Navajivan Trust

Navajivan Trust Founded by Mahatma Gandhi more than a hundred years ago.

Founded by Mahatma Gandhi about nine and a half decades ago, Navajivan Trust is an organization of great repute with more than 800 titles published so far.

જશવંત ઠાકર. ગુજરાતી રંગભૂમિના ભીષ્મ પિતામહ તરીકે જેની ગણના થતી એવા નિષ્ઠાવાન નાટ્યકર્મી. ઉમદા સાહિત્યકાર. કવિતા અને નવલક...
09/07/2025

જશવંત ઠાકર. ગુજરાતી રંગભૂમિના ભીષ્મ પિતામહ તરીકે જેની ગણના થતી એવા નિષ્ઠાવાન નાટ્યકર્મી. ઉમદા સાહિત્યકાર. કવિતા અને નવલકથા થકી પણ એમનો બળુક અવાજ કાયમ અન્યાયનો પ્રતિકાર કરતો રહ્યો. મૂઠી ઉંચેરા કલાકાર અને જાગૃત નાગરિક. આઝાદીની લડતથી માંડીને પોંડીચેરી શ્રી અરવિંદ આશ્રમ સુધી જશવંત ઠાકરનું જીવન કવન પથરાયેલું છે. ગુજરાતી નાટકોના દિગ્દર્શન, લેખન અને અભિનયમાં એમનું પ્રદાન ચિરંજીવ છે.
આવો, એમના ગર્વિલા પ્રદાન વિશે વાત કરીએ.

નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં જશવંત ઠાકર પરિવારમાંથી એમની દીકરી જાણિતાં નાટ્યદિગ્દર્શક અને અભિનેત્રી અદિતિ દેસાઈ પધારી રહ્યાં છે. જશવંત ઠાકરની ત્રીજી પેઢી અને સંબંધે દોહિત્રી એવા જાણિતાં આર.જે. અને અભિનેત્રી દેવકી પણ પધારી રહ્યાં છે. અદિતિ દેસાઈ અને દેવકી વાત કરશે જશવંત ઠાકરના જીવન અને કવન વિશે. નાટક, રાષ્ટ્રનિર્માણ અને સાહિત્યનો ત્રિવેણી સંગમ આદરણીય જશંવત ઠાકર વિશે રસપ્રદ સંવાદ યોજાઈ રહ્યો છે.

આપ સૌ સાહિત્યપ્રેમીઓને સાદર નિમંત્રણ પાઠવી રહ્યા છીએ.

Open For All

૧૩ જૂલાઈ ૨૦૨૫
રવિવાર, સાંજે 0૫ વાગ્યે

નવજીવન ટ્રસ્ટ અને નચિકેતા ટ્રસ્ટ આયોજિત નવજીવન ટૉક્સમાં કબીરના પદો રજૂ થયા. ‘કહત કબીરા સુનો ભાઈ સાધો’ ઉપક્રમ અંતર્ગત જાણ...
07/07/2025

નવજીવન ટ્રસ્ટ અને નચિકેતા ટ્રસ્ટ આયોજિત નવજીવન ટૉક્સમાં કબીરના પદો રજૂ થયા.
‘કહત કબીરા સુનો ભાઈ સાધો’ ઉપક્રમ અંતર્ગત જાણીતા ગાયક અને સંગીતકાર ત્રિપૂટી સૂર, સોહની ભટ્ટ અને પારુલ મનીષે પોતાના સૂરીલા અંદાજમાં કબીરના પદો રજૂ કર્યા. કબીરના જાણીતા અને અજાણ્યા પદો ગવાયા જેમાંના ઘણા પદો આ સંગીત ત્રિપૂટીએ કંપોઝ કર્યા હતા. હાર્મોનિયમ પર જયદેવ ભાનુશાળી અને તબલા પર પ્રસેન નીક્તેનો સથવારો હતો.
આ પ્રસંગે ગુજરાતી સાહિત્યકાર ધ્રુવ ભટ્ટની વિશિષ્ટ હાજરી હતી, એમનો રાજીપો સૌને પ્રાપ્ત થયો. ભાવકો કબીરવાણીમાં મનભરીને ઝૂમ્યા.
સૌ ભાવકો કબીરના રંગે રંગાયા અને સંગીતમય વરસાદી સાંજ યાદગાર બની.

તસવીર : .vivek & & .desai.bhatt & team .navajivan

‘નવજીવન Reading Club’ની રવિવારી સવાર.  મળીએ છીએ. મનગમતા પુસ્તકોનો સંગાથ, ગુલાબી તડકો અને ગરમ ચાની ચુસ્કી !દર રવિવારે, સવ...
05/07/2025

‘નવજીવન Reading Club’ની રવિવારી સવાર.
મળીએ છીએ. મનગમતા પુસ્તકોનો સંગાથ, ગુલાબી તડકો અને ગરમ ચાની ચુસ્કી !

દર રવિવારે, સવારે ૦૮ થી ૧૧ વાગ્યા સુધી સંગાથે વાંચીએ…..
અઠવાડિયામાં ત્રણ કલાક વાચન માટે ચોરી લઈએ.
નવજીવન ટ્રસ્ટના ફળિયામાં, ગાંધીજીનો ઓટલો.

ખાસ નોંધ - અહીં વાંચન માટે આવવા કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી. નથી કોઈ ફી કે ફોર્માલીટી. તમારું ગમતું પુસ્તક લઈ વાંચવા આવો. તમારી પાસ પુસ્તકો નથી તો અમારી પાસે બહુ બધા ઉત્તમ ઓપ્શન્સ છે, એમાંથી પસંદ કરીને વાંચો !

સ્થળ : નવજીવન ટ્રસ્ટ, ગૂજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ

તસવીર :
vivek .karmanva .rajnikantpanchal .kiran .nadan .navajivan .kdd .desai.bhatt .thacker

‘નવજીવન Reading Club’ની રવિવારી સવાર.  મળીએ છીએ. મનગમતા પુસ્તકોનો સંગાથ, ગુલાબી તડકો અને ગરમ ચાની ચુસ્કી !દર રવિવારે, સવ...
21/06/2025

‘નવજીવન Reading Club’ની રવિવારી સવાર.
મળીએ છીએ. મનગમતા પુસ્તકોનો સંગાથ, ગુલાબી તડકો અને ગરમ ચાની ચુસ્કી !

દર રવિવારે, સવારે ૦૮ થી ૧૧ વાગ્યા સુધી સંગાથે વાંચીએ…..
અઠવાડિયામાં ત્રણ કલાક વાચન માટે ચોરી લઈએ.
નવજીવન ટ્રસ્ટના ફળિયામાં, ગાંધીજીનો ઓટલો.

ખાસ નોંધ - અહીં વાંચન માટે આવવા કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી. નથી કોઈ ફી કે ફોર્માલીટી. તમારું ગમતું પુસ્તક લઈ વાંચવા આવો. તમારી પાસ પુસ્તકો નથી તો અમારી પાસે બહુ બધા ઉત્તમ ઓપ્શન્સ છે, એમાંથી પસંદ કરીને વાંચો !

સ્થળ : નવજીવન ટ્રસ્ટ, ગૂજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ

ખેડા સત્યાગ્રહ. ચંપારણ સત્યાગ્રહ અને અમદાવાદ મિલ હડતાળ બાદનું આ ત્રીજું પણ ખૂબ મહત્વનું આંદોલન હતું. ઈ.સ. ૧૯૧૮ની આ વાત છ...
18/06/2025

ખેડા સત્યાગ્રહ. ચંપારણ સત્યાગ્રહ અને અમદાવાદ મિલ હડતાળ બાદનું આ ત્રીજું પણ ખૂબ મહત્વનું આંદોલન હતું. ઈ.સ. ૧૯૧૮ની આ વાત છે. અતિશય વરસાદના કારણે ખેડા જિલ્લાના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો અને એ જ સમયે પ્લેગ જેવો મોટો રોગ ફાટી નીકળેલો. આ સમયે પણ અંગ્રેજ સરકાર દ્વારા ખેડા જિલ્લાના ખેડૂતો પર નાખવામાં આવેલો ઊંચો કર અમાનવીય હતો. અહીં, આ રીતે ખેડા સત્યાગ્રહના બીજ રોપાયા.

નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં વક્તા તરીકે જાણીતા પત્રકાર અને લેખક શ્રી ઉર્વીશ કોઠારી પધારી રહ્યા છે. તેઓ ખેડા સત્યાગ્રહ વિશે પોતાની રસપ્રદ શૈલીમાં વિગતે વાત કરશે.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ૧૫૦ વર્ષ પૂર્ણ થયા. નવજીવન ટ્રસ્ટના આજીવન પ્રમુખ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. નવજીવન ટ્રસ્ટના વર્તમાન ભવનનું ઉદ્ધાટન સરદારના હાથે થયેલું એ ક્ષણને પણ ૭૫ વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે જૂન મહિનામાં સરદાર વિશેની ત્રણ મહત્વપૂર્ણ સંગોષ્ઠી ગોઠવીને અમે આ વાતની ઉજવણી કરી રહ્યા છીએ.

આપ સૌ સાહિત્યપ્રેમીઓને સાદર નિમંત્રણ પાઠવી રહ્યા છીએ.

Open For All

૨૨ જૂન ૨૦૨૫
રવિવાર, સાંજે 0૫ વાગ્યે

નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન ટૉક્સમાં વક્તા તરીકે પધારેલા જાણીતા અભ્યાસુ વક્તા અને લેખક શ્રી વસંત ગઢવીએ બોરસદ સત્યાગ્રહ વ...
16/06/2025

નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન ટૉક્સમાં વક્તા તરીકે પધારેલા જાણીતા અભ્યાસુ વક્તા અને લેખક શ્રી વસંત ગઢવીએ બોરસદ સત્યાગ્રહ વિશે પોતાની પ્રભાવક શૈલીમાં રસપ્રદ વાતો કરી.

બોરસદ સત્યાગ્રહ. સત્તા સામે સમાજ ઉભો થયો અને એક થયો એવો રસપ્રદ સત્યાગ્રહ. ઈ.સ. ૧૯૨૩માં અંગ્રેજોએ બોરસદના તાલુકાના ૯૦ ગામો અને આણંદ તાલુકાના ૧૪ ગામો પર હૈડિયા વેરો નાખ્યો. આ શિક્ષાત્મક વેરો થકી જે પૈસા આવે એનો ઉપયોગ બહારવટિયા સામે ઉભી કરેલી ફોજના ભરણપોષણમાં વાપરતી. વળી સરકારી અફસરો, પાદરીઓ અને ગામના મુખીઓ આ વેરામાંથી મુક્ત હતા. પ્રજામાં અસંતોષ ફેલાયો અને ગાંધીજીએ સરદારને આ સત્યાગ્રહનો મોરચો સોંપ્યો. બોરસદ સત્યાગ્રહની કથા બહુ રસપ્રદ છે.
એક એવો સત્યાગ્રહ જેની સફળતા પછી સરદારને સુબાનું બિરુદ મળેલું. ગાંધીજીએ કહેલું કે સરદાર ‘બોરસદના સુબા’ છે. આદરણીય વસંત ગઢવીએ બોરસદ સત્યાગ્રહ વિશે અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપી શ્રોતાઓને સમૃદ્ધ કર્યા.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ૧૫૦ વર્ષ પૂર્ણ થયા. નવજીવન ટ્રસ્ટના આજીવન પ્રમુખ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. નવજીવન ટ્રસ્ટના વર્તમાન ભવનનું ઉદ્ધાટન સરદારના હાથે થયેલું એ ક્ષણને પણ ૭૫ વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે જૂન મહિનામાં સરદાર વિશેની ત્રણ મહત્વપૂર્ણ સંગોષ્ઠી ગોઠવીને અમે આ વાતની ઉજવણી કરી રહ્યા છીએ.

તસવીર : .vivek &

‘નવજીવન Reading Club’ની રવિવારી સવાર.  મળીએ છીએ. મનગમતા પુસ્તકોનો સંગાથ, ગુલાબી તડકો અને ગરમ ચાની ચુસ્કી !દર રવિવારે, સવ...
14/06/2025

‘નવજીવન Reading Club’ની રવિવારી સવાર.
મળીએ છીએ. મનગમતા પુસ્તકોનો સંગાથ, ગુલાબી તડકો અને ગરમ ચાની ચુસ્કી !

દર રવિવારે, સવારે ૦૮ થી ૧૧ વાગ્યા સુધી સંગાથે વાંચીએ…..
અઠવાડિયામાં ત્રણ કલાક વાચન માટે ચોરી લઈએ.
નવજીવન ટ્રસ્ટના ફળિયામાં, ગાંધીજીનો ઓટલો.

ખાસ નોંધ - અહીં વાંચન માટે આવવા કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી. નથી કોઈ ફી કે ફોર્માલીટી. તમારું ગમતું પુસ્તક લઈ વાંચવા આવો. તમારી પાસ પુસ્તકો નથી તો અમારી પાસે બહુ બધા ઉત્તમ ઓપ્શન્સ છે, એમાંથી પસંદ કરીને વાંચો !

સ્થળ : નવજીવન ટ્રસ્ટ, ગૂજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ

તસવીર :

નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન ટૉક્સમાં વક્તા તરીકે જાણીતા લેખક અને પત્રકાર શ્રી અંકિત દેસાઈ પધાર્યા હતા.  અંકિત દેસાઈએ પોત...
09/06/2025

નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન ટૉક્સમાં વક્તા તરીકે જાણીતા લેખક અને પત્રકાર શ્રી અંકિત દેસાઈ પધાર્યા હતા. અંકિત દેસાઈએ પોતાની લાક્ષણિક શૈલીમાં બારડોલી સત્યાગ્રહ વિશે રસપ્રદ વાતો કરી. બારડોલી સત્યાગ્રહ થકી ભારતને સરદાર મળ્યા. આ સત્યાગ્રહની કથા બહુ રસપ્રદ છે. અંકિત દેસાઈએ ઐતિહાસિક, સામાજિક, રાજકિય અને સાંસ્કૃતિક તથ્યોને જોડીને ઉત્તમ વક્તવ્ય આપ્યું.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ૧૫૦ વર્ષ પૂર્ણ થયા. નવજીવન ટ્રસ્ટના આજીવન પ્રમુખ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. નવજીવન ટ્રસ્ટના વર્તમાન ભવનનું ઉદ્ધાટન સરદારના હાથે થયેલું એ ક્ષણને પણ ૭૫ વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે જૂન મહિનામાં સરદાર વિશેની ત્રણ મહત્વપૂર્ણ સંગોષ્ઠી ગોઠવીને અમે આ વાતની ઉજવણી કરી રહ્યા છીએ.

તસવીર : .vivek 🌸

Address

B/h Gujarat Vidyapith, Off Ashram Road
Ahmedabad
380014

Opening Hours

Monday 10:30am - 5:30pm
Tuesday 10:30am - 5:30pm
Wednesday 10:30am - 5:30pm
Thursday 10:30am - 5:30pm
Friday 10:30am - 5:30pm
Saturday 10:30am - 5:30pm

Telephone

+91-79-27541329

Alerts

Be the first to know and let us send you an email when Navajivan Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Navajivan Trust:

Share

Category