
24/09/2025
નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં જાણીતા વાર્તાકાર અને નાટ્યકાર ડૉ. શક્તિસિંહ પરમાર વક્તા તરીકે પધાર્યા હતા.
અહીં શક્તિસિંહે મનુભાઈ પંચોળી ‘દર્શક’ લિખિત નવલકથા ‘કુરુક્ષેત્ર’ વિશે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું.
મહાભારતની પૃષ્ઠભૂમિમાં ઋષિકન્યા તપતી અને નાગકુમાર તક્ષકની પ્રણયકથા એટલે નવલકથા ‘કુરુક્ષેત્ર’.
આ નવલકથાની મૂળ વાર્તા અને પેટા વાર્તાઓનું ગુંથણી કરીને શક્તિસિંહે ભાવકોને સમૃદ્ધ વ્યાખ્યાનથી તરબોળ કર્યા.
આ કૃતિની વિશેષતા એ છે કે અહીં આ નવલકથામાં આલેખાયેલા કૃષ્ણ, સમાજ, મહાભારત, આર્ય અનાર્ય પરંપરા, નાગજાતિ અને ઋષિ પરંપરાઓની વાતો બહુ નોખી ભાત સાથે અહીં રજૂ થઈ છે.
ડૉ. શક્તિસિંહ પરમારે દર્શકની આ ઉત્તમ કૃતિનો અતિઉત્તમ આસ્વાદ કરાવ્યો.