Positive Media Institute

Positive Media Institute The enthusiasm of youth is at increase to build carrier in the fields of
media such as news paper, radio, T.V., movies and social media. The other
shore of

અમેરિકાના એટલાન્ટા શહેરમાં વસતા તેજસભાઈ પટવા ગૌરવવંતા ગુજરાતી, પરમ શ્રદ્ધેય એવા વૈષ્ણવ અને માનવીય અભિગમ ધરાવતા વિશ્વમાનવ...
04/10/2024

અમેરિકાના એટલાન્ટા શહેરમાં વસતા તેજસભાઈ પટવા ગૌરવવંતા ગુજરાતી, પરમ શ્રદ્ધેય એવા વૈષ્ણવ અને માનવીય અભિગમ ધરાવતા વિશ્વમાનવી (ગ્લૉબલ) પણ છે. મૂળ વડોદરાના. માતાનું નામ મંદાકિનીબહેન અને પિતાનું નામ કિરીટકુમાર. સને 2001માં તેઓ અમેરિકા ગયા હતા. વ્યવસાયની સાથે સાથે તેમણે ધર્મનું કામ પણ કર્યું છે. ધંધામાં સફળ અને જીવનમાં સાર્થક થયા. તેમણે અને તેમની પ્રતિબદ્ધ ટીમે એટલાન્ટામાં ગોકુલધામ હવેલીનું નિર્માણ કર્યું છે. આ તેજસભાઈના જીવનનું મોટું કાર્ય.

12 એકર જમીનમાં સાત એકરમાં હવેલી આવેલી છે. 12000 ચો.ફૂટનું બાંધકામ છે. એટલાન્ટામાં આશરે 25000 ગુજરાતીઓ વસે છે. સાત હજાર પરિવારો આ હવેલી સાથે સંકળાયેલા છે. આ હવેલી અનેકવિધ પ્રવૃતિઓથી ધબકતી રહે છે. અહીં બાળકોને ધર્મ-સંસ્કૃતિનું જ્ઞાન આપવા ઉપરાંત ગુજરાતી ભાષા પણ શીખવવામાં આવે છે. દર રવિવારે વૈષ્ણવોનાં બાળકો આવે છે. તમામ તહેવારો પરંપરાગત રીતે-પ્રીતે ધામધૂમથી ઉજવાય છે. દરરોજ રાજભોગ સમયે અહીં આવતી કોઈ પણ વ્યક્તિને જમાડવામાં આવે છે. દર રવિવારે 500થી વધુ વ્યક્તિ અહીં આવે છે. શનિવારે સાંજે પણ 200-300 ભક્તો આવે અને શ્રીનાથજીના ચરણોમાં શાંતિ પામે. અમેરિકામાં 20-22 હવેલી છે.

પેન્સેવેલિયામાં આવેલી હવેલી વ્રજ સૌથી મોટી છે, કદાચ ગોકુલધામ તેના પછીના બીજા ક્રમે આવે છે. એવી હવેલી કે જે જમીન પર નવેસરથી જ નિર્માણ પામી હોય.

તેજસભાઈ ઉર્જા અને ભક્તિનો સંગમ છે. પારકા પ્રદેશમાં આવી વિશાળ હવેલીનું નિર્માણ કરવાનું સહેજે સહેલું નહોતું, પણ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ કહે છે તેમ તેઓ પોતે જ એક સંસ્થા જેવા છે. જે નક્કી કરે તે કરીને જ રહે છે. તેમનાં જીવસંગિની અમીબહેનનો તેમને પૂરો સાથ છે. અમીબહેન ખડે પગે અને ભરેલા હૃદયે સતત તેમની સાથે ઊભાં રહે છે. તેમના બે દીકરાઓ હરિત અને વ્રજ પણ સંસ્કારી છે.

તેજસભાઈ થાકતા નથી. વિઝનરી છે. રોજ નવાં નવાં સપનાં જુએ છે. એટલાન્ટામાં વસતા વરિષ્ઠ વડીલો (Senior Citizen) માટે તેઓ ખાસ યોજના વિચારી રહ્યા છે. રોજરોજ હવેલીમાંથી વાહન વડીલોને લેવા જશે અને સાંજે મૂકવા જશે. આવી તો ઘણી યોજનાઓ તેઓ વિચારી રહ્યા છે. ત
તેજસભાઈ કહે છે કે ધર્મ એટલે સંસ્કાર. તેઓ માને છે કે બીજાને સહયોગ કરવો એ જ સાચું જીવન કહેવાય.

તેઓ માદરે વતન માટે ઘણું કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ કરવાના છે.
આ સુંદર અને અર્થપૂર્ણ મુલાકાત કોઈને કદાચ લાંબી લાગે પણ જેમ જીવનમાં ટૂંકાનું-લાઘવનું-સંક્ષિપ્તનું મહત્ત્વ હોય છે એ જ રીતે દીર્ઘતાનું, લંબાઈનું પણ મહત્ત્વ હોય છે. માટે સમય કાઢીને આ આખો સંવાદ જોવા-સાંભળવા અને માણવા વિનંતી છે.

અમેરિકાના એટલાન્ટા શહેરમાં વસતા તેજસભાઈ પટવા ગૌરવવંતા ગુજરાતી, પરમ શ્રદ્ધેય એવા વૈષ્ણવ અને માનવીય અભિગમ ધરાવતા ....

10/05/2024

ઘરમાંથી ગૂમ થતા કાંસ્કા ભાગ-બીજો અને છેલ્લો (રમૂજી સત્ય ઘટના)

આલેખનઃ રમેશ તન્ના

હું ઑફિસથી સાંજે ઘરે ગયો ત્યારે મારાં જીવનસાથીએ જ્યારે મને કહ્યું કે આપણા ઘરમાંથીકશુંક ગૂમ થાય છે ત્યારે મને ખરેખર ચિંતા થઈ અને હું સૉફા પર ફસડાઈ પડ્યો.

આમ તો મારો ચિંતા કરવાનો ખાસ સ્વભાવ નથી, પણ જ્યારે જીવનસાથી કશુંક ગંભીર કહેતાં હોય ત્યારે 'મને ચિંતા થાય છે' તેવું બતાવવું જ પડે.

પરણેલા હશે તે બધા મારી સાથે કાચી સેકન્ડમાં સંમત થશે.

ઘરમાંથી કશુંક ગૂમ થાય છે એ વાતનો સિલસિલો આગળ વધે તે પહેલાં અમારી બાજુમાં રહેતાં ઉષાબહેન આવ્યાં. તેમને તાકીદે હૉસ્પિટલ જવું પડે તેમ હતું અને પોતાની સાથે મારાં જીવનસાથીને લઈ જવા માગતાં હતાં.

પાડોશી-ધર્મ પહેલો. ગૂમ થતી વસ્તુની વાત બીજા નંબરે.

હૉસ્પિટલથી આવ્યા પછી તો રાત્રે મોડું થયું હતું તેથી અમારે ગૂમ થતી વસ્તુ વિશે વાત જ ના થઈ.

તેઓ પોતાના કોઈ કામથી બીજા દિવસે બપોરે ભાત-ભાથું (ટિફિન) લઈને ઑફિસે આવવાનાં હતાં.

તેથી તેમણે અને મેં બન્નેએ મનોમન નક્કી કર્યું હતું કે બપોરે કાર્યાલયમાં આ વાત કરીને સામૂહિક ચિંતા-ફિકર કરી લઈશું.

બપોરે તેઓ આવ્યાં. સ્વભાવગત્ ઑફિસનું તેમણે કડક સુપરવિઝન કર્યું. જે જે ઠેકાણે નહોતું તે બધુ જ ઠેકાણ મૂક્યું.

એમાં તેઓ બે દિવસથી જે રહસ્ય શોધવા માગતાં હતાં તેનો જવાબ-ઉકેલ મળી ગયો.

નવી સવારના સ્ટુડિયોમાંથી જુદા જુદા બે સ્થળેથી બે કાંસ્કા મળ્યા.

હું જ્યાં બેસીને કામ કરું છું ત્યાં કમ્પ્યૂટરના કિ-બોર્ડ નીચેથી એક કાંસ્કો મળ્યો.

એક કાંસ્કો ભગવાનના આરિયામાંથી પ્રાપ્ત થયો.

બે કાંસ્કા પેન્ટ્રીમાંથી મળ્યા.

થયું એવું હતું કે નવી સવાર ચેનલ માટે વિડીયો બનાવવાના હોય ત્યારે મારે માથુ હોળવું (કે ઓળવું) પડે. મને તેની ઓછી ટેવ. એક-બે વીડિયો માથું યોગ્ય રીતે હોળાયું નહોતું તેવા બની ગયેલા.

એ વખતે મેં ઑફિસમાં કાંસ્કો શોધેલો તે નહીં મળેલો.

ખુદ જીવનસાથીએ યાદ રાખીને મને બીજા દિવસે કાંસ્કો આપેલો જે બે દિવસ થેલામાં જ રહ્યો હતો.

એ પછી તો કાંસ્કાની ખેંચ ના પડે અને જોઈએ ત્યારે અવશ્ય ક્યાંકને ક્યાંકથી મને કાંસ્કો મળી જ જાય તેવા શુભ હેતુથી હું દરરોજ ઘરેથી કાંસ્કા લઈ જવા લાગ્યો.

સાચું કહું તો એ કામ મારું અચેતન મન જ કરતું હતું. મને તેની ખબર જ ના રહેતી.

નહીંતર મારે સહેજે બદઈરાદો નહીં કે હું આ ઘરને કાંસ્કાવિહોણું કરી નાખું.

કાંસ્કા ભલે મને ખાસ ગમે નહીં પણ તેમની સાથે મારે કોઈ વેર-ઝેર તો નહીં જ.

વીડિયો શૂટિંગ મારે માટે નવો અનુભવ હોવાથી હું જાતભાતની તૈયારીમાં છેક છેલ્લે સુધી રોકાયેલો રહું. માથું સરખું કરવાનું તો છેક છેલ્લે જ યાદ આવે.

એ વખતે કાંસ્કો ક્યાં મૂક્યો છે તે યાદ ના આવે એટલે પેનની જેમ જ હું ઠેર-ઠેર કાંસ્કા મૂકતો હતો.

જ્યાં જ્યાં નજર મારી પડે મને કાંસ્કા જ કાંસ્કા નજરે પડે.

કાંસ્કા હાથવગા રાખવાની લાયમાં હું ઘરેથી, પૂછ્યા વિના બધા જ કાંસ્કા ઑફિસે લઈ આવ્યો.

જે વ્યક્તિ એકેએક કાર્ય ઘરે પૂછીને જ કરતી હોય તે વ્યક્તિ જ્યારે કોઈ એક કાર્ય પૂછ્યા વિના કરે અથવા તો તેનાથી કહેવાનું રહી જાય ત્યારે જ કાંઈક ગરબડ થાય. મારે એવું જ થયું હતું.
.. પણ એ પછી શું થયું ?

શું થવાનું હોય.. ઑફિસમાં કાંસ્કા-રૅડ પડી. એક-એક ખૂણાને બારિકાઈથી ફંફોસાયા અને મળી ગયેલા તમામ કાંસ્કાઓને વાજતે-ગાજતે ઘરે લઈ જવાયા.

સજાના ભાગરૂપે જેને માંડ-માંડ કાંસ્કો કહી શકાય તેવો જૂનો- આમ તો પ્રાચીન જ કહેવો પડે- એક કાંસ્કો ઑફિસમાં રખાયો.

- રમેશ તન્ના 9824034475

ખુશ થવાની ચાવીઓનો ઝૂડો આ રહ્યો...
20/03/2024

ખુશ થવાની ચાવીઓનો ઝૂડો આ રહ્યો...

ભગવાને આપણે આપણું સુખ કદાચ આપણાથી ખોવાઈ ગયું હોય તો પાછું મેળવવાની રીત ભગવાનએ આપણે કહી જ છે. જો ભગવાન આપણને ઓનલાઇન ....

નાઈટ કલ્ચરનાં જોખમોઆલેખનઃ રમેશ તન્ના નાઈટ કલ્ચર આપણી નવી પેઢીને ઊધઈ કૉરી ખાય તેમ નષ્ટ કરી રહ્યું છે.નાઈટ કલ્ચર સામે સખત ...
11/03/2024

નાઈટ કલ્ચરનાં જોખમો

આલેખનઃ રમેશ તન્ના

નાઈટ કલ્ચર આપણી નવી પેઢીને ઊધઈ કૉરી ખાય તેમ નષ્ટ કરી રહ્યું છે.

નાઈટ કલ્ચર સામે સખત આંદોલન કરવાની જરૂર છે

અમદાવાદમાં રાત્રે બે વાગ્યે બાઈક લઈને જતા 16 વર્ષના એક છોકરાને 22 વર્ષના યુવાને કાર નીચે કચડી નાખ્યો.

બન્ને જણ કોઈ અનિવાર્ય કામ વિના મિત્રો સાથે બેસવા-ફરવા જ ગયા હતા.

મોડા સુધી જાગવું, કોઈ પણ કામ વિના રખડવું, મિત્રો સાથે ગપ્પાં મારવાં, થોડી થોડી વારે પીણાં પીવાં, જંક ફૂડ ખાવાં, ડ્ગ્સ સહિતનો નસો કરવો..

આ બધુ દિવસેને દિવસે વધી રહ્યું છે.

છોકરીઓ પણ હવે તેમાં મોટી સંખ્યામાં જોડાઈ રહી છે.

અરે કિશોરો અને નાનાં નાનાં ટેણિયાં પણ હવે કોઈ પણ કારણ વગર રાત્રે જાગે છે. જાગવાનો એમને રોમાંચ હોય છે.

જાગરણવાળો દેશ હવે ઉજાગરાવાળો થઈ રહ્યો છે.

સવારમાં માનવાવાળો દેશ હવે રાતવાળો થઈ રહ્યો છે.

નાઈટ કલ્ચરથી આપણી નવી પેઢીને બચાવી લેવાની જરૂર છે.

એ જવાબદારી માતા-પિતાની છે, છે, છે ને છે જ.

સાંસ્કૃતિક-સાહિત્યિક-સાંગીતિક કાર્યક્રમો તથા અનિવાર્યપણે રાત્રે જ કરવા પડે તેવા સામાજિક અને વ્યવસાયિક કાર્યક્રમો વિના નાઈટ કલ્ચર પર સામાજિક રીતે બૅન લાવવો જોઈએ.

જોકે તેમાં મુખ્ય ભૂમિકા માતા-પિતાની જ હોઈ શકે.

ગુમરાહ થતાં સંતાનોને કોઈ પણ રીતે અને પ્રીતે પાછાં વાળવાં એ માતા-પિતાની પહેલી ફરજ છે.

રાતનો સ્વભાવ અંધારાનો છે.

માતાપિતા જાગે એ જરૂરી છે.

તમારું સંતાન અનિવાર્ય કારણો હોય તો મોડી રાત્રે બહાર જવું જોઈએ.

નહીંતર એને ઘરમાં જ રાખો અને રાત્રે સમયસર પોઢાડી દો.

કોઈ પણ કામ મોડી રાત્રે થાય તે વહેલી સવારે કેમ ના થાય ?

વહેલી સવારે તો તન અને મન એકદમ તાજું હોય એટલે ઉત્તમ કામ થાય.

જે સાચું છે તે સાચું જ છે.

ગમે તેટલી અને તેવી દલીલો કરો પણ નાઈટ કલ્ચર જરૂરી નથી જ.

પ્રભુએ દરેકને આ જીવન સુંદર રીતે જીવવા આપ્યું છે, વેડફવા નથી આપ્યું.

એક એવી સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થા હોવી જોઈએ જે નાઈટ કલ્ચરની વિરોધમાં જ કામ કરે. લોકોમાં તેના અંગે જાગૃતિ લાવે.

(તસવીર પ્રતિકાત્મક છે.)

(પૉઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475)

મહાશિવરાત્રિના પરમ દિવસે રવિશંકર મહારાજલિખિત 'ગીતા બોધવાણી' મળે એ કેવી સુંદર વાત કહેવાય ? આજે દિનેશભાઈ અમીનના નિવાસસ્થાન...
08/03/2024

મહાશિવરાત્રિના પરમ દિવસે રવિશંકર મહારાજલિખિત 'ગીતા બોધવાણી' મળે એ કેવી સુંદર વાત કહેવાય ?

આજે દિનેશભાઈ અમીનના નિવાસસ્થાને તેમની મુલાકાત શૂટ કરવા જવાનું થયું તો તેમણે રવિશંકર મહારાજ લિખિત 'ગીતા બોધવાણી' પુસ્તક ભેટ આપ્યું.

મારી સાથે હર્ષભાઈ ધકાણ (સિનેમેટ્રોગ્રાફર-એડિટર) હતા તો તેમને પણ આ પુસ્તક ભેટ આપ્યું.

રવિશંકર મહારાજે ગીતા-ભાષ્ય લખ્યું છે તેનાથી હું અજાણ હતો. જેણે જેણે ભગવદ્ ગીતાનાં મહત્ત્વનાં ભાષ્ય લખ્યાં છે તેમના વિશે લખવાની તક મેં લીધી છે. જેમ કેઃ શંકરાચાર્ય, લોકમાન્ય ટિળક, મહાત્મા ગાંધી, કિશોરલાલ મશરૂવાળા, વિનોબા ભાવે વગેરે વગેરે..

દિનેશભાઈ અમીન પોળોનાં જંગલો પાસે કેટલાંક ગામ દત્તક લઈને કાર્યો પણ કરી રહ્યા છે.

આજે તેમને મળીને, તેમના વિચારો જાણીને આનંદ તો થયો જ, નવી ઊર્જા પણ મળી. સમાજ માટેની પ્રતિબદ્ધતા સઘન થાય તેવું તેમનું જીવન-કવન છે.

મેં પણ તેમને પૉઝિટિવ સ્ટોરીઝ્ શ્રેણીનાં દસ પુસ્તકોનો સંપુટ અને 'માતૃભાષા મોરી મોરી રે' તથા 'મીઠડી માતૃભાષા' પુસ્તકો ભેટ આપ્યાં.

(પૉઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475)

વિશ્વ પુસ્તક મેળોઃ રળિયામણાં દશ્યોઆલેખનઃ રમેશ તન્ના પુસ્તક એટલે સર્જનાત્મકતા.પુસ્તક એટલે સંવેદનાનું સંવહન.પુસ્તક એટલે સી...
19/02/2024

વિશ્વ પુસ્તક મેળોઃ રળિયામણાં દશ્યો

આલેખનઃ રમેશ તન્ના

પુસ્તક એટલે સર્જનાત્મકતા.

પુસ્તક એટલે સંવેદનાનું સંવહન.

પુસ્તક એટલે સીમાઓની પેલે પાર.

નવી દિલ્હીના પુસ્તક મેળામાં ફરતાં ફરતાં અહીં રજૂ કરેલી કેટલીક એવી તસવીરોમાં હિંદુ-મુસ્લિમનો ભાઈચારો દેખાશે.

આ તસવીરો મને સહજ રીતે મળી છે.

આપણને દેખાવો-કળાવો જોઈએ પારાવાર પ્રેમ પણ આપણે સતત જોઈએ છીએ નફરત. આપણે એટલી બધી નફરત જોઈએ છીએ કે ઘણી વાર લાગે કે આપણને પ્રેમ જોઈતો જ નથી, નફરત જ 'જોઈએ છે.'

આવાં રળિયામણાં દશ્યો જોવા મળ્યાં એટલે પુસ્તક મેળાનો ફેરો સફળ થયો.

તસવીરોઃ રમેશ તન્ના

(પૉઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475)

રાજકોટ પછી હવે જામનગરમાં આર.આર.શેઠની કંપની દ્વારા પુસ્તકમેળો યોજાઈ રહ્યો છે.રાજકોટના મેળામાં પૉઝિટિવ સ્ટોરીઝ્ શ્રેણીનાં ...
11/02/2024

રાજકોટ પછી હવે જામનગરમાં આર.આર.શેઠની કંપની દ્વારા પુસ્તકમેળો યોજાઈ રહ્યો છે.

રાજકોટના મેળામાં પૉઝિટિવ સ્ટોરીઝ્ શ્રેણીનાં પુસ્તકો માટે મારા પર વાચકોના ફોન આવ્યા તો મને થયું કે લો ત્યારે આ શ્રેણીનાં પુસ્તકો ઠેરઠેર પહોંચી તો ગયાં છે.

જામનગરના પુસ્તકમેળામાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો ઉપરાંત મારાં સંબંધોનું સૌંદર્ય શ્રેણીનાં પુસ્તકો તથા સમાજનું અજવાળું પુસ્તકનો અંગ્રેજી અનુવાદ પણ મળશે.

જેમને રસ-તરસ હોય, અનુકૂળ હોય તે લોકોને આ પુસ્તકમેળાની મુલાકાત લેવા શબ્દભર્યું આમંત્રણ છે.

અનુમાન કરો કે આ કોની તસવીર હોઈ શકે ?ના છોકરી નથી, છોકરો છે.અત્યારે તો તેઓ ખ્યાતનામ ચિત્રકાર છે.અભિનેતા પણ ખરા હોં. શિક્ષ...
11/02/2024

અનુમાન કરો કે આ કોની તસવીર હોઈ શકે ?

ના છોકરી નથી, છોકરો છે.

અત્યારે તો તેઓ ખ્યાતનામ ચિત્રકાર છે.

અભિનેતા પણ ખરા હોં. શિક્ષક હૌં છે.

તેમણે અમને માતૃભાષા મોરી મોરી રે.. માટે સુંદર લેખ લખી આપ્યો છે, જેમાં તેમની માતાની પણ હૃદયસ્પર્શી વાતો લખી છે.

અનુમાન કરો...

ચાલો ત્યારે કહો કે ગુજરાતી ભાષાના આ કયા સાહિત્યકાર છે.વાળ-શૈલી એટલે કે હેર-સ્ટાઈલ પરથી ચોક્કસ કહી શકાશે.આજની તેમની હેર-સ...
09/02/2024

ચાલો ત્યારે કહો કે ગુજરાતી ભાષાના આ કયા સાહિત્યકાર છે.

વાળ-શૈલી એટલે કે હેર-સ્ટાઈલ પરથી ચોક્કસ કહી શકાશે.

આજની તેમની હેર-સ્ટાઈલ પણ લગભગ આવી જ છે...

આજે મિત્રો આપની કસોટી કરું.અમદાવાદમાં રહેતા આ  સાહિત્યકારનું નામ  જણાવો.થોડીક મદદ કરુંઃમુંબઈથી અમદાવાદ રહેવા આવેલા સાહિત...
08/02/2024

આજે મિત્રો આપની કસોટી કરું.

અમદાવાદમાં રહેતા આ સાહિત્યકારનું નામ જણાવો.

થોડીક મદદ કરુંઃ

મુંબઈથી અમદાવાદ રહેવા આવેલા સાહિત્યાકાર ચંદ્રકાન્ત બક્ષીએ આ સર્જક વિશે કહ્યું હતું કે મને નવાઈ લાગે છે કે આ સાહિત્યકારનો કોઈ દુશ્મન કેમ નથી ?

બીજી હિન્ટઃ લોકભારતી સણોસરાથી અમદાવાદમાં રહેવા આવેલા કેળવણીકાર અને સાહિત્યકાર મનસુખ સલ્લાએ કહેલું કે અમદાવાદમાં મેં સાહિત્યકારોમાં દ્વેષ ખૂબ જોયો પણ આ એક એવા સાહિત્યકાર છે જેમનામાં સહેજ પણ રાગ-દ્વેષ નથી.

હવે દડો તમારા મેદાનમાં.

વિચારીને નામ આપો.

માતૃભાષા મોરી મોરી રે.. એ પુસ્તકમાં તેમણે અમને ગુજરાતી ભાષા શીખવતા શિક્ષકમાં કઈ સજ્જતા હોવી જોઈએ એવો અત્યંત અભ્યાસી લેખ લખી આપ્યો છે. આ એવો લેખ છે જે દરેક શિક્ષકે ફરજિયાત વાંચવો જ જોઈએ.

(પૉઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475)

BBC કેમ આવું કરે ? એક બાજુ  પ્રતિષ્ઠા અને બીજી પા પૂર્વગ્રહો.. આલેખનઃ રમેશ તન્ના અહેવાલ છે કે બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેન...
04/02/2024

BBC કેમ આવું કરે ? એક બાજુ પ્રતિષ્ઠા અને બીજી પા પૂર્વગ્રહો..

આલેખનઃ રમેશ તન્ના

અહેવાલ છે કે બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને BBCના રામ મંદિરના કવરેજ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરી સમગ્ર વિશ્વમાં હિન્દુઓ માટે ખુશીનો દિવસ હતો, પરંતુ અફસોસની વાત એ છે કે BBCએ તેના કવરેજમાં ઉલ્લેખ કર્યો છે કે આ તે જ જગ્યા છે જ્યાં એક મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.

સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબે બ્લેકમેને વધુમાં કહ્યું- તેઓ ભૂલી ગયા કે અગાઉ અહીં બે હજાર વર્ષ સુધી મંદિર હતું. આ ઉપરાંત મુસ્લિમોને મસ્જિદ માટે પાંચ એકર જગ્યા પણ આપવામાં આવી છે, જ્યાં તેઓ મસ્જિદ બનાવી શકે છે. આ પછી, બ્રિટિશ સાંસદે BBCની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે અને સંસદમાં આ મુદ્દે ચર્ચાની માગ કરી છે.

BBC વિશ્વની એક પ્રતિષ્ઠિત મીડિયા-સંસ્થા છે.

પહેલાં રેડિયોના જમાનામાં તેની બોલબોલા હતી. મોરબી પુલ તૂટ્યો તેના સમાચાર પહેલા-વહેલા BBCએ આપ્યા હતા એવી લોકો આજે પણ વાતો કરે છે.
BBC વ્યાપક છે અને પ્રભાવક પણ છે. આખા વિશ્વમાં તેનું જબરજસ્ત નેટવર્ક છે. રેડિયો, ટીવી, પ્રકાશનો.. તેનો કારોબાર મસમોટો છે.

ભારતના સંદર્ભમાં જોઈએ તો ઘણાને લાગે છે કે તે જેટલી પ્રતિષ્ઠિત છે તેટલી જ પૂર્વગ્રહિત મીડિયા-સંસ્થા છે.

એ એક વાર નહીં, મારા બાપ, સાડી સત્તર વાર કબૂલ કે મીડિયાએ સ્થાપિત હિતો કે પછી શાસકો કે પછી ફાવી ગયેલાઓ પર ચાંપતી નજર રાખીને તેમના પર કચકચાવીને સતત પ્રહાર કરવા જોઈએ, પણ તેનો અર્થ એમ કેમ કરીને થાય કે ચોક્કસ દેશ કે ધર્મ કે સંસ્કૃતિની વિરુદ્ધમાં જ સતત તાર-સ્વરે લખવું કે બોલવું કે બતાવવું ?

આ વાત બિલકુલ બરાબર નથી. જે ખોટું છે તેનો વિરોધ કરો જ. તટસ્થ રીતે અને એવા ઈરાદાથી કે ભવિષ્યમાં એ સાચું બને, ધોરણસરનું થાય. પણ, એક જ લીટીનો એજન્ટા કરીને કોઈ સંસ્થા, દેશ, ધર્મ, રાજકીય પક્ષ કે વ્યક્તિના સામે આદુ ખાઈને પડી જવું એ તો મીડિયા-વ્યવસાયનું પણ અપમાન છે.

સ્વસ્થ સમાજના નિર્માણમાં રચના અને સંઘર્ષ એ બે વાનાં જોઈએ. એમાંય રચના તો પહેલી જોઈએ, જોઈએ અને જોઈએ જ. એવા વિના ના ચાલે.

નકરો, પૂર્વગ્રહવાળો, બદઈરાદાથી થયેલો વિરોધ તો પત્રકારત્વને દૂષિત કરે.
અમને BBCની અનેક સ્ટોરી ગમી છે અને ગમે છે..પણ તેનું પૂર્વગ્રહિત વલણ અને ચલણ નથી ગમતું.

આપ શું માનો છો ?

(પૉઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475)

કેટલાંક આમંત્રણ.. જેને અનુકૂળ હોય,રસ અને તરસ હોય તે લોકો ચોક્કસ જઈ શકે.
02/02/2024

કેટલાંક આમંત્રણ.. જેને અનુકૂળ હોય,
રસ અને તરસ હોય તે લોકો ચોક્કસ જઈ શકે.

Address

Ahmedabad

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Telephone

9824034475

Alerts

Be the first to know and let us send you an email when Positive Media Institute posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Positive Media Institute:

Share