Navajivan Trust

Navajivan Trust Founded by Mahatma Gandhi more than a hundred years ago.

Founded by Mahatma Gandhi about nine and a half decades ago, Navajivan Trust is an organization of great repute with more than 800 titles published so far.

નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં જાણીતા વાર્તાકાર અને નાટ્યકાર ડૉ. શક્તિસિંહ પરમાર વક્તા તરીકે પધાર્યા હતા.  અહીં શક...
24/09/2025

નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં જાણીતા વાર્તાકાર અને નાટ્યકાર ડૉ. શક્તિસિંહ પરમાર વક્તા તરીકે પધાર્યા હતા.
અહીં શક્તિસિંહે મનુભાઈ પંચોળી ‘દર્શક’ લિખિત નવલકથા ‘કુરુક્ષેત્ર’ વિશે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું.
મહાભારતની પૃષ્ઠભૂમિમાં ઋષિકન્યા તપતી અને નાગકુમાર તક્ષકની પ્રણયકથા એટલે નવલકથા ‘કુરુક્ષેત્ર’.
આ નવલકથાની મૂળ વાર્તા અને પેટા વાર્તાઓનું ગુંથણી કરીને શક્તિસિંહે ભાવકોને સમૃદ્ધ વ્યાખ્યાનથી તરબોળ કર્યા.

આ કૃતિની વિશેષતા એ છે કે અહીં આ નવલકથામાં આલેખાયેલા કૃષ્ણ, સમાજ, મહાભારત, આર્ય અનાર્ય પરંપરા, નાગજાતિ અને ઋષિ પરંપરાઓની વાતો બહુ નોખી ભાત સાથે અહીં રજૂ થઈ છે.

ડૉ. શક્તિસિંહ પરમારે દર્શકની આ ઉત્તમ કૃતિનો અતિઉત્તમ આસ્વાદ કરાવ્યો.

આવો, ઢોલ અને શરણાઈના તાલે સૌ ગરબા રમીએ !નવજીવન ગરબા નાઈટ 🌺Open For All કોઈ પાસ નહીં, કોઈ ટિકિટ નહીં, પરંપરાગત વસ્ત્રોમાં...
22/09/2025

આવો, ઢોલ અને શરણાઈના તાલે સૌ ગરબા રમીએ !
નવજીવન ગરબા નાઈટ 🌺

Open For All

કોઈ પાસ નહીં, કોઈ ટિકિટ નહીં, પરંપરાગત વસ્ત્રોમાં પધારો ભગવતી આરાધનામાં 🙏🏻

૨૭ સપ્ટેમ્બર ૨૦૨પ, શનિવાર
રાતે ૦૮-૩૦ વાગ્યે

સ્થળ :
નવજીવન ટ્રસ્ટ કૅમ્પસ
ગૂજરાત વિદ્યાપીઠની પાછળ,
નવરંગપૂરા, અમદાવાદ

કાકાસાહેબ કાલેલકર લિખિત ‘સ્મરણયાત્રા’ પુસ્તકને દાયકાઓથી ગુજરાતી વાચકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ પુસ્તકમાં આલેખાયેલા ...
19/09/2025

કાકાસાહેબ કાલેલકર લિખિત ‘સ્મરણયાત્રા’ પુસ્તકને દાયકાઓથી ગુજરાતી વાચકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ પુસ્તકમાં આલેખાયેલા ચરિત્રનિબંધો અને સંસ્મરણોને આજે પણ દરેક ઉંમરના ભાવકોનો પ્રેમ મળી રહ્યો છે. આ પુસ્તકમાં બાળક કાલેલકર એટલે કે દત્તુ વાત કરી રહ્યો છે પોતાના બાળવિશ્વની.
આ શ્રેણીમાં બીજા બે નવા પુસ્તકો નવજીવન ટ્રસ્ટ ફરી પ્રગટ કરે છે.

‘ધર્મોદય’- અહીં કિશોર વયના કાકાસાહેબ ભાવકો સાથે પોતાના કિશોરાવસ્થાના સંસ્મરણો વાગોળે છે. કાલેલકર લિખિત આ પુસ્તકમાં કિશોર દત્તુ બદલાતી ઉંમરે જગતને કેવી રીતે જોઈ રહ્યો છે અને ખાસ તો એની ભીતર ધર્મનો ઉદય કેવી રીતે થયો ? કિશોરાવસ્થામાં બાળક વડીલોની કઈ વાતોને જલદીથી સ્વીકાર કે અસ્વીકારી શકે એના રસપ્રદ પ્રસંગો છે. છેલ્લે આ પુસ્તક ૧૯૫૨ માં પ્રગટ થયેલું અને પછી વર્ષો સુધી સ્વતંત્રરીતે અપ્રાપ્ય હતું.

‘મનોમંથન’ - આ પુસ્તકમાં યુવા વયના કાલેલકર કોલેજકાળના અનુભવ વિશ્વની વાત કરી રહ્યા છે. આ સમયગાળામાં આસપાસની રાજકિય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક અસરો એક યુવાન કેવી રીતે ઝીલે છે એના વિશેના રસપ્રદ પ્રસંગો છે. પોતાની કરિયરને લઈને એક યુવાન કેવી મુંઝવણો અનુભવતો હોય છે અને કેવી રીતે પોતાનો અવાજ, પોતાની ઈચ્છાને ઓળખે છે એના સુંદર પ્રસંગો છે. વાંચતાં વાંચતા એવું લાગે કે સો વર્ષ પહેલાં ભારતીય યુવાન જે વિચારી રહ્યો હતો કે જે અનુભવતો હતો એ તો જાણે આજની જ સ્થિતિ છે.

નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત અને કાકા કાલેલકર લિખિત આ બે પુસ્તકો તદ્દન નવા રૂપરંગ સાથે.
25 સપ્ટેમ્બર 2025 સુધી આ બંને પુસ્તકો પર 20 % ડિસ્કાઉન્ટની વ્યવસ્થા રાખી છે.
આ બંને પુસ્તકના કોમ્બોની કિંમત ₹ 200 છે.

પુસ્તક : ધર્મોદય - પાના : 128.
કિંમત ₹ 125
પુસ્તક : મનોમંથન - પાના 158. કિંમત ₹ 160

આ પુસ્તકો ઘરે બેઠા મેળવવા માટે આપ નવજીવન ટ્રસ્ટના વેચાણ વિભાગમાં
મોબાઈલ નંબર - 8849593849
પર કોલ અથવા વ્હોટસેપ મેસેજ કરી શકો છો.
કુરિયરના માધ્યમથી પુસ્તક તમારા સુધી પહોંચી જશે.
શિપિંગ ચાર્જ અલગ રહેશે.

નવજીવન ટ્રસ્ટના પ્રાંગણમાં શોભતી પુસ્તકોની નાનકડી દુનિયા ‘હ્રદયકુંજ’માંથી પણ આપ આ પુસ્તક મેળવી શકશો.

National Level Photography Exhibition 📸🌼Surat’s biggest Photography Festival   .navajivan  .vivek  .karmanva   .desai.bh...
18/09/2025

National Level Photography Exhibition 📸🌼

Surat’s biggest Photography Festival

.navajivan .vivek .karmanva .desai.bhatt

મનુભાઈ પંચોળી ‘દર્શક’ લિખિત એવા અદભુત પુસ્તકો જે વર્ષોથી અપ્રાપ્ય હતા એ પુસ્તકો નવજીવન ટ્રસ્ટ પુન: પ્રકાશિત કરી રહ્યું છ...
17/09/2025

મનુભાઈ પંચોળી ‘દર્શક’ લિખિત એવા અદભુત પુસ્તકો જે વર્ષોથી અપ્રાપ્ય હતા એ પુસ્તકો નવજીવન ટ્રસ્ટ પુન: પ્રકાશિત કરી રહ્યું છે.

‘કુરુક્ષેત્ર’ - એક એવું રણમેદાન જેની મધ્યમાં કૃષ્ણ ઊભા છે. એક એવો યુગ જેને યુગંધરે ધારણ કર્યો છે. ‘દર્શક’ની આ યશસ્વી નવલકથામાં ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રને જોવા દૃષ્ટિ દર્શકની પોતાની છે. અહીં પાપ અને પુણ્ય, ધર્મ અને અધર્મ, પ્રેમ અને વેરની કથા છે. પૌરાણિક કથાનકને નોખી રીતે જોતી ‘દર્શક’ની આ કૃતિ આપણી ભાષાનું અણમોલ ઘરેણું છે.

‘ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી’ - ઈ.સ. 1972માં ઝવેરચંદ મેઘાણીની 75મી જન્મજયંતિ નિમિત્તે લોકભારતી સણોસરામાં મનુભાઈ પંચોળી દર્શકે મેઘાણીના સાહિત્ય, જીવન અને સંશોધન અંગે ચાર રસપ્રદ વક્તવ્યો આપ્યા હતા. એ ચાર અદભૂત વક્તવ્યો અહીં લેખિત સ્વરૂપે આ પુસ્તિકામાં સમાવાયા છે. આ વ્યાખ્યાનો વાંચીને સ્વામી આનંદ બહુ રાજી થયા હતા. મેઘાણીને વધારે નજીકથી સમજવા માટે આ પુસ્તિકા બહુ ઉપયોગી થશે.

‘સત્યનારાયણની સાક્ષીએ’ - ‘દર્શક’ની દૃષ્ટિએ ગાંધીજી. મહાત્મા ગાંધીજીનું જીવન, એમના વિચારો, બાપુના કાર્યો અને એમની અસર વિશે દર્શકનું મંતવ્ય બહુ રસપ્રદ છે. ગાંધીવિચારમાંથી એમણે પ્રાપ્ત કરેલો અર્ક બહુ ઉપયોગી છે. આ પુસ્તકમાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ દ્વારા ગાંધીજી વિશે અપાયેલા વિવિધ મહત્વપૂર્ણ વ્યાખ્યાનો છે.

નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત અને મનુભાઈ પંચોળી ‘દર્શક’ લિખિત આ ત્રણ પુસ્તકો તદ્દન નવા રૂપરંગ સાથે.
05 ઓક્ટોબર 2025 સુધી આ બંને પુસ્તકો પર 20% ડિસ્કાઉન્ટની વ્યવસ્થા રાખી છે.
આ ત્રણેય પુસ્તકના કોમ્બોની કિંમત ₹ 320 છે.

પુસ્તક : કુરુક્ષેત્ર - પાના : 232. કિંમત ₹ 250
પુસ્તક : ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી - પાના 80.
કિંમત₹ 80
પુસ્તક : સત્યનારાયણની સાક્ષીએ - પાના 96.
કિંમત ₹ 100

આ પુસ્તકો ઘરે બેઠા મેળવવા માટે આપ નવજીવન ટ્રસ્ટના વેચાણ વિભાગમાં
મોબાઈલ નંબર - 8849593849
પર કોલ અથવા વ્હોટસેપ મેસેજ કરી શકો છો.
કુરિયરના માધ્યમથી પુસ્તક તમારા સુધી પહોંચી જશે.
શિપિંગ ચાર્જ અલગ રહેશે.

નવજીવન ટ્રસ્ટના પ્રાંગણમાં શોભતી પુસ્તકોની નાનકડી દુનિયા ‘હ્રદયકુંજ’માંથી પણ આપ આ પુસ્તકો મેળવી શકશો.

નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં જાણીતા વાર્તાકાર અને નાટ્યકાર ડૉ. શક્તિસિંહ પરમાર વક્તા તરીકે પધાર્યા હતા.  અહીં શક...
15/09/2025

નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં જાણીતા વાર્તાકાર અને નાટ્યકાર ડૉ. શક્તિસિંહ પરમાર વક્તા તરીકે પધાર્યા હતા.
અહીં શક્તિસિંહે મનુભાઈ પંચોળી ‘દર્શક’ લિખિત નવલકથા ‘કુરુક્ષેત્ર’ વિશે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું.
મહાભારતની પૃષ્ઠભૂમિમાં રચાયેલી ઋષિકન્યા તપતી અને નાગકુમાર તક્ષકની પ્રણયકથા એટલે નવલકથા ‘કુરુક્ષેત્ર’. આ નવલકથાની મૂળ વાર્તા અને પેટા વાર્તાઓની ગુંથણી કરીને શક્તિસિંહે ભાવકોને સમૃદ્ધ વ્યાખ્યાનથી તરબોળ કર્યા.

આ કૃતિની વિશેષતા એ છે કે અહીં આ નવલકથામાં આલેખાયેલા કૃષ્ણ, સમાજ, મહાભારત, આર્ય અનાર્ય પરંપરા, નાગજાતિ અને ઋષિ પરંપરાઓની વાતો બહુ નોખી ભાત સાથે અહીં રજૂ થઈ છે.

ડૉ. શક્તિસિંહ પરમારે દર્શકની આ ઉત્તમ કૃતિનો અતિઉત્તમ આસ્વાદ કરાવ્યો.

તસવીર :

We are thrilled to share that our book ‘Bano, Bharat ki Beti’, written by Jigna Vora, is all set to create magic on scre...
13/09/2025

We are thrilled to share that our book ‘Bano, Bharat ki Beti’, written by Jigna Vora, is all set to create magic on screen!
This powerful story is being adapted into a film titled ‘Haq’.

We take immense pride in the fact that Jigna Vora’s book Bano has been selected for a screen adaptation.
‘Bano, Bharat ki Beti’ is not just a book.
it is the inspiring journey of a courageous woman who stood up and fought for her rights.

Get your copy now by calling this number.
MO : 8849593849

Also available on Amazone !

‘નવજીવન Reading Club’ની રવિવારી સવાર.  મળીએ છીએ. મનગમતા પુસ્તકોનો સંગાથ, વરસાદી સવાર અને ગરમ ચાની ચુસ્કી !દર રવિવારે, સવ...
13/09/2025

‘નવજીવન Reading Club’ની રવિવારી સવાર.
મળીએ છીએ. મનગમતા પુસ્તકોનો સંગાથ, વરસાદી સવાર અને ગરમ ચાની ચુસ્કી !

દર રવિવારે, સવારે ૦૮ થી ૧૧ વાગ્યા સુધી સંગાથે વાંચીએ…..
અઠવાડિયામાં ત્રણ કલાક વાચન માટે ચોરી લઈએ.
નવજીવન ટ્રસ્ટના ફળિયામાં, ગાંધીજીનો ઓટલો.

ખાસ નોંધ - અહીં વાંચન માટે આવવા કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી. નથી કોઈ ફી કે ફોર્માલીટી. તમારું ગમતું પુસ્તક લઈ વાંચવા આવો. તમારી પાસ પુસ્તકો નથી તો અમારી પાસે બહુ બધા ઉત્તમ ઓપ્શન્સ છે, એમાંથી પસંદ કરીને વાંચો !

સ્થળ : નવજીવન ટ્રસ્ટ, ગૂજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ
vivek .karmanva .rajnikantpanchal .kiran .nadan .navajivan .kdd .desai.bhatt .thacker

વર્ષો સુધી અપ્રાપ્ય હતી એવી મનુભાઈ પંચોળી ‘દર્શક’ લિખિતિ સાહિત્યિક કૃતિઓને નવજીવન ટ્રસ્ટ પુન: પ્રકાશિત કરી રહ્યું છે.  આ...
10/09/2025

વર્ષો સુધી અપ્રાપ્ય હતી એવી મનુભાઈ પંચોળી ‘દર્શક’ લિખિતિ સાહિત્યિક કૃતિઓને નવજીવન ટ્રસ્ટ પુન: પ્રકાશિત કરી રહ્યું છે. આ પરંપરામાં ઉમેરાઈ છે ‘દર્શક’ લિખિત નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત નવલકથા - ‘કુરુક્ષેત્ર’
‘કુરુક્ષેત્ર’ એ ‘દર્શક’ લિખિત ગુજરાતી ભાષાની એક મહત્વની નવલકથા છે. આ કૃતિની વિશેષતા એ છે કે અહીં આ નવલકથામાં આલેખાયેલા કૃષ્ણ, સમાજ, મહાભારત, આર્ય અનાર્ય પરંપરા, નાગજાતિ અને ઋષિ પરંપરાઓની રસપ્રદ વાતો આલેખાઈ છે.

નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ લિખિત નવલકથા ‘કુરુક્ષેત્ર’ વિશે વાત કરવા જાણીતા લેખક અને નાટ્યકાર ડૉ. શક્તિસિંહ પરમાર પધારી રહ્યા છે.
ડૉ. શક્તિસિંહ પરમાર દર્શકની આ ઉત્તમ કૃતિનો અતિઉત્તમ આસ્વાદ કરાવશે. મહાભારત અને કૃષ્ણના સંદર્ભમાં રસપ્રદ વાતો કરશે. નવલકથાકાર ‘દર્શક’ની ખૂબીઓ વિશે ચર્ચા થશે.

આપ સૌ સાહિત્યપ્રેમીઓને સાદર નિમંત્રણ પાઠવી રહ્યા છીએ.

Open For All

14 સપ્ટેમ્બર 2025
રવિવાર, સાંજે 05 વાગ્યે

‘નવજીવન Reading Club’ની રવિવારી સવાર.  મળીએ છીએ. મનગમતા પુસ્તકોનો સંગાથ, વરસાદી સવાર અને ગરમ ચાની ચુસ્કી !દર રવિવારે, સવ...
06/09/2025

‘નવજીવન Reading Club’ની રવિવારી સવાર.
મળીએ છીએ. મનગમતા પુસ્તકોનો સંગાથ, વરસાદી સવાર અને ગરમ ચાની ચુસ્કી !

દર રવિવારે, સવારે ૦૮ થી ૧૧ વાગ્યા સુધી સંગાથે વાંચીએ…..
અઠવાડિયામાં ત્રણ કલાક વાચન માટે ચોરી લઈએ.
નવજીવન ટ્રસ્ટના ફળિયામાં, ગાંધીજીનો ઓટલો.

ખાસ નોંધ - અહીં વાંચન માટે આવવા કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી. નથી કોઈ ફી કે ફોર્માલીટી. તમારું ગમતું પુસ્તક લઈ વાંચવા આવો. તમારી પાસ પુસ્તકો નથી તો અમારી પાસે બહુ બધા ઉત્તમ ઓપ્શન્સ છે, એમાંથી પસંદ કરીને વાંચો !

સ્થળ : નવજીવન ટ્રસ્ટ, ગૂજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ

તસવીર :

નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Dialogues સંવાદશ્રેણીનાં મહેમાન છે મયૂર ખાવડુ.સમકાલીન સર્જકો સાથે સંવાદશ્રેણીમાં આપણી સાથે જ...
02/09/2025

નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Dialogues સંવાદશ્રેણીનાં મહેમાન છે મયૂર ખાવડુ.
સમકાલીન સર્જકો સાથે સંવાદશ્રેણીમાં આપણી સાથે જોડાયા નિબંધકાર, હાસ્યલેખક અને વિવેચક મયૂર ખાવડુ.

વર્ષ ૨૦૨પમાં દિલ્હી સાહિત્ય અકાદમીએ મયૂર ખાવડુને યુવા પુરસ્કારથી પોંખ્યા છે.
‘નરસિંહ ટેકરી’ એમનો પુરસ્કૃત નિબંધસંગ્રહ છે.
‘સફેદ કાગડો’ એમનો હાસ્ય નિબંધસંગ્રહ છે.
પરમ દેસાઈ સાથે મળીને મયૂર ખાવડુએ કિશોર સાહસકથા ‘અજય-અમિત અને મિલનું ભૂત’ લખી. આ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૩માં બાળ વાર્તા કેટેગરીમાં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે.

દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર અને ફૂલછાબ જેવા અખબારમાં ભારતીય અને વિશ્વ સાહિત્યનો આસ્વાદ કરાવતું એમનું કટાર લેખન ખૂબ લોકપ્રિયતા પામ્યું છે.

વિવેચક તરીકે મયૂર ખાવડુ પાસે વિશેષ અને પોતીકી મુદ્રાવાળી સમજ છે. એમનો ઉંડો અભ્ચાસ આ પેઢીના સર્જકો માટે પ્રેરણાદાયી છે.

ગુજરાતી ભાષાના પ્રતિભાશાળી સાહિત્યકાર શ્રી કિરીટ દુધાતના વરદ હસ્તે લેખક-ફોટોગ્રાફર શ્રી વિવેક દેસાઈને ‘નર્મદ ચંદ્રક’ અર્...
30/08/2025

ગુજરાતી ભાષાના પ્રતિભાશાળી સાહિત્યકાર શ્રી કિરીટ દુધાતના વરદ હસ્તે લેખક-ફોટોગ્રાફર શ્રી વિવેક દેસાઈને ‘નર્મદ ચંદ્રક’ અર્પણ થયો !

નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત અને વિવેક દેસાઈ લિખિત પુસ્તક ‘બનારસ ડાયરી’ને સુરતની નર્મદ સાહિત્ય સભા દ્વારા (વર્ષ ૨૦૨૦ - ૨૦૨૨નો ) ‘નર્મદ ચંદ્રક’ એનાયત થયો.

મૂળે પ્રતિષ્ઠિત સાહિત્યિક સામયિક નવનીત સમર્પણમાં પ્રગટ થયેલા વિવેક દેસાઈ લિખિત બનારસ નગરીના સંદર્ભમાં પ્રવાસ નિબંધોનું સંકલન છે - બનારસ ડાયરી.
ગુજરાતી ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ આ પુસ્તક ઉપલબ્ધ છે.

તસવીર :

Address

B/h Gujarat Vidyapith, Off Ashram Road
Ahmedabad
380014

Opening Hours

Monday 10:30am - 5:30pm
Tuesday 10:30am - 5:30pm
Wednesday 10:30am - 5:30pm
Thursday 10:30am - 5:30pm
Friday 10:30am - 5:30pm
Saturday 10:30am - 5:30pm

Telephone

+91-79-27541329

Alerts

Be the first to know and let us send you an email when Navajivan Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Navajivan Trust:

Share

Category