Atulya Varso

Atulya Varso Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Atulya Varso, Ahmedabad.
(2)

You can contact *Atulya Varso* for activities related to tourism, heritage research, documentation, publication, conservation, site development, and heritage education. It’s NGO a part of Historical and Cultural Research Centre

HISTORICAL & CULTURAL RESEARCH CENTRE (HCRC) is non-profit organization established in 2008 with a mission to preserve the heritage monuments of Gujarat. Along with the r

estoration of monuments, HCRC encourages community participation in the preservation of state's heritage through conducting awareness programs, cleaning campaigns and more such events. HCRC organizes heritage Tours that allow people to peek into their history and explore the real treasures such centuries old monuments with marvellous architecture, wooden houses - with intricate carvings, stepwells & traditional water management structures and rich arts & crafts. We are working on five Agendas:
1: Exploration - We Explore the unexplored part of Gujarat which has some ancient history or relevant culture representing our ancestors.
2: Research and Documentation: After Exploration we do ground research and documentation of the place or any art form of that particular place with authenticity.
3: Publication: With that research work and proper documentation we publish a quarterly based magazine named "Atulya Varso" in Gujarati Regional language.
4: Conservation and Site Development: If the Site needs any restoration work or any cleaning work we do our best from our level and give that place a life span of couple of years.
5: Heritage Tourism: We develop heritage walk, Village walk, Food Walk and many exploration tours which can boost that place economically as well as sustainably.

23/07/2025

ડાંગનાં એક અંતરિયાળ વિસ્તારમાં, ચોમાસામાં નિકળેલો પ્રવાસી જીવ

આજનાં યુગમાં પાળિયાનું મહત્વ કોણ જાણશે ? કદાચ વર્તમાન આપણી છેલ્લી પેઢી હશે જે આ બાબતે થોડી પણ જાણકાર હશે.
20/07/2025

આજનાં યુગમાં પાળિયાનું મહત્વ કોણ જાણશે ? કદાચ વર્તમાન આપણી છેલ્લી પેઢી હશે જે આ બાબતે થોડી પણ જાણકાર હશે.

નાથ સંપ્રદાયનાં સિધ્ધ યોગી શ્રી ધોરમનાથ દાદાની તપોભૂમિ થાન જાગીરમાં આવેલા સ્થાપત્યકીય વારસાની ઝાંખી આપતો સુંદર દરવાજો અહ...
19/07/2025

નાથ સંપ્રદાયનાં સિધ્ધ યોગી શ્રી ધોરમનાથ દાદાની તપોભૂમિ થાન જાગીરમાં આવેલા સ્થાપત્યકીય વારસાની ઝાંખી આપતો સુંદર દરવાજો અહી જોઈ શકાય છે આ સ્થાન કુદરતી વિરાસતની મધ્યમાં હોવાને લીધે ચોમાસામાં ખીલી ઉઠ્યું છે.

કચ્છમાં નખત્રાણા નજીક જોવા મળતા એક દ્વારપાલના શિલ્પમાં એક લેખ જોવા મળ્યો. મિત્રો, લખાણ ઉકેલવા પ્રયાસ કરી શકે છે.   વધુ વ...
13/07/2025

કચ્છમાં નખત્રાણા નજીક જોવા મળતા એક દ્વારપાલના શિલ્પમાં એક લેખ જોવા મળ્યો. મિત્રો, લખાણ ઉકેલવા પ્રયાસ કરી શકે છે. વધુ વિગતો ટુંક સમયમાં શેર કરીશું.

*બ્રિટિશ કોલોનિયલ નગરનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ખારાઘોડા* સુરેન્દ્રનગર જિલ્લાનું ખારાઘોડા ગામ જે અંગ્રેજો એ પુનઃ વસાવ્યું હ...
10/07/2025

*બ્રિટિશ કોલોનિયલ નગરનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ખારાઘોડા*
સુરેન્દ્રનગર જિલ્લાનું ખારાઘોડા ગામ જે અંગ્રેજો એ પુનઃ વસાવ્યું હતું અને ત્યાં મીઠાંનો વ્યાપાર શરૂ કર્યો હતો, જે બોમ્બે સોલ્ટ નાં નામે ધમધમતો હતો, અહી તેમણે ટ્રેન પણ શરૂ કરી હતી જેથી મીઠાં ની હેરા ફેરી સરળ રીતે થઈ શકે, આજે પણ આ ગામમાં એ સમયના જ મકાનો જોવા મળે છે, અહી તેમના સમયની બનાવવામાં આવેલ એક છતરડી, બલ્કલી માર્કેટ, પોસ્ટ ઓફિસ અને હોસ્પિટલ પણ જોવા મળે છે. હાલમાં અહી મોટા ભાગે અગરિયાની વસ્તી વસે છે.

ગુજરાતમાં ખાસ કરીને ચરોતર અને ભરૂચ નજીકનાં ઘણા ગામ/નગરમાં જુના ભવનો ઉપર ચિત્રકામ કરેલું જોવા મળે છે એ વાતથી કદાચ આપણે પર...
09/07/2025

ગુજરાતમાં ખાસ કરીને ચરોતર અને ભરૂચ નજીકનાં ઘણા ગામ/નગરમાં જુના ભવનો ઉપર ચિત્રકામ કરેલું જોવા મળે છે એ વાતથી કદાચ આપણે પરિચિત હોઈશું પણ શું તમે જાણો છો કે ગાંધીનગર જિલ્લાનાં પણ ઘણા વિસ્તારોમાં જુના મકાનોની દીવાલો પર ચિત્રો જોવા મળે છે ? અતુલ્ય વારસોના અભ્યાસ દરમ્યાન તાજેતરમાં મળી આવેલા ચિત્રોના નમુના અહી મુક્યા છે. પ્રસ્તુત તસ્વીરમાં કલોલ તાલુકાના ધમાસણ, ખોરજ ડાભી ગામના ભવનોમાં ચિત્રો જોવા મળે છે. ખાસ કરીને જે જે વિસ્તારમાં જુના સ્વામિનારાયણ મંદિર આવેલા છે ત્યાંનાં આસપાસનાં ભવનોમાં ખાસ આવા ચિત્રો જોવા મળ્યા છે. ક્યાંક સચવાયેલા તો ક્યાંક જર્જરિત હાલતમાં ચિત્રો આજે પણ જોઈ શકાય છે.

ઐતિહાસિક નગરી મોરબીમાં ગ્રીન ચોક નજીક કુબેરનાથ મંદિરની બાજુમાં નંદા પ્રકારની ત્રણ મજલા અને ચાર કૂટ ધરાવતી વાવ આવેલી છે જ...
06/07/2025

ઐતિહાસિક નગરી મોરબીમાં ગ્રીન ચોક નજીક કુબેરનાથ મંદિરની બાજુમાં નંદા પ્રકારની ત્રણ મજલા અને ચાર કૂટ ધરાવતી વાવ આવેલી છે જે કુબેર વાવનાં નામે જાણીતી છે. વાવના પ્રવેશમાં જોવા મળતા લેખ મુજબ વાવ ઈ.સ. ૧૭૫૩માં શ્રી જીવા મુળજી ઠાકર દ્વારા બાંધવામાં આવી હતી.

તાજેતરમાં ટીમ અતુલ્ય વારસોને પોતાના સર્વેક્ષણ, સંશોધન દરમ્યાન દાહોદ જીલ્લાનાં ઝાલોદ નજીક ચકલાસી ગામે (ગુજરાત, મધ્યપ્રદેશ...
04/07/2025

તાજેતરમાં ટીમ અતુલ્ય વારસોને પોતાના સર્વેક્ષણ, સંશોધન દરમ્યાન દાહોદ જીલ્લાનાં ઝાલોદ નજીક ચકલાસી ગામે (ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ત્રણ રાજ્યોની બોર્ડર નજીક) અનાસ નદીને કાંઠે પાસેની એક ગુફામાંથી ફોસીલ્સનાં અવશેષો મળી આવ્યા છે જે શક્યત: ૧૦થી ૧૫ કરોડ વર્ષ (જુરાસિક એરા) જેટલા પ્રાચીન હોવાનું પ્રાથમિક તારણોથી મનાય છે. તત્કાલીન સમયે દાહોદ જીલ્લામાં ઘણા ભાગોમાંથી ડાયનાસોરનાં અવશેષો મળી આવેલા છે. જેને અનુસંધાને આ સ્થળે પણ હજુ વધુ ફોસીલ્સ મળી આવવાની શક્યતાઓ છે. સંશોધક, જાણકાર વધુ પ્રકાશ પાડે તે આવકાર્ય છે. Patelpendrapbjp

રાજકોટ જિલ્લાના સુપેડીમાં શ્રી મોરલી મનોહરનું ઐતિહાસિક મંદિર આવેલું છે એ ઉપરાંત અહી પંચનાથ મહાદેવનું મંદિર અદ્દભુત અને ભ...
29/06/2025

રાજકોટ જિલ્લાના સુપેડીમાં શ્રી મોરલી મનોહરનું ઐતિહાસિક મંદિર આવેલું છે એ ઉપરાંત અહી પંચનાથ મહાદેવનું મંદિર અદ્દભુત અને ભવ્ય છે. અંદાજિત ૧૫૦ વર્ષથી વધુ પ્રાચીન લાગતું આ દેવાલયમાં સ્તંભો, કમાન, શિલ્પો સુંદર અને આકર્ષક છે.

ભીમોરાની ગુફાઓ : ચોટીલા ચોટીલા નજીકનું નાનકડું ગામ ભીમોરા. તત્કાલિન સમયે ભીમપુરી તરીકે ઓળખાતું આ ગામ વિશેષ રીતે પ્રસિદ્ધ...
27/06/2025

ભીમોરાની ગુફાઓ : ચોટીલા
ચોટીલા નજીકનું નાનકડું ગામ ભીમોરા. તત્કાલિન સમયે ભીમપુરી તરીકે ઓળખાતું આ ગામ વિશેષ રીતે પ્રસિદ્ધ છે અહી આવેલી પથ્થરો કોતરીને બનાવેલી ગુફાઓ માટે. હકીકતમાં ભીમોરા આસપાસનો સમગ્ર વિસ્તાર પર્વતીય છે અને આ પર્વતોની કુદરતી રચનાઓ પુરાતન અને વિશેષ છે. લોકવાયકા મુજબ અહી ભીમનાં પગલા, રથની નિશાનીઓ, તેની ગુફાઓ છે અને ભીમ સાથેનાં સંબધનાં કારણે જ આ ગામ અગાઉ ભિમપૂરી અને બાદમાં ભીમોરા તરીકે જાણીતું બન્યું હશે. તાજેતરમાં ટીમ અતુલ્ય વારસો દ્વારા આ ગુફાઓની મુલાકાત લેવામાં આવી હતી. વર્તમાન સમયમાં ગુફાઓ નજીક ચિત્રો દોરવામાં આવ્યા છે અને દુરથી જોતા જાણે અજંતા-ઈલોરાની ગુફાઓ હોય એવો ભાસ થાય છે. આસપાસ જોવા મળતી નાની દેરીઓ, સ્થાનિક ગ્રામ્ય સંસ્કૃતિ, કુદરતી વાતાવરણ આ વિસ્તારને મેડિટેશનનાં કેન્દ્ર તરીકે વિકસાવવા યોગ્ય છે.

અમે પ્રાચીન લિપી, ભાષા કેવી રીતે વાંચવી, ઉકેલવી, જાળવણી માટે શું પગલા લેવા એ તમામ બાબતોને આવરી વર્કશોપ* નું આયોજન વિચારી...
24/06/2025

અમે પ્રાચીન લિપી, ભાષા કેવી રીતે વાંચવી, ઉકેલવી, જાળવણી માટે શું પગલા લેવા એ તમામ બાબતોને આવરી વર્કશોપ* નું આયોજન વિચારી રહ્યા છીએ. ખાસ કરીને પ્રાચીન ભાષા, લિપીનાં જાણકાર, તાલીમ આપી શકે તેવા મિત્રોએ સંપર્ક કરવા અથવા જાણકાર મિત્રનો સંદર્ભ મોકલવા વિનંતી છે.

ઈડર નજીક જળ સ્થાપત્યનાં નમુના સમાન ઘણી વાવ જોવા મળે છે જેમાં ઈડર નગરમાં આવેલ વાવ ઉપરાંત ગંભીરપુરા, લિંબોઈ, ભવાનગઢ, દાવડ ...
23/06/2025

ઈડર નજીક જળ સ્થાપત્યનાં નમુના સમાન ઘણી વાવ જોવા મળે છે જેમાં ઈડર નગરમાં આવેલ વાવ ઉપરાંત ગંભીરપુરા, લિંબોઈ, ભવાનગઢ, દાવડ વગેરે ગામોમાં પ્રાચીન વાવ જોવા મળે છે. વાત કરીએ લિંબોઈની વાવ વિશે. ગુજરાત પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત આ વાવ અહી મળતા લેખ મુજબ ઈ.સ. ૧૬૩૦ આસપાસ બંધાયાનું જાણવા મળે છે. નંદા પ્રકારની અને ચાર કૂટ ધરાવતી આ વાવનાં પહેલા જ મંડપમાં લક્ષ્મી નારાયણ, ઉમા મહેશનાં શિલ્પો જોવા મળે છે. વાવની વર્તમાન પરિસ્થિતિ જોતા વાવ ઘણી જ સારી અવસ્થામાં અને તાજેતરમાંજ સમારકામ હાથ ધરાયાનું લાગે છે. વાવનું પરિસર પણ ખુબ વિશાળ અને દબાણમુક્ત છે. સ્થાનિક સ્તરે રસ લઈ આ વાવને હેરિટેજ શિક્ષણ અને પ્રવાસનનાં સ્થળ તરીકે વિકસાવાના પ્રયાસો કરી શકાય.

Address

Ahmedabad

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm
Sunday 10am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when Atulya Varso posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Atulya Varso:

Share