન્ડેશનનો આમાં ઘણો મોટો સહયોગ એ માટે એમના ને મદદ કરનાર અન્ય સૌના આભારી..

કેટલાક જીવન માત્ર જીવાતા નથી, પરંતુ પ્રત્યેક પ્રતિકૂળતાને પડકારીને પોતાની એક અનોખી ઓળખ બનાવે છે. કેરોલીનબેન વસાવા આવા જ ...
28/06/2025

કેટલાક જીવન માત્ર જીવાતા નથી, પરંતુ પ્રત્યેક પ્રતિકૂળતાને પડકારીને પોતાની એક અનોખી ઓળખ બનાવે છે. કેરોલીનબેન વસાવા આવા જ એક અસાધારણ વ્યક્તિત્વ છે. પિતાવિહોણા બાળપણથી લઈને એક સફળ ટીમ લીડર બનવા સુધીની તેમની યાત્રા, દ્રઢતા, આત્મવિશ્વાસ અને અતૂટ શ્રદ્ધાનું પ્રતિક છે.
કેરોલીનબેનના જીવનની શરૂઆત જ સંઘર્ષમય રહી. પિતાના જવાથી માતાએ તેમને એકલા હાથે ઉછેર્યા, ભણાવ્યા અને પગભર કર્યા. ૨૦૦૮માં શિક્ષક બન્યા પછી, યોગેશ સાથે લગ્ન કરવાના નિર્ણયે તેમને પરિવારથી વિખૂટા પાડ્યા. સુરતમાં નવી શરૂઆત કરવી તેમના માટે આત્મનિર્ભરતાનું પ્રથમ કદમ હતું, જે પડકારજનક હતું.
સુરતમાં નવી શરૂઆત બાદ તરત જ તેમને ટાઈફોઈડ થયો, અને બાઈક માટે બચાવેલા પૈસા દવાખાનાના ખર્ચમાં વપરાઈ ગયા. આર્થિક સંકડામણ એટલી વધી કે તેમને પોતાનું મંગલસૂત્ર પણ વેચવું પડ્યું. આ કપરા સમયમાં પણ તેમની અંદર રહેલી અદમ્ય ભાવના અને આત્મબળ તેમને સતત પ્રેરણા આપતું રહ્યું. દરેક મુશ્કેલીને તેમણે એક પાઠ તરીકે લીધી, અને દરેક નિષ્ફળતાને સફળતાની સીડી બનાવી.
વર્ષ ૨૦૧૮, કેરોલીનબેનના જીવનમાં એક નવો વળાંક લઈને આવ્યું. ડો. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન (KRSF) માં ખાલી જગ્યાની જાહેરાત જોઈને તેમણે ફોર્મ ભર્યું અને સિલેક્ટ થયા. આ સમયગાળા દરમિયાન તેમની માતાનો તેમને અતૂટ સાથ મળ્યો. કેરોલીનબેન આજે પણ ગર્વભેર કહે છે કે જો તેમની માતાએ તેમને એકલા ન છોડ્યા હોત, તો કદાચ તેઓ આ રીતે ઘડાયા ન હોત.
૨૦૨૩માં યોગેશને તલાટી તરીકે સરકારી નોકરી મળી, ને કેરોલીનબેનને KRSF માં ટીમ લીડર તરીકે પ્રમોશન મળ્યું. આજે તેઓ પોતાની ગાડી ધરાવે છે અને પોતાના દીકરાને શ્રેષ્ઠ શિક્ષણ આપી રહ્યા છે. તેમની આ સફર એ વાતનો જીવંત પુરાવો છે કે પ્રમાણિકતા અને કર્તવ્યનિષ્ઠાથી કામ કરો અને લક્ષને વળગ્યા રહો તો તે મળે જ છે. કેરોલીનબેન વસાવા એક એવી નારી છે જેમણે પોતાના સંઘર્ષને પોતાની શક્તિ બનાવી, અને સાબિત કરી બતાવ્યું કે જો દ્રઢ સંકલ્પ હોય તો સફળતા ચોક્કસપણે તમારા કદમો ચૂમે છે. તેમનું જીવન ખરેખર પ્રેરણાદાયક છે.

27/06/2025

2000 એન્જીનીયર જેમના ત્યાં કામ કરતા હતા એ પ્રતુલભાઈએ આજે અનોખી ધુણી ધખાવી છે? | KRSF | eInfochips | શાની ધુણી ધખાવી છે એ જોવા, સમજવા વિડીયો જોવો રહ્યો...

ડૉ. કે.આર.શ્રોફ ફાઉન્ડેશન આજે ગુજરાતના શિક્ષણ અને વિકાસના ક્ષેત્રે એક વટવૃક્ષની જેમ વિસ્તર્યું છે, જેની શીતળ છાયામાં અસં...
25/06/2025

ડૉ. કે.આર.શ્રોફ ફાઉન્ડેશન આજે ગુજરાતના શિક્ષણ અને વિકાસના ક્ષેત્રે એક વટવૃક્ષની જેમ વિસ્તર્યું છે, જેની શીતળ છાયામાં અસંખ્ય બાળકો અને પરિવારો નવી આશાઓ પામી રહ્યા છે. બંગાળીમાં એક સુંદર કહેવત છે, "શોબ ચાહે જેન કેનો ના થોકુક, ગુનો કેરે નિજોર કોર્મો," જેનો અર્થ થાય છે કે દરેક વ્યક્તિ થાકી શકે છે, પરંતુ ગુણવાન વ્યક્તિ હંમેશાં પોતાનું કાર્ય કરે છે. આ જ ભાવના અમારા ફાઉન્ડેશનના દરેક સભ્યમાં જોવા મળે છે, જેઓ અથાક પરિશ્રમ કરીને શિક્ષણ અને સેવાના મૂલ્યોને આગળ ધપાવી રહ્યા છે. જેમ એક વૃક્ષને સમયાંતરે પોષણ અને સંભાળની જરૂર હોય છે, તેમ અમે પણ દર મહિને પોતાના ઉત્કૃષ્ટ યોગદાન આપનારા કર્મઠ સાથીઓનું સન્માન કરીએ છીએ અને પરિણામોનું મૂલ્યાંકન કરીને વિકાસની નવી દિશાઓ ખોળીએ છીએ.
આ વટવૃક્ષની ડાળીઓ આજે ગુજરાતના દરેક ખૂણે ખૂણે ફેલાયેલી છે, જ્યાં સંસ્થાના સમર્પિત કાર્યકરો પોતાની ટીમ સાથે મળીને જ્ઞાનની જ્યોતને પ્રજ્વલિત રાખી રહ્યા છે.

૫ બહેનો અને ૧ ભાઈ હોય તેવો વિશાળ પરિવાર. પણ, લોવર મિડલ ક્લાસમાં જન્મ્યા હોય તો સમજી શકાય કે પોતાની ઈચ્છાઓને કઈ રીતે મારવ...
24/06/2025

૫ બહેનો અને ૧ ભાઈ હોય તેવો વિશાળ પરિવાર. પણ, લોવર મિડલ ક્લાસમાં જન્મ્યા હોય તો સમજી શકાય કે પોતાની ઈચ્છાઓને કઈ રીતે મારવી પડે... પણ, જો તમે તે પરિસ્થિતિને બદલવા રાત દિવસ મહેનત કરો તો તે મહેનત રંગ લાવે છે...
વાત છે સાગબારામાં રહેતા અમારા એક કર્મસ્ઠ ટીમ લીડર નગ્મા વસાવાની.
પપ્પા દુધ મંડળીમાં ડ્રાયવર અને મમ્મી ભણતરમાં નહિ પણ ઘરકામમાં નિપુણ. ધોરણ ૧૨ પતાવી PTC કર્યું તોય સ્કુલમાં ના ભણાવી શક્યા કારણ કે ગ્રેજ્યુએશન તો ફરજીયાત થયેલું છે. અને પછી નગ્માબેન ગ્રેજ્યુએશન કરવા બેસે છે.
શરૂઆતમાં તો તેઓ એક શિક્ષક તરીકે અમારા ત્યાં લાગેલા પણ અમે તેમની અંદર રહેલી મહેનત કરવાની નિષ્ઠા અને તેમનું કામ જોઈ તેમને ગણિતના લીડર બનાવ્યા પણ, તેઓ અહી રોકાઈ તેમ ન હતા... અને તેઓ અત્યારે ટીમ લીડર તરીકે ૧૩ શાળાઓમાં ૮૩૩ બાળકો અને ૧૩ શિક્ષકોને સંભાળે છે.
અમારા દ્વારા મળતા વેતનથી અત્યારે તેઓ બહુ સારું જીવન જીવે છે તેમના પપ્પાને હવે ક્યાય હાથ લંબાવવો પડતો નથી. સાથે ભાઈના અભ્યાસમાં પણ આર્થીક રીતે મદદરૂપ થાય છે.
હજુ વધુ બાળકો સાથે કામ કરવાનું સપનું જોનાર નગ્માબેન વિષે જયારે જાણું ત્યારે આદરણીય પ્રતુલભાઈ નર્મદા જીલ્લામાં ગયા ત્યારે તેમને તેમની આંખે જોયું કે નગ્માબેન કઈ રીતે મહેનત કરે છે અને પરિણામ લાવે છે.

23/06/2025

KRSF 850 થી વધારે સરકારી શાળામાં કામ કરે. આ શાળાઓમાં સંસ્થાએ પોતે મુકેલા શિક્ષકોના કામનું મોનીટરીંગ કરવાની આખી રીત અમે વિકસાવી જેના કારણે અમને સરસ પરિણામ મળી રહ્યા છે. સાબરકાંઠાની રામપુર નિશાળમાં અમારા દ્વારા થઈ રહેલા પ્રયત્નોની વાત વિડીયોમાં...

શંકરસીંગ વસાવાનું હૃદય નાનપણથી જ દેશભક્તિના રંગે રંગાયેલું હતું. એમની આંખોમાં એક જ સપનું ધબકતું હતું - ભારતીય સેનામાં જો...
20/06/2025

શંકરસીંગ વસાવાનું હૃદય નાનપણથી જ દેશભક્તિના રંગે રંગાયેલું હતું. એમની આંખોમાં એક જ સપનું ધબકતું હતું - ભારતીય સેનામાં જોડાઈને માતૃભૂમિની સેવા કરવી. આ સપનાને સાકાર કરવા માટે એક વખત તેઓ હિંમતનગરની સેના ભરતી રેલીમાં પહોંચી ગયા. દોડમાં તો એમણે બાજી મારી લીધી, પણ લેખિત પરીક્ષામાં કિસ્મત આડે પાંદડું ફરી ગયું.
એ પછી ફરી ક્યારેય સેનામાં ભરતી થવાનો મોકો ના મળ્યો. કારણ? ઉંમર... જ્યારે તેઓ ૧૮ વર્ષના હતા ત્યારે કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો હતો અને લાંબા સમય સુધી ભરતીઓ અટકી ગઈ. જ્યારે ફરી ભરતી શરૂ થઈ ત્યારે શંકરસીંગ ૨૩ વર્ષના થઈ ચૂક્યા હતા. ભારતીય સેનાના નિયમો અનુસાર ૧૮થી ૨૧ વર્ષની વયના યુવાનો જ ભરતી માટે લાયક ગણાય છે. આમ, એમનું વર્ષો જૂનું સપનું તૂટી ગયું.
પણ શંકરસીંગ હાર માને એવા નહોતા. એમણે ગુજરાત પોલીસની ભરતીમાં કિસ્મત અજમાવ્યું. સુરત ખાતે દોડ તો પાસ કરી લીધી, પરંતુ ફરી એકવાર લેખિત પરીક્ષામાં રહી ગયા. આ નિષ્ફળતાથી તેઓ ખૂબ જ નિરાશ થઈ ગયા અને નક્કી કર્યું કે હવેથી કોઈ પણ ભરતીનું ફોર્મ ભરવાનું બંધ. એવામાં એક બીજી મુશ્કેલી આવી. એ જ સમયે એમના પિતાજીનું અવસાન થયું અને ઘર તથા ખેતીની જવાબદારી એમના ખભા પર આવી પડી.
જીવનના આ મુશ્કેલ તબક્કામાં શંકરસીંગે શિક્ષણનો માર્ગ પકડ્યો. તેઓ બી.એડ્. કરવા માટે પાટણ ગયા. અને જ્યારે એમનું બી.એડ્. પૂરું થયું ત્યારે ડો. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનમાં ભરતી આવી. એમણે ફોર્મ તો ભર્યું, પણ ક્યારેય વિચાર્યું નહોતું કે આ રીતે તેઓ શિક્ષક બનશે.
નર્મદા જીલ્લાના બર્ક્તુરા ગામની શાળામાં શિક્ષકની ઘટ અને અમે ત્યાં જ શંકરસિંગને મુક્યા.
પોતાના અનુભવ વિશે તેઓ કહે છે, “જ્યારે મારી ૨૮ દિવસની તાલીમ શરૂ થઈ ત્યારે મને ગણિત અને અંગ્રેજી જેવા વિષયોમાં ઘણું શીખવા મળ્યું. સમાજમાં પણ ખૂબ માન-સન્માન મળે છે.”
આજે શંકરસીંગ ડો. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનનો દિલથી આભાર માને છે. તેઓ કહે છે કે પહેલાં એમના ગામમાં અને સમાજમાં તેમનું કોઈ ખાસ માન નહોતું, પરંતુ આજે લોકો તેમને ‘ગુરુજી’ કહીને બોલાવે છે. આ બદલાવ માટે તેઓ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. એક સૈનિક બનવાનું સપનું ભલે તૂટી ગયું, પણ એક શિક્ષક બનીને તેઓ આજે અનેક બાળકોના જીવનને દિશા આપી રહ્યા છે, અને આ રીતે તેઓ સમાજ માટે એક મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

સાગબારા તાલુકાનું ઉભરીયા અંતરિયાળ ગામ. આજુ બાજુનું વાતાવરણ બહુ જ સરસ પણ ત્યાની શાળામાં શિક્ષકની ઘટ.આ ઘટની પુરતી માટે અમે...
18/06/2025

સાગબારા તાલુકાનું ઉભરીયા અંતરિયાળ ગામ. આજુ બાજુનું વાતાવરણ બહુ જ સરસ પણ ત્યાની શાળામાં શિક્ષકની ઘટ.
આ ઘટની પુરતી માટે અમે સ્થાનિક સંદીપભાઈ વસાવાને પૂરક શિક્ષક તરીકે મુક્યા. KRSF અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની ઘટને પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
સંદીપભાઈ માત્ર ભણાવતા નથી, તેમનામાં એક કલાકાર પણ છુપાયેલો છે. તેમણે યુટ્યુબના માધ્યમથી તબલાં શીખ્યા અને શાળા પછીનો કલાક પોતાના રિયાઝ અને બાળકોને તબલાં શીખવવા માટે સમર્પિત કર્યો. છેલ્લા ત્રણ મહિનાની તેમની મહેનતનું પરિણામ એ આવ્યું કે આજે શાળાના કાર્યક્રમોમાં બાળકોનું તબલાં વાદન એક વિશેષ રંગ પૂરે છે.
તાજેતરમાં યોજાયેલ કલા સ્પર્ધામાં સંદીપભાઈએ પોતાની બે વિદ્યાર્થીનીઓને ગીત સ્પર્ધા માટે તૈયાર કરી.
તાલુકા સ્તરે આ નાની કલાકારોએ પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવ્યું.
એટલું જ નહીં, સંદીપભાઈએ પણ ઓપન કેટેગરીમાં ભાગ લીધો અને વિજેતા બન્યા. ત્યારબાદ જિલ્લા કક્ષાની તબલા વાદનની સ્પર્ધામાં તેમણે બીજો ક્રમ પ્રાપ્ત કર્યો. તેમના આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે.
ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ માટે જે તક ઊભી કરવામાં આવી છે અને સંદીપભાઈ જેવા સમર્પિત શિક્ષકો જે ઉત્સાહ દાખવી રહ્યા છે, તે ખરેખર સરાહનીય છે. આ ઘટના એ વાતનો પુરાવો છે કે જો શિક્ષકમાં ધગશ હોય તો કોઈપણ અંતરિયાળ જગ્યાએ પણ કલા અને પ્રતિભા ખીલી શકે છે. સંદીપભાઈની આ કહાની અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણાદાયી છે. તાજેતરમાં જ્યારે પ્રતુલભાઈ નર્મદા જિલ્લાના પ્રવાસે હતા, ત્યારે તેમણે ખાસ સમય કાઢીને સંદીપભાઈને મળ્યા અને તેમના આ અદ્ભુત પ્રયત્નોને બિરદાવ્યા.

Address

Ahmedabad

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 6am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

+917227064000

Alerts

Be the first to know and let us send you an email when Dr K R Shroff Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dr K R Shroff Foundation:

Share